Suratમાં મહિલા PIની તબિયત ખરાબ, પોલીસ સ્ટેશનમાં ચઢે છે બોટલ છતાંય ફરજ નથી ચૂકતા


  • Published By :
  • Published Date : 2024-09-09 13:34:20

પોલીસની વાત જ્યારે આપણા મનમાં આવે ત્યારે પોલીસની બનેલી નેગેટિવ છબી જ આપણા દિમાગમાં આવે... અનેક પોલીસકર્મીઓ એવા હોય છે જે લોકો સાથે દુર્વ્યવહાર કરતા હોય છે. ફરજ દરમિયાન લોકોને હેરાન કરતા હોય, અનેક કિસ્સાઓમાં લાંચ લેતા પણ ઝડપાતા હોય છે.. મુખ્યત્વે આવા જ ચહેરાઓ આપણને યાદ આવે, ખાખી પર લાગેલો કાળો રંગ જ આપણને દેખાય.. પરંતુ સુરતથી એક સુંદર તસ્વીર ખાખીની સામે આવી છે. 

પોલીસ સ્ટેશનમાં મહિલા પીઆઈ કરાવી રહ્યા છે સારવાર 

મહિલા પીઆઈની તબિયત સારી ના હોવા છતાંય તે ફરજ પર આવે છે અને પોલીસ સ્ટેશનમાં સારવાર લઈ રહ્યા છે.  મહિલા પી.આઇ. મીનાબા ઝાલા.... પોલીસ સ્ટેશનમાં બોટલ ચઢે, ટેસ્ટ થાય અને ફરજ પણ નિભાવે છે..મેડિકલ ટીમ ત્યાં આવીને તેમના સ્વાસ્થ્યની તપાસ કરે છે..ગ્લુકોઝના બાટલા ચડાવી રહી છે. આવાં દૃશ્યો ગુજરાતમાં તમને ભાગ્યે જ જોવા મળશે. પોતાના કામ માટે એટલી તો વફાદારી છે કે, બીમાર હોવાછતાં ખડેપગે રહીને સમાજને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે. 



ખાખી વર્દીવાળાનો એક ચહેરો એ પણ હોય છે જ્યાં..

મહત્વનું છે કે ખાખી કપડાંવાળા કર્મચારી અથવા અધિકારી ક્યાંક લોકોને ન્યાય અપાવે છે. ક્યાંક લોકો સાથે દુર્વ્યવહાર કરે છે તો ક્યાંક ગુનેગારો ખાખી કપડાંને જોઈને ભાગતા હોય તેવાં દૃશ્યો પણ જોવા મળે છે. ત્યારે ખાખીનો અનોખો રંગ ભાગ્યે જ જોવા મળતો હોય છે...સવાલ એ ઉઠે છે કે શું PI મીનાબા ઝાલા પર કામનું એટલું બધું ભારણ હતું કે તેઓ મેડિકલ લીવ પણ લઈ શકે તેમ ન હતા?



ખાલી પડેલી વિગતોની વાત!

જો વાત કરીએ તો થોડા સમય પહેલા જ સરકારે હાઇકોર્ટ સમક્ષ પોલીસબેડામાં ખાલી પડેલી જગ્યાઓની વિગતો રજૂ કરી હતી. આ વિગતો મુજબ 31 માર્ચ, 2024ની સ્થિતિએ 28, 993 જગ્યા ખાલી છે. મંજૂર કરાયેલી જગ્યાઓમાં સામાન્ય ફેરફાર જોવા મળ્યો હતો. જોકે હાઇકોર્ટે નોંધ્યું હતું કે 31 માર્ચ, 2023 બાદ રાજ્ય સરકારે પોલીસમાં પ્રમોશન કે સીધી ભરતી યોજી નથી..... મહિલા પી.આઇ. મીનાબા ઝાલાના પોલીસ સ્ટેશનમાં ચાલુ ફરજમાં સારવારના વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યા છે....ત્યારે આ મામલે તમારૂં શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો.. 




સમાચાર સામે આવી રહ્યા છે કે , પાકિસ્તાને ઓપરેશન સિંદૂર પછી ભારતના ૧૫ શહેરો પર હુમલાનો પ્રયાસ કર્યો છે . આ હુમલો ગયી કાલે મોડી રાત્રે ભારતના ૧૫ શહેરો પર ડ્રોન અને મિસાઈલ દ્વારા કરવામાં આવ્યો હતો . પાકિસ્તાનના આ નાપાક હુમલાને આપણી એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ દ્વારા નાકામ કરી નાખવામાં આવ્યો છે. તો આવો જાણીએ એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ શું છે જેને સુદર્શન ચક્ર પણ કહેવામાં આવે છે.

ભારતે ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાનમાં ૯ આતંકી ઠેકાણાઓ પર હુમલો કરીને સમગ્ર વિશ્વને એક સંદેશ ખુબ સ્પષ્ટ રીતે આપી દીધો છે કે , આતંકવાદ માટે ઝીરો ટોલરન્સ . આતંકવાદની વિચારધારા સાથે કોઈ જ સમાધાન નઈ થાય. ભારતના ઓપરેશન સિંદૂર પર વૈશ્વિક નેતાઓની પણ પ્રતિક્રિયા આવી ગઈ છે. તો આપણે જાણીશું કે વિશ્વના નેતાઓએ શું પ્રતિક્રિયા આપી છે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો યુરોપ પ્રવાસ કેન્સલ થયો છે .

ભારતીય ઉપમહાદ્વીપમાં યુદ્ધના માહોલ વચ્ચે થોડાક સમય પેહલા ભારત સરકારના ગૃહ મંત્રાલયે આવતીકાલે મોકડ્રિલ માટે ગાઇડલાઇન બહાર પાડી છે. તો આપણે જાણીશું કે આ મોકડ્રીલ અંતર્ગત શું કરવામાં આવે છે ઉપરાંત ગુજરાતમાં ક્યા સ્થળોએ મોકડ્રીલ હાથ ધરવામાં આવશે .

રાજકોટ જિલ્લાનું ગોંડલ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે . કેસ દુષ્કર્મનો છે. રાજકોટની એક યુવતીએ રીબડાનાં યુવકની વિરુદ્ધમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી . જે યુવકની સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવામાં આવી છે તેણે હવે પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. આ ઘટનામાં ગોંડલના પૂર્વ MLA જયરાજસિંહ જાડેજા યુવકે જ્યાં જીવ ગુમાવ્યો ત્યાં પહોંચ્યા છે સાથે જ રીબડાના અગ્રણી ગોવિંદ સકપરીયાએ અનિરુદ્ધ સિંહ જાડેજા પર આક્ષેપ કર્યા છે .