નકલી ટોલનાકા કાંડ મામલે સીદસર ઉમિયાધામનાં પ્રમુખ જેરામ પટેલ સામે રોષ, રાજીનામાની માગ ઉઠી


  • Published By :
  • Published Date : 2023-12-24 18:07:33

સમગ્ર ગુજરાતમાં ચકચારી એવા નકલી ટોલનાકા કૌભાંડમાં સીદસર ઉમિયાધામનાં પ્રમુખ જેરામ પટેલનાં પુત્ર અમરશીની સંડોવણી બહાર આવતા તેમની સામે સમાજમાં રોષ વધ્યો છે. આજ રોજ રાજકોટ ખાતે કડવા પાટીદાર યુવક મંડળના કેટલાક સભ્યો જયરામ પટેલના ઉમિયા મંદિર સીદસર ટ્રસ્ટ માંથી રાજીનામાની માંગ સાથે સાથે એકઠા થયા હતા. મળતી વિગત મુજબ બોગસ ટોલનાકામાં જે જગ્યા છે તે જયરામ પટેલના દીકરાની છે અને એફઆઇઆરમાં પણ તેનું નામ છે તો ઉમિયા મંદિર સીદસર ટ્રસ્ટમાંથી જેરામ પટેલે જવાબદારી સ્વીકારી અને નૈતિકતાને આધારે રાજીનામું આપવું જોઈએ તેવી કડવા પાટીદાર યુવક મંડળના યુવકોએ માગ કરી હતી.


સીદસર ઉમિયાધામનાં પ્રમુખ જેરામ પટેલ રાજીનામું આપે


આજે રાજકોટનાં મવડી નજીક કડવા પાટીદાર સમાજનાં યુવાનોની એક બેઠક મળી હતી. આ મિટીંગમાં સૌરાષ્ટ્રનાં સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ, જામનગર સહિતના જિલ્લાઓના વિવિધ તાલુકાઓમાંથી મોટી સંખ્યામાં સમાજના આગેવાનો એકત્ર થયા હતા.જેમાં જેરામ પટેલ પ્રમુખ પદેથી રાજીનામું આપે તેવી માગ કરવામાં આવી હતી. પાટીદાર આંદોલનમાં જોડાયેલા અગ્રણી મનોજ પનારાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં હાલ નકલી ટોલનાકા કૌભાંડ ચર્ચાનો વિષય બન્યું છે. આ કૌભાંડમાં જેરામ પટેલનાં પુત્રનું નામ ખુલતા અમે માગ કરીએ છીએ કે, જેરામ પટેલ સીદસર ઉમિયાધામ પ્રમુખ પદેથી રાજીનામુ આપે. સમાજના આટલા મોટા આગેવાને જ્યારે પોતાના પુત્રનું નામ ખુલે ત્યારે જ નૈતિકતાના ધોરણે રાજીનામું આપી દેવું જોઈએ. પણ જેરામભાઈ ખુરશી ઉપર ચીપકી રહ્યા છે. જો રાજીનામું નહીં આપે તો ગાંધીચીંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવા તૈયારી દર્શાવવામાં આવી હતી. જોકે બેઠક પૂર્ણ થતા મનોજ પનારાએ જણાવ્યું હતું કે, હવે ઉમિયા ધામ ખાતે આગામી 6 જાન્યુઆરીના મિટિંગ યોજાવવાની છે. આ મિટિંગમાં ઉમિયાધામ જેરામબાપાનું રાજીનામું લેવડાવશે. જેરામબાપા પ્રમુખ પદેથી રાજીનામું નહીં આપે તો આગામી દિવસોમાં સૌરાષ્ટ્રના 22 તાલુકાઓમાં મિટિંગ યોજવામાં આવશે. 


પાટીદાર સમાજના આગેવાન ભરત લાડાણીની ઓડિયો ક્લિપ વાઇરલ


છેલ્લા કેટલાક દિવસથી ઉમિયાધામ પ્રમુખ પદેથી જેરામ પટેલ રાજીનામું આપે તેવી માગ કરવામાં આવી રહી છે. 6 જાન્યુઆરીનાં રોજ તે રાજીનામું આપે તેવી શક્યતા છે. આ અંગે ગઈકાલે જ કેશોદ કડવા પાટીદાર સમાજના આગેવાન ભરત લાડાણીની સીદસર ઉમિયાધામનાં ઉપપ્રમુખ સાથેની ઓડિયો ક્લિપ પણ વાઇરલ થઈ હતી. આજરોજ મવડી નજીક સૌરાષ્ટ્રનાં આગેવાનોની બેઠક મળી છે. જેમાં જેરામ પટેલનાં રાજીનામા અંગે માગ કરાઈ રહી છે. ત્યારે હવે જેરામ પટેલ ક્યારે અને શું કારણથી રાજીનામું આપશે? તેના પર સૌની મીટ મંડાયેલી છે.



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.