પ્રાંતિજના ધારાસભ્ય આવ્યા વિવાદમાં, ગજેન્દ્ર પરમાર પર લાગ્યો સગીરાની છેડતી કર્યા હોવાનો આરોપ


  • Published By :
  • Published Date : 2023-01-21 10:17:55

પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર ફરી એક વખત વિવાદમાં આવ્યા છે.  સગીરાની શારિરીક છેડતી કરી હોવાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં દાખલ કરાવી છે. મહિલાએ તેની સગીર દીકરી સાથે શારિરીક છેડછાડ કર્યાનો આરોપ ધારાસભ્ય પર મુક્યો છે. આ ફરિયાદ સિરોહી પોલીસ સ્ટેશનમાં નોંધાવામાં આવી છે. 


શારિરીક છેડતીનો લાગ્યો આરોપ 

ધારાસભ્ય પર સગીરાની છેડતીની ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી ગયો છે. મહિલાએ ગંભીર આક્ષેપ કર્યો છે ઓગસ્ટ 2020માં તે ગજેન્દ્રસિંહ સાથે પોતાની પુત્રી સાથે જેસલમેર જઈ રહી હતી. તે સમય દરમિયાન ધારાસભ્યે મહિલા સાથે આવેલી તેમની સગીર પુત્રી સાથે શારિરીક છેડછાડ કરી હતી. 


બળજબરીથી દીકરી સાથે છેડતી કર્યાનો લાગ્યો છે આરોપ  

મળતી વિગતો અનુસાર 2020માં અમદાવાદની મહિલા પ્રાંતિજના ધારાસભ્યના સંપર્કમાં આવી. તેમના પરિવાર અને દીકરી તથા અન્ય વ્યક્તિઓ સાથે જેસલમેર ફરવા ગયા હતા. આબુરોડ પર મહિલાને ઉલ્ટી આવી જેને કારણે તે નીચે ઉતરી. થોડા સમય બાદ ગભરાયેલી  હાલતમાં મહિલાની દીકરી બહાર આવી અને કહેવા લાગી મારે જેસલમેર નથી જઉં. જે બાદ તમામ લોકો અમદાવાદ પરત આવી ગયા. ધારાસભ્ય સામે શારિરીક શોષણને લઈ કેસ ચાલતો હતો. 


કાર્યવાહી ન થતા ખખડાવ્યા કોર્ટના દ્વાર 

આ દરમિયાન મહિલાએ માર્ચ 2022માં આપઘાત કરવાનો પ્રયાસ કર્યો. સારવાર અર્થે જ્યારે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા તે સમયે દીકરીએ પણ પોતાની સાથે છેડતી થયું હોવાનું જણાવ્યું. જે બાદ પોલીસ સ્ટેશનમાં તેમના વિરૂદ્ધ અરજી કરવામાં આવી હતી, પરંતુ કોઈ પ્રકારની કાર્યવાહી ન થતા સિરોહી કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. કોર્ટના આદેશ બાદ પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર અને તેમના મિત્રો વિરૂદ્ધ પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી હતી.        




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.