Suratમાં પતંગની દોરીએ વધુ એક યુવતીનો લીધો ભોગ, ગળામાં દોરી આવી જતા ઈજાગ્રસ્ત થઈ અને પછી.....


  • Published By :
  • Published Date : 2024-01-12 12:57:29

સામાન્ય રીતે આપણે ત્યાં કોઈ પણ તહેવારની ઉજવણી ઘણા સમય પહેલાથી શરૂ થઈ જાય છે. ભલે પહેલા જેવો તહેવારને લઈ લોકોમાં ઉત્સાહ નથી રહ્યો પરંતુ તહેવાર આજે પણ લોકો મનાવે છે. ઉત્તરાયણને હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ઉત્તરાયણને પહેલા અનેક લોકો પતંગ ચગાવવાની શરૂઆત કરી દેતા હોય છે. પરંતુ પતંગની દોરી કોઈના માટે પ્રાણઘાતક પણ સાબિત થતી હોય છે. થોડા સમય પહેલા પણ એક આવો કિસ્સો સામે આવ્યો હતો ત્યારે ફરી એક ઘટના સુરતથી સામે આવી છે જેમાં યુવતીનું મોત દોરીને કારણે થયું છે. 22 વર્ષીય દિક્ષીતા ઠુમ્મરનું મોત ટૂંકી સારવાર બાદ થતા પરિવારમાં શોકની લાગણી પ્રવર્તિ ઉઠી છે. 

જે દીકરીની ડોલી ઉઠવાની હતી તેની ઉઠી હતી અર્થી  

પતંગ ઉડાવવાનો શોખ અનેક લોકોને હોય છે. તહેવારને ધ્યાનમાં રાખી અનેક લોકોએ પતંગ ચગાવવાની શરૂઆત પણ કરી દીધી છે. પરંતુ આ પતંગની દોરીને કારણે અનેક લોકોના જીવ સંકટમાં મૂકાય છે. દોરીને કારણે ગળું કપાઈ જાય છે અને તેને કારણે દુર્ઘટનના સર્જાય છે. થોડા સમય પહેલા એક ઘટના સામે આવી હતી જેમાં જે દીકરીની ડોલી ઉઠવાની હતી તેની અર્થી ઘરમાંથી ઉઠી હતી. પતંગની દોરીને કારણે તેનું ગળું કપાયું હતું અને આ દુર્ઘટનાને કારણે તેનું મોત નિપજ્યું હતું. 

In Surat, the string of the kite claimed the victim, the girl died after the string got stuck in her neck Surat: સુરતમાં પતંગની દોરીએ લીધો ભોગ, યુવતીનાં ગળામાં દોરી ફસાતાં થયું મોત

પતંગની દોરીથી થયું 22 વર્ષીય યુવતીનું મોત 

ત્યારે સુરતથી એક આવો જ કિસ્સો સામે આવ્યો છે જેમાં 22 વર્ષીય દિક્ષીતા ઠુમ્મરનું મોત પતંગની દોરીને કારણે થયું છે. નાના વરાછા બ્રિજની આ ઘટના છે. એક્ટિવા લઈને યુવતી પસાર થઈ રહી હતી અને તેના ગળાના ભાગે પતંગની દોરી આવી ગઈ. દોરી આવી જતા ગળાના ભાગે ગંભીર ઈજા પહોંચી અને તે નીચે પટકાઈ ગઈ. યુવતીને ગંભીર ઈજા પહોંચી જેને લઈ તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી અને ત્યાં ટૂંકી સારવાર બાદ યુવતીનું મોત નિપજ્યું. નાની ઉંમરે યુવતીનું મોત થઈ જતા પરિવાર શોકમગ્ન થઈ ઉઠ્યો છે. પરિવારમાં દુ:ખની લાગણી પ્રવર્તિ ઉઠી છે.    




જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે