Tamil Naduમાં સર્જાયો લઠ્ઠાકાંડ! ઝેરી દારૂ પીધા પછી થયા અનેક લોકોના મોત, અનેક લોકો પડ્યા બિમાર...


  • Published By :
  • Published Date : 2024-06-20 15:14:43

ઝેરી દારૂ પીવાને કારણે અનેક લોકોના મોત થયા છે ત્યારે તમિલનાડુમાં કથિત રીતે ઝેરી દારૂ પીવાને કારણે 29 જેટલા લોકોના મોત થઈ ગયા છે જ્યારે અનેક લોકોની તબિયત લથડી છે... 60 જેટલા લોકોની હાલત ગંભીર છે અને સારવાર માટે તેમને હોસ્પિટલ ખસેડવાાં આવ્યા છે. આ ઘટનાની તપાસ કરવા માટે રાજ્યના મુખ્યમંત્રીએ આદેશ આપી દીધા છે.. સાથે સાથે જે લોકોના મોત થયા છે તેમના માટે શોક વ્યક્ત કર્યો છે. આ મોતનો આંકડો વધી પણ શકે છે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

અનેક લોકોના થયા મોત જ્યારે અનેક લોકોની તબિયત બગડી

તમિલનાડુથી ઝેરી દારૂના કારણે અનેક લોકોના મોત થયા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. કલ્લાકુરિચી જિલ્લામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 30 જેટલા લોકોના મોત થઈ ગયા છે જ્યારે 60 જેટલા લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઝેરી દારૂ પીવાને કારણે લોકોની તબિયત લથડી ગઈ છે અને અનેક લોકો મોતને ભેટ્યા છે. લોકોની તબિયત ખરાબ થવાને કારણે લોકોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. મુખ્યમંત્રી એમ.કે.સ્ટાલિને આ મામલે સીઆઈડી તપાસના આદેશ આપ્યા છે. લઠ્ઠાકાંડનો કિસ્સો સામે આવતા અફરા તફરીનો માહોલ સર્જાયો છે. 


ઘટનાને પગલે લેવાયા આ પગલા

મળતી માહિતી અનુસાર પોલીસે આ મામલાના આરોપીને ઝડપી પાડ્યો છે. કાર્યવાહીના રૂપમાં દારૂ વેચનારની ધરપકડ કરી લીધી છે તેમજ અનેક લીટર ગેરકાયદેસર દારૂ કબજે કર્યો છે. એવી પણ માહિતી સામે આવી છે કે જિલ્લાના એસપીને સસ્પેન્ડ કરી દીધા છે તેમજ જિલ્લા કલેક્ટરની બદલી પણ કરી લીધી છે. આ મામલે મૃતકોનો આંકડો હજી વધવાની સંભાવના છે. મહત્વનું છે કે મૃતકોના પરિવારજનોનું કહેવું છે કે દારૂ પીધા બાદ મૃતકોની તબિયત બગડી, પેટમાં દુખાવો થયો ઉપરાંત બેભાન થઈ ગયા. 



રાજ્યપાલ દ્વારા પ્રગટ કરવામાં આવ્યો શોક 

મહત્વનું છે કે અનેક વખત લઠ્ઠાકાંડ થવાના કિસ્સાઓ સામે આવ્યા છે. ઝેરી દારૂ પીવાને કારણે અનેક લોકોના મોત થયા છે. એવી માહિતી સામે આવી છે કે દારૂમાં મિથેન હતું. રાજ્યપાલ દ્વારા આ ઘટનાને લઈ દુખ વ્યક્ત કરવામાં આવ્યું છે. જે લોકો હોસ્પિટલમાં દાખલ છે તે જલ્દી સાજા થાય તેવી વાત તેમણે કરી હતી. ત્યારે તમારૂં આ મામલે શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો.. 



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .