સુરતમાં યુવકે સફરજનના પૈસા ના આપ્યા તો હત્યા કરી દીધી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-05 21:16:32

લોકોની ધીરજમાં ઘટાડો થઈ રહ્યો છે એવું સાંભળવામાં આવે છે પણ સુરતથી જે સમાચાર આવ્યા છે તે સાંભળીને તમને લાગશે જ કે આ સાચી વાત છે. મહીપાલ આહીર નામના એક યુવકે સફરજનના પૈસા ના આપ્યા તો સફરજન વેચનાર ચંદુભાઈ દેવીપૂજકના પુત્રએ મહીપાલ આહીરને એવો માર્યો કે તે ઘટનાસ્થળે જ મોતને ભેટ્યો.


કેવી રીતે બની સમગ્ર ઘટના બની ઉગ્ર?

સુરત પોલીસે અમરોલીમાં સફરજન વેચનાર ચંદુભાઈ દેવીપૂજક અને તેના પુત્ર સુનિલ દેવીપૂજકની ધરપકડ કરી છે. આ ધરપકડ એટલા માટે કરવામાં આવી છે કારણ કે ચંદુભાઈના પુત્રએ એક યુવકને માથામાં લાકડાનો ફટકો મારતા યુવકનું મોત થઈ ગયું છે.


હત્યા બાદ લાશને ગાડી લઈ ફેંકી દીધી

સુનિલ દેવીપૂજકે મહીપાલ આહીર નામના યુવકને માથામાં લાકડાનો ફટકો મારતા મહીપાલનું માથમાં ઈજા પહોંચી હતી અને તેમાંથી લોહી નીકળવા લાગ્યું હતું. સુનિલે મહીપાલને હોસ્પિટલ લઈ જવા માટે ફોન કરીને તેના મિત્રોને બોલાવ્યા હતા. પરંતુ ગંભીર અપરાધ હોવાના કારણે હોસ્પિટલે સારવારની મનાહી કરી દીધી હતી. તો મહિપાલે મહીપાલના મૃતદેહને પુણા ખાતે મૂકીને ભાગી ગયો હતો. આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી અને તેના આધારે પોલીસ આરોપી પિતા-પુત્ર સુધી પહોંચી હતી અને બંનેની ધરપકડ કરી હતી. 

 




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.