Rajkot Fire Accident મામલે હાઈકોર્ટ લાલઘૂમ, હાઇકોર્ટની ફટકાર બાદ તપાસ માટે નવી કમિટીની રચના થશે? જાણો વિગતવાર


  • Published By :
  • Published Date : 2024-06-15 16:06:37

ગુજરાતમાં અનેક વખત દુર્ઘટનાઓ સર્જાઈ છે. દુર્ઘટનાઓ થવાને કારણે અનેક નિર્દોષ લોકોના મોત થઈ જાય છે.. અનેક પરિવારોના માળા વિચેરાઈ જાય છે અને પરિવાર પોતાના સ્વજનોને ગુમાવે છે. થોડા દિવસો સુધી આપણે તે ઘટનાની વાત કરીએ છીએ અને થોડા દિવસ બાદ આપણે તેને ભૂલી જઈએ છીએ. થોડા દિવસો માટે કાયદાકીય કાર્યવાહી થાય છે પરંતુ તે પરિણામ સુધી નથી પહોંચતું.. રાજકોટમાં થયેલા અગ્નિકાંડ મામલે ગુજરાત હાઈકોર્ટ દ્વારા સરકારની ઝાટકણી કાઢવામાં આવી રહી છે. 

વિપક્ષ દ્વારા રાજકોટમાં કરવામાં આવ્યો હલ્લાબોલ 

હાઈકોર્ટ દ્વારા રાજકોટ અગ્નિકાંડ મામલે કડક વલણ અપનાવવામાં આવી રહ્યું છે. જ્યારે જ્યારે પણ આ મામલે સુનાવણી થાય છે ત્યારે ત્યારે હાઈકોર્ટ સરકારની ઝાટકણી કાઢે છે. અનેક સવાલોના જવાબ હાઈકોર્ટ દ્વારા માગવામાં આવી રહ્યું છે. આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. રોજે નવો નવો વળાંક આવે છે આ મામલે. અનેક લોકોના આ તપાસ દરમિયાન નામ સામે આવ્યા છે. વિપક્ષ દ્વારા પણ આ મામલે ન્યાયની માગ સાથે રાજકોટમાં હલ્લાબોલ કરવામાં આવ્યું છે. હાઈકોર્ટની ઝાટકણી બાદ સરકાર દ્વારા એક્શન લેવામાં આવી રહ્યા છે.    



સરકાર કરી શકે છે નવી કમિટીની રચના

રાજકોટ અગ્નિકાંડ મામલે હાઈકોર્ટની ઝાટકણી બાદ નવી કમિટીની રચના થશે તેવા સમાચાર સામે આવ્યા છે. અશ્વિની કુમારની આગેવાનીમાં નવી કમિટી રચાશે. નવી કમિટીમાં 5થી 7 સભ્યો હશે. નવી કમિટીમાં DGP સહિતના અધિકારીઓ હશે તેવી માહિતી સામે આવી છે. રવિવાર સુધી રાજ્ય સરકાર કમિટીની જાહેરાત કરશે. ગઠન બાદ કમિટી ઉચ્ચ અધિકારીઓની તપાસ કરશે. ગુજરાતમાં તક્ષશિલા કાંડ સુરતથી લઇને ટીઆરપી ગેમિંગ ઝૉન કાંડ સુધીની અનેક વાર ગંભીર આગના અકસ્માતની ઘટનાઓ બની છે. આમાં કેટલાય લોકો આગમાં ભૂંજાયા છે, કેટલાય પરિવારોએ સ્વજનો ગુમાવ્યા છે. પરંતુ કોઇ યોગ્ય કાર્યવાહી થઇ શકી નથી. હવે આ કેસમાં પીડિતોને ન્યાય મળે એવી આશા... 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.