Rajkot Fire Accident મામલે હાઈકોર્ટ લાલઘૂમ, હાઇકોર્ટની ફટકાર બાદ તપાસ માટે નવી કમિટીની રચના થશે? જાણો વિગતવાર


  • Published By :
  • Published Date : 2024-06-15 16:06:37

ગુજરાતમાં અનેક વખત દુર્ઘટનાઓ સર્જાઈ છે. દુર્ઘટનાઓ થવાને કારણે અનેક નિર્દોષ લોકોના મોત થઈ જાય છે.. અનેક પરિવારોના માળા વિચેરાઈ જાય છે અને પરિવાર પોતાના સ્વજનોને ગુમાવે છે. થોડા દિવસો સુધી આપણે તે ઘટનાની વાત કરીએ છીએ અને થોડા દિવસ બાદ આપણે તેને ભૂલી જઈએ છીએ. થોડા દિવસો માટે કાયદાકીય કાર્યવાહી થાય છે પરંતુ તે પરિણામ સુધી નથી પહોંચતું.. રાજકોટમાં થયેલા અગ્નિકાંડ મામલે ગુજરાત હાઈકોર્ટ દ્વારા સરકારની ઝાટકણી કાઢવામાં આવી રહી છે. 

વિપક્ષ દ્વારા રાજકોટમાં કરવામાં આવ્યો હલ્લાબોલ 

હાઈકોર્ટ દ્વારા રાજકોટ અગ્નિકાંડ મામલે કડક વલણ અપનાવવામાં આવી રહ્યું છે. જ્યારે જ્યારે પણ આ મામલે સુનાવણી થાય છે ત્યારે ત્યારે હાઈકોર્ટ સરકારની ઝાટકણી કાઢે છે. અનેક સવાલોના જવાબ હાઈકોર્ટ દ્વારા માગવામાં આવી રહ્યું છે. આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. રોજે નવો નવો વળાંક આવે છે આ મામલે. અનેક લોકોના આ તપાસ દરમિયાન નામ સામે આવ્યા છે. વિપક્ષ દ્વારા પણ આ મામલે ન્યાયની માગ સાથે રાજકોટમાં હલ્લાબોલ કરવામાં આવ્યું છે. હાઈકોર્ટની ઝાટકણી બાદ સરકાર દ્વારા એક્શન લેવામાં આવી રહ્યા છે.    



સરકાર કરી શકે છે નવી કમિટીની રચના

રાજકોટ અગ્નિકાંડ મામલે હાઈકોર્ટની ઝાટકણી બાદ નવી કમિટીની રચના થશે તેવા સમાચાર સામે આવ્યા છે. અશ્વિની કુમારની આગેવાનીમાં નવી કમિટી રચાશે. નવી કમિટીમાં 5થી 7 સભ્યો હશે. નવી કમિટીમાં DGP સહિતના અધિકારીઓ હશે તેવી માહિતી સામે આવી છે. રવિવાર સુધી રાજ્ય સરકાર કમિટીની જાહેરાત કરશે. ગઠન બાદ કમિટી ઉચ્ચ અધિકારીઓની તપાસ કરશે. ગુજરાતમાં તક્ષશિલા કાંડ સુરતથી લઇને ટીઆરપી ગેમિંગ ઝૉન કાંડ સુધીની અનેક વાર ગંભીર આગના અકસ્માતની ઘટનાઓ બની છે. આમાં કેટલાય લોકો આગમાં ભૂંજાયા છે, કેટલાય પરિવારોએ સ્વજનો ગુમાવ્યા છે. પરંતુ કોઇ યોગ્ય કાર્યવાહી થઇ શકી નથી. હવે આ કેસમાં પીડિતોને ન્યાય મળે એવી આશા... 



રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.