Congressને અત્યાર સુધીનો મોટો ફટકો, Porbandarના ધારાસભ્ય Arjun Modhwadiyaએ આપ્યું રાજીનામું


  • Published By :
  • Published Date : 2024-03-04 17:39:25

કોંગ્રેસ પક્ષ માટે આજનો દિવસ ભારે છે. સવારે રાજુલાના પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેરે કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપી દીધું હતું. તેની ચર્ચાઓ હજી પૂર્ણ ન થઈ હતી ત્યારે ચર્ચાઓ થવા લાગી કે કોંગ્રેસના પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા પોતાના પદ ઉપરથી રાજીનામું આપી શકે છે. પહેલા આ અફવા લાગતી હતી કારણ કે અર્જુન મોઢવાડિયા જેવા કોંગ્રેસના પીઢ નેતા કોંગ્રેસનો સાથ છોડે તો તે માનવામાં ન આવતું હતું. પરંતુ આ વાત સત્ય નીકળી. વિધાનસભા અધ્યક્ષ ગાંધીનગર પહોંચ્યા છે અને એ પણ હેલિકોપ્ટરના માધ્યમથી. અર્જુન મોઢવાડિયાએ વિધાનસભા અધ્યક્ષને રાજીનામું સોંપી દીધું છે. વિધાનસભા જ્યારે અર્જુન મોઢવાડિયા પહોંચ્યા હતા ત્યારે તેમણે રાજીનામા અંગે પુષ્ટિ કરી હતી.     



અર્જુન મોઢવાડિયા કરી શકે છે કેસરિયો ધારણ!

કોંગ્રેસને એક જ દિવસમાં બે મોટા ફટકા પડ્યા છે. રાજુલાના પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેરે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું. ત્યારે કોંગ્રેસને અત્યાર સુધીનો મોટો ફટકો પડ્યો છે. એક સમયના કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને હાલના પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે. આવતી કાલે અંબરીશ ડેર ભાજપમાં જોડાવાના છે ત્યારે એવી ચર્ચાઓ થઈ રહી છે કે ભાજપમાં અર્જુન મોઢવાડિયા જોડાઈ શકે છે. ટૂંક સમયમાં અર્જુન મોઢવાડિયા કેસરિયો ધારણ કરી શકે છે. 



2022માં તેઓ જીત્યા હતા વિધાનસભા ચૂંટણી!

વાત કરીએ અર્જુન મોઢવાડિયા વિશે તો તેઓ મેર સમાજમાંથી આવે છે , તેઓ ૨૦૧૨ની ગુજરાત વિધાનસભા વખતે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ રહી ચુક્યા છે,પાર્ટીનો સમગ્ર સૌરાષ્ટ્રમાં મુખ્ય ચેહરો છે ,તેઓ ૨૦૧૭માં બાબુ બોખરિયા સામે હારી ગયા હતા અને આ પછી ફરી ૨૦૨૨માં જીતીને વિધાનસભામાં પહોંચ્યા હતા. અર્જુન મોઢવાડિયાએ કયા કારણોસર કોંગ્રેસને છોડ્યું તે સામે આવ્યું નથી..    



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.