સુરતમાં યુવકે સફરજનના પૈસા ના આપ્યા તો હત્યા કરી દીધી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-05 21:16:32

લોકોની ધીરજમાં ઘટાડો થઈ રહ્યો છે એવું સાંભળવામાં આવે છે પણ સુરતથી જે સમાચાર આવ્યા છે તે સાંભળીને તમને લાગશે જ કે આ સાચી વાત છે. મહીપાલ આહીર નામના એક યુવકે સફરજનના પૈસા ના આપ્યા તો સફરજન વેચનાર ચંદુભાઈ દેવીપૂજકના પુત્રએ મહીપાલ આહીરને એવો માર્યો કે તે ઘટનાસ્થળે જ મોતને ભેટ્યો.


કેવી રીતે બની સમગ્ર ઘટના બની ઉગ્ર?

સુરત પોલીસે અમરોલીમાં સફરજન વેચનાર ચંદુભાઈ દેવીપૂજક અને તેના પુત્ર સુનિલ દેવીપૂજકની ધરપકડ કરી છે. આ ધરપકડ એટલા માટે કરવામાં આવી છે કારણ કે ચંદુભાઈના પુત્રએ એક યુવકને માથામાં લાકડાનો ફટકો મારતા યુવકનું મોત થઈ ગયું છે.


હત્યા બાદ લાશને ગાડી લઈ ફેંકી દીધી

સુનિલ દેવીપૂજકે મહીપાલ આહીર નામના યુવકને માથામાં લાકડાનો ફટકો મારતા મહીપાલનું માથમાં ઈજા પહોંચી હતી અને તેમાંથી લોહી નીકળવા લાગ્યું હતું. સુનિલે મહીપાલને હોસ્પિટલ લઈ જવા માટે ફોન કરીને તેના મિત્રોને બોલાવ્યા હતા. પરંતુ ગંભીર અપરાધ હોવાના કારણે હોસ્પિટલે સારવારની મનાહી કરી દીધી હતી. તો મહિપાલે મહીપાલના મૃતદેહને પુણા ખાતે મૂકીને ભાગી ગયો હતો. આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી અને તેના આધારે પોલીસ આરોપી પિતા-પુત્ર સુધી પહોંચી હતી અને બંનેની ધરપકડ કરી હતી. 

 




થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .