Suratમાં પતંગની દોરીએ વધુ એક યુવતીનો લીધો ભોગ, ગળામાં દોરી આવી જતા ઈજાગ્રસ્ત થઈ અને પછી.....


  • Published By :
  • Published Date : 2024-01-12 12:57:29

સામાન્ય રીતે આપણે ત્યાં કોઈ પણ તહેવારની ઉજવણી ઘણા સમય પહેલાથી શરૂ થઈ જાય છે. ભલે પહેલા જેવો તહેવારને લઈ લોકોમાં ઉત્સાહ નથી રહ્યો પરંતુ તહેવાર આજે પણ લોકો મનાવે છે. ઉત્તરાયણને હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ઉત્તરાયણને પહેલા અનેક લોકો પતંગ ચગાવવાની શરૂઆત કરી દેતા હોય છે. પરંતુ પતંગની દોરી કોઈના માટે પ્રાણઘાતક પણ સાબિત થતી હોય છે. થોડા સમય પહેલા પણ એક આવો કિસ્સો સામે આવ્યો હતો ત્યારે ફરી એક ઘટના સુરતથી સામે આવી છે જેમાં યુવતીનું મોત દોરીને કારણે થયું છે. 22 વર્ષીય દિક્ષીતા ઠુમ્મરનું મોત ટૂંકી સારવાર બાદ થતા પરિવારમાં શોકની લાગણી પ્રવર્તિ ઉઠી છે. 

જે દીકરીની ડોલી ઉઠવાની હતી તેની ઉઠી હતી અર્થી  

પતંગ ઉડાવવાનો શોખ અનેક લોકોને હોય છે. તહેવારને ધ્યાનમાં રાખી અનેક લોકોએ પતંગ ચગાવવાની શરૂઆત પણ કરી દીધી છે. પરંતુ આ પતંગની દોરીને કારણે અનેક લોકોના જીવ સંકટમાં મૂકાય છે. દોરીને કારણે ગળું કપાઈ જાય છે અને તેને કારણે દુર્ઘટનના સર્જાય છે. થોડા સમય પહેલા એક ઘટના સામે આવી હતી જેમાં જે દીકરીની ડોલી ઉઠવાની હતી તેની અર્થી ઘરમાંથી ઉઠી હતી. પતંગની દોરીને કારણે તેનું ગળું કપાયું હતું અને આ દુર્ઘટનાને કારણે તેનું મોત નિપજ્યું હતું. 

In Surat, the string of the kite claimed the victim, the girl died after the string got stuck in her neck Surat: સુરતમાં પતંગની દોરીએ લીધો ભોગ, યુવતીનાં ગળામાં દોરી ફસાતાં થયું મોત

પતંગની દોરીથી થયું 22 વર્ષીય યુવતીનું મોત 

ત્યારે સુરતથી એક આવો જ કિસ્સો સામે આવ્યો છે જેમાં 22 વર્ષીય દિક્ષીતા ઠુમ્મરનું મોત પતંગની દોરીને કારણે થયું છે. નાના વરાછા બ્રિજની આ ઘટના છે. એક્ટિવા લઈને યુવતી પસાર થઈ રહી હતી અને તેના ગળાના ભાગે પતંગની દોરી આવી ગઈ. દોરી આવી જતા ગળાના ભાગે ગંભીર ઈજા પહોંચી અને તે નીચે પટકાઈ ગઈ. યુવતીને ગંભીર ઈજા પહોંચી જેને લઈ તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી અને ત્યાં ટૂંકી સારવાર બાદ યુવતીનું મોત નિપજ્યું. નાની ઉંમરે યુવતીનું મોત થઈ જતા પરિવાર શોકમગ્ન થઈ ઉઠ્યો છે. પરિવારમાં દુ:ખની લાગણી પ્રવર્તિ ઉઠી છે.    




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.