BJPની કારોબારી બેઠકમાં C.R.Patilએ ક્ષત્રિય સમાજને કર્યો યાદ, માન્યો આભાર, કહ્યું કે...


  • Published By :
  • Published Date : 2024-07-06 15:55:40

ભાજપની કારોબારી બેઠક પૂર્ણ થઈ ગઈ છે જે બાદ જલ્દી જ પ્રદેશ અધ્યક્ષની જાહેરાત થશે તેવી સંભાવના છે. ગઈકાલે કારોબારી બેઠક દરમિયાન સી.આર.પાટિલે પોતાના ભાષણમાં ઘણા એવા મુદ્દા પર વાત કરી જે ચર્ચાનો વિષય બની છે. ચૂંટણી બાદ ફરી એક વાર સી.આર.પાટિલે ક્ષત્રિય સમાજને યાદ કર્યો છે. 



ગુજરાતમાં રૂપાલાના નિવેદનની અસર ના થઈ પરંતુ..

લોકસભા ચૂંટણી દરમિયાન સૌથી મહત્વનો મુદ્દો રહ્યો હોય તો તે મુદ્દો હતો ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવેલો વિરોધ.. પરષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજને લઈ આપવામાં આવેલા નિવેદન બાદ ગુજરાતમાં ઠેર ઠેર ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. ગુજરાતમાં તો આ આંદોલનની પરિણામ પર વધારે અસર ના થઈ પરંતુ બાકીના રાજ્યોમાં ભાજપને નુકસાન થયું છે.. ભારતીય જનતા પાર્ટી પોતાની વાત પર મક્કમ રહી અને તેમણે ઉમેદવાર ના બદલ્યા.. ત્યારે ચૂંટણી પૂર્ણ થયા બાદ સી.આર.પાટીલે ભારતીય જનતા પાર્ટીના કાર્યકારી બેઠકમાં ક્ષત્રિય સમાજને યાદ કર્યો હતો. 


સાળંગપુર ખાતે મળી હતી ભાજપની કારોબારી બેઠક

બેઠકમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ અને કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ હાજર રહ્યા હતા લોકસભા ચૂંટણીના પરિણામોનું મનોમંથન પ્રદેશ કારોબારીમાં થયું અને સાથે જ આગામી ચૂંટણીનો પ્લાન ધડાયો હોવાનું અનુમાન છે.. સંબોધનમાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે કહ્યું કે આપણે લોકસભા ચૂંટણીમાં જે બુથ માઈનસમાં ગયા ત્યાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં કસર પુરી કરવાની છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આપણે સારું પરિણામ લાવવાનું છે. 


ક્ષત્રિય સમાજ માટે પાટીલે કહી આ વાત

રણનીતિને લઈ તો વાત કરી પરંતુ સાથે જ સી.આર.પાટીલે ક્ષત્રિય સમાજનો આભાર માન્યો છે. આભાર માનતા સી.આર.પાટીલે કહ્યું કે ક્ષત્રિય સમાજના ટેકાને કારણે જીત મળી છે. લોકસભાની ચુંટણીમાં ક્ષત્રિયો ભાજપ સાથે હતા અને ક્ષત્રિયો હમેશા ભાજપ સાથે જ રહ્યા છે અને ફરી એક વાર પીએમ પર ભરોસો મૂક્યો છે! 


સી.આર.પાટીલે માફી માગતા કહ્યું કે... 

સંબોધનમાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે એવું પણ કહ્યું  મારા કાર્યકાળ દરમિયાન કોઈને ખોટું લાગ્યું હોય તો માફ કરશો. મારા કાર્યકાળ દરમિયાન કોઈને ટીકીટ મળી કે કોઈને ન મળી તો હું માફી માગું છું. મારો કાર્યકાળ પૂરો થઈ ગયો છે. મેં હાઇકમાંડને પણ કહ્યું છે કે મને આ પદ પરથી મુક્તિ આપો.મોટી બાબતએ હતી કે સી.આર.પાટીલે બનાસકાંઠાની હાર પર નિવેદન આપ્યુંને કહ્યું આપણે બનાસકાંઠાની સીટ બહુ જ શરમજનક રીતે 30 હજાર મતોથી હાર્યા. હું આ હારની જવાબદારી સ્વીકારૂ છું અને બધાની માફી માગું છું કે હું બનાસકાંઠા ન જીતાવી શકયો. ત્યારે સી.આર.પાટીલની આ વાત પર તમે શું કહેશો તે અમને કમેન્ટમાં જણાવજો..  




ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."