સુરતમાં પોલીસ કોન્સ્ટેબલની બહાદુરીને કારણે બચ્યો આધેડનો જીવ, પોતાના જીવની પરવા કર્યા વિના કોઝવેમાં લગાવી છલાંગ


  • Published By :
  • Published Date : 2023-03-29 12:45:04

પોલીસ અંગે જ્યારે આપણે વિચારતા હોઈએ ત્યારે આપણાં મનમાં હમેશા પોલીસને લઈ નેગેટિવ ઈમેજ જ સામે આવતી હોય છે. પોલીસને લઈ લોકોના ઓપિનીયન મુખ્યત્વે નેગેટીવ જોવા મળતા હોય છે. પરંતુ ઘણી વખત આપણે પોલીસ દ્વારા કરવામાં આવતા કામોને જોઈ શકતા નથી. એક ખરાબ ચહેરો હોય છે તો એક સારો ચહેરો પણ જોવા મળતો હોય છે. સુરતથી એક એવી ઘટના સામે આવી છે જેમાં પોલીસ દ્વારા કરવામાં આવેલા સારા કામનો ઝલક જોવા મળી હતી.     

નદીમાં ડૂબતા વૃદ્ધને કોન્સ્ટેબલે બચાવ્યો.

સાત મિનિટની અંદર આવી પોલીસની પીસીઆર વાન! 

સુરતથી પોલીસ દ્વારા માનવતાને છાજે એવું કાર્ય કરવામાં આવ્યું છે. સુરતના સિંગણપુર કોઝવેમાં ગઈકાલે થોડા દિવસો પહેલા એક વૃદ્ધ ડૂબી ગયા હતા. આ ઘટનાની જાણ પોલીસની PCRને કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતા માત્ર સાત મિનિટમાં પોલિસ ઘટના સ્થળે પહોંચી હતી. અને એ પીસીઆર વાનના ડ્રાઇવર ચિંતન રાજ્યગુરુ એ બહાદુરી બતાવીને વૃદ્ધને બચાવવા માટે પાણીમાં છલાંગ લગાવી હતી. જે બાદ તેમનો વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે. 

વૃદ્ધનો જીવ બાચવનાર પોલીસ કોન્ટેબલ ચિંતન રાજ્યગુરુ.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે વીડિયો 

એવું કહેવામાં આવે છે કે પોતાના માટે તો સૌ કોઈ જીવે છે પરંતુ બીજા માટે જીવી બતાવે તે સાચા અર્થમાં જીવન જીવ્યા હોય છે.  આ વાતને સાર્થક સુરત શહેર પોલીસ વિભાગમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલે કરી બતાવી છે. પોલીસ દ્વારા કરવામાં આવેલી આ કામગીરીને લોકો બીરદાવી રહ્યા છે. રેસ્ક્યુનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. 


કોઝવેમાં પોલીસ કોન્સ્ટેબલે લગાવી છલાંગ  

આ આખી ઘટના કેમેરામાં કેદ થઈ હતી. કોન્સ્ટેબલ ચિંતન રાજ્યગૂરૂએ પોતાના જીવની પરવાહ કર્યા વગર કોઝવેવમાં છલાંગ લગાવી દીધી હતી. એક વૃદ્ધ વ્યક્તિ પાણીમાં ડૂબી રહ્યા હતા તેમને બચાવા લાકડા તેમજ દોરડાની મદદ લઈ રેસ્ક્યુ કરવાની શરૂઆત કરવામાં આવી હતી. પોલિસ કોન્સ્ટેબલ અને સ્થાનિકની મદદથી એ વૃદ્ધને સુરક્ષિત બહાર લાવવાવામાં આવ્યાં હતા અને 108 બોલાવીને સિવિલ હોસ્પિટલમાં વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતા. 


પોલીસમાં માનવતા હજી જીવે છે 

છેલ્લે જે હોય એ પણ પોલિસનો એક એવો ચેહરો કે જે આપણે કદાચ ક્યારેય નથી જોઈ શકતા,ત્યારે ચિંતન રાજગુરુ જેવા કોન્સ્ટેબલ આવીને આપણને કહી જતા હોય છે કે પોલિસમાં પણ માનવતા જીવે છે.



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે