BJPની કારોબારી બેઠકમાં C.R.Patilએ ક્ષત્રિય સમાજને કર્યો યાદ, માન્યો આભાર, કહ્યું કે...


  • Published By :
  • Published Date : 2024-07-06 15:55:40

ભાજપની કારોબારી બેઠક પૂર્ણ થઈ ગઈ છે જે બાદ જલ્દી જ પ્રદેશ અધ્યક્ષની જાહેરાત થશે તેવી સંભાવના છે. ગઈકાલે કારોબારી બેઠક દરમિયાન સી.આર.પાટિલે પોતાના ભાષણમાં ઘણા એવા મુદ્દા પર વાત કરી જે ચર્ચાનો વિષય બની છે. ચૂંટણી બાદ ફરી એક વાર સી.આર.પાટિલે ક્ષત્રિય સમાજને યાદ કર્યો છે. 



ગુજરાતમાં રૂપાલાના નિવેદનની અસર ના થઈ પરંતુ..

લોકસભા ચૂંટણી દરમિયાન સૌથી મહત્વનો મુદ્દો રહ્યો હોય તો તે મુદ્દો હતો ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવેલો વિરોધ.. પરષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજને લઈ આપવામાં આવેલા નિવેદન બાદ ગુજરાતમાં ઠેર ઠેર ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. ગુજરાતમાં તો આ આંદોલનની પરિણામ પર વધારે અસર ના થઈ પરંતુ બાકીના રાજ્યોમાં ભાજપને નુકસાન થયું છે.. ભારતીય જનતા પાર્ટી પોતાની વાત પર મક્કમ રહી અને તેમણે ઉમેદવાર ના બદલ્યા.. ત્યારે ચૂંટણી પૂર્ણ થયા બાદ સી.આર.પાટીલે ભારતીય જનતા પાર્ટીના કાર્યકારી બેઠકમાં ક્ષત્રિય સમાજને યાદ કર્યો હતો. 


સાળંગપુર ખાતે મળી હતી ભાજપની કારોબારી બેઠક

બેઠકમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ અને કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ હાજર રહ્યા હતા લોકસભા ચૂંટણીના પરિણામોનું મનોમંથન પ્રદેશ કારોબારીમાં થયું અને સાથે જ આગામી ચૂંટણીનો પ્લાન ધડાયો હોવાનું અનુમાન છે.. સંબોધનમાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે કહ્યું કે આપણે લોકસભા ચૂંટણીમાં જે બુથ માઈનસમાં ગયા ત્યાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં કસર પુરી કરવાની છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આપણે સારું પરિણામ લાવવાનું છે. 


ક્ષત્રિય સમાજ માટે પાટીલે કહી આ વાત

રણનીતિને લઈ તો વાત કરી પરંતુ સાથે જ સી.આર.પાટીલે ક્ષત્રિય સમાજનો આભાર માન્યો છે. આભાર માનતા સી.આર.પાટીલે કહ્યું કે ક્ષત્રિય સમાજના ટેકાને કારણે જીત મળી છે. લોકસભાની ચુંટણીમાં ક્ષત્રિયો ભાજપ સાથે હતા અને ક્ષત્રિયો હમેશા ભાજપ સાથે જ રહ્યા છે અને ફરી એક વાર પીએમ પર ભરોસો મૂક્યો છે! 


સી.આર.પાટીલે માફી માગતા કહ્યું કે... 

સંબોધનમાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે એવું પણ કહ્યું  મારા કાર્યકાળ દરમિયાન કોઈને ખોટું લાગ્યું હોય તો માફ કરશો. મારા કાર્યકાળ દરમિયાન કોઈને ટીકીટ મળી કે કોઈને ન મળી તો હું માફી માગું છું. મારો કાર્યકાળ પૂરો થઈ ગયો છે. મેં હાઇકમાંડને પણ કહ્યું છે કે મને આ પદ પરથી મુક્તિ આપો.મોટી બાબતએ હતી કે સી.આર.પાટીલે બનાસકાંઠાની હાર પર નિવેદન આપ્યુંને કહ્યું આપણે બનાસકાંઠાની સીટ બહુ જ શરમજનક રીતે 30 હજાર મતોથી હાર્યા. હું આ હારની જવાબદારી સ્વીકારૂ છું અને બધાની માફી માગું છું કે હું બનાસકાંઠા ન જીતાવી શકયો. ત્યારે સી.આર.પાટીલની આ વાત પર તમે શું કહેશો તે અમને કમેન્ટમાં જણાવજો..  




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.