સુરતના પલસાણામાં પત્નીએ જ પ્રેમી સાથે મળી પતિને મોતને ઘાટ ઉતાર્યો, લૂંટનું તરકટ રચ્યું


  • Published By :
  • Published Date : 2023-11-11 13:53:53

ડાયમન્ડ સીટી તરીકે જગવિખ્યાત સુરતમાં ગુનાખોરી ઉત્તરોત્તર વધવાનો સિલસિલો જળવાઈ રહ્યો છે. સુરતમાંથી હત્યા, લૂંટ અને બળાત્કારની ઘટનાઓ સતત સામે આવી રહી છે. સુરતના પલસાણામાં લૂંટ સાથે મર્ડરની ઘટનાથી ચકચાર મચી ગઈ છે. ગતરોજ સુરત જિલ્લાના પલસાણા તાલુકાના એના ગામે શાળાના ક્લાર્કની થેયેલી હત્યાનો ભેદ ઉકેલાયો હતો. પત્નીએ કાવતરું રચી પ્રેમી સાથે મળી પતિની હત્યા કરી નાખી હતી. પોલીસને ગુમરાહ કરવા ચોરીનું તરકટ રચ્યું હોવાનું સામે આવ્યું હતુ. પોલીસને ઘટના જોતા પહેલાથી જ શંકા ઉપજી રહી હતી. પોલીસે ઉલટ તપાસ શરૂ કરતા સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલાયો હતો. 


શું છે સમગ્ર મામલો?


સુરત હત્યા કેસમાં સુરત રૂરલ પોલીસની તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. ઘટનામાં પત્નીએ જ પ્રેમી સાથે મળી પતિની હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ થયો છે. આ કેસની વિગત એવી છે કે શિવાલિક બંગલોઝ નામની સોસાયટીમાં રહેત રાકેશ નાયક નામના 49 વર્ષીય યુવાનની હત્યા હરાયેલી હાલતમા લાશ મળી આવી હતી.આ મામલે પોલીસને જાણ કરતા પોલીસ દોડી ગઈ હતી. જ્યાં તપાસ હાથ ધરતા લૂંટ ચલાવવામાં આવી હોવાનું પણ બહાર આવ્યું હતું. જેને લઈને પોલીસે ઊંડી તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન પત્ની શ્વેતા દ્વારા જ હત્યાનું ષડયંત્ર રચી પતિનો કાંટો કાઢી નાંખવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું. હત્યારી પત્નીએ પતિને પ્રથમ ઉંધની દવા પીવડાવી હતી. બાદમાં પ્રેમી વિપુલ કહારને બોલાવ્યો હતો. જ્યાં પ્રેમી વિપુલે રાકેશ નાયકનું ગળું દબાવી તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો. ગ્રામ્ય પોલીસે પત્ની શ્વેતા અને પ્રેમી વિપુલ કહારની ધરપકડ કરી લીધી છે.




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.