Tamil Naduમાં સર્જાયો લઠ્ઠાકાંડ! ઝેરી દારૂ પીધા પછી થયા અનેક લોકોના મોત, અનેક લોકો પડ્યા બિમાર...


  • Published By :
  • Published Date : 2024-06-20 15:14:43

ઝેરી દારૂ પીવાને કારણે અનેક લોકોના મોત થયા છે ત્યારે તમિલનાડુમાં કથિત રીતે ઝેરી દારૂ પીવાને કારણે 29 જેટલા લોકોના મોત થઈ ગયા છે જ્યારે અનેક લોકોની તબિયત લથડી છે... 60 જેટલા લોકોની હાલત ગંભીર છે અને સારવાર માટે તેમને હોસ્પિટલ ખસેડવાાં આવ્યા છે. આ ઘટનાની તપાસ કરવા માટે રાજ્યના મુખ્યમંત્રીએ આદેશ આપી દીધા છે.. સાથે સાથે જે લોકોના મોત થયા છે તેમના માટે શોક વ્યક્ત કર્યો છે. આ મોતનો આંકડો વધી પણ શકે છે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

અનેક લોકોના થયા મોત જ્યારે અનેક લોકોની તબિયત બગડી

તમિલનાડુથી ઝેરી દારૂના કારણે અનેક લોકોના મોત થયા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. કલ્લાકુરિચી જિલ્લામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 30 જેટલા લોકોના મોત થઈ ગયા છે જ્યારે 60 જેટલા લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઝેરી દારૂ પીવાને કારણે લોકોની તબિયત લથડી ગઈ છે અને અનેક લોકો મોતને ભેટ્યા છે. લોકોની તબિયત ખરાબ થવાને કારણે લોકોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. મુખ્યમંત્રી એમ.કે.સ્ટાલિને આ મામલે સીઆઈડી તપાસના આદેશ આપ્યા છે. લઠ્ઠાકાંડનો કિસ્સો સામે આવતા અફરા તફરીનો માહોલ સર્જાયો છે. 


ઘટનાને પગલે લેવાયા આ પગલા

મળતી માહિતી અનુસાર પોલીસે આ મામલાના આરોપીને ઝડપી પાડ્યો છે. કાર્યવાહીના રૂપમાં દારૂ વેચનારની ધરપકડ કરી લીધી છે તેમજ અનેક લીટર ગેરકાયદેસર દારૂ કબજે કર્યો છે. એવી પણ માહિતી સામે આવી છે કે જિલ્લાના એસપીને સસ્પેન્ડ કરી દીધા છે તેમજ જિલ્લા કલેક્ટરની બદલી પણ કરી લીધી છે. આ મામલે મૃતકોનો આંકડો હજી વધવાની સંભાવના છે. મહત્વનું છે કે મૃતકોના પરિવારજનોનું કહેવું છે કે દારૂ પીધા બાદ મૃતકોની તબિયત બગડી, પેટમાં દુખાવો થયો ઉપરાંત બેભાન થઈ ગયા. 



રાજ્યપાલ દ્વારા પ્રગટ કરવામાં આવ્યો શોક 

મહત્વનું છે કે અનેક વખત લઠ્ઠાકાંડ થવાના કિસ્સાઓ સામે આવ્યા છે. ઝેરી દારૂ પીવાને કારણે અનેક લોકોના મોત થયા છે. એવી માહિતી સામે આવી છે કે દારૂમાં મિથેન હતું. રાજ્યપાલ દ્વારા આ ઘટનાને લઈ દુખ વ્યક્ત કરવામાં આવ્યું છે. જે લોકો હોસ્પિટલમાં દાખલ છે તે જલ્દી સાજા થાય તેવી વાત તેમણે કરી હતી. ત્યારે તમારૂં આ મામલે શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો.. 



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.