Suratમાં વિદ્યાર્થીઓને રજા આપી શિક્ષકો 6 દિવસના પ્રવાસે ઉપડી ગયા, અભ્યાસ બગાડનારા શિક્ષકો સામે ફરિયાદ!


  • Published By :
  • Published Date : 2024-01-11 16:37:49

સુરતથી શિક્ષણજગતને લઈ ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. વિદ્યાર્થીઓને રજા આપી શિક્ષકો પોતે પ્રવાસ પર ઉપડી ગયા હોવાની ઘટના સુરતથી સામે આવી છે. શિક્ષકો રજા પર હતા જેને કારણે બાળકોનો અભ્યાસ બગડ્યો. શિક્ષકો સામે ફરિયાદ કરવામાં આવતા DEO એક્શન મોડમાં આવ્યા છે. વિદ્યાર્થીઓનો અભ્યાસ બગાડનારા શિક્ષકો સામે DEOને ફરિયાદ કરવામાં આવી છે. DEOએ આચાર્ય પાસેથી ખુલાસો મંગાયો છે. જે ઘટનાને લઈ વિવાદ છેડાઈ ગયો છે તે સુરતના લિંબાયતની માઉન્ટ મેરી હાઇસ્કુલનો છે.  



શિક્ષકો બાળકોને રજા આપી પ્રવાસ પર નિકળી પડ્યા!

સુરતના લિંબાયતની માઉન્ટ મેરી હાઇસ્કુલ  ચર્ચામાં છે. શાળાને લઈ એક વિવાદ સામે આવ્યો છે. શાળાના શિક્ષકો 5 દિવસના પ્રવાસે ઉપડી ગયા બાદ હવે અનેક સવાલો ઊભા થયા છે. વિવાદ એટલો બધા છેડાયો કે પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાલાએ સમગ્ર મામલે જિલ્લા શિક્ષણાધિકારી બી.એસ.પરમારે આ અંગે રજૂઆત કરી છે. વાત જાણે એમ છે કે, સુરતની એક શાળામાં શિક્ષકો બાળકોને 5 દિવસની રજા આપી અને પોતે પ્રવાસે ઉપડી ગયા હતા. પ્રાથમિક વિગતો મુજબ 1500 વિદ્યાર્થીઓની શાળામાં શિક્ષણકામ છોડી શિક્ષકો પ્રવાસે નીકળી જતાં પૂર્વ કોર્પોરેટરે સમગ્ર મામલે જિલ્લા શિક્ષણાધિકારીને ફરિયાદ કરી છે. ઘટનાને લઈને  જિલ્લા શિક્ષણાધિકારીએ એજ્યુકેશન ઇન્સપેક્ટરને તપાસ સોંપી છે. 



ઘટનાને લઈ DEO આવ્યા એક્શનમાં!

લિંબાયતની માઉન્ટ મેરી હાઇસ્કુલમાં વિદ્યાર્થીઓને રજા આપી શિક્ષકો 5 દિવસના પ્રવાસે ઉપડી ગયા હોવાની ઘટનામાં હવે DEO એક્શનમાં આવ્યા છે. વાત જાણે એમ છે કે, જિલ્લા શિક્ષણાધિકારી બી એસ પરમારે પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાળાની ફરિયાદને આધારે એજ્યુકેશન ઇન્સપેક્ટરને તપાસ સોંપી છે. આ સાથે વિદ્યાર્થીઓને રજા આપી શિક્ષકો રજા માણવા નીકળી જતાં આચાર્ય પાસે ખુલાસો પણ મંગાયો છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.