Suratમાં વિદ્યાર્થીઓને રજા આપી શિક્ષકો 6 દિવસના પ્રવાસે ઉપડી ગયા, અભ્યાસ બગાડનારા શિક્ષકો સામે ફરિયાદ!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-01-11 16:37:49

સુરતથી શિક્ષણજગતને લઈ ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. વિદ્યાર્થીઓને રજા આપી શિક્ષકો પોતે પ્રવાસ પર ઉપડી ગયા હોવાની ઘટના સુરતથી સામે આવી છે. શિક્ષકો રજા પર હતા જેને કારણે બાળકોનો અભ્યાસ બગડ્યો. શિક્ષકો સામે ફરિયાદ કરવામાં આવતા DEO એક્શન મોડમાં આવ્યા છે. વિદ્યાર્થીઓનો અભ્યાસ બગાડનારા શિક્ષકો સામે DEOને ફરિયાદ કરવામાં આવી છે. DEOએ આચાર્ય પાસેથી ખુલાસો મંગાયો છે. જે ઘટનાને લઈ વિવાદ છેડાઈ ગયો છે તે સુરતના લિંબાયતની માઉન્ટ મેરી હાઇસ્કુલનો છે.  



શિક્ષકો બાળકોને રજા આપી પ્રવાસ પર નિકળી પડ્યા!

સુરતના લિંબાયતની માઉન્ટ મેરી હાઇસ્કુલ  ચર્ચામાં છે. શાળાને લઈ એક વિવાદ સામે આવ્યો છે. શાળાના શિક્ષકો 5 દિવસના પ્રવાસે ઉપડી ગયા બાદ હવે અનેક સવાલો ઊભા થયા છે. વિવાદ એટલો બધા છેડાયો કે પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાલાએ સમગ્ર મામલે જિલ્લા શિક્ષણાધિકારી બી.એસ.પરમારે આ અંગે રજૂઆત કરી છે. વાત જાણે એમ છે કે, સુરતની એક શાળામાં શિક્ષકો બાળકોને 5 દિવસની રજા આપી અને પોતે પ્રવાસે ઉપડી ગયા હતા. પ્રાથમિક વિગતો મુજબ 1500 વિદ્યાર્થીઓની શાળામાં શિક્ષણકામ છોડી શિક્ષકો પ્રવાસે નીકળી જતાં પૂર્વ કોર્પોરેટરે સમગ્ર મામલે જિલ્લા શિક્ષણાધિકારીને ફરિયાદ કરી છે. ઘટનાને લઈને  જિલ્લા શિક્ષણાધિકારીએ એજ્યુકેશન ઇન્સપેક્ટરને તપાસ સોંપી છે. 



ઘટનાને લઈ DEO આવ્યા એક્શનમાં!

લિંબાયતની માઉન્ટ મેરી હાઇસ્કુલમાં વિદ્યાર્થીઓને રજા આપી શિક્ષકો 5 દિવસના પ્રવાસે ઉપડી ગયા હોવાની ઘટનામાં હવે DEO એક્શનમાં આવ્યા છે. વાત જાણે એમ છે કે, જિલ્લા શિક્ષણાધિકારી બી એસ પરમારે પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાળાની ફરિયાદને આધારે એજ્યુકેશન ઇન્સપેક્ટરને તપાસ સોંપી છે. આ સાથે વિદ્યાર્થીઓને રજા આપી શિક્ષકો રજા માણવા નીકળી જતાં આચાર્ય પાસે ખુલાસો પણ મંગાયો છે.



વલસાડ બેઠક પર ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત અનંત પટેલને ઉતારવામાં આવ્યા છે. અનંત પટેલને જમાવટની ટીમે જ્યારે પૂછ્યું કે સાંસદ બન્યા પછી તે શું કરશે તો તેમણે અનેક મુદ્દાઓને લઈ વાત કરી હતી.

ભગવાન શ્રીકૃષ્ણના અનેક ભક્તો આપણી આસપાસ હશે.. કૃષ્ણ શબ્દમાં જ આકર્ષણ છે.. ત્યારે આજે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે શ્રી કૃષ્ણને સમર્પિત રચના...

પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનનો સામનો ભાજપના નેતાઓને કરવો પડી રહ્યો છે.. જામનગરમાં સૌથી વધારે આ વિવાદને લઈ વિરોધ થઈ રહ્યો છે.. પૂનમબેન માડમને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.

જમાવટની ઈલેક્શન યાત્રા મહેસાણા પહોંચી હતી. ત્યાંના મતદાતાઓનો મિજાજ જાણવાનો પ્રયત્ન કર્યો હતો. લોકો કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખી મતદાન કરે છે તે જાણાનો પ્રયત્ન કર્યો છે.