સુરેન્દ્રનગરમાં યોજાઈ ખેડૂતોની મહારેલી!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-04-21 16:45:25

સુરેન્દ્રનગરમાં આજે આંબેડકર ચોકથી કલેકટર કચેરી સુધી ખેડૂતોના પ્રશ્નોને લઇને "ચાલો ખેડૂત મહા રેલી" યોજાઈ હતી. આ મહારેલીનું આયોજન કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું હતું.  સાથે જ કલેકટરશ્રીને આ પછી આવેદન પત્ર આપવાનું આયોજન પણ હતું જેવી જ મહારેલી કલેકટર કચેરીએ પહોંચી કે તરત જ કલેકટર કચેરીના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા . જોકે આ પછી કોંગ્રેસના ખેડૂત  નેતાઓએ સુરેન્દ્રનગરના કલેક્ટરને આવેદન આપ્યું છે . 

સુરેન્દ્રનગરના આંબેડકર ચોકથી કલેકટર કચેરી સુધી ખેડૂતોની મહારેલી યોજાઈ હતી. આ મહારેલીનું આયોજન કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું હતું. ગયા વર્ષે ૨૦૨૪ દરમ્યાન સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં અતિવૃષ્ટિ થઈ હતું પરંતુ હજુ પણ ખેડૂતોને વળતર ચુકવવામાં આવ્યું નથી . તેમજ DELR  કચેરી ખાતે ખેડૂતોના જમીન સંપાદનમાં યોગ્ય માપણી કે કચેરીમાં જવાબ ન આપતા હોવાનું સાથે જ ધક્કા ખોવડાતા હોવાના આક્ષેપ ખેડૂતો દ્વારા કરવામાં આવ્યા છે. 

હવે ખેડૂતોના પ્રશ્નોને લઇને સુરેન્દ્રનગરમાં દસાડાના પૂર્વ MLA નૌશાદ સોલંકી ,  કોંગ્રેસ નેતા  પ્રગતિ આહીર અને પૂર્વ MLA ઋત્વિક મકવાણાની આગેવાનીમાં ખેડૂત મહારેલી યોજાઈ હતી . આ રેલીમાં સુરેન્દ્રનગર જિલ્લાના કાર્યકરો અને આગેવાનો તેમજ ખેડૂતો મોટી સંખ્યામાં રેલીમાં જોડાયા હતા અને સરકાર વિરુદ્ધ સૂત્રચાર કરી રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો સાથે જ કલેકટર કચેરીના કમ્પાઉન્ડમાં  ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધ સુત્રોચાર કરી અને બીજેપી ના બેનર સળગાવી અને લાતો મારી વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ મહારેલીના અંતે કલેક્ટરને આવેદન પત્ર આપી ઉગ્ર રજુઆત કરવામાં આવી છે. અને જો ખેડૂતોના પ્રશ્નોના યોગ્ય ઉકેલ નહીં આવે તો આગામી સમયમાં ઉગ્રહ આંદોલનની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.