Congressને અત્યાર સુધીનો મોટો ફટકો, Porbandarના ધારાસભ્ય Arjun Modhwadiyaએ આપ્યું રાજીનામું


  • Published By :
  • Published Date : 2024-03-04 17:39:25

કોંગ્રેસ પક્ષ માટે આજનો દિવસ ભારે છે. સવારે રાજુલાના પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેરે કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપી દીધું હતું. તેની ચર્ચાઓ હજી પૂર્ણ ન થઈ હતી ત્યારે ચર્ચાઓ થવા લાગી કે કોંગ્રેસના પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા પોતાના પદ ઉપરથી રાજીનામું આપી શકે છે. પહેલા આ અફવા લાગતી હતી કારણ કે અર્જુન મોઢવાડિયા જેવા કોંગ્રેસના પીઢ નેતા કોંગ્રેસનો સાથ છોડે તો તે માનવામાં ન આવતું હતું. પરંતુ આ વાત સત્ય નીકળી. વિધાનસભા અધ્યક્ષ ગાંધીનગર પહોંચ્યા છે અને એ પણ હેલિકોપ્ટરના માધ્યમથી. અર્જુન મોઢવાડિયાએ વિધાનસભા અધ્યક્ષને રાજીનામું સોંપી દીધું છે. વિધાનસભા જ્યારે અર્જુન મોઢવાડિયા પહોંચ્યા હતા ત્યારે તેમણે રાજીનામા અંગે પુષ્ટિ કરી હતી.     



અર્જુન મોઢવાડિયા કરી શકે છે કેસરિયો ધારણ!

કોંગ્રેસને એક જ દિવસમાં બે મોટા ફટકા પડ્યા છે. રાજુલાના પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેરે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું. ત્યારે કોંગ્રેસને અત્યાર સુધીનો મોટો ફટકો પડ્યો છે. એક સમયના કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને હાલના પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે. આવતી કાલે અંબરીશ ડેર ભાજપમાં જોડાવાના છે ત્યારે એવી ચર્ચાઓ થઈ રહી છે કે ભાજપમાં અર્જુન મોઢવાડિયા જોડાઈ શકે છે. ટૂંક સમયમાં અર્જુન મોઢવાડિયા કેસરિયો ધારણ કરી શકે છે. 



2022માં તેઓ જીત્યા હતા વિધાનસભા ચૂંટણી!

વાત કરીએ અર્જુન મોઢવાડિયા વિશે તો તેઓ મેર સમાજમાંથી આવે છે , તેઓ ૨૦૧૨ની ગુજરાત વિધાનસભા વખતે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ રહી ચુક્યા છે,પાર્ટીનો સમગ્ર સૌરાષ્ટ્રમાં મુખ્ય ચેહરો છે ,તેઓ ૨૦૧૭માં બાબુ બોખરિયા સામે હારી ગયા હતા અને આ પછી ફરી ૨૦૨૨માં જીતીને વિધાનસભામાં પહોંચ્યા હતા. અર્જુન મોઢવાડિયાએ કયા કારણોસર કોંગ્રેસને છોડ્યું તે સામે આવ્યું નથી..    



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.