AMC દ્વારા ચાલતી દબાણ હટાવવાની ઝુંબેશમાં છીનવાઈ મુકબધિરની રોજી-રોટી, તંત્ર વિરૂદ્ધ લોકોએ ઠાલવ્યો રોષ!


  • Published By :
  • Published Date : 2023-08-03 13:28:43

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે એએમસી તેમજ પોલીસ જાણે એકાએક એક્ટિવ મોડમાં આવી ગયું હોય તેવું લાગી રહ્યું છે. એક તરફ પોલીસ દ્વારા ડ્રાઈવિંગની મેગા ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે તો બીજી તરફ એએમસી દ્વારા દબાણ હટાવવાની ઝુંબેશ કરવામાં આવી રહી છે. રસ્તા પર ગેરકાયદેસર રીતે પાર્કિંગ કર્યું હોય તો તેના વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે તો રસ્તા પર ઉભી રહેલી લારીને બળજબરી પૂર્વક હટાવવામાં આવી રહી છે. ત્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં મૂકબધિર વ્યક્તિની જે મહેનત કરી પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે તેની નજરોની સામે તેની રોજી રોટી છીનવાઈ રહી છે એટલે કે તેમની નજરોની સામે તેની લારીને એએમસી દ્વારા ઉઠાવવામાં આવી રહી છે. ત્યારે મળતી માહિતી અનુસાર તે મૂકબધિરને પોતાની લારી પાછી મળી ગઈ છે.      

હાઈકોર્ટની ફટકાર બાદ તંત્ર આવ્યું એક્શન મોડમાં!

થોડા દિવસ પહેલા ગુજરાત હાઇકોર્ટ દ્વારા ગેરકાયદેસર દબાણ તેમજ આડેધડ પાર્કિંગને લઈને ટ્રાફિક પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશન સામે કડક વલણ અપનાવવામાં આવ્યું હતુ. જે બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હરકતમાં આવ્યું હોય, તેમ શહેરના વિવિધ વિસ્તારોમાં ટ્રાફિક પોલીસને સાથે રાખીને અડચણરૂપ દબાણો હટાવવાની ઝુંબેશ હાથ ધરી હતી. જેમાં અનેક અડચણરૂપ દબાણોને દૂર કરીને રસ્તાને ખુલ્લા કરવામાં આવ્યા છે. આ ઉપરાંત આડેધડ પાર્ક કરેલા વાહનોને પણ લોક મારવાની કામગીરી હાથ ધરાઇ હતી.શહેરના ઉત્તર-પશ્ચિમ ઝોનમાં રન્ના પાર્ક થી પ્રભાત ચોક થી ચાણક્યપુરી બ્રિજ થી લઈ ડમરૂ સર્કલથી કારગીલ પેટ્રોલપંપ ઈક્ષાઇકોર્ટ થી સોલા ભાગવત સુધી, કેશવબાગથી માનસી સર્કલથી જજીસ બંગલો થી પકવાન ચાર રસ્તા, ઇસ્કોન ચાર રસ્તા થી ગોતા ચાર રસ્તા થઇ વૈષ્ણોદેવી સર્કલ બંને બાજુ ટ્રાફિક પોલિસ સાથે રાખીને સધન ડ્રાઇવ કરવામાં આવી હતી.'


નજરોની સામે મુકબધિરની છીનવાઈ ગઈ રોજી રોટી! 

પણ સવાલ એ છે કે દબાણ પહેલા આ લોકોને જાણ કરવામાં આવી હતી અને જ્યારે સામાન્ય દિવસે આ લોકો લારી લઈને ઊભા રહેતા હતા ત્યારે એમના પાસેથી જે વસૂલી થતી હતી તેનું શું? તેની સામે કાર્યવાહી કેમ નહીં? એક તરફ આપણે આત્મનિર્ભરની વાતો કરીએ છીએ, રોજગાર આપવાની વાતો કરીએ છીએ પરંતુ અનેક વખત એવા દ્રશ્યો આપણી સામે આવતા હોય છે જેમાં તંત્ર દ્વારા ઝુંબેશ ચલાવવામાં આવે છે અને તે લારીને હટાવવામાં આવે છે. ત્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એએમસી દ્વારા ચાલતી ઝુંબેશમાં એક મુખબધિરની રોજી રોટી છીનવાઈ રહી છે. આ વીડિયો જોઈ લોકો તંત્રની કામગીરી પર રોષ ઠાલવી રહ્યા છે. તો કોઈ લોકો તંત્રના પક્ષને ધ્યાનમાં રાખી પ્રતિક્રિયા આપી રહ્યા છે. ત્યારે આ મામલે તમારૂં શું માનવું છે? 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.