Gujarat વિધાનસભામાં સરકારે જણાવ્યું કે કેટલી પ્રાથમિક શાળાઓ માત્ર એક જ શિક્ષકના સહારે ચાલે છે.. આંકડો જાણી ચોંકી જશો!


  • Published By :
  • Published Date : 2023-09-15 17:11:00

ગુજરાતમાં એક તરફ ઉમેદવારો શિક્ષકોની કાયમી ભરતી માટેની માગ કરી રહ્યા છે તો બીજી તરફ રાજ્યમાં અનેક શાળાઓ એવી છે જે માત્ર એક જ શિક્ષકના આધારે ચાલે છે. ગુજરાતમાં હાલ વિધાનસભા સત્ર ચાલી રહ્યું છે. વિધાનસભામાં પ્રશ્નોત્તરી કાળ દરમિયાન આ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો જેના જવાબમાં સરકારે આંકડો જાહેર કર્યો છે. રાજ્યમાં 900થી વધુ સરકારી પ્રાથમિક શાળાઓ એવી છે જે માત્ર એક જ શિક્ષકના સહારે ચાલે છે. રાજ્યમાં લાંબા સમયથી સરકારી પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ઘટ જોવી મળી રહી છે. રાજ્ય સરકારે વિધાનસભામાં સ્વીકાર્યું છે કે રાજ્યની અનેક શાળાઓ એવી છે જે એક જ શિક્ષકના સહારે ચાલે છે. આ એ આંકડા છે જે સરકારે વિધાનસભામાં રજૂ કર્યો છે. (નીચે જે આંકડા આપેલા છે તે સરકારી પ્રાથમિક શાળાના આંકડા છે.)   


ગુજરાતની 926 શાળાઓમાં માત્ર એક જ શિક્ષક!

ગુજરાતમાં શિક્ષણનું સ્તર પ્રતિદિન ઘટી રહ્યું છે. શિક્ષણની કથળી રહેલી પરિસ્થિતિને કારણે અનેક બાળકોના શિક્ષણ પર ગંભીર અસર પડી રહી છે. અનેક શાળાઓ એવી છે જે માત્ર એક જ શિક્ષકના આધારે ચાલી રહી છે. ગુજરાતના 926 સ્કૂલ એવી છે જ્યાં માત્ર એક જ શિક્ષક ફરજ બજાવે છે. જિલ્લા પ્રમાણે વાત કરીએ તો એક જ શિક્ષકના આધારે ચાલતી શાળાઓ મહિસાગર જિલ્લામાં તેમજ કચ્છ જિલ્લામાં છે. મહિસાગરમાં 106 શાળાઓ એવી છે જ્યાં એક જ શિક્ષક ફરજ બજાવે છે, તો કચ્છ જિલ્લામાં 105 શાળાઓ એવી છે જે માત્ર શિક્ષકના સહારે ચાલે છે. વિધાનસભામાં સરકારે જાહેર કરેલા આંકડા છે જે ચોંકાવનારા છે. 


શિક્ષણ મંત્રી જે વિસ્તારમાંથી આવે ત્યાંની પણ આ જ પરિસ્થિતિ! 

મહિસાગર જિલ્લો એ જિલ્લો છે જ્યાંથી ગુજરાતના શિક્ષણ મંત્રી આવે છે. તે ઉપરાંત તાપી, નર્મદા, બનાસકાંઠા સહિતના અનેક જિલ્લાઓ છે જ્યાં એક જ શિક્ષક ધરાવતી શાળાઓ 50 ટકા જેટલી છે. તાપી જિલ્લામાં 84 સ્કૂલો, ખેડા જિલ્લામાં 39 શાળા, નર્મદા જિલ્લાની 45 શાળાઓ એવી છે જે માત્ર એક જ શિક્ષકના આધારે ચાલી રહી છે. સુરતમાં શિક્ષણની પરિસ્થિતિની વાત કરીએ તો 39 શાળાઓ, વડોદરાની 30 શાળાઓ એવી છે જે માત્ર એક જ શિક્ષકોના સહારે ચાલે છે. 


જર્જરિત વર્ગખંડોમાં ભણવા વિદ્યાર્થીઓ મજબૂર!

ગુજરાતની અનેક શાળાઓ એવી છે જેના વર્ગખંડ જર્જરિત હાલતમાં છે. વિવિધ જિલ્લાઓમાં 7900 વર્ગખંડો એવા જે જર્જરિત હાલતમાં જોવા મળે છે. એક તરફ વિદ્યાર્થીઓ ભણવા માટે પ્રોત્સાહિત થાય તે માટે અનેક યોજનાઓ ચલાવવામાં આવે છે તો બીજી તરફ જો વિદ્યાર્થીઓ શાળામાં ભણવા આવે છે તો તેમને ભણાવવા શિક્ષકો જ નથી. અનેક શાળાઓ એવી છે જ્યાં જરૂર કરતા ઓછા શિક્ષકો છે. શાળામાં શિક્ષકો ન હોવાને કારણે વિદ્યાર્થીઓના શિક્ષણ પર ગંભીર અસર પડે છે. વિદ્યાર્થીઓનું શિક્ષણ શિક્ષકોના અભાવને કારણે બગડી રહ્યું છે.      



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી