Suratમાં મહિલા PIની તબિયત ખરાબ, પોલીસ સ્ટેશનમાં ચઢે છે બોટલ છતાંય ફરજ નથી ચૂકતા


  • Published By :
  • Published Date : 2024-09-09 13:34:20

પોલીસની વાત જ્યારે આપણા મનમાં આવે ત્યારે પોલીસની બનેલી નેગેટિવ છબી જ આપણા દિમાગમાં આવે... અનેક પોલીસકર્મીઓ એવા હોય છે જે લોકો સાથે દુર્વ્યવહાર કરતા હોય છે. ફરજ દરમિયાન લોકોને હેરાન કરતા હોય, અનેક કિસ્સાઓમાં લાંચ લેતા પણ ઝડપાતા હોય છે.. મુખ્યત્વે આવા જ ચહેરાઓ આપણને યાદ આવે, ખાખી પર લાગેલો કાળો રંગ જ આપણને દેખાય.. પરંતુ સુરતથી એક સુંદર તસ્વીર ખાખીની સામે આવી છે. 

પોલીસ સ્ટેશનમાં મહિલા પીઆઈ કરાવી રહ્યા છે સારવાર 

મહિલા પીઆઈની તબિયત સારી ના હોવા છતાંય તે ફરજ પર આવે છે અને પોલીસ સ્ટેશનમાં સારવાર લઈ રહ્યા છે.  મહિલા પી.આઇ. મીનાબા ઝાલા.... પોલીસ સ્ટેશનમાં બોટલ ચઢે, ટેસ્ટ થાય અને ફરજ પણ નિભાવે છે..મેડિકલ ટીમ ત્યાં આવીને તેમના સ્વાસ્થ્યની તપાસ કરે છે..ગ્લુકોઝના બાટલા ચડાવી રહી છે. આવાં દૃશ્યો ગુજરાતમાં તમને ભાગ્યે જ જોવા મળશે. પોતાના કામ માટે એટલી તો વફાદારી છે કે, બીમાર હોવાછતાં ખડેપગે રહીને સમાજને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે. 



ખાખી વર્દીવાળાનો એક ચહેરો એ પણ હોય છે જ્યાં..

મહત્વનું છે કે ખાખી કપડાંવાળા કર્મચારી અથવા અધિકારી ક્યાંક લોકોને ન્યાય અપાવે છે. ક્યાંક લોકો સાથે દુર્વ્યવહાર કરે છે તો ક્યાંક ગુનેગારો ખાખી કપડાંને જોઈને ભાગતા હોય તેવાં દૃશ્યો પણ જોવા મળે છે. ત્યારે ખાખીનો અનોખો રંગ ભાગ્યે જ જોવા મળતો હોય છે...સવાલ એ ઉઠે છે કે શું PI મીનાબા ઝાલા પર કામનું એટલું બધું ભારણ હતું કે તેઓ મેડિકલ લીવ પણ લઈ શકે તેમ ન હતા?



ખાલી પડેલી વિગતોની વાત!

જો વાત કરીએ તો થોડા સમય પહેલા જ સરકારે હાઇકોર્ટ સમક્ષ પોલીસબેડામાં ખાલી પડેલી જગ્યાઓની વિગતો રજૂ કરી હતી. આ વિગતો મુજબ 31 માર્ચ, 2024ની સ્થિતિએ 28, 993 જગ્યા ખાલી છે. મંજૂર કરાયેલી જગ્યાઓમાં સામાન્ય ફેરફાર જોવા મળ્યો હતો. જોકે હાઇકોર્ટે નોંધ્યું હતું કે 31 માર્ચ, 2023 બાદ રાજ્ય સરકારે પોલીસમાં પ્રમોશન કે સીધી ભરતી યોજી નથી..... મહિલા પી.આઇ. મીનાબા ઝાલાના પોલીસ સ્ટેશનમાં ચાલુ ફરજમાં સારવારના વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યા છે....ત્યારે આ મામલે તમારૂં શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો.. 




ઓપરેશન સિંદૂર પછી ભારતે પાકિસ્તાનને વિશ્વ સમક્ષ ઉઘાડું પાડવા માટે ૭ મલ્ટીપાર્ટી ડેલિગેશન બનાવ્યા છે. આમાંથી એક ડેલિગેશન એટલેકે પ્રતિનિધિ મંડળ રશિયાની રાજધાની મોસ્કો પહોંચ્યું છે. પરંતુ આ પ્રતિનિધિ મંડળને લઈ જનારા વિમાનને મોસ્કો એરપોર્ટ પર લેન્ડ થવામાં મુશ્કેલી પડી હતી. કેમ કે યુક્રેને રશિયાના મોસ્કો એરપોર્ટ પર જોરદાર ડ્રોન હુમલો કર્યો હતો. તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી .

અમેરિકામાં થોડાક સમય પેહલા જ , ઇઝરાયેલી એમ્બેસીના બે સ્ટાફ પર. જીવલેણ હુમલો થયો છે. આ હુમલો વોશિંગટન ડીસીમાં જે જ્યુઈશ મ્યુઝિયમ આવેલું છે તેની નજીક આ હુમલો કરવામાં આવ્યો છે. આ બાબતે ત્યાંના મેટ્રોપોલિટન પોલીસ ડિપાર્ટમેન્ટએ એક સસ્પેક્ટને કસ્ટડીમાં લીધો છે. પ્રાથમિક માહિતી એ સામે આવી છે કે આ હિંસક હુમલો ઈલિયાસ રોડ્રિગુએઝ દ્વારા કરવામાં આવ્યો છે. જયારે પોલીસે તેની ધરપકડ કરી ત્યારે તેણે "ફ્રી પેલેસ્ટાઇન ફ્રી પેલેસ્ટાઇન" નામની બૂમો પાડી હતી.

અમદાવાદમાં ઇતિહાસના સૌથી મોટા ડિમોલિશનના ભાગ રૂપે ચંડોળામાં આજે પણ ફેઝ 2ની કામગીરી ચાલુ જ છે . ચંડોળા તળાવમાં આવેલી તમામ મસ્જિદ સહિતના ધાર્મિક સ્થાનોને તોડવાની શરૂઆત કરવામાં આવી છે. આ કામગીરી દરમ્યાન કોઈ પણ અનિચ્છનીય બનાવ ના બને તે માટે ક્રાઇમ બ્રાન્ચ સહીત પોલીસનો જડબેસલાક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તો આવો જાણીએ ચંડોળામાં ચાલી રહેલા ફેઝ ૨ના મેગા ડિમોલિશન વિશે.

પાછલા ઘણા સમયથી પાકિસ્તાનમાં એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે . ભારતની વિરુદ્ધમાં જે આતંકીઓએ ભૂતકાળમાં આતંકવાદી હુમલાઓની સાજીશ કરી હતી તે આંતકીઓની હવે અજાણ્યા વ્યક્તિઓ દ્વારા હત્યા થઇ રહી છે. આ ક્રમમાં હવે લશ્કરના આતંકી સૈફુલ્લા ખાલિદનો નંબર આવ્યો છે . જેની હત્યા અજાણ્યા હુમલાવરો દ્વારા કરી દેવાઈ છે. તેની પર આરોપ હતો કે ૨૦૦૬માં RSSના નાગપુર સ્થિત મુખ્યાલય પરના અટેકનો તે માસ્ટરમાઈન્ડ હતો . પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં ત્રણ ગનમેન દ્વારા સૈફુલ્લા ખાલિદની હત્યા કર દેવાઈ છે.