તમિલનાડુમાં મદ્રાસ કોર્ટે RSSની રેલી પર લગાવી શરતો, RSSએ કાર્યક્રમો જ રદ કરી દીધા


  • Published By :
  • Published Date : 2022-11-05 16:40:08

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે રવિવારે તમિલનાડુમાં યોજાનાર તમામ કાર્યક્રમોને બંધ કરવાનો નિર્ણય લીધો છે. આરએસએસના રૂટમાં અમુક વિસ્તારોમાં હોબાળાની સંભાવનાઓ હતી માટે મદ્રાસ હાઈકોર્ટે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના કાર્યક્રમો માટે અમૂક શરતો મૂકી હતી. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે પોતાના તમામ જગ્યાઓના કાર્યક્રમોને સ્થગિત કરી દીધા છે અને મદ્રાસ કોર્ટના નિર્ણયને પડકારવા જાહેરાત કરી હતી. 


મદ્રાસ હાઈકોર્ટે આ કારણથી રાખી હતી શરતો

મદ્રાસ હાઈકોર્ટે તમિલનાડુમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના 44 જગ્યાઓ પર કાર્યક્રમો કરવા માટે શરતો રાખી હતી. રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘે તમિલનાડુની 50 જગ્યાઓ પર રેલી કરવાની અનુમતિ માગી હતી. છ જગ્યાઓ પર રેલીની પરવાનગી નહોતી મળી. પોલીસે બાતમીના આધારે છ જગ્યાઓ પર રેલી યોજવા માટે મનાહી કરી દીધી હતી. મદ્રાસ કોર્ટના જજનો તર્ક હતો કે કોયંબતૂર, મેત્તુપલયામ, પોલ્લાચી, પલ્લાદામ, અરુમનાઈ અને નાગરકોઈલમાં રેલી યોજવા માટે મનાહી કરવામાં આવી હતી કારણ કે ત્યાં પરિસ્થિતિ યોગ્ય ના હતી. આથી મદ્રાસ કોર્ટે લાકડી વગેરે જેવી કોઈને ઈજા પહોંચે તેવી વસ્તુઓ લઈ જવા પર પ્રતિબંધ લગાવ્યો હતો. 

What happened when RSS was banned 3 times in the past - India News

મદ્રાસ કોર્ટે જણાવ્યું હતું કે જો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના લોકોને આ વિસ્તારમાં રેલી કરવી હોય અને કોઈ વિસ્તારમાં હિંસા ફેલાય કે સાર્વજનિક સંપતિને કે કોઈની વ્યક્તિગત સંપતિને નુકસાન થાય તો તમામ ખર્ચો સંઘ આપશે. આના કારણે રાષ્ટ્રીય સ્વયં સંઘે પોતાના તમામ કાર્યક્રમો પર રોક લગાવી દીધી હતી અને મદ્રાસ કોર્ટને પડકાર ફેંક્યો હતો. 



અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.