સુરતમાં પોલીસ કોન્સ્ટેબલની બહાદુરીને કારણે બચ્યો આધેડનો જીવ, પોતાના જીવની પરવા કર્યા વિના કોઝવેમાં લગાવી છલાંગ


  • Published By :
  • Published Date : 2023-03-29 12:45:04

પોલીસ અંગે જ્યારે આપણે વિચારતા હોઈએ ત્યારે આપણાં મનમાં હમેશા પોલીસને લઈ નેગેટિવ ઈમેજ જ સામે આવતી હોય છે. પોલીસને લઈ લોકોના ઓપિનીયન મુખ્યત્વે નેગેટીવ જોવા મળતા હોય છે. પરંતુ ઘણી વખત આપણે પોલીસ દ્વારા કરવામાં આવતા કામોને જોઈ શકતા નથી. એક ખરાબ ચહેરો હોય છે તો એક સારો ચહેરો પણ જોવા મળતો હોય છે. સુરતથી એક એવી ઘટના સામે આવી છે જેમાં પોલીસ દ્વારા કરવામાં આવેલા સારા કામનો ઝલક જોવા મળી હતી.     

નદીમાં ડૂબતા વૃદ્ધને કોન્સ્ટેબલે બચાવ્યો.

સાત મિનિટની અંદર આવી પોલીસની પીસીઆર વાન! 

સુરતથી પોલીસ દ્વારા માનવતાને છાજે એવું કાર્ય કરવામાં આવ્યું છે. સુરતના સિંગણપુર કોઝવેમાં ગઈકાલે થોડા દિવસો પહેલા એક વૃદ્ધ ડૂબી ગયા હતા. આ ઘટનાની જાણ પોલીસની PCRને કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતા માત્ર સાત મિનિટમાં પોલિસ ઘટના સ્થળે પહોંચી હતી. અને એ પીસીઆર વાનના ડ્રાઇવર ચિંતન રાજ્યગુરુ એ બહાદુરી બતાવીને વૃદ્ધને બચાવવા માટે પાણીમાં છલાંગ લગાવી હતી. જે બાદ તેમનો વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે. 

વૃદ્ધનો જીવ બાચવનાર પોલીસ કોન્ટેબલ ચિંતન રાજ્યગુરુ.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે વીડિયો 

એવું કહેવામાં આવે છે કે પોતાના માટે તો સૌ કોઈ જીવે છે પરંતુ બીજા માટે જીવી બતાવે તે સાચા અર્થમાં જીવન જીવ્યા હોય છે.  આ વાતને સાર્થક સુરત શહેર પોલીસ વિભાગમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલે કરી બતાવી છે. પોલીસ દ્વારા કરવામાં આવેલી આ કામગીરીને લોકો બીરદાવી રહ્યા છે. રેસ્ક્યુનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. 


કોઝવેમાં પોલીસ કોન્સ્ટેબલે લગાવી છલાંગ  

આ આખી ઘટના કેમેરામાં કેદ થઈ હતી. કોન્સ્ટેબલ ચિંતન રાજ્યગૂરૂએ પોતાના જીવની પરવાહ કર્યા વગર કોઝવેવમાં છલાંગ લગાવી દીધી હતી. એક વૃદ્ધ વ્યક્તિ પાણીમાં ડૂબી રહ્યા હતા તેમને બચાવા લાકડા તેમજ દોરડાની મદદ લઈ રેસ્ક્યુ કરવાની શરૂઆત કરવામાં આવી હતી. પોલિસ કોન્સ્ટેબલ અને સ્થાનિકની મદદથી એ વૃદ્ધને સુરક્ષિત બહાર લાવવાવામાં આવ્યાં હતા અને 108 બોલાવીને સિવિલ હોસ્પિટલમાં વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતા. 


પોલીસમાં માનવતા હજી જીવે છે 

છેલ્લે જે હોય એ પણ પોલિસનો એક એવો ચેહરો કે જે આપણે કદાચ ક્યારેય નથી જોઈ શકતા,ત્યારે ચિંતન રાજગુરુ જેવા કોન્સ્ટેબલ આવીને આપણને કહી જતા હોય છે કે પોલિસમાં પણ માનવતા જીવે છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.