એક રિશ્તા એસા ભી... સુરતમાં અંગદાન કરનાર મહિલાની દીકરીનું અંગ મેળવનાર મહિલાએ માતા બની કર્યું કન્યાદાન, જુઓ તસવીરો


  • Published By :
  • Published Date : 2023-06-22 16:26:53

આપણે ત્યાં અંગદાનને મહાદાન કહેવામાં આવે છે. અનેક એવા પરિવાર હોય છે જે અંગદાનમાં માને છે. મૃતક વ્યક્તિના અંગોથી બીજી અનેક જીંદગીને જીવનદાન મળશે તે માનીને અંગદાન કરે છે. ત્યારે સુરત શહેરનો એક કિસ્સો ઘણો ચર્ચામાં છે. કારણ કે થોડા દિવસ પહેલા સ્વર્ગવાસી થયેલી મહિલાની દીકરીનાં લગ્ન યોજાયાં હતા. આ લગ્નમાં મૃતક મહિલાનું અંગ મેળવનાર મહિલાએ ‘માતા’ બની સ્વર્ગવાસી મહિલાની પુત્રીનું કન્યાદાન કર્યું હતું. દીકરીને માતાની કમી ના સારે અને માતાના હોવાનો અહેસાસ થાય તે માટે તે મહિલા માતા બની ત્યાં હાજર હતી. 

 કિર્તેશ પટેલ, સુરત: શહેરનો એક પ્રેરણાદાયી કિસ્સો હાલ ઘણો જ ચર્ચામાં છે. જેમાં ચાર વર્ષ પહેલાં સુરતની મહિલાના અંગ અન્ય મહિલાને દાનમાં આપ્યા હતા. થોડા દિવસ પહેલા સ્વર્ગવાસી થયેલા મહિલાના દીકરીનાં લગ્ન યોજાયાં હતા. આ લગ્નમાં મૃતક મહિલાનું અંગ મેળવનાર મહિલાએ ‘માતા’ બની સ્વર્ગવાસી મહિલાની પુત્રીનું કન્યાદાન કર્યું હતું. સુરતમાં આયોજિત આ લગ્નમાં કન્યાદાન સમયે ભાવવિભોર કરનારાં દ્રશ્યો સર્જાયાં હતાં.

અંગ મેળવનાર મહિલાએ કર્યું દીકરીનું કન્યાદાન

અનેક એવા પરિવાર છે જે અંગદાનમાં માને છે. ભલે તેમણે પોતાના સ્વજનને ગુમાવ્યા પરંતુ કોઈ બીજા પોતાના પરિવારના સ્વજનને ના ગુમાવે તેવી આશા રાખે છે. ત્યારે સુરતથી એક ઈમોશનલ કરી દે તેવો કિસ્સો સામે આવ્યો છે. સુરતના એક પરિવારે 54 વર્ષીય એક સ્વર્ગીય મહિલાનું અંગદાન ચાર વર્ષ પહેલા કર્યું હતું. પરંતુ જ્યારે તે સ્વર્ગવાસી મહિલાની દીકરીના લગ્ન હતા ત્યારે તે મહિલાએ દીકરીનું કન્યાદાન પોતાના હસ્તે કર્યું હતું. 


મહિલાનું બ્રેઈન ડેડ થઈ જતાં કર્યું અંગદાન 

ડોક્ટરે મહિલાને બ્રેઈન ડેડ જાહેર કરી દીધા બાદ મહિલાના અંગને જરૂરિયાતમંદ લોકોને દાન આપવામાં આવ્યા હતા. આ મહિલાને કિડની દીકરીના માતાની કીડની આપવામાં આવી હતી. બાથરૂમમાં પડી જવાને કારણે રાધેકિરણ બહેન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા પરંતુ તેમનું બ્રેનડેડ થઈ ગયું હતું. જે બાદ પરિવારે રાધેકિરણ બહેનનું હૃદય, ફેફસાં, કિડની તેમજ આંખોનું દાન કર્યું હતું. અંગદાન કરી 6 વ્યક્તિઓને નવું જીવનદાન આપ્યું હતું. 

 સુરતના ન્યૂ સિટીલાઈટમાં રહેતા કલ્પેશભાઈ લાકડાવાળાનાં પત્ની રાધેકિરણ કલ્પેશભાઈ લાકડાવાળાં ચાર વર્ષ પહેલાં 16 જૂન 2019ની રાત્રે બાથરૂમમાં તેમનો પગ લપસતા ગંભીર રીતે ઇજાગ્ર્સ્ત થયાં હતાં. જેથી તેમને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયાં. જ્યાં 20 જૂને તેમને બ્રેનડેડ જાહેર કરાયાં. તેમના પરિવારે તેમનું હૃદય, ફેફસાં, કિડની અને આંખોનું દાન કરી 6 વ્યક્તિને નવું જીવન આપ્યું હતું. આ દરમિયાન થોડા દિવસ પહેલાં રાધેકિરણબહેનની દીકરી ક્રિષ્નાનાં લગ્ન હતાં


માતાની ખોટ ન સારે તે માટે આપી લગ્નમાં હાજરી 

ત્યારે થોડા સમય પહેલા રાધેકિરણ બહેનની દીકરીના લગ્ન હતા. ત્યારે લગ્નમાં કિડની મેળવનાર મહિલા પણ ઉપસ્થિત હતા. જે મહિલાને કિડની આપવામાં આવી તેમનું નામ જ્યોત્સનાબેન છે. બંને પરિવાર સંપર્કમાં આવ્યા. રાધેકિરણ બહેનની દીકરીના લગ્નમાં જ્યોત્સના બહેનના પરિવારને આમંત્રણ આપવામાં આવ્યું હતું. અને લગ્નમાં તેમણે હાજરી પણ આપી હતી. દીકરીના પરિવારે જ્યારે જ્યોત્સના બહેનને વિધી કરવા માટે કહ્યું ત્યારે તેઓ તરત માની ગયા અને પોતે વિધી કરી હતી. તેમણે દીકરીનું કન્યાદાન કર્યું હતું. દીકરી ક્રિષ્નાને એવી અનુભૂતિ થઈ જાણે તેની માતા પોતે ત્યાં હાજર હોય. લગ્ન પ્રસંગ દરમિયાન જે દ્રશ્યો સર્જાયા હતા તે ભાવુક કરી દે તેવા છે.  

 દીકરીના લગ્નની તસવીર,



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.