ચંડીગઢની ઘટના માં કેમ યુવતીએ આવા વિડીયો બના વી એક યુવકને આપ્યા ????


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-18 15:32:53

આજે ચંડીગઢનો એક કિસ્સો સામે આવ્યો છે જેમાં પંજાબના મોહાલીની એક યુનિવર્સિટીમાં એક યુવતીએ 60 જેટલી વિદ્યાર્થિનીનો નહાતી હોવાનો વીડિયો બનાવીને ઈન્ટરનેટ પર વાયરલ કરી દીધો હતો. વિદ્યાર્થિની એક છોકરાને એક બાદ એક વીડિયો મોકલતી હતી. તે છોકરો આ વીડિયોને ઈન્ટરનેટ પર અપલોડ કરતો હતો. આ છોકરી વીડિયો બનાવતી હતી તે હજુ સુધી સામે નથી આવ્યું. આખરે શા માટે એક યુવતીએ અનેક યુવતીના નહાવાનો વીડિયો ઉતાર્યો? શા માટે તેના મિત્રને મોકલ્યો? લાંબા સમયથી આ કોઈ મોટો પ્લાન ચાલી રહ્યો હતો કે શું? 


હવે આ આખી ઘટનામાં મોટી વાત એ છે કે જે યુવતીઓના વીડિયો સોશિયલ મીડીયામાં ઉપલોડ કરવામાં આવ્યા તેમાંથી 8 જેટલી યુવતીઓએ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો છે. જેમાંથી એકની હાલત હાલ ગંભીર છે. 


કેમ પોતાની ભૂલના હોવા છતાં યુવતીઓએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો 

આ ઘટનામાં જેટલી છોકરીઓએ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો છે તેમાં એક પણ છોકરીની કોઈ પણ ભૂલ નથી. છતાં પણ તેમને આત્મ હત્યા કરવાનો વારો આવ્યો હતો. આ કોઈ પહલો બનાવ નથી પેહલા પણ આવા ઘણા કિસ્સા બની ચૂક્યા છે, જ્યારે કોઈ યુવકએ યુવતીના વીડિયો બનાવી એને બ્લેકમાઈલ કરવાની કોશિશ કરી હોય. આ વીડિયોમાં જે છોકરીઓ કેદ થઈ હોય તે યુવતીને લાગતું હોય છે કે તેની પાસે હવે જીવવા માટે કઈ બચ્યું નથી અને તેની ઈજ્જત લૂંટાઈ ગઈ છે ત્યારે તે આવા પગલાં ભરતી હોય છે. 


કેમ યુવતીએ આવા વિડીયો બનાવી એક યુવકને આપ્યા 

આજના યુવાનોમાં પોર્નોગ્રાફી અને તેવા વીડિયો જોવાની લત વ્યસનની જેમ ફેલાય રહી છે. 2019ના એક સર્વે મુજબ 18થી 24 વર્ષના યુવા પોર્ન તરફ વળ્યા છે અને એથીએ વધુ ભયજનક વાત એ છે કે, આવા યંગ પોર્ન વિઝિટર ભારતમાં સૌથી વધારે છે. જેના કારણે આવ્યા વીડિયો બનવા અને વેચવાના બિઝનેસ થાય છે અને તેના કારણે આવી ઘટનાઓ દર થોડા દિવસે સામે આવે છે.  


આ મામલે ચંડીગઢ યુનિવર્સિટીનું શું કહેવું છે

સમગ્ર ઘટનાના ભણકારા અત્યારે ભારતમાં બોલી રહ્યા છે ત્યારે ચંદીગઢ યુનિવર્સિટીએ ખુલાસો આપતા જણાવ્યું હતું કે જે યુવતીએ પોતાના બોયફ્રેન્ડ પોતાના અંગત વિડીયો મોકલ્યા છે બીજા કોઈ વિડિયો મોકલ્યા નથી . 



અત્યારે આપણે એવી સમાજ વ્યવસ્થા ઉભી કરી છે, જે પીડિત બાજુ નહીં પરંતુ ગુનેગારના પક્ષ બાજુ વધારે નમતી હોય. હવે આ ઘટનામાં જે યુવતી છે જેના વીડિયો લેવાયા છે તેની કોઈ ભૂલ ના હતી છતાંય પણ તેમને ભોગવવાનો વારો આવ્યો છે અને તેમને પોતાની જાતને દોષિત માની છે. જ્યારે જે વ્યક્તિ ગુનો આચરતા હોય છે તે સમાજમાં ખુલ્લે આમ રખડી જતા હોય છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.