તમિલનાડુમાં મદ્રાસ કોર્ટે RSSની રેલી પર લગાવી શરતો, RSSએ કાર્યક્રમો જ રદ કરી દીધા


  • Published By :
  • Published Date : 2022-11-05 16:40:08

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે રવિવારે તમિલનાડુમાં યોજાનાર તમામ કાર્યક્રમોને બંધ કરવાનો નિર્ણય લીધો છે. આરએસએસના રૂટમાં અમુક વિસ્તારોમાં હોબાળાની સંભાવનાઓ હતી માટે મદ્રાસ હાઈકોર્ટે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના કાર્યક્રમો માટે અમૂક શરતો મૂકી હતી. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે પોતાના તમામ જગ્યાઓના કાર્યક્રમોને સ્થગિત કરી દીધા છે અને મદ્રાસ કોર્ટના નિર્ણયને પડકારવા જાહેરાત કરી હતી. 


મદ્રાસ હાઈકોર્ટે આ કારણથી રાખી હતી શરતો

મદ્રાસ હાઈકોર્ટે તમિલનાડુમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના 44 જગ્યાઓ પર કાર્યક્રમો કરવા માટે શરતો રાખી હતી. રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘે તમિલનાડુની 50 જગ્યાઓ પર રેલી કરવાની અનુમતિ માગી હતી. છ જગ્યાઓ પર રેલીની પરવાનગી નહોતી મળી. પોલીસે બાતમીના આધારે છ જગ્યાઓ પર રેલી યોજવા માટે મનાહી કરી દીધી હતી. મદ્રાસ કોર્ટના જજનો તર્ક હતો કે કોયંબતૂર, મેત્તુપલયામ, પોલ્લાચી, પલ્લાદામ, અરુમનાઈ અને નાગરકોઈલમાં રેલી યોજવા માટે મનાહી કરવામાં આવી હતી કારણ કે ત્યાં પરિસ્થિતિ યોગ્ય ના હતી. આથી મદ્રાસ કોર્ટે લાકડી વગેરે જેવી કોઈને ઈજા પહોંચે તેવી વસ્તુઓ લઈ જવા પર પ્રતિબંધ લગાવ્યો હતો. 

What happened when RSS was banned 3 times in the past - India News

મદ્રાસ કોર્ટે જણાવ્યું હતું કે જો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના લોકોને આ વિસ્તારમાં રેલી કરવી હોય અને કોઈ વિસ્તારમાં હિંસા ફેલાય કે સાર્વજનિક સંપતિને કે કોઈની વ્યક્તિગત સંપતિને નુકસાન થાય તો તમામ ખર્ચો સંઘ આપશે. આના કારણે રાષ્ટ્રીય સ્વયં સંઘે પોતાના તમામ કાર્યક્રમો પર રોક લગાવી દીધી હતી અને મદ્રાસ કોર્ટને પડકાર ફેંક્યો હતો. 



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.