સુરેન્દ્રનગરમાં યોજાઈ ખેડૂતોની મહારેલી!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-04-21 16:45:25

સુરેન્દ્રનગરમાં આજે આંબેડકર ચોકથી કલેકટર કચેરી સુધી ખેડૂતોના પ્રશ્નોને લઇને "ચાલો ખેડૂત મહા રેલી" યોજાઈ હતી. આ મહારેલીનું આયોજન કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું હતું.  સાથે જ કલેકટરશ્રીને આ પછી આવેદન પત્ર આપવાનું આયોજન પણ હતું જેવી જ મહારેલી કલેકટર કચેરીએ પહોંચી કે તરત જ કલેકટર કચેરીના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા . જોકે આ પછી કોંગ્રેસના ખેડૂત  નેતાઓએ સુરેન્દ્રનગરના કલેક્ટરને આવેદન આપ્યું છે . 

સુરેન્દ્રનગરના આંબેડકર ચોકથી કલેકટર કચેરી સુધી ખેડૂતોની મહારેલી યોજાઈ હતી. આ મહારેલીનું આયોજન કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું હતું. ગયા વર્ષે ૨૦૨૪ દરમ્યાન સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં અતિવૃષ્ટિ થઈ હતું પરંતુ હજુ પણ ખેડૂતોને વળતર ચુકવવામાં આવ્યું નથી . તેમજ DELR  કચેરી ખાતે ખેડૂતોના જમીન સંપાદનમાં યોગ્ય માપણી કે કચેરીમાં જવાબ ન આપતા હોવાનું સાથે જ ધક્કા ખોવડાતા હોવાના આક્ષેપ ખેડૂતો દ્વારા કરવામાં આવ્યા છે. 

હવે ખેડૂતોના પ્રશ્નોને લઇને સુરેન્દ્રનગરમાં દસાડાના પૂર્વ MLA નૌશાદ સોલંકી ,  કોંગ્રેસ નેતા  પ્રગતિ આહીર અને પૂર્વ MLA ઋત્વિક મકવાણાની આગેવાનીમાં ખેડૂત મહારેલી યોજાઈ હતી . આ રેલીમાં સુરેન્દ્રનગર જિલ્લાના કાર્યકરો અને આગેવાનો તેમજ ખેડૂતો મોટી સંખ્યામાં રેલીમાં જોડાયા હતા અને સરકાર વિરુદ્ધ સૂત્રચાર કરી રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો સાથે જ કલેકટર કચેરીના કમ્પાઉન્ડમાં  ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધ સુત્રોચાર કરી અને બીજેપી ના બેનર સળગાવી અને લાતો મારી વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ મહારેલીના અંતે કલેક્ટરને આવેદન પત્ર આપી ઉગ્ર રજુઆત કરવામાં આવી છે. અને જો ખેડૂતોના પ્રશ્નોના યોગ્ય ઉકેલ નહીં આવે તો આગામી સમયમાં ઉગ્રહ આંદોલનની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. 



અમદાવાદમાં ઇતિહાસના સૌથી મોટા ડિમોલિશનના ભાગ રૂપે ચંડોળામાં આજે પણ ફેઝ 2ની કામગીરી ચાલુ જ છે . ચંડોળા તળાવમાં આવેલી તમામ મસ્જિદ સહિતના ધાર્મિક સ્થાનોને તોડવાની શરૂઆત કરવામાં આવી છે. આ કામગીરી દરમ્યાન કોઈ પણ અનિચ્છનીય બનાવ ના બને તે માટે ક્રાઇમ બ્રાન્ચ સહીત પોલીસનો જડબેસલાક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તો આવો જાણીએ ચંડોળામાં ચાલી રહેલા ફેઝ ૨ના મેગા ડિમોલિશન વિશે.

પાછલા ઘણા સમયથી પાકિસ્તાનમાં એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે . ભારતની વિરુદ્ધમાં જે આતંકીઓએ ભૂતકાળમાં આતંકવાદી હુમલાઓની સાજીશ કરી હતી તે આંતકીઓની હવે અજાણ્યા વ્યક્તિઓ દ્વારા હત્યા થઇ રહી છે. આ ક્રમમાં હવે લશ્કરના આતંકી સૈફુલ્લા ખાલિદનો નંબર આવ્યો છે . જેની હત્યા અજાણ્યા હુમલાવરો દ્વારા કરી દેવાઈ છે. તેની પર આરોપ હતો કે ૨૦૦૬માં RSSના નાગપુર સ્થિત મુખ્યાલય પરના અટેકનો તે માસ્ટરમાઈન્ડ હતો . પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં ત્રણ ગનમેન દ્વારા સૈફુલ્લા ખાલિદની હત્યા કર દેવાઈ છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ લઇને આજે એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કે , ભારતીય સેનાએ સ્પષ્ટ કરી દીધું છે કે , પાકિસ્તાન સાથે DGMO સ્તરની કોઈ પણ વાતચીત આજે નઈ થાય . સીઝફાયર ચાલુ જ રહેશે. બેઉ દેશોના DGMO એટલેકે , ડિરેક્ટોરેટ જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ વચ્ચે આજે કોઈ જ સંવાદ નથી થવા જઈ રહ્યો .

રક્ષામંત્રી રાજનાથ સિંહે ઓપરેશન સિંદૂર પછી પ્રથમ વખત ગુજરાત પ્રવાસે છે. આજે રક્ષામંત્રી રાજનાથસિંહ ભુજ એરબેઝની મુલાકાતે પહોંચ્યા છે. જ્યાં તેઓ એરફોર્સે , BSF અને આર્મીના અધિકારીઓ - જવાનોને મળીને ચર્ચા કરીને સરહદ પરની સુરક્ષા અંગે સમીક્ષા કરી છે. આ સાથેજ રક્ષામંત્રી રાજનાથ સિંહ ગુજરાતમાં ભારત - પાકિસ્તાન સરહદના વિવિધ વિસ્તારોની મુલાકાત પણ કરી છે. તો આવો જાણીએ રક્ષામંત્રી રાજનાથ સિંહના પ્રવાસ વિશે.