ચંડીગઢની ઘટના માં કેમ યુવતીએ આવા વિડીયો બના વી એક યુવકને આપ્યા ????


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-18 15:32:53

આજે ચંડીગઢનો એક કિસ્સો સામે આવ્યો છે જેમાં પંજાબના મોહાલીની એક યુનિવર્સિટીમાં એક યુવતીએ 60 જેટલી વિદ્યાર્થિનીનો નહાતી હોવાનો વીડિયો બનાવીને ઈન્ટરનેટ પર વાયરલ કરી દીધો હતો. વિદ્યાર્થિની એક છોકરાને એક બાદ એક વીડિયો મોકલતી હતી. તે છોકરો આ વીડિયોને ઈન્ટરનેટ પર અપલોડ કરતો હતો. આ છોકરી વીડિયો બનાવતી હતી તે હજુ સુધી સામે નથી આવ્યું. આખરે શા માટે એક યુવતીએ અનેક યુવતીના નહાવાનો વીડિયો ઉતાર્યો? શા માટે તેના મિત્રને મોકલ્યો? લાંબા સમયથી આ કોઈ મોટો પ્લાન ચાલી રહ્યો હતો કે શું? 


હવે આ આખી ઘટનામાં મોટી વાત એ છે કે જે યુવતીઓના વીડિયો સોશિયલ મીડીયામાં ઉપલોડ કરવામાં આવ્યા તેમાંથી 8 જેટલી યુવતીઓએ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો છે. જેમાંથી એકની હાલત હાલ ગંભીર છે. 


કેમ પોતાની ભૂલના હોવા છતાં યુવતીઓએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો 

આ ઘટનામાં જેટલી છોકરીઓએ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો છે તેમાં એક પણ છોકરીની કોઈ પણ ભૂલ નથી. છતાં પણ તેમને આત્મ હત્યા કરવાનો વારો આવ્યો હતો. આ કોઈ પહલો બનાવ નથી પેહલા પણ આવા ઘણા કિસ્સા બની ચૂક્યા છે, જ્યારે કોઈ યુવકએ યુવતીના વીડિયો બનાવી એને બ્લેકમાઈલ કરવાની કોશિશ કરી હોય. આ વીડિયોમાં જે છોકરીઓ કેદ થઈ હોય તે યુવતીને લાગતું હોય છે કે તેની પાસે હવે જીવવા માટે કઈ બચ્યું નથી અને તેની ઈજ્જત લૂંટાઈ ગઈ છે ત્યારે તે આવા પગલાં ભરતી હોય છે. 


કેમ યુવતીએ આવા વિડીયો બનાવી એક યુવકને આપ્યા 

આજના યુવાનોમાં પોર્નોગ્રાફી અને તેવા વીડિયો જોવાની લત વ્યસનની જેમ ફેલાય રહી છે. 2019ના એક સર્વે મુજબ 18થી 24 વર્ષના યુવા પોર્ન તરફ વળ્યા છે અને એથીએ વધુ ભયજનક વાત એ છે કે, આવા યંગ પોર્ન વિઝિટર ભારતમાં સૌથી વધારે છે. જેના કારણે આવ્યા વીડિયો બનવા અને વેચવાના બિઝનેસ થાય છે અને તેના કારણે આવી ઘટનાઓ દર થોડા દિવસે સામે આવે છે.  


આ મામલે ચંડીગઢ યુનિવર્સિટીનું શું કહેવું છે

સમગ્ર ઘટનાના ભણકારા અત્યારે ભારતમાં બોલી રહ્યા છે ત્યારે ચંદીગઢ યુનિવર્સિટીએ ખુલાસો આપતા જણાવ્યું હતું કે જે યુવતીએ પોતાના બોયફ્રેન્ડ પોતાના અંગત વિડીયો મોકલ્યા છે બીજા કોઈ વિડિયો મોકલ્યા નથી . 



અત્યારે આપણે એવી સમાજ વ્યવસ્થા ઉભી કરી છે, જે પીડિત બાજુ નહીં પરંતુ ગુનેગારના પક્ષ બાજુ વધારે નમતી હોય. હવે આ ઘટનામાં જે યુવતી છે જેના વીડિયો લેવાયા છે તેની કોઈ ભૂલ ના હતી છતાંય પણ તેમને ભોગવવાનો વારો આવ્યો છે અને તેમને પોતાની જાતને દોષિત માની છે. જ્યારે જે વ્યક્તિ ગુનો આચરતા હોય છે તે સમાજમાં ખુલ્લે આમ રખડી જતા હોય છે.



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .