સુરતમાં યુવકે સફરજનના પૈસા ના આપ્યા તો હત્યા કરી દીધી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-05 21:16:32

લોકોની ધીરજમાં ઘટાડો થઈ રહ્યો છે એવું સાંભળવામાં આવે છે પણ સુરતથી જે સમાચાર આવ્યા છે તે સાંભળીને તમને લાગશે જ કે આ સાચી વાત છે. મહીપાલ આહીર નામના એક યુવકે સફરજનના પૈસા ના આપ્યા તો સફરજન વેચનાર ચંદુભાઈ દેવીપૂજકના પુત્રએ મહીપાલ આહીરને એવો માર્યો કે તે ઘટનાસ્થળે જ મોતને ભેટ્યો.


કેવી રીતે બની સમગ્ર ઘટના બની ઉગ્ર?

સુરત પોલીસે અમરોલીમાં સફરજન વેચનાર ચંદુભાઈ દેવીપૂજક અને તેના પુત્ર સુનિલ દેવીપૂજકની ધરપકડ કરી છે. આ ધરપકડ એટલા માટે કરવામાં આવી છે કારણ કે ચંદુભાઈના પુત્રએ એક યુવકને માથામાં લાકડાનો ફટકો મારતા યુવકનું મોત થઈ ગયું છે.


હત્યા બાદ લાશને ગાડી લઈ ફેંકી દીધી

સુનિલ દેવીપૂજકે મહીપાલ આહીર નામના યુવકને માથામાં લાકડાનો ફટકો મારતા મહીપાલનું માથમાં ઈજા પહોંચી હતી અને તેમાંથી લોહી નીકળવા લાગ્યું હતું. સુનિલે મહીપાલને હોસ્પિટલ લઈ જવા માટે ફોન કરીને તેના મિત્રોને બોલાવ્યા હતા. પરંતુ ગંભીર અપરાધ હોવાના કારણે હોસ્પિટલે સારવારની મનાહી કરી દીધી હતી. તો મહિપાલે મહીપાલના મૃતદેહને પુણા ખાતે મૂકીને ભાગી ગયો હતો. આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી અને તેના આધારે પોલીસ આરોપી પિતા-પુત્ર સુધી પહોંચી હતી અને બંનેની ધરપકડ કરી હતી. 

 




ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે