નકલી ટોલનાકા કાંડ મામલે સીદસર ઉમિયાધામનાં પ્રમુખ જેરામ પટેલ સામે રોષ, રાજીનામાની માગ ઉઠી


  • Published By :
  • Published Date : 2023-12-24 18:07:33

સમગ્ર ગુજરાતમાં ચકચારી એવા નકલી ટોલનાકા કૌભાંડમાં સીદસર ઉમિયાધામનાં પ્રમુખ જેરામ પટેલનાં પુત્ર અમરશીની સંડોવણી બહાર આવતા તેમની સામે સમાજમાં રોષ વધ્યો છે. આજ રોજ રાજકોટ ખાતે કડવા પાટીદાર યુવક મંડળના કેટલાક સભ્યો જયરામ પટેલના ઉમિયા મંદિર સીદસર ટ્રસ્ટ માંથી રાજીનામાની માંગ સાથે સાથે એકઠા થયા હતા. મળતી વિગત મુજબ બોગસ ટોલનાકામાં જે જગ્યા છે તે જયરામ પટેલના દીકરાની છે અને એફઆઇઆરમાં પણ તેનું નામ છે તો ઉમિયા મંદિર સીદસર ટ્રસ્ટમાંથી જેરામ પટેલે જવાબદારી સ્વીકારી અને નૈતિકતાને આધારે રાજીનામું આપવું જોઈએ તેવી કડવા પાટીદાર યુવક મંડળના યુવકોએ માગ કરી હતી.


સીદસર ઉમિયાધામનાં પ્રમુખ જેરામ પટેલ રાજીનામું આપે


આજે રાજકોટનાં મવડી નજીક કડવા પાટીદાર સમાજનાં યુવાનોની એક બેઠક મળી હતી. આ મિટીંગમાં સૌરાષ્ટ્રનાં સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ, જામનગર સહિતના જિલ્લાઓના વિવિધ તાલુકાઓમાંથી મોટી સંખ્યામાં સમાજના આગેવાનો એકત્ર થયા હતા.જેમાં જેરામ પટેલ પ્રમુખ પદેથી રાજીનામું આપે તેવી માગ કરવામાં આવી હતી. પાટીદાર આંદોલનમાં જોડાયેલા અગ્રણી મનોજ પનારાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં હાલ નકલી ટોલનાકા કૌભાંડ ચર્ચાનો વિષય બન્યું છે. આ કૌભાંડમાં જેરામ પટેલનાં પુત્રનું નામ ખુલતા અમે માગ કરીએ છીએ કે, જેરામ પટેલ સીદસર ઉમિયાધામ પ્રમુખ પદેથી રાજીનામુ આપે. સમાજના આટલા મોટા આગેવાને જ્યારે પોતાના પુત્રનું નામ ખુલે ત્યારે જ નૈતિકતાના ધોરણે રાજીનામું આપી દેવું જોઈએ. પણ જેરામભાઈ ખુરશી ઉપર ચીપકી રહ્યા છે. જો રાજીનામું નહીં આપે તો ગાંધીચીંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવા તૈયારી દર્શાવવામાં આવી હતી. જોકે બેઠક પૂર્ણ થતા મનોજ પનારાએ જણાવ્યું હતું કે, હવે ઉમિયા ધામ ખાતે આગામી 6 જાન્યુઆરીના મિટિંગ યોજાવવાની છે. આ મિટિંગમાં ઉમિયાધામ જેરામબાપાનું રાજીનામું લેવડાવશે. જેરામબાપા પ્રમુખ પદેથી રાજીનામું નહીં આપે તો આગામી દિવસોમાં સૌરાષ્ટ્રના 22 તાલુકાઓમાં મિટિંગ યોજવામાં આવશે. 


પાટીદાર સમાજના આગેવાન ભરત લાડાણીની ઓડિયો ક્લિપ વાઇરલ


છેલ્લા કેટલાક દિવસથી ઉમિયાધામ પ્રમુખ પદેથી જેરામ પટેલ રાજીનામું આપે તેવી માગ કરવામાં આવી રહી છે. 6 જાન્યુઆરીનાં રોજ તે રાજીનામું આપે તેવી શક્યતા છે. આ અંગે ગઈકાલે જ કેશોદ કડવા પાટીદાર સમાજના આગેવાન ભરત લાડાણીની સીદસર ઉમિયાધામનાં ઉપપ્રમુખ સાથેની ઓડિયો ક્લિપ પણ વાઇરલ થઈ હતી. આજરોજ મવડી નજીક સૌરાષ્ટ્રનાં આગેવાનોની બેઠક મળી છે. જેમાં જેરામ પટેલનાં રાજીનામા અંગે માગ કરાઈ રહી છે. ત્યારે હવે જેરામ પટેલ ક્યારે અને શું કારણથી રાજીનામું આપશે? તેના પર સૌની મીટ મંડાયેલી છે.



ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખના પદ માટે જોરદાર ઘમાસાણ શરુ થઇ ચૂક્યું છે. એક તરફ , પાટીદાર સમાજે આ પદ માટે દાવો ઠોકી દીધો છે તો , બીજી તરફ કોળી સમાજે પણ પ્રદેશ પ્રમુખના પદ માટે દાવો કર્યો છે. હાલમાં તો , ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ શૈલેષ પરમાર છે. તો હવે ગુજરાત કોંગ્રેસના નેતાઓને દિલ્હી હાઇકમાન્ડે તેડું મોકલાવ્યું છે. આ બેઠકમાં રાહુલ ગાંધીની સાથે મલ્લિકાર્જુન ખરગે પણ હાજર રહેશે .આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસ માટે મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે.

યુએસ ડીપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના બ્યુરો ઓફ સાઉથ એન્ડ સેન્ટ્રલ એશિયન અફેર્સના (SCA)ના ડેપ્યુટી સેક્રેટરી બેથની મોરિસન ૩ જુલાઈથી ૯ જુલાઈ વચ્ચે ભારતની મુલાકાતે હતા . આ મુલાકાત દરમ્યાન DAS મોરિસને નવી દિલ્હી , ધર્મશાળા અને મુંબઈમાં ભારત - યુએસ વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે મુખ્ય હિસ્સેદારો સાથે વાતચીત કરી હતી . તો આજે આપણે આ આર્ટિકલમાં DAS મોરિસનની મુલાકાત વિશે વિસ્તારથી જાણીશું.

થોડાક સમય અગાઉ ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાને અરેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાત પોલીસે તેમની પાસા હેઠળ ધરપકડ કરીને , તેમને સાબરમતી જેલમાં ધકેલી દીધા છે. અમરનાથ મંદિરમાં આરતી ના કરવા મુદ્દે પીટી જાડેજાએ ધમકી આપી હતી. આ બાબતે , રાજકોટ તાલુકા પોલીસે કાર્યવાહી કરી છે. તો આ મામલે ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિની બા વાળાએ ચીમકી ઉચ્ચારી છે કે , જો ૨૪ કલાકમાં ન્યાય નઈ થાય તો ફરી એકવાર આંદોલન કરીશું . તો હવે પદ્મિની બા વાળાના આ નિવેદનને લઇને ગોંડલથી તેમને ફોન આવ્યો હતો . જેની ઓડીઓ કલીપ ખુબ જ વાઇરલ થઇ રહી છે .

થોડાક સમયથી , આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં છે. વિસાવદરની બેઠક પર જીત મળ્યા બાદ આમ આદમી પાર્ટીમાં ઉત્સાહનું વાતાવરણ છવાયું છે. સાથેજ પાર્ટીએ આગામી સમયમાં કોર્પોરેશન અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ અને ૨૦૨૭ની વિધાનસભાની ચૂંટણીઓ માટે તૈયારીઓ શરુ કરી દીધી છે . આ ઉપરાંત આમ આદમી પાર્ટીએ સદસ્યતા અભિયાનનો પ્રારંભ પણ કરી દીધો છે. પરંતુ આ તમામ કાર્યક્રમ વચ્ચે એક જણની ગેરહાજરી ખુબ જ સૂચક જણાતી હતી તે છે , ગારિયાધારના MLA સુધીર વાઘાણીની . કેમ તો , કાર્યક્રમ તો ઠીક , આમ આદમી પાર્ટીએ જે હોર્ડિંગ્સ તૈયાર કર્યા હતા , તેમાંથી પણ સુધીર વાઘાણીની બાદબાકી જોવા મળી હતી .