તમિલનાડુમાં મદ્રાસ કોર્ટે RSSની રેલી પર લગાવી શરતો, RSSએ કાર્યક્રમો જ રદ કરી દીધા


  • Published By :
  • Published Date : 2022-11-05 16:40:08

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે રવિવારે તમિલનાડુમાં યોજાનાર તમામ કાર્યક્રમોને બંધ કરવાનો નિર્ણય લીધો છે. આરએસએસના રૂટમાં અમુક વિસ્તારોમાં હોબાળાની સંભાવનાઓ હતી માટે મદ્રાસ હાઈકોર્ટે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના કાર્યક્રમો માટે અમૂક શરતો મૂકી હતી. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે પોતાના તમામ જગ્યાઓના કાર્યક્રમોને સ્થગિત કરી દીધા છે અને મદ્રાસ કોર્ટના નિર્ણયને પડકારવા જાહેરાત કરી હતી. 


મદ્રાસ હાઈકોર્ટે આ કારણથી રાખી હતી શરતો

મદ્રાસ હાઈકોર્ટે તમિલનાડુમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના 44 જગ્યાઓ પર કાર્યક્રમો કરવા માટે શરતો રાખી હતી. રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘે તમિલનાડુની 50 જગ્યાઓ પર રેલી કરવાની અનુમતિ માગી હતી. છ જગ્યાઓ પર રેલીની પરવાનગી નહોતી મળી. પોલીસે બાતમીના આધારે છ જગ્યાઓ પર રેલી યોજવા માટે મનાહી કરી દીધી હતી. મદ્રાસ કોર્ટના જજનો તર્ક હતો કે કોયંબતૂર, મેત્તુપલયામ, પોલ્લાચી, પલ્લાદામ, અરુમનાઈ અને નાગરકોઈલમાં રેલી યોજવા માટે મનાહી કરવામાં આવી હતી કારણ કે ત્યાં પરિસ્થિતિ યોગ્ય ના હતી. આથી મદ્રાસ કોર્ટે લાકડી વગેરે જેવી કોઈને ઈજા પહોંચે તેવી વસ્તુઓ લઈ જવા પર પ્રતિબંધ લગાવ્યો હતો. 

What happened when RSS was banned 3 times in the past - India News

મદ્રાસ કોર્ટે જણાવ્યું હતું કે જો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના લોકોને આ વિસ્તારમાં રેલી કરવી હોય અને કોઈ વિસ્તારમાં હિંસા ફેલાય કે સાર્વજનિક સંપતિને કે કોઈની વ્યક્તિગત સંપતિને નુકસાન થાય તો તમામ ખર્ચો સંઘ આપશે. આના કારણે રાષ્ટ્રીય સ્વયં સંઘે પોતાના તમામ કાર્યક્રમો પર રોક લગાવી દીધી હતી અને મદ્રાસ કોર્ટને પડકાર ફેંક્યો હતો. 



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે