Vadodara Boat Tragedy મામલે Supreme Courtમાં કરાઈ જાહેરહીતની અપીલ, જાણો કોના વિરૂદ્ધ પગલા લેવા કરાઈ અપીલ?


  • Published By :
  • Published Date : 2024-01-20 16:16:25

ગુરૂવારે વડોદરામાં એક દુર્ઘટના સર્જાઈ હતી. હરણી લેકમાં પીકનીક મનાવા ગયેલા બાળકોના મોત નિપજ્યા. 14 જેટલા બાળકો ઉપરાંત શિક્ષકોના મોતના સમાચાર સાંભળી લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. માતા પિતાએ પોતાના બાળકોને પિકનીક કરવા મોકલેલા હતા પરંતુ તેમના બાળકનો મૃતદેહ ઘરે આવ્યો. દરેક જગ્યા પર આની ચર્ચાઓ થઈ રહી હતી. દોષનો ટોપલો બધા એક બીજા પર ઢોળવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. આ બધા વચ્ચે એવા સમાચાર સામે આવ્યા છે કે આ મામલાને લઈ સુપ્રીમ કોર્ટમાં જાહેરહીતની અરજી દાખલ કરવામાં આવી  છે. આ પીઆઈએલ એ એડવોકેટ દ્વારા દાખલ કરવામાં આવી છે જે વકીલ મોરબી બ્રિજ દુર્ઘટના પીડિતોનો કેસ લડી રહ્યા છે. 

શાળાના સંચાલકે દોષનો ટોપલો બોટવાળા પર ઢોળ્યો!

વડોદરાની કરૂણાંતિકા મામલે તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. એસઆઈટીની રચના પણ કરવામાં આવી છે, આરોપીઓ વિરૂદ્ધ એફઆઈઆર પણ દાખલ કરવામાં આવી છે. આ દુર્ઘટના માટે કોણ જવાબદાર તે અંગેની તપાસ એસઆઈટી દ્વારા કરવામાં આવશે. શાળાના સંચાલકો દ્વારા આ મામલે પ્રતિક્રિયા આપવામાં આવી હતી જેમાં તેમના કહેવાનો મતલબ હતો કે શાળાના શિક્ષકો તો વધારે બાળકોને ન બેસાડવા માટે કહી રહ્યા હતા પરંતુ બોટવાળાએ બાળકોને બેસાડ્યા. આ મામલે એવી પણ માહિતી સામે આવી કે પિકનીક અંગેની પરમિશન લેવામાં આવી ન હતી.


કડક કાર્યવાહી કરવા માટે અપાયા છે આદેશ 

આ મામલે કડક કાર્યવાહી કરવામાં આવે તેવો આદેશ સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા આપવામાં આવ્યો છે. આ મામલામાં જે લોકો દોષિ છે તેમને છોડવામાં નહીં આવે તેવો આદેશ આપવામાં આવ્યો છે પરંતુ આગામી સમયમાં શું કાર્યવાહી કરવામાં આવે છે તેની પર સૌ કોઈની નજર છે. પરંતુ આ મામલે નવી અપડેટ સામે આવી છે કે સુપ્રીમ કોર્ટમાં જનહીત અરજી કરવામાં આવી છે. 

The Supreme Court said - this is a serious issue, 'Due to free  distribution, the condition of Sri Lanka has deteriorated, India is also on  the same path'. | ચૂંટણીમાં ફ્રી ઓફર્સથી

આ લોકો સામે પગલા લેવા પીઆઈએલમાં કરાઈ અપીલ  

સુપ્રીમ કોર્ટમાં જે વકીલે પીઆઈએલ દાખલ કરી છે તે એડવોકેટ ઉત્કર્ષ દવે છે. મોરબી બ્રિજ દુર્ઘટના કેસમાં 112 પીડિત પરિવારો વતી જે વકીલ કેસ લડી રહ્યા છે તેમણે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે કે આ ન્યુ સનરાઈઝ સ્કૂલના પ્રિન્સિપાલ, ટ્રસ્ટીઓ, વડોદરા કલેક્ટર તેમજ વડોદરા મ્યુનિસિપલ કમિશ્નર સામે પગલા લેવામાં આવે તે માટેની અરજી સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી છે. અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે તંત્રની બેદરકારીથી નિર્દોષ બાળકોના મોત થયા છે. 



There is a lot of discussion on the relations between India and America, whether it is Donald Trump's tariff hike or calling PM Modi a special friend, everyone's eyes are on these relations between India and America. Amidst all this, US Ambassador to India Sergio Gore reached Mumbai and this visit is considered a very important one.

ગુજરાત હવે ખેલકૂદમાં પણ "ગ્લોબલ હબ" બનીને ઉભરી રહ્યું છે. આવનારા સમયમાં 2030ના વર્ષમાં કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદમાં યોજવા જઈ રહી છે. આગામી સમયમાં 2036માં ભારતમાં ઓલિમ્પિક યોજાય તે માટે પ્રયાસો શરુ થઇ ગયા છે. ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ દ્વારા નેશનલ ઓલિમ્પિક એજ્યુકેશન એન્ડ ડેવલપમન્ટ પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો છે. સાથે જ નેશનલ ઓલિમ્પિક એકેડેમીને ફરી સક્રિય કરવામાં આવી છે. આ નિર્ણય ૮મી જાન્યુઆરીએ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ મળી હતી તેમાં લેવાયો છે અને આ પછી , 9મી જાન્યુઆરીએ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની જે વાર્ષિક સામાન્ય સભા મળી હતી તેમાં આ નિર્ણયને મંજૂરી આપવામાં આવી હતી. IOAની આ બંને મિટિંગ અમદાવાદ ખાતે મળી હતી.

પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.