BJPની કારોબારી બેઠકમાં C.R.Patilએ ક્ષત્રિય સમાજને કર્યો યાદ, માન્યો આભાર, કહ્યું કે...


  • Published By :
  • Published Date : 2024-07-06 15:55:40

ભાજપની કારોબારી બેઠક પૂર્ણ થઈ ગઈ છે જે બાદ જલ્દી જ પ્રદેશ અધ્યક્ષની જાહેરાત થશે તેવી સંભાવના છે. ગઈકાલે કારોબારી બેઠક દરમિયાન સી.આર.પાટિલે પોતાના ભાષણમાં ઘણા એવા મુદ્દા પર વાત કરી જે ચર્ચાનો વિષય બની છે. ચૂંટણી બાદ ફરી એક વાર સી.આર.પાટિલે ક્ષત્રિય સમાજને યાદ કર્યો છે. 



ગુજરાતમાં રૂપાલાના નિવેદનની અસર ના થઈ પરંતુ..

લોકસભા ચૂંટણી દરમિયાન સૌથી મહત્વનો મુદ્દો રહ્યો હોય તો તે મુદ્દો હતો ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવેલો વિરોધ.. પરષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજને લઈ આપવામાં આવેલા નિવેદન બાદ ગુજરાતમાં ઠેર ઠેર ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. ગુજરાતમાં તો આ આંદોલનની પરિણામ પર વધારે અસર ના થઈ પરંતુ બાકીના રાજ્યોમાં ભાજપને નુકસાન થયું છે.. ભારતીય જનતા પાર્ટી પોતાની વાત પર મક્કમ રહી અને તેમણે ઉમેદવાર ના બદલ્યા.. ત્યારે ચૂંટણી પૂર્ણ થયા બાદ સી.આર.પાટીલે ભારતીય જનતા પાર્ટીના કાર્યકારી બેઠકમાં ક્ષત્રિય સમાજને યાદ કર્યો હતો. 


સાળંગપુર ખાતે મળી હતી ભાજપની કારોબારી બેઠક

બેઠકમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ અને કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ હાજર રહ્યા હતા લોકસભા ચૂંટણીના પરિણામોનું મનોમંથન પ્રદેશ કારોબારીમાં થયું અને સાથે જ આગામી ચૂંટણીનો પ્લાન ધડાયો હોવાનું અનુમાન છે.. સંબોધનમાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે કહ્યું કે આપણે લોકસભા ચૂંટણીમાં જે બુથ માઈનસમાં ગયા ત્યાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં કસર પુરી કરવાની છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આપણે સારું પરિણામ લાવવાનું છે. 


ક્ષત્રિય સમાજ માટે પાટીલે કહી આ વાત

રણનીતિને લઈ તો વાત કરી પરંતુ સાથે જ સી.આર.પાટીલે ક્ષત્રિય સમાજનો આભાર માન્યો છે. આભાર માનતા સી.આર.પાટીલે કહ્યું કે ક્ષત્રિય સમાજના ટેકાને કારણે જીત મળી છે. લોકસભાની ચુંટણીમાં ક્ષત્રિયો ભાજપ સાથે હતા અને ક્ષત્રિયો હમેશા ભાજપ સાથે જ રહ્યા છે અને ફરી એક વાર પીએમ પર ભરોસો મૂક્યો છે! 


સી.આર.પાટીલે માફી માગતા કહ્યું કે... 

સંબોધનમાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે એવું પણ કહ્યું  મારા કાર્યકાળ દરમિયાન કોઈને ખોટું લાગ્યું હોય તો માફ કરશો. મારા કાર્યકાળ દરમિયાન કોઈને ટીકીટ મળી કે કોઈને ન મળી તો હું માફી માગું છું. મારો કાર્યકાળ પૂરો થઈ ગયો છે. મેં હાઇકમાંડને પણ કહ્યું છે કે મને આ પદ પરથી મુક્તિ આપો.મોટી બાબતએ હતી કે સી.આર.પાટીલે બનાસકાંઠાની હાર પર નિવેદન આપ્યુંને કહ્યું આપણે બનાસકાંઠાની સીટ બહુ જ શરમજનક રીતે 30 હજાર મતોથી હાર્યા. હું આ હારની જવાબદારી સ્વીકારૂ છું અને બધાની માફી માગું છું કે હું બનાસકાંઠા ન જીતાવી શકયો. ત્યારે સી.આર.પાટીલની આ વાત પર તમે શું કહેશો તે અમને કમેન્ટમાં જણાવજો..  




અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.