પ્રાંતિજના ધારાસભ્ય આવ્યા વિવાદમાં, ગજેન્દ્ર પરમાર પર લાગ્યો સગીરાની છેડતી કર્યા હોવાનો આરોપ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-01-21 10:17:55

પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર ફરી એક વખત વિવાદમાં આવ્યા છે.  સગીરાની શારિરીક છેડતી કરી હોવાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં દાખલ કરાવી છે. મહિલાએ તેની સગીર દીકરી સાથે શારિરીક છેડછાડ કર્યાનો આરોપ ધારાસભ્ય પર મુક્યો છે. આ ફરિયાદ સિરોહી પોલીસ સ્ટેશનમાં નોંધાવામાં આવી છે. 


શારિરીક છેડતીનો લાગ્યો આરોપ 

ધારાસભ્ય પર સગીરાની છેડતીની ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી ગયો છે. મહિલાએ ગંભીર આક્ષેપ કર્યો છે ઓગસ્ટ 2020માં તે ગજેન્દ્રસિંહ સાથે પોતાની પુત્રી સાથે જેસલમેર જઈ રહી હતી. તે સમય દરમિયાન ધારાસભ્યે મહિલા સાથે આવેલી તેમની સગીર પુત્રી સાથે શારિરીક છેડછાડ કરી હતી. 


બળજબરીથી દીકરી સાથે છેડતી કર્યાનો લાગ્યો છે આરોપ  

મળતી વિગતો અનુસાર 2020માં અમદાવાદની મહિલા પ્રાંતિજના ધારાસભ્યના સંપર્કમાં આવી. તેમના પરિવાર અને દીકરી તથા અન્ય વ્યક્તિઓ સાથે જેસલમેર ફરવા ગયા હતા. આબુરોડ પર મહિલાને ઉલ્ટી આવી જેને કારણે તે નીચે ઉતરી. થોડા સમય બાદ ગભરાયેલી  હાલતમાં મહિલાની દીકરી બહાર આવી અને કહેવા લાગી મારે જેસલમેર નથી જઉં. જે બાદ તમામ લોકો અમદાવાદ પરત આવી ગયા. ધારાસભ્ય સામે શારિરીક શોષણને લઈ કેસ ચાલતો હતો. 


કાર્યવાહી ન થતા ખખડાવ્યા કોર્ટના દ્વાર 

આ દરમિયાન મહિલાએ માર્ચ 2022માં આપઘાત કરવાનો પ્રયાસ કર્યો. સારવાર અર્થે જ્યારે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા તે સમયે દીકરીએ પણ પોતાની સાથે છેડતી થયું હોવાનું જણાવ્યું. જે બાદ પોલીસ સ્ટેશનમાં તેમના વિરૂદ્ધ અરજી કરવામાં આવી હતી, પરંતુ કોઈ પ્રકારની કાર્યવાહી ન થતા સિરોહી કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. કોર્ટના આદેશ બાદ પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર અને તેમના મિત્રો વિરૂદ્ધ પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી હતી.        




ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે.. ચોથી તારીખે પરિણામ આવવાનું છે, સૌ કોઈની નજર સૌરાષ્ટ્રની બેઠકો પર રહેવાની છે. અનેક પરિબળો છે જે પરિણામ પર અસર કરી શકે છે.

આકરી ગરમીનો માર સહન કરવો પડી રહ્યો છે. કાળઝાળ ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વરસાદની રાહ લોકો જોઈ રહ્યા છે. ત્યારે વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે.

નાના હોઈએ ત્યારે મોટા થવાની તીવ્ર ઈચ્છા હોય છે. પરંતુ જ્યારે મોટા થઈએ છીએ ત્યારે આપણને બાળક બનવાની ઈચ્છા હોય છે... ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના મારે પાછુું બાળક બનવું છે...

પ્રચાર દરમિયાન પીએમ મોદી અનેક વખત આક્રામક દેખાયા છે. વિપક્ષ પર પ્રહાર કરતા દેખાયા છે.. ત્યારે રામ મંદિરને લઈ પીએમ મોદીએ ફરી એક વખત કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે લોકસભા ચૂંટણી બાદ સમાજવાદી પાર્ટી- કોંગ્રેસ ગઠબંધન સત્તામાં આવશે તો રામ મંદિરને બુલડોઝરથી તોડી પાડવામાં આવશે. તેમણે કહ્યું કે