Suratમાં વિદ્યાર્થીઓને રજા આપી શિક્ષકો 6 દિવસના પ્રવાસે ઉપડી ગયા, અભ્યાસ બગાડનારા શિક્ષકો સામે ફરિયાદ!


  • Published By :
  • Published Date : 2024-01-11 16:37:49

સુરતથી શિક્ષણજગતને લઈ ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. વિદ્યાર્થીઓને રજા આપી શિક્ષકો પોતે પ્રવાસ પર ઉપડી ગયા હોવાની ઘટના સુરતથી સામે આવી છે. શિક્ષકો રજા પર હતા જેને કારણે બાળકોનો અભ્યાસ બગડ્યો. શિક્ષકો સામે ફરિયાદ કરવામાં આવતા DEO એક્શન મોડમાં આવ્યા છે. વિદ્યાર્થીઓનો અભ્યાસ બગાડનારા શિક્ષકો સામે DEOને ફરિયાદ કરવામાં આવી છે. DEOએ આચાર્ય પાસેથી ખુલાસો મંગાયો છે. જે ઘટનાને લઈ વિવાદ છેડાઈ ગયો છે તે સુરતના લિંબાયતની માઉન્ટ મેરી હાઇસ્કુલનો છે.  



શિક્ષકો બાળકોને રજા આપી પ્રવાસ પર નિકળી પડ્યા!

સુરતના લિંબાયતની માઉન્ટ મેરી હાઇસ્કુલ  ચર્ચામાં છે. શાળાને લઈ એક વિવાદ સામે આવ્યો છે. શાળાના શિક્ષકો 5 દિવસના પ્રવાસે ઉપડી ગયા બાદ હવે અનેક સવાલો ઊભા થયા છે. વિવાદ એટલો બધા છેડાયો કે પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાલાએ સમગ્ર મામલે જિલ્લા શિક્ષણાધિકારી બી.એસ.પરમારે આ અંગે રજૂઆત કરી છે. વાત જાણે એમ છે કે, સુરતની એક શાળામાં શિક્ષકો બાળકોને 5 દિવસની રજા આપી અને પોતે પ્રવાસે ઉપડી ગયા હતા. પ્રાથમિક વિગતો મુજબ 1500 વિદ્યાર્થીઓની શાળામાં શિક્ષણકામ છોડી શિક્ષકો પ્રવાસે નીકળી જતાં પૂર્વ કોર્પોરેટરે સમગ્ર મામલે જિલ્લા શિક્ષણાધિકારીને ફરિયાદ કરી છે. ઘટનાને લઈને  જિલ્લા શિક્ષણાધિકારીએ એજ્યુકેશન ઇન્સપેક્ટરને તપાસ સોંપી છે. 



ઘટનાને લઈ DEO આવ્યા એક્શનમાં!

લિંબાયતની માઉન્ટ મેરી હાઇસ્કુલમાં વિદ્યાર્થીઓને રજા આપી શિક્ષકો 5 દિવસના પ્રવાસે ઉપડી ગયા હોવાની ઘટનામાં હવે DEO એક્શનમાં આવ્યા છે. વાત જાણે એમ છે કે, જિલ્લા શિક્ષણાધિકારી બી એસ પરમારે પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાળાની ફરિયાદને આધારે એજ્યુકેશન ઇન્સપેક્ટરને તપાસ સોંપી છે. આ સાથે વિદ્યાર્થીઓને રજા આપી શિક્ષકો રજા માણવા નીકળી જતાં આચાર્ય પાસે ખુલાસો પણ મંગાયો છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.