Vadodara Boat Tragedy મામલે Supreme Courtમાં કરાઈ જાહેરહીતની અપીલ, જાણો કોના વિરૂદ્ધ પગલા લેવા કરાઈ અપીલ?


  • Published By :
  • Published Date : 2024-01-20 16:16:25

ગુરૂવારે વડોદરામાં એક દુર્ઘટના સર્જાઈ હતી. હરણી લેકમાં પીકનીક મનાવા ગયેલા બાળકોના મોત નિપજ્યા. 14 જેટલા બાળકો ઉપરાંત શિક્ષકોના મોતના સમાચાર સાંભળી લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. માતા પિતાએ પોતાના બાળકોને પિકનીક કરવા મોકલેલા હતા પરંતુ તેમના બાળકનો મૃતદેહ ઘરે આવ્યો. દરેક જગ્યા પર આની ચર્ચાઓ થઈ રહી હતી. દોષનો ટોપલો બધા એક બીજા પર ઢોળવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. આ બધા વચ્ચે એવા સમાચાર સામે આવ્યા છે કે આ મામલાને લઈ સુપ્રીમ કોર્ટમાં જાહેરહીતની અરજી દાખલ કરવામાં આવી  છે. આ પીઆઈએલ એ એડવોકેટ દ્વારા દાખલ કરવામાં આવી છે જે વકીલ મોરબી બ્રિજ દુર્ઘટના પીડિતોનો કેસ લડી રહ્યા છે. 

શાળાના સંચાલકે દોષનો ટોપલો બોટવાળા પર ઢોળ્યો!

વડોદરાની કરૂણાંતિકા મામલે તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. એસઆઈટીની રચના પણ કરવામાં આવી છે, આરોપીઓ વિરૂદ્ધ એફઆઈઆર પણ દાખલ કરવામાં આવી છે. આ દુર્ઘટના માટે કોણ જવાબદાર તે અંગેની તપાસ એસઆઈટી દ્વારા કરવામાં આવશે. શાળાના સંચાલકો દ્વારા આ મામલે પ્રતિક્રિયા આપવામાં આવી હતી જેમાં તેમના કહેવાનો મતલબ હતો કે શાળાના શિક્ષકો તો વધારે બાળકોને ન બેસાડવા માટે કહી રહ્યા હતા પરંતુ બોટવાળાએ બાળકોને બેસાડ્યા. આ મામલે એવી પણ માહિતી સામે આવી કે પિકનીક અંગેની પરમિશન લેવામાં આવી ન હતી.


કડક કાર્યવાહી કરવા માટે અપાયા છે આદેશ 

આ મામલે કડક કાર્યવાહી કરવામાં આવે તેવો આદેશ સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા આપવામાં આવ્યો છે. આ મામલામાં જે લોકો દોષિ છે તેમને છોડવામાં નહીં આવે તેવો આદેશ આપવામાં આવ્યો છે પરંતુ આગામી સમયમાં શું કાર્યવાહી કરવામાં આવે છે તેની પર સૌ કોઈની નજર છે. પરંતુ આ મામલે નવી અપડેટ સામે આવી છે કે સુપ્રીમ કોર્ટમાં જનહીત અરજી કરવામાં આવી છે. 

The Supreme Court said - this is a serious issue, 'Due to free  distribution, the condition of Sri Lanka has deteriorated, India is also on  the same path'. | ચૂંટણીમાં ફ્રી ઓફર્સથી

આ લોકો સામે પગલા લેવા પીઆઈએલમાં કરાઈ અપીલ  

સુપ્રીમ કોર્ટમાં જે વકીલે પીઆઈએલ દાખલ કરી છે તે એડવોકેટ ઉત્કર્ષ દવે છે. મોરબી બ્રિજ દુર્ઘટના કેસમાં 112 પીડિત પરિવારો વતી જે વકીલ કેસ લડી રહ્યા છે તેમણે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે કે આ ન્યુ સનરાઈઝ સ્કૂલના પ્રિન્સિપાલ, ટ્રસ્ટીઓ, વડોદરા કલેક્ટર તેમજ વડોદરા મ્યુનિસિપલ કમિશ્નર સામે પગલા લેવામાં આવે તે માટેની અરજી સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી છે. અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે તંત્રની બેદરકારીથી નિર્દોષ બાળકોના મોત થયા છે. 



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે