Gujarat વિધાનસભામાં સરકારે જણાવ્યું કે કેટલી પ્રાથમિક શાળાઓ માત્ર એક જ શિક્ષકના સહારે ચાલે છે.. આંકડો જાણી ચોંકી જશો!


  • Published By :
  • Published Date : 2023-09-15 17:11:00

ગુજરાતમાં એક તરફ ઉમેદવારો શિક્ષકોની કાયમી ભરતી માટેની માગ કરી રહ્યા છે તો બીજી તરફ રાજ્યમાં અનેક શાળાઓ એવી છે જે માત્ર એક જ શિક્ષકના આધારે ચાલે છે. ગુજરાતમાં હાલ વિધાનસભા સત્ર ચાલી રહ્યું છે. વિધાનસભામાં પ્રશ્નોત્તરી કાળ દરમિયાન આ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો જેના જવાબમાં સરકારે આંકડો જાહેર કર્યો છે. રાજ્યમાં 900થી વધુ સરકારી પ્રાથમિક શાળાઓ એવી છે જે માત્ર એક જ શિક્ષકના સહારે ચાલે છે. રાજ્યમાં લાંબા સમયથી સરકારી પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ઘટ જોવી મળી રહી છે. રાજ્ય સરકારે વિધાનસભામાં સ્વીકાર્યું છે કે રાજ્યની અનેક શાળાઓ એવી છે જે એક જ શિક્ષકના સહારે ચાલે છે. આ એ આંકડા છે જે સરકારે વિધાનસભામાં રજૂ કર્યો છે. (નીચે જે આંકડા આપેલા છે તે સરકારી પ્રાથમિક શાળાના આંકડા છે.)   


ગુજરાતની 926 શાળાઓમાં માત્ર એક જ શિક્ષક!

ગુજરાતમાં શિક્ષણનું સ્તર પ્રતિદિન ઘટી રહ્યું છે. શિક્ષણની કથળી રહેલી પરિસ્થિતિને કારણે અનેક બાળકોના શિક્ષણ પર ગંભીર અસર પડી રહી છે. અનેક શાળાઓ એવી છે જે માત્ર એક જ શિક્ષકના આધારે ચાલી રહી છે. ગુજરાતના 926 સ્કૂલ એવી છે જ્યાં માત્ર એક જ શિક્ષક ફરજ બજાવે છે. જિલ્લા પ્રમાણે વાત કરીએ તો એક જ શિક્ષકના આધારે ચાલતી શાળાઓ મહિસાગર જિલ્લામાં તેમજ કચ્છ જિલ્લામાં છે. મહિસાગરમાં 106 શાળાઓ એવી છે જ્યાં એક જ શિક્ષક ફરજ બજાવે છે, તો કચ્છ જિલ્લામાં 105 શાળાઓ એવી છે જે માત્ર શિક્ષકના સહારે ચાલે છે. વિધાનસભામાં સરકારે જાહેર કરેલા આંકડા છે જે ચોંકાવનારા છે. 


શિક્ષણ મંત્રી જે વિસ્તારમાંથી આવે ત્યાંની પણ આ જ પરિસ્થિતિ! 

મહિસાગર જિલ્લો એ જિલ્લો છે જ્યાંથી ગુજરાતના શિક્ષણ મંત્રી આવે છે. તે ઉપરાંત તાપી, નર્મદા, બનાસકાંઠા સહિતના અનેક જિલ્લાઓ છે જ્યાં એક જ શિક્ષક ધરાવતી શાળાઓ 50 ટકા જેટલી છે. તાપી જિલ્લામાં 84 સ્કૂલો, ખેડા જિલ્લામાં 39 શાળા, નર્મદા જિલ્લાની 45 શાળાઓ એવી છે જે માત્ર એક જ શિક્ષકના આધારે ચાલી રહી છે. સુરતમાં શિક્ષણની પરિસ્થિતિની વાત કરીએ તો 39 શાળાઓ, વડોદરાની 30 શાળાઓ એવી છે જે માત્ર એક જ શિક્ષકોના સહારે ચાલે છે. 


જર્જરિત વર્ગખંડોમાં ભણવા વિદ્યાર્થીઓ મજબૂર!

ગુજરાતની અનેક શાળાઓ એવી છે જેના વર્ગખંડ જર્જરિત હાલતમાં છે. વિવિધ જિલ્લાઓમાં 7900 વર્ગખંડો એવા જે જર્જરિત હાલતમાં જોવા મળે છે. એક તરફ વિદ્યાર્થીઓ ભણવા માટે પ્રોત્સાહિત થાય તે માટે અનેક યોજનાઓ ચલાવવામાં આવે છે તો બીજી તરફ જો વિદ્યાર્થીઓ શાળામાં ભણવા આવે છે તો તેમને ભણાવવા શિક્ષકો જ નથી. અનેક શાળાઓ એવી છે જ્યાં જરૂર કરતા ઓછા શિક્ષકો છે. શાળામાં શિક્ષકો ન હોવાને કારણે વિદ્યાર્થીઓના શિક્ષણ પર ગંભીર અસર પડે છે. વિદ્યાર્થીઓનું શિક્ષણ શિક્ષકોના અભાવને કારણે બગડી રહ્યું છે.      



IMF એટલેકે ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ કે જેણે પાકિસ્તાનને $ 1 બિલિયન ડોલરની સહાયની જાહેરાત કરી છે. આ માટે થોડાક સમય અગાઉ IMFની બોર્ડની મિટિંગ મળી હતી . ભારતે IMFની બોર્ડ મિટિંગમાં આ સહાયની સામે ખુબ મજબૂત રીતે વિરોધ નોંધાવ્યો છે સાથે જ નિર્ણયની સામે મજબૂત રીતે ડિસેન્ટ એટલેકે , અસંતોષ નોંધાવ્યો છે. આ ઉપરાંત આપણે જાણીશું કે , દુનિયાના આતંકવાદ તેમાં પણ ખાસ કરીને પશ્ચિમી દેશો એટલે કે યુરોપ અને અમેરિકાના શું ડબલ સ્ટાન્ડર્ડ્સ છે?

થોડાક સમય પેહલા પાકિસ્તાને ભારતના ઘણાબધા શહેરો પર ડ્રોન અને મિસાઈલથી હુમલો કર્યો હતો . જોકે ભારતે પણ તેનો જવાબ ખુબ મજબૂતાઈથી આપ્યો છે. તો આ બાજુ નવી દિલ્હીમાં કેન્દ્ર સરકારમાં બેઠકોનો ધમધમાટ ચાલુ છે. કેન્દ્ર સરકાર સતત સેનાની તૈયારીઓ પર નજર રાખી રહી છે. તો આવો જાણીએ ક્યા મંત્રીઓએ બેઠક યોજી છે?

સમાચાર સામે આવી રહ્યા છે કે , પાકિસ્તાને ઓપરેશન સિંદૂર પછી ભારતના ૧૫ શહેરો પર હુમલાનો પ્રયાસ કર્યો છે . આ હુમલો ગયી કાલે મોડી રાત્રે ભારતના ૧૫ શહેરો પર ડ્રોન અને મિસાઈલ દ્વારા કરવામાં આવ્યો હતો . પાકિસ્તાનના આ નાપાક હુમલાને આપણી એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ દ્વારા નાકામ કરી નાખવામાં આવ્યો છે. તો આવો જાણીએ એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ શું છે જેને સુદર્શન ચક્ર પણ કહેવામાં આવે છે.

ભારતે ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાનમાં ૯ આતંકી ઠેકાણાઓ પર હુમલો કરીને સમગ્ર વિશ્વને એક સંદેશ ખુબ સ્પષ્ટ રીતે આપી દીધો છે કે , આતંકવાદ માટે ઝીરો ટોલરન્સ . આતંકવાદની વિચારધારા સાથે કોઈ જ સમાધાન નઈ થાય. ભારતના ઓપરેશન સિંદૂર પર વૈશ્વિક નેતાઓની પણ પ્રતિક્રિયા આવી ગઈ છે. તો આપણે જાણીશું કે વિશ્વના નેતાઓએ શું પ્રતિક્રિયા આપી છે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો યુરોપ પ્રવાસ કેન્સલ થયો છે .