સુરેન્દ્રનગરમાં યોજાઈ ખેડૂતોની મહારેલી!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-04-21 16:45:25

સુરેન્દ્રનગરમાં આજે આંબેડકર ચોકથી કલેકટર કચેરી સુધી ખેડૂતોના પ્રશ્નોને લઇને "ચાલો ખેડૂત મહા રેલી" યોજાઈ હતી. આ મહારેલીનું આયોજન કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું હતું.  સાથે જ કલેકટરશ્રીને આ પછી આવેદન પત્ર આપવાનું આયોજન પણ હતું જેવી જ મહારેલી કલેકટર કચેરીએ પહોંચી કે તરત જ કલેકટર કચેરીના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા . જોકે આ પછી કોંગ્રેસના ખેડૂત  નેતાઓએ સુરેન્દ્રનગરના કલેક્ટરને આવેદન આપ્યું છે . 

સુરેન્દ્રનગરના આંબેડકર ચોકથી કલેકટર કચેરી સુધી ખેડૂતોની મહારેલી યોજાઈ હતી. આ મહારેલીનું આયોજન કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું હતું. ગયા વર્ષે ૨૦૨૪ દરમ્યાન સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં અતિવૃષ્ટિ થઈ હતું પરંતુ હજુ પણ ખેડૂતોને વળતર ચુકવવામાં આવ્યું નથી . તેમજ DELR  કચેરી ખાતે ખેડૂતોના જમીન સંપાદનમાં યોગ્ય માપણી કે કચેરીમાં જવાબ ન આપતા હોવાનું સાથે જ ધક્કા ખોવડાતા હોવાના આક્ષેપ ખેડૂતો દ્વારા કરવામાં આવ્યા છે. 

હવે ખેડૂતોના પ્રશ્નોને લઇને સુરેન્દ્રનગરમાં દસાડાના પૂર્વ MLA નૌશાદ સોલંકી ,  કોંગ્રેસ નેતા  પ્રગતિ આહીર અને પૂર્વ MLA ઋત્વિક મકવાણાની આગેવાનીમાં ખેડૂત મહારેલી યોજાઈ હતી . આ રેલીમાં સુરેન્દ્રનગર જિલ્લાના કાર્યકરો અને આગેવાનો તેમજ ખેડૂતો મોટી સંખ્યામાં રેલીમાં જોડાયા હતા અને સરકાર વિરુદ્ધ સૂત્રચાર કરી રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો સાથે જ કલેકટર કચેરીના કમ્પાઉન્ડમાં  ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધ સુત્રોચાર કરી અને બીજેપી ના બેનર સળગાવી અને લાતો મારી વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ મહારેલીના અંતે કલેક્ટરને આવેદન પત્ર આપી ઉગ્ર રજુઆત કરવામાં આવી છે. અને જો ખેડૂતોના પ્રશ્નોના યોગ્ય ઉકેલ નહીં આવે તો આગામી સમયમાં ઉગ્રહ આંદોલનની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. 



પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.

રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.