રાજ્યમાં વધશે ઠંડીનું જોર, હાલ થાય છે બેેવડી ઋતુનો અનુભવ


  • Published By :
  • Published Date : 2022-12-19 13:35:47

રાજ્યમાં હાલ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. સવારે તેમજ રાત્રીના સમયે ઠંડીનો અનુભવ થાય છે જ્યારે બપોરના સમયે ગરમીનો અહેસાસ થાય છે. થોડા સમય પહેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે કમોસમી વરસાદ પણ પડ્યો હતો. ગરમી હોવાને કારણે બપોરના સમયે ઉનાળો ચાલતો હોય તેવું લાગે છે. ત્યારે એવું માનવામાં આવી રહ્યું છે કે ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયામાં ઠંડીનું જોર વધી શકે છે.  


ડિસેમ્બરના અંતિમ સપ્તાહમાં વધશે ઠંડીનું જોર 

સામાન્ય રીતે ડિસેમ્બરમાં ઠંડીનું જોર વધી જતું હોય છે. પરંતુ આ વખતે ડિસેમ્બરમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. તાપમાનમાં પણ ઘટાડો નોંધાઈ નથી રહ્યો. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે કમોસમી વરસાદ પણ વરસ્યો હતો. હાડકા થીજી જાય તેવી ઠંડીનો અહેસાસ હાલ નથી થઈ રહ્યો. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયામાં તાપમાનનો પારો ગગડી શકે છે. જેને કારણે ઠંડીનો અહેસાસ થશે.


દિવસ દરમિયાન થાય છે ગરમીનો અહેસાસ

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આવનાર દિવસોમાં લઘુત્તમ તાપમાન ઘટી શકે છે. અમદાવાદમાં આગામી 3 દિવસ સરેરાશ મહત્તમ તાપમાન અંદાજીત 34 ડિગ્રી રહેશે જ્યારે સરેરાશ લઘુત્તમ તાપમાન 18ની આસપાસ રહેશે. તાપમાનમાં ઘટાડો ન થવાથી દિવસ દરમિયાન ગરમીનો અહેસાસ થાય છે.  



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે