જૂનાગઢમાં યુવકની આત્મહત્યા મામલે MLA વિમલ ચુડાસમાનું નામ આવતા રાજકારણ ગરમાયું, ધારાસભ્યએ કર્યો આ મોટો ખુલાસો


  • Published By :
  • Published Date : 2023-10-29 16:06:11

ગીર સોમનાથના કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા કાનુની સકંજામાં ફસાઈ શકે છે. તેમના પર એક યુવકને આત્મહત્યા માટે પ્રેરવાનો આરોપ લાગ્યો છે. મૃતક યુવકે સ્યુસાઈડ નોટ લખીને તેની આત્મહત્યા માટે  ધારાસભ્ય વિમલ ચુડાસમાને જવાબદાર ઠરાવ્યા છે. આ સ્યુસાઈડ નોટના કારણે  વિમલ ચુડાસમાની મુશ્કેલી વધી શકે છે. જુનાગઢ જિલ્લાના ચોરવાડના ઝુઝારપુર ગામમાં રહેતા એક કોળી યુવકે ઘરે ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવતા અરેરાટી મચી છે. આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા ચોરવાડ પોલીસની ટીમ ઝુઝારપુર ગામે પહોંચી તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન પોલીસને આ સુસાઈડ નોટ મળી આવી હતી. હાલ ગામમાં પોલીસનો ચુસ્‍ત બંદોબસ્‍ત ગોઠવી દેવામાં આવ્‍યો છે.  


શા માટે કરી આત્મહત્યા?


જૂનાગઢ જિલ્લાના ઝુઝારપુર ગામના યુવકે આત્મહત્યા પહેલા લખેલી સુસાઈડ નોટમાં ધારાસભ્ય વિમલ ચુડાસમા સહિત ત્રણ લોકોના નામ સામે આવતા ખળભળાટ મચી ગયો છે. મૃતક નીતિન પરમારે ગીર સોમનાથના કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા, મનુભાઈ મકન કવા (રહે. પ્રાચી) અને ભનું મકન કવા (રહે. પ્રાચી)ના ત્રાસથી કંટાળીને આપઘાત કર્યો હોવાનો ઉલ્લેખ કર્યો છે. સુસાઈડ નોટમાં મૃતકે લખ્યું કે આ ત્રણેય મને માનસિક ત્રાસ અને મારી નાખવાની ધમકી આપે છે. તેમના ત્રાસથી કંટાળીને હું ફાંસી ખાઈને જીવન ટૂંકાવું છું’હાલ યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડીને ચોરવાડ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 


યુવકે સુસાઇડ નોટમાં શું લખ્યું છે?


મૃતક યુવકે તેની સુસાઈડ નોટમાં લખ્યું છે કે  ''મારું નામ નિતીન જગદીશ પરમાર છે. રહેવાનું ઝુઝારપુર રોડ પર, હું અત્યારે ફાંસી ખાવ છું અને એના જીવેદાર ત્રણ વ્યક્તિ છે. 1. વિમલ કાના ચુડાસમા-સોમનાથ, 2. મનુભાઈ રહે-પ્રાચી અને 3 અન્ય યુવક ત્રાસી ખાતે રહે છે. આ 3 જણાને હિસાબે મને માનસિક ત્રાસ અને મને મારી નાખવાની ધમકે આવે છે જેને હિસાબે હું ફાંસી ખાવ છું અને મારું જીવન ટૂંકાવવું છું અને મારે મરવાનું કારણ આ 3 જણા જ છે. જે મેં ઉપર લખ્યું છે. અહીં મારી સહી કરું છું.


વિમલ ચુડાસમાએ શું કહ્યું? 


મૃતક નીતિન પરમારની સુસાઈડ નોટમાં  ગીર સોમનાથના કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા બહાર આવતા રાજકારણ ગરમાયું છે. યુવકની આત્મહત્યા પાછળ પૈસાની લેતી-દેતી, અંગત અદાવત એક પછી કોઈ અન્ય કારણ છે તેનો ખુલાસો પોલીસ તપાસમાં થશે. પોલીસ કોંગ્રેસ MLA વિમલ ચુડાસમાની પણ પૂછપરછ કરી શકે છે. જો કે આ સમગ્ર મામલે ધારાસભ્ય વિમલ ચુડાસમાનું નામ ખુલતા ધારાસભ્યએ કર્યો ખુલાસો હતો. તેમણે મરનાર વ્યક્તિ તેમના સગા માસીનો દીકરો હોવાનું કબૂલ્યું હતું, "જો કે મારે છેલ્લા ઘણા સમયથી તેની સાથે કોઈ સંબંધ ન હતો. તે ઉપરાંત તેમણે યુવાનની આત્મહત્યા નહીં પણ હત્યા થઈ હોવાની શંકા વ્યક્ત કરી હતી. વિમલ ચુડાસમાના જણાવ્યા પ્રમાણે તેના ખિસ્સામાંથી મળેલ સ્યુસાઇડ નોટમાં તેના અક્ષર નથી અને આ સુસાઈડ નોટના બહાને મને રાજકીય રીતે ફસાવવાનું ષડયંત્ર છે." આ સાથે જ વિમલ ચુડાસમાએ યોગ્ય તપાસ કરવાની માગ કરી છે. યુવાનના આપઘાત કેસમાં સ્યુસાઈડ નોટને ફોરેન્સિક ટેસ્ટ કરવામાં આવે તેવી પણ માગ કરી છે. આ મામલે ચોરવાડ પોલીસ દ્વારા આ મામલે તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ દ્વારા મૃતક યુવાકના પરિવારજનો અને મિત્રોની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. ચોરવાડ ગામમાં થતી ચર્ચા મુજબ આત્મહત્યા કરનાર યુવાન ભૂતકાળમાં વિમલભાઇ સાથે કામ કરતો હતો. ત્‍યાર બાદ સાંસદ રાજેશભાઇ ચુડાસમા સાથે જોડાયો હતો. યુવકની આત્મહત્યાને લઇ ગામમાં અનેક ચર્ચા ચાલી રહી છે.



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.