પ્રાંતિજના ધારાસભ્ય આવ્યા વિવાદમાં, ગજેન્દ્ર પરમાર પર લાગ્યો સગીરાની છેડતી કર્યા હોવાનો આરોપ


  • Published By :
  • Published Date : 2023-01-21 10:17:55

પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર ફરી એક વખત વિવાદમાં આવ્યા છે.  સગીરાની શારિરીક છેડતી કરી હોવાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં દાખલ કરાવી છે. મહિલાએ તેની સગીર દીકરી સાથે શારિરીક છેડછાડ કર્યાનો આરોપ ધારાસભ્ય પર મુક્યો છે. આ ફરિયાદ સિરોહી પોલીસ સ્ટેશનમાં નોંધાવામાં આવી છે. 


શારિરીક છેડતીનો લાગ્યો આરોપ 

ધારાસભ્ય પર સગીરાની છેડતીની ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી ગયો છે. મહિલાએ ગંભીર આક્ષેપ કર્યો છે ઓગસ્ટ 2020માં તે ગજેન્દ્રસિંહ સાથે પોતાની પુત્રી સાથે જેસલમેર જઈ રહી હતી. તે સમય દરમિયાન ધારાસભ્યે મહિલા સાથે આવેલી તેમની સગીર પુત્રી સાથે શારિરીક છેડછાડ કરી હતી. 


બળજબરીથી દીકરી સાથે છેડતી કર્યાનો લાગ્યો છે આરોપ  

મળતી વિગતો અનુસાર 2020માં અમદાવાદની મહિલા પ્રાંતિજના ધારાસભ્યના સંપર્કમાં આવી. તેમના પરિવાર અને દીકરી તથા અન્ય વ્યક્તિઓ સાથે જેસલમેર ફરવા ગયા હતા. આબુરોડ પર મહિલાને ઉલ્ટી આવી જેને કારણે તે નીચે ઉતરી. થોડા સમય બાદ ગભરાયેલી  હાલતમાં મહિલાની દીકરી બહાર આવી અને કહેવા લાગી મારે જેસલમેર નથી જઉં. જે બાદ તમામ લોકો અમદાવાદ પરત આવી ગયા. ધારાસભ્ય સામે શારિરીક શોષણને લઈ કેસ ચાલતો હતો. 


કાર્યવાહી ન થતા ખખડાવ્યા કોર્ટના દ્વાર 

આ દરમિયાન મહિલાએ માર્ચ 2022માં આપઘાત કરવાનો પ્રયાસ કર્યો. સારવાર અર્થે જ્યારે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા તે સમયે દીકરીએ પણ પોતાની સાથે છેડતી થયું હોવાનું જણાવ્યું. જે બાદ પોલીસ સ્ટેશનમાં તેમના વિરૂદ્ધ અરજી કરવામાં આવી હતી, પરંતુ કોઈ પ્રકારની કાર્યવાહી ન થતા સિરોહી કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. કોર્ટના આદેશ બાદ પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર અને તેમના મિત્રો વિરૂદ્ધ પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી હતી.        




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.