સુરતના પલસાણામાં પત્નીએ જ પ્રેમી સાથે મળી પતિને મોતને ઘાટ ઉતાર્યો, લૂંટનું તરકટ રચ્યું


  • Published By :
  • Published Date : 2023-11-11 13:53:53

ડાયમન્ડ સીટી તરીકે જગવિખ્યાત સુરતમાં ગુનાખોરી ઉત્તરોત્તર વધવાનો સિલસિલો જળવાઈ રહ્યો છે. સુરતમાંથી હત્યા, લૂંટ અને બળાત્કારની ઘટનાઓ સતત સામે આવી રહી છે. સુરતના પલસાણામાં લૂંટ સાથે મર્ડરની ઘટનાથી ચકચાર મચી ગઈ છે. ગતરોજ સુરત જિલ્લાના પલસાણા તાલુકાના એના ગામે શાળાના ક્લાર્કની થેયેલી હત્યાનો ભેદ ઉકેલાયો હતો. પત્નીએ કાવતરું રચી પ્રેમી સાથે મળી પતિની હત્યા કરી નાખી હતી. પોલીસને ગુમરાહ કરવા ચોરીનું તરકટ રચ્યું હોવાનું સામે આવ્યું હતુ. પોલીસને ઘટના જોતા પહેલાથી જ શંકા ઉપજી રહી હતી. પોલીસે ઉલટ તપાસ શરૂ કરતા સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલાયો હતો. 


શું છે સમગ્ર મામલો?


સુરત હત્યા કેસમાં સુરત રૂરલ પોલીસની તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. ઘટનામાં પત્નીએ જ પ્રેમી સાથે મળી પતિની હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ થયો છે. આ કેસની વિગત એવી છે કે શિવાલિક બંગલોઝ નામની સોસાયટીમાં રહેત રાકેશ નાયક નામના 49 વર્ષીય યુવાનની હત્યા હરાયેલી હાલતમા લાશ મળી આવી હતી.આ મામલે પોલીસને જાણ કરતા પોલીસ દોડી ગઈ હતી. જ્યાં તપાસ હાથ ધરતા લૂંટ ચલાવવામાં આવી હોવાનું પણ બહાર આવ્યું હતું. જેને લઈને પોલીસે ઊંડી તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન પત્ની શ્વેતા દ્વારા જ હત્યાનું ષડયંત્ર રચી પતિનો કાંટો કાઢી નાંખવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું. હત્યારી પત્નીએ પતિને પ્રથમ ઉંધની દવા પીવડાવી હતી. બાદમાં પ્રેમી વિપુલ કહારને બોલાવ્યો હતો. જ્યાં પ્રેમી વિપુલે રાકેશ નાયકનું ગળું દબાવી તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો. ગ્રામ્ય પોલીસે પત્ની શ્વેતા અને પ્રેમી વિપુલ કહારની ધરપકડ કરી લીધી છે.




ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી