BJPની કારોબારી બેઠકમાં C.R.Patilએ ક્ષત્રિય સમાજને કર્યો યાદ, માન્યો આભાર, કહ્યું કે...


  • Published By :
  • Published Date : 2024-07-06 15:55:40

ભાજપની કારોબારી બેઠક પૂર્ણ થઈ ગઈ છે જે બાદ જલ્દી જ પ્રદેશ અધ્યક્ષની જાહેરાત થશે તેવી સંભાવના છે. ગઈકાલે કારોબારી બેઠક દરમિયાન સી.આર.પાટિલે પોતાના ભાષણમાં ઘણા એવા મુદ્દા પર વાત કરી જે ચર્ચાનો વિષય બની છે. ચૂંટણી બાદ ફરી એક વાર સી.આર.પાટિલે ક્ષત્રિય સમાજને યાદ કર્યો છે. 



ગુજરાતમાં રૂપાલાના નિવેદનની અસર ના થઈ પરંતુ..

લોકસભા ચૂંટણી દરમિયાન સૌથી મહત્વનો મુદ્દો રહ્યો હોય તો તે મુદ્દો હતો ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવેલો વિરોધ.. પરષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજને લઈ આપવામાં આવેલા નિવેદન બાદ ગુજરાતમાં ઠેર ઠેર ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. ગુજરાતમાં તો આ આંદોલનની પરિણામ પર વધારે અસર ના થઈ પરંતુ બાકીના રાજ્યોમાં ભાજપને નુકસાન થયું છે.. ભારતીય જનતા પાર્ટી પોતાની વાત પર મક્કમ રહી અને તેમણે ઉમેદવાર ના બદલ્યા.. ત્યારે ચૂંટણી પૂર્ણ થયા બાદ સી.આર.પાટીલે ભારતીય જનતા પાર્ટીના કાર્યકારી બેઠકમાં ક્ષત્રિય સમાજને યાદ કર્યો હતો. 


સાળંગપુર ખાતે મળી હતી ભાજપની કારોબારી બેઠક

બેઠકમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ અને કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ હાજર રહ્યા હતા લોકસભા ચૂંટણીના પરિણામોનું મનોમંથન પ્રદેશ કારોબારીમાં થયું અને સાથે જ આગામી ચૂંટણીનો પ્લાન ધડાયો હોવાનું અનુમાન છે.. સંબોધનમાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે કહ્યું કે આપણે લોકસભા ચૂંટણીમાં જે બુથ માઈનસમાં ગયા ત્યાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં કસર પુરી કરવાની છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આપણે સારું પરિણામ લાવવાનું છે. 


ક્ષત્રિય સમાજ માટે પાટીલે કહી આ વાત

રણનીતિને લઈ તો વાત કરી પરંતુ સાથે જ સી.આર.પાટીલે ક્ષત્રિય સમાજનો આભાર માન્યો છે. આભાર માનતા સી.આર.પાટીલે કહ્યું કે ક્ષત્રિય સમાજના ટેકાને કારણે જીત મળી છે. લોકસભાની ચુંટણીમાં ક્ષત્રિયો ભાજપ સાથે હતા અને ક્ષત્રિયો હમેશા ભાજપ સાથે જ રહ્યા છે અને ફરી એક વાર પીએમ પર ભરોસો મૂક્યો છે! 


સી.આર.પાટીલે માફી માગતા કહ્યું કે... 

સંબોધનમાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે એવું પણ કહ્યું  મારા કાર્યકાળ દરમિયાન કોઈને ખોટું લાગ્યું હોય તો માફ કરશો. મારા કાર્યકાળ દરમિયાન કોઈને ટીકીટ મળી કે કોઈને ન મળી તો હું માફી માગું છું. મારો કાર્યકાળ પૂરો થઈ ગયો છે. મેં હાઇકમાંડને પણ કહ્યું છે કે મને આ પદ પરથી મુક્તિ આપો.મોટી બાબતએ હતી કે સી.આર.પાટીલે બનાસકાંઠાની હાર પર નિવેદન આપ્યુંને કહ્યું આપણે બનાસકાંઠાની સીટ બહુ જ શરમજનક રીતે 30 હજાર મતોથી હાર્યા. હું આ હારની જવાબદારી સ્વીકારૂ છું અને બધાની માફી માગું છું કે હું બનાસકાંઠા ન જીતાવી શકયો. ત્યારે સી.આર.પાટીલની આ વાત પર તમે શું કહેશો તે અમને કમેન્ટમાં જણાવજો..  




ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .