Vadodara Boat Tragedy મામલે Supreme Courtમાં કરાઈ જાહેરહીતની અપીલ, જાણો કોના વિરૂદ્ધ પગલા લેવા કરાઈ અપીલ?


  • Published By :
  • Published Date : 2024-01-20 16:16:25

ગુરૂવારે વડોદરામાં એક દુર્ઘટના સર્જાઈ હતી. હરણી લેકમાં પીકનીક મનાવા ગયેલા બાળકોના મોત નિપજ્યા. 14 જેટલા બાળકો ઉપરાંત શિક્ષકોના મોતના સમાચાર સાંભળી લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. માતા પિતાએ પોતાના બાળકોને પિકનીક કરવા મોકલેલા હતા પરંતુ તેમના બાળકનો મૃતદેહ ઘરે આવ્યો. દરેક જગ્યા પર આની ચર્ચાઓ થઈ રહી હતી. દોષનો ટોપલો બધા એક બીજા પર ઢોળવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. આ બધા વચ્ચે એવા સમાચાર સામે આવ્યા છે કે આ મામલાને લઈ સુપ્રીમ કોર્ટમાં જાહેરહીતની અરજી દાખલ કરવામાં આવી  છે. આ પીઆઈએલ એ એડવોકેટ દ્વારા દાખલ કરવામાં આવી છે જે વકીલ મોરબી બ્રિજ દુર્ઘટના પીડિતોનો કેસ લડી રહ્યા છે. 

શાળાના સંચાલકે દોષનો ટોપલો બોટવાળા પર ઢોળ્યો!

વડોદરાની કરૂણાંતિકા મામલે તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. એસઆઈટીની રચના પણ કરવામાં આવી છે, આરોપીઓ વિરૂદ્ધ એફઆઈઆર પણ દાખલ કરવામાં આવી છે. આ દુર્ઘટના માટે કોણ જવાબદાર તે અંગેની તપાસ એસઆઈટી દ્વારા કરવામાં આવશે. શાળાના સંચાલકો દ્વારા આ મામલે પ્રતિક્રિયા આપવામાં આવી હતી જેમાં તેમના કહેવાનો મતલબ હતો કે શાળાના શિક્ષકો તો વધારે બાળકોને ન બેસાડવા માટે કહી રહ્યા હતા પરંતુ બોટવાળાએ બાળકોને બેસાડ્યા. આ મામલે એવી પણ માહિતી સામે આવી કે પિકનીક અંગેની પરમિશન લેવામાં આવી ન હતી.


કડક કાર્યવાહી કરવા માટે અપાયા છે આદેશ 

આ મામલે કડક કાર્યવાહી કરવામાં આવે તેવો આદેશ સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા આપવામાં આવ્યો છે. આ મામલામાં જે લોકો દોષિ છે તેમને છોડવામાં નહીં આવે તેવો આદેશ આપવામાં આવ્યો છે પરંતુ આગામી સમયમાં શું કાર્યવાહી કરવામાં આવે છે તેની પર સૌ કોઈની નજર છે. પરંતુ આ મામલે નવી અપડેટ સામે આવી છે કે સુપ્રીમ કોર્ટમાં જનહીત અરજી કરવામાં આવી છે. 

The Supreme Court said - this is a serious issue, 'Due to free  distribution, the condition of Sri Lanka has deteriorated, India is also on  the same path'. | ચૂંટણીમાં ફ્રી ઓફર્સથી

આ લોકો સામે પગલા લેવા પીઆઈએલમાં કરાઈ અપીલ  

સુપ્રીમ કોર્ટમાં જે વકીલે પીઆઈએલ દાખલ કરી છે તે એડવોકેટ ઉત્કર્ષ દવે છે. મોરબી બ્રિજ દુર્ઘટના કેસમાં 112 પીડિત પરિવારો વતી જે વકીલ કેસ લડી રહ્યા છે તેમણે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે કે આ ન્યુ સનરાઈઝ સ્કૂલના પ્રિન્સિપાલ, ટ્રસ્ટીઓ, વડોદરા કલેક્ટર તેમજ વડોદરા મ્યુનિસિપલ કમિશ્નર સામે પગલા લેવામાં આવે તે માટેની અરજી સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી છે. અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે તંત્રની બેદરકારીથી નિર્દોષ બાળકોના મોત થયા છે. 



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.