ચંડીગઢની ઘટના માં કેમ યુવતીએ આવા વિડીયો બના વી એક યુવકને આપ્યા ????


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-18 15:32:53

આજે ચંડીગઢનો એક કિસ્સો સામે આવ્યો છે જેમાં પંજાબના મોહાલીની એક યુનિવર્સિટીમાં એક યુવતીએ 60 જેટલી વિદ્યાર્થિનીનો નહાતી હોવાનો વીડિયો બનાવીને ઈન્ટરનેટ પર વાયરલ કરી દીધો હતો. વિદ્યાર્થિની એક છોકરાને એક બાદ એક વીડિયો મોકલતી હતી. તે છોકરો આ વીડિયોને ઈન્ટરનેટ પર અપલોડ કરતો હતો. આ છોકરી વીડિયો બનાવતી હતી તે હજુ સુધી સામે નથી આવ્યું. આખરે શા માટે એક યુવતીએ અનેક યુવતીના નહાવાનો વીડિયો ઉતાર્યો? શા માટે તેના મિત્રને મોકલ્યો? લાંબા સમયથી આ કોઈ મોટો પ્લાન ચાલી રહ્યો હતો કે શું? 


હવે આ આખી ઘટનામાં મોટી વાત એ છે કે જે યુવતીઓના વીડિયો સોશિયલ મીડીયામાં ઉપલોડ કરવામાં આવ્યા તેમાંથી 8 જેટલી યુવતીઓએ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો છે. જેમાંથી એકની હાલત હાલ ગંભીર છે. 


કેમ પોતાની ભૂલના હોવા છતાં યુવતીઓએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો 

આ ઘટનામાં જેટલી છોકરીઓએ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો છે તેમાં એક પણ છોકરીની કોઈ પણ ભૂલ નથી. છતાં પણ તેમને આત્મ હત્યા કરવાનો વારો આવ્યો હતો. આ કોઈ પહલો બનાવ નથી પેહલા પણ આવા ઘણા કિસ્સા બની ચૂક્યા છે, જ્યારે કોઈ યુવકએ યુવતીના વીડિયો બનાવી એને બ્લેકમાઈલ કરવાની કોશિશ કરી હોય. આ વીડિયોમાં જે છોકરીઓ કેદ થઈ હોય તે યુવતીને લાગતું હોય છે કે તેની પાસે હવે જીવવા માટે કઈ બચ્યું નથી અને તેની ઈજ્જત લૂંટાઈ ગઈ છે ત્યારે તે આવા પગલાં ભરતી હોય છે. 


કેમ યુવતીએ આવા વિડીયો બનાવી એક યુવકને આપ્યા 

આજના યુવાનોમાં પોર્નોગ્રાફી અને તેવા વીડિયો જોવાની લત વ્યસનની જેમ ફેલાય રહી છે. 2019ના એક સર્વે મુજબ 18થી 24 વર્ષના યુવા પોર્ન તરફ વળ્યા છે અને એથીએ વધુ ભયજનક વાત એ છે કે, આવા યંગ પોર્ન વિઝિટર ભારતમાં સૌથી વધારે છે. જેના કારણે આવ્યા વીડિયો બનવા અને વેચવાના બિઝનેસ થાય છે અને તેના કારણે આવી ઘટનાઓ દર થોડા દિવસે સામે આવે છે.  


આ મામલે ચંડીગઢ યુનિવર્સિટીનું શું કહેવું છે

સમગ્ર ઘટનાના ભણકારા અત્યારે ભારતમાં બોલી રહ્યા છે ત્યારે ચંદીગઢ યુનિવર્સિટીએ ખુલાસો આપતા જણાવ્યું હતું કે જે યુવતીએ પોતાના બોયફ્રેન્ડ પોતાના અંગત વિડીયો મોકલ્યા છે બીજા કોઈ વિડિયો મોકલ્યા નથી . 



અત્યારે આપણે એવી સમાજ વ્યવસ્થા ઉભી કરી છે, જે પીડિત બાજુ નહીં પરંતુ ગુનેગારના પક્ષ બાજુ વધારે નમતી હોય. હવે આ ઘટનામાં જે યુવતી છે જેના વીડિયો લેવાયા છે તેની કોઈ ભૂલ ના હતી છતાંય પણ તેમને ભોગવવાનો વારો આવ્યો છે અને તેમને પોતાની જાતને દોષિત માની છે. જ્યારે જે વ્યક્તિ ગુનો આચરતા હોય છે તે સમાજમાં ખુલ્લે આમ રખડી જતા હોય છે.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.