નકલી ટોલનાકા કાંડ મામલે સીદસર ઉમિયાધામનાં પ્રમુખ જેરામ પટેલ સામે રોષ, રાજીનામાની માગ ઉઠી


  • Published By :
  • Published Date : 2023-12-24 18:07:33

સમગ્ર ગુજરાતમાં ચકચારી એવા નકલી ટોલનાકા કૌભાંડમાં સીદસર ઉમિયાધામનાં પ્રમુખ જેરામ પટેલનાં પુત્ર અમરશીની સંડોવણી બહાર આવતા તેમની સામે સમાજમાં રોષ વધ્યો છે. આજ રોજ રાજકોટ ખાતે કડવા પાટીદાર યુવક મંડળના કેટલાક સભ્યો જયરામ પટેલના ઉમિયા મંદિર સીદસર ટ્રસ્ટ માંથી રાજીનામાની માંગ સાથે સાથે એકઠા થયા હતા. મળતી વિગત મુજબ બોગસ ટોલનાકામાં જે જગ્યા છે તે જયરામ પટેલના દીકરાની છે અને એફઆઇઆરમાં પણ તેનું નામ છે તો ઉમિયા મંદિર સીદસર ટ્રસ્ટમાંથી જેરામ પટેલે જવાબદારી સ્વીકારી અને નૈતિકતાને આધારે રાજીનામું આપવું જોઈએ તેવી કડવા પાટીદાર યુવક મંડળના યુવકોએ માગ કરી હતી.


સીદસર ઉમિયાધામનાં પ્રમુખ જેરામ પટેલ રાજીનામું આપે


આજે રાજકોટનાં મવડી નજીક કડવા પાટીદાર સમાજનાં યુવાનોની એક બેઠક મળી હતી. આ મિટીંગમાં સૌરાષ્ટ્રનાં સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ, જામનગર સહિતના જિલ્લાઓના વિવિધ તાલુકાઓમાંથી મોટી સંખ્યામાં સમાજના આગેવાનો એકત્ર થયા હતા.જેમાં જેરામ પટેલ પ્રમુખ પદેથી રાજીનામું આપે તેવી માગ કરવામાં આવી હતી. પાટીદાર આંદોલનમાં જોડાયેલા અગ્રણી મનોજ પનારાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં હાલ નકલી ટોલનાકા કૌભાંડ ચર્ચાનો વિષય બન્યું છે. આ કૌભાંડમાં જેરામ પટેલનાં પુત્રનું નામ ખુલતા અમે માગ કરીએ છીએ કે, જેરામ પટેલ સીદસર ઉમિયાધામ પ્રમુખ પદેથી રાજીનામુ આપે. સમાજના આટલા મોટા આગેવાને જ્યારે પોતાના પુત્રનું નામ ખુલે ત્યારે જ નૈતિકતાના ધોરણે રાજીનામું આપી દેવું જોઈએ. પણ જેરામભાઈ ખુરશી ઉપર ચીપકી રહ્યા છે. જો રાજીનામું નહીં આપે તો ગાંધીચીંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવા તૈયારી દર્શાવવામાં આવી હતી. જોકે બેઠક પૂર્ણ થતા મનોજ પનારાએ જણાવ્યું હતું કે, હવે ઉમિયા ધામ ખાતે આગામી 6 જાન્યુઆરીના મિટિંગ યોજાવવાની છે. આ મિટિંગમાં ઉમિયાધામ જેરામબાપાનું રાજીનામું લેવડાવશે. જેરામબાપા પ્રમુખ પદેથી રાજીનામું નહીં આપે તો આગામી દિવસોમાં સૌરાષ્ટ્રના 22 તાલુકાઓમાં મિટિંગ યોજવામાં આવશે. 


પાટીદાર સમાજના આગેવાન ભરત લાડાણીની ઓડિયો ક્લિપ વાઇરલ


છેલ્લા કેટલાક દિવસથી ઉમિયાધામ પ્રમુખ પદેથી જેરામ પટેલ રાજીનામું આપે તેવી માગ કરવામાં આવી રહી છે. 6 જાન્યુઆરીનાં રોજ તે રાજીનામું આપે તેવી શક્યતા છે. આ અંગે ગઈકાલે જ કેશોદ કડવા પાટીદાર સમાજના આગેવાન ભરત લાડાણીની સીદસર ઉમિયાધામનાં ઉપપ્રમુખ સાથેની ઓડિયો ક્લિપ પણ વાઇરલ થઈ હતી. આજરોજ મવડી નજીક સૌરાષ્ટ્રનાં આગેવાનોની બેઠક મળી છે. જેમાં જેરામ પટેલનાં રાજીનામા અંગે માગ કરાઈ રહી છે. ત્યારે હવે જેરામ પટેલ ક્યારે અને શું કારણથી રાજીનામું આપશે? તેના પર સૌની મીટ મંડાયેલી છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.