Congressને અત્યાર સુધીનો મોટો ફટકો, Porbandarના ધારાસભ્ય Arjun Modhwadiyaએ આપ્યું રાજીનામું


  • Published By :
  • Published Date : 2024-03-04 17:39:25

કોંગ્રેસ પક્ષ માટે આજનો દિવસ ભારે છે. સવારે રાજુલાના પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેરે કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપી દીધું હતું. તેની ચર્ચાઓ હજી પૂર્ણ ન થઈ હતી ત્યારે ચર્ચાઓ થવા લાગી કે કોંગ્રેસના પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા પોતાના પદ ઉપરથી રાજીનામું આપી શકે છે. પહેલા આ અફવા લાગતી હતી કારણ કે અર્જુન મોઢવાડિયા જેવા કોંગ્રેસના પીઢ નેતા કોંગ્રેસનો સાથ છોડે તો તે માનવામાં ન આવતું હતું. પરંતુ આ વાત સત્ય નીકળી. વિધાનસભા અધ્યક્ષ ગાંધીનગર પહોંચ્યા છે અને એ પણ હેલિકોપ્ટરના માધ્યમથી. અર્જુન મોઢવાડિયાએ વિધાનસભા અધ્યક્ષને રાજીનામું સોંપી દીધું છે. વિધાનસભા જ્યારે અર્જુન મોઢવાડિયા પહોંચ્યા હતા ત્યારે તેમણે રાજીનામા અંગે પુષ્ટિ કરી હતી.     



અર્જુન મોઢવાડિયા કરી શકે છે કેસરિયો ધારણ!

કોંગ્રેસને એક જ દિવસમાં બે મોટા ફટકા પડ્યા છે. રાજુલાના પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેરે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું. ત્યારે કોંગ્રેસને અત્યાર સુધીનો મોટો ફટકો પડ્યો છે. એક સમયના કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને હાલના પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે. આવતી કાલે અંબરીશ ડેર ભાજપમાં જોડાવાના છે ત્યારે એવી ચર્ચાઓ થઈ રહી છે કે ભાજપમાં અર્જુન મોઢવાડિયા જોડાઈ શકે છે. ટૂંક સમયમાં અર્જુન મોઢવાડિયા કેસરિયો ધારણ કરી શકે છે. 



2022માં તેઓ જીત્યા હતા વિધાનસભા ચૂંટણી!

વાત કરીએ અર્જુન મોઢવાડિયા વિશે તો તેઓ મેર સમાજમાંથી આવે છે , તેઓ ૨૦૧૨ની ગુજરાત વિધાનસભા વખતે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ રહી ચુક્યા છે,પાર્ટીનો સમગ્ર સૌરાષ્ટ્રમાં મુખ્ય ચેહરો છે ,તેઓ ૨૦૧૭માં બાબુ બોખરિયા સામે હારી ગયા હતા અને આ પછી ફરી ૨૦૨૨માં જીતીને વિધાનસભામાં પહોંચ્યા હતા. અર્જુન મોઢવાડિયાએ કયા કારણોસર કોંગ્રેસને છોડ્યું તે સામે આવ્યું નથી..    



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે