રાજ્યમાં વધશે ઠંડીનું જોર, હાલ થાય છે બેેવડી ઋતુનો અનુભવ


  • Published By :
  • Published Date : 2022-12-19 13:35:47

રાજ્યમાં હાલ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. સવારે તેમજ રાત્રીના સમયે ઠંડીનો અનુભવ થાય છે જ્યારે બપોરના સમયે ગરમીનો અહેસાસ થાય છે. થોડા સમય પહેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે કમોસમી વરસાદ પણ પડ્યો હતો. ગરમી હોવાને કારણે બપોરના સમયે ઉનાળો ચાલતો હોય તેવું લાગે છે. ત્યારે એવું માનવામાં આવી રહ્યું છે કે ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયામાં ઠંડીનું જોર વધી શકે છે.  


ડિસેમ્બરના અંતિમ સપ્તાહમાં વધશે ઠંડીનું જોર 

સામાન્ય રીતે ડિસેમ્બરમાં ઠંડીનું જોર વધી જતું હોય છે. પરંતુ આ વખતે ડિસેમ્બરમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. તાપમાનમાં પણ ઘટાડો નોંધાઈ નથી રહ્યો. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે કમોસમી વરસાદ પણ વરસ્યો હતો. હાડકા થીજી જાય તેવી ઠંડીનો અહેસાસ હાલ નથી થઈ રહ્યો. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયામાં તાપમાનનો પારો ગગડી શકે છે. જેને કારણે ઠંડીનો અહેસાસ થશે.


દિવસ દરમિયાન થાય છે ગરમીનો અહેસાસ

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આવનાર દિવસોમાં લઘુત્તમ તાપમાન ઘટી શકે છે. અમદાવાદમાં આગામી 3 દિવસ સરેરાશ મહત્તમ તાપમાન અંદાજીત 34 ડિગ્રી રહેશે જ્યારે સરેરાશ લઘુત્તમ તાપમાન 18ની આસપાસ રહેશે. તાપમાનમાં ઘટાડો ન થવાથી દિવસ દરમિયાન ગરમીનો અહેસાસ થાય છે.  



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.