AMC દ્વારા ચાલતી દબાણ હટાવવાની ઝુંબેશમાં છીનવાઈ મુકબધિરની રોજી-રોટી, તંત્ર વિરૂદ્ધ લોકોએ ઠાલવ્યો રોષ!


  • Published By :
  • Published Date : 2023-08-03 13:28:43

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે એએમસી તેમજ પોલીસ જાણે એકાએક એક્ટિવ મોડમાં આવી ગયું હોય તેવું લાગી રહ્યું છે. એક તરફ પોલીસ દ્વારા ડ્રાઈવિંગની મેગા ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે તો બીજી તરફ એએમસી દ્વારા દબાણ હટાવવાની ઝુંબેશ કરવામાં આવી રહી છે. રસ્તા પર ગેરકાયદેસર રીતે પાર્કિંગ કર્યું હોય તો તેના વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે તો રસ્તા પર ઉભી રહેલી લારીને બળજબરી પૂર્વક હટાવવામાં આવી રહી છે. ત્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં મૂકબધિર વ્યક્તિની જે મહેનત કરી પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે તેની નજરોની સામે તેની રોજી રોટી છીનવાઈ રહી છે એટલે કે તેમની નજરોની સામે તેની લારીને એએમસી દ્વારા ઉઠાવવામાં આવી રહી છે. ત્યારે મળતી માહિતી અનુસાર તે મૂકબધિરને પોતાની લારી પાછી મળી ગઈ છે.      

હાઈકોર્ટની ફટકાર બાદ તંત્ર આવ્યું એક્શન મોડમાં!

થોડા દિવસ પહેલા ગુજરાત હાઇકોર્ટ દ્વારા ગેરકાયદેસર દબાણ તેમજ આડેધડ પાર્કિંગને લઈને ટ્રાફિક પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશન સામે કડક વલણ અપનાવવામાં આવ્યું હતુ. જે બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હરકતમાં આવ્યું હોય, તેમ શહેરના વિવિધ વિસ્તારોમાં ટ્રાફિક પોલીસને સાથે રાખીને અડચણરૂપ દબાણો હટાવવાની ઝુંબેશ હાથ ધરી હતી. જેમાં અનેક અડચણરૂપ દબાણોને દૂર કરીને રસ્તાને ખુલ્લા કરવામાં આવ્યા છે. આ ઉપરાંત આડેધડ પાર્ક કરેલા વાહનોને પણ લોક મારવાની કામગીરી હાથ ધરાઇ હતી.શહેરના ઉત્તર-પશ્ચિમ ઝોનમાં રન્ના પાર્ક થી પ્રભાત ચોક થી ચાણક્યપુરી બ્રિજ થી લઈ ડમરૂ સર્કલથી કારગીલ પેટ્રોલપંપ ઈક્ષાઇકોર્ટ થી સોલા ભાગવત સુધી, કેશવબાગથી માનસી સર્કલથી જજીસ બંગલો થી પકવાન ચાર રસ્તા, ઇસ્કોન ચાર રસ્તા થી ગોતા ચાર રસ્તા થઇ વૈષ્ણોદેવી સર્કલ બંને બાજુ ટ્રાફિક પોલિસ સાથે રાખીને સધન ડ્રાઇવ કરવામાં આવી હતી.'


નજરોની સામે મુકબધિરની છીનવાઈ ગઈ રોજી રોટી! 

પણ સવાલ એ છે કે દબાણ પહેલા આ લોકોને જાણ કરવામાં આવી હતી અને જ્યારે સામાન્ય દિવસે આ લોકો લારી લઈને ઊભા રહેતા હતા ત્યારે એમના પાસેથી જે વસૂલી થતી હતી તેનું શું? તેની સામે કાર્યવાહી કેમ નહીં? એક તરફ આપણે આત્મનિર્ભરની વાતો કરીએ છીએ, રોજગાર આપવાની વાતો કરીએ છીએ પરંતુ અનેક વખત એવા દ્રશ્યો આપણી સામે આવતા હોય છે જેમાં તંત્ર દ્વારા ઝુંબેશ ચલાવવામાં આવે છે અને તે લારીને હટાવવામાં આવે છે. ત્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એએમસી દ્વારા ચાલતી ઝુંબેશમાં એક મુખબધિરની રોજી રોટી છીનવાઈ રહી છે. આ વીડિયો જોઈ લોકો તંત્રની કામગીરી પર રોષ ઠાલવી રહ્યા છે. તો કોઈ લોકો તંત્રના પક્ષને ધ્યાનમાં રાખી પ્રતિક્રિયા આપી રહ્યા છે. ત્યારે આ મામલે તમારૂં શું માનવું છે? 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.