AMC દ્વારા ચાલતી દબાણ હટાવવાની ઝુંબેશમાં છીનવાઈ મુકબધિરની રોજી-રોટી, તંત્ર વિરૂદ્ધ લોકોએ ઠાલવ્યો રોષ!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-08-03 13:28:43

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે એએમસી તેમજ પોલીસ જાણે એકાએક એક્ટિવ મોડમાં આવી ગયું હોય તેવું લાગી રહ્યું છે. એક તરફ પોલીસ દ્વારા ડ્રાઈવિંગની મેગા ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે તો બીજી તરફ એએમસી દ્વારા દબાણ હટાવવાની ઝુંબેશ કરવામાં આવી રહી છે. રસ્તા પર ગેરકાયદેસર રીતે પાર્કિંગ કર્યું હોય તો તેના વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે તો રસ્તા પર ઉભી રહેલી લારીને બળજબરી પૂર્વક હટાવવામાં આવી રહી છે. ત્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં મૂકબધિર વ્યક્તિની જે મહેનત કરી પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે તેની નજરોની સામે તેની રોજી રોટી છીનવાઈ રહી છે એટલે કે તેમની નજરોની સામે તેની લારીને એએમસી દ્વારા ઉઠાવવામાં આવી રહી છે. ત્યારે મળતી માહિતી અનુસાર તે મૂકબધિરને પોતાની લારી પાછી મળી ગઈ છે.      

હાઈકોર્ટની ફટકાર બાદ તંત્ર આવ્યું એક્શન મોડમાં!

થોડા દિવસ પહેલા ગુજરાત હાઇકોર્ટ દ્વારા ગેરકાયદેસર દબાણ તેમજ આડેધડ પાર્કિંગને લઈને ટ્રાફિક પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશન સામે કડક વલણ અપનાવવામાં આવ્યું હતુ. જે બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હરકતમાં આવ્યું હોય, તેમ શહેરના વિવિધ વિસ્તારોમાં ટ્રાફિક પોલીસને સાથે રાખીને અડચણરૂપ દબાણો હટાવવાની ઝુંબેશ હાથ ધરી હતી. જેમાં અનેક અડચણરૂપ દબાણોને દૂર કરીને રસ્તાને ખુલ્લા કરવામાં આવ્યા છે. આ ઉપરાંત આડેધડ પાર્ક કરેલા વાહનોને પણ લોક મારવાની કામગીરી હાથ ધરાઇ હતી.શહેરના ઉત્તર-પશ્ચિમ ઝોનમાં રન્ના પાર્ક થી પ્રભાત ચોક થી ચાણક્યપુરી બ્રિજ થી લઈ ડમરૂ સર્કલથી કારગીલ પેટ્રોલપંપ ઈક્ષાઇકોર્ટ થી સોલા ભાગવત સુધી, કેશવબાગથી માનસી સર્કલથી જજીસ બંગલો થી પકવાન ચાર રસ્તા, ઇસ્કોન ચાર રસ્તા થી ગોતા ચાર રસ્તા થઇ વૈષ્ણોદેવી સર્કલ બંને બાજુ ટ્રાફિક પોલિસ સાથે રાખીને સધન ડ્રાઇવ કરવામાં આવી હતી.'


નજરોની સામે મુકબધિરની છીનવાઈ ગઈ રોજી રોટી! 

પણ સવાલ એ છે કે દબાણ પહેલા આ લોકોને જાણ કરવામાં આવી હતી અને જ્યારે સામાન્ય દિવસે આ લોકો લારી લઈને ઊભા રહેતા હતા ત્યારે એમના પાસેથી જે વસૂલી થતી હતી તેનું શું? તેની સામે કાર્યવાહી કેમ નહીં? એક તરફ આપણે આત્મનિર્ભરની વાતો કરીએ છીએ, રોજગાર આપવાની વાતો કરીએ છીએ પરંતુ અનેક વખત એવા દ્રશ્યો આપણી સામે આવતા હોય છે જેમાં તંત્ર દ્વારા ઝુંબેશ ચલાવવામાં આવે છે અને તે લારીને હટાવવામાં આવે છે. ત્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એએમસી દ્વારા ચાલતી ઝુંબેશમાં એક મુખબધિરની રોજી રોટી છીનવાઈ રહી છે. આ વીડિયો જોઈ લોકો તંત્રની કામગીરી પર રોષ ઠાલવી રહ્યા છે. તો કોઈ લોકો તંત્રના પક્ષને ધ્યાનમાં રાખી પ્રતિક્રિયા આપી રહ્યા છે. ત્યારે આ મામલે તમારૂં શું માનવું છે? 



ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે.. ચોથી તારીખે પરિણામ આવવાનું છે, સૌ કોઈની નજર સૌરાષ્ટ્રની બેઠકો પર રહેવાની છે. અનેક પરિબળો છે જે પરિણામ પર અસર કરી શકે છે.

આકરી ગરમીનો માર સહન કરવો પડી રહ્યો છે. કાળઝાળ ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વરસાદની રાહ લોકો જોઈ રહ્યા છે. ત્યારે વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે.

નાના હોઈએ ત્યારે મોટા થવાની તીવ્ર ઈચ્છા હોય છે. પરંતુ જ્યારે મોટા થઈએ છીએ ત્યારે આપણને બાળક બનવાની ઈચ્છા હોય છે... ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના મારે પાછુું બાળક બનવું છે...

પ્રચાર દરમિયાન પીએમ મોદી અનેક વખત આક્રામક દેખાયા છે. વિપક્ષ પર પ્રહાર કરતા દેખાયા છે.. ત્યારે રામ મંદિરને લઈ પીએમ મોદીએ ફરી એક વખત કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે લોકસભા ચૂંટણી બાદ સમાજવાદી પાર્ટી- કોંગ્રેસ ગઠબંધન સત્તામાં આવશે તો રામ મંદિરને બુલડોઝરથી તોડી પાડવામાં આવશે. તેમણે કહ્યું કે