એક રિશ્તા એસા ભી... સુરતમાં અંગદાન કરનાર મહિલાની દીકરીનું અંગ મેળવનાર મહિલાએ માતા બની કર્યું કન્યાદાન, જુઓ તસવીરો


  • Published By :
  • Published Date : 2023-06-22 16:26:53

આપણે ત્યાં અંગદાનને મહાદાન કહેવામાં આવે છે. અનેક એવા પરિવાર હોય છે જે અંગદાનમાં માને છે. મૃતક વ્યક્તિના અંગોથી બીજી અનેક જીંદગીને જીવનદાન મળશે તે માનીને અંગદાન કરે છે. ત્યારે સુરત શહેરનો એક કિસ્સો ઘણો ચર્ચામાં છે. કારણ કે થોડા દિવસ પહેલા સ્વર્ગવાસી થયેલી મહિલાની દીકરીનાં લગ્ન યોજાયાં હતા. આ લગ્નમાં મૃતક મહિલાનું અંગ મેળવનાર મહિલાએ ‘માતા’ બની સ્વર્ગવાસી મહિલાની પુત્રીનું કન્યાદાન કર્યું હતું. દીકરીને માતાની કમી ના સારે અને માતાના હોવાનો અહેસાસ થાય તે માટે તે મહિલા માતા બની ત્યાં હાજર હતી. 

 કિર્તેશ પટેલ, સુરત: શહેરનો એક પ્રેરણાદાયી કિસ્સો હાલ ઘણો જ ચર્ચામાં છે. જેમાં ચાર વર્ષ પહેલાં સુરતની મહિલાના અંગ અન્ય મહિલાને દાનમાં આપ્યા હતા. થોડા દિવસ પહેલા સ્વર્ગવાસી થયેલા મહિલાના દીકરીનાં લગ્ન યોજાયાં હતા. આ લગ્નમાં મૃતક મહિલાનું અંગ મેળવનાર મહિલાએ ‘માતા’ બની સ્વર્ગવાસી મહિલાની પુત્રીનું કન્યાદાન કર્યું હતું. સુરતમાં આયોજિત આ લગ્નમાં કન્યાદાન સમયે ભાવવિભોર કરનારાં દ્રશ્યો સર્જાયાં હતાં.

અંગ મેળવનાર મહિલાએ કર્યું દીકરીનું કન્યાદાન

અનેક એવા પરિવાર છે જે અંગદાનમાં માને છે. ભલે તેમણે પોતાના સ્વજનને ગુમાવ્યા પરંતુ કોઈ બીજા પોતાના પરિવારના સ્વજનને ના ગુમાવે તેવી આશા રાખે છે. ત્યારે સુરતથી એક ઈમોશનલ કરી દે તેવો કિસ્સો સામે આવ્યો છે. સુરતના એક પરિવારે 54 વર્ષીય એક સ્વર્ગીય મહિલાનું અંગદાન ચાર વર્ષ પહેલા કર્યું હતું. પરંતુ જ્યારે તે સ્વર્ગવાસી મહિલાની દીકરીના લગ્ન હતા ત્યારે તે મહિલાએ દીકરીનું કન્યાદાન પોતાના હસ્તે કર્યું હતું. 


મહિલાનું બ્રેઈન ડેડ થઈ જતાં કર્યું અંગદાન 

ડોક્ટરે મહિલાને બ્રેઈન ડેડ જાહેર કરી દીધા બાદ મહિલાના અંગને જરૂરિયાતમંદ લોકોને દાન આપવામાં આવ્યા હતા. આ મહિલાને કિડની દીકરીના માતાની કીડની આપવામાં આવી હતી. બાથરૂમમાં પડી જવાને કારણે રાધેકિરણ બહેન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા પરંતુ તેમનું બ્રેનડેડ થઈ ગયું હતું. જે બાદ પરિવારે રાધેકિરણ બહેનનું હૃદય, ફેફસાં, કિડની તેમજ આંખોનું દાન કર્યું હતું. અંગદાન કરી 6 વ્યક્તિઓને નવું જીવનદાન આપ્યું હતું. 

 સુરતના ન્યૂ સિટીલાઈટમાં રહેતા કલ્પેશભાઈ લાકડાવાળાનાં પત્ની રાધેકિરણ કલ્પેશભાઈ લાકડાવાળાં ચાર વર્ષ પહેલાં 16 જૂન 2019ની રાત્રે બાથરૂમમાં તેમનો પગ લપસતા ગંભીર રીતે ઇજાગ્ર્સ્ત થયાં હતાં. જેથી તેમને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયાં. જ્યાં 20 જૂને તેમને બ્રેનડેડ જાહેર કરાયાં. તેમના પરિવારે તેમનું હૃદય, ફેફસાં, કિડની અને આંખોનું દાન કરી 6 વ્યક્તિને નવું જીવન આપ્યું હતું. આ દરમિયાન થોડા દિવસ પહેલાં રાધેકિરણબહેનની દીકરી ક્રિષ્નાનાં લગ્ન હતાં


માતાની ખોટ ન સારે તે માટે આપી લગ્નમાં હાજરી 

ત્યારે થોડા સમય પહેલા રાધેકિરણ બહેનની દીકરીના લગ્ન હતા. ત્યારે લગ્નમાં કિડની મેળવનાર મહિલા પણ ઉપસ્થિત હતા. જે મહિલાને કિડની આપવામાં આવી તેમનું નામ જ્યોત્સનાબેન છે. બંને પરિવાર સંપર્કમાં આવ્યા. રાધેકિરણ બહેનની દીકરીના લગ્નમાં જ્યોત્સના બહેનના પરિવારને આમંત્રણ આપવામાં આવ્યું હતું. અને લગ્નમાં તેમણે હાજરી પણ આપી હતી. દીકરીના પરિવારે જ્યારે જ્યોત્સના બહેનને વિધી કરવા માટે કહ્યું ત્યારે તેઓ તરત માની ગયા અને પોતે વિધી કરી હતી. તેમણે દીકરીનું કન્યાદાન કર્યું હતું. દીકરી ક્રિષ્નાને એવી અનુભૂતિ થઈ જાણે તેની માતા પોતે ત્યાં હાજર હોય. લગ્ન પ્રસંગ દરમિયાન જે દ્રશ્યો સર્જાયા હતા તે ભાવુક કરી દે તેવા છે.  

 દીકરીના લગ્નની તસવીર,



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.