છેલ્લા ચાર મહિનામાં AMTS-BRTS આટલા લોકો માટે બની યમદૂત !અકસ્માતના આંકડા જાણી તમે ચોંકી જશો, જાણો વિપક્ષના નેતાએ શું કર્યા આક્ષેપ?


  • Published By :
  • Published Date : 2023-09-05 14:15:12

રાજ્યમાં અકસ્માતોની સંખ્યામાં સતત વઘારો થઈ રહ્યો છે. અનેક લોકોના મોત અકસ્માતને કારણે થયા છે. અનેક વખત વાહન ચાલકોની બેદરકારી, ઓવરસ્પીડિંગને કારણે અકસ્માત સર્જાતા હોય અને કોઈ બીજાના ભૂલની સજા કોઈ બીજાને ભોગવવાનો વારો આવતો હોય છે. ત્યારે અમદાવાદમાં ચાલતી એએમટીએસ અને બીઆરટીએસ બસ અનેક લોકો માટે યમદૂત સાબિત થઈ છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર છેલ્લા ચાર મહિનામાં AMTS અને BRTS બસ દ્વારા કુલ 259 જેટલા અકસ્માત સર્જાયા છે અને આ અકસ્માતોને કારણે 13 જેટલા લોકોના મોત થયા છે. દર મહિને આ અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.  



થોડા સમય પહેલા પોલીસે કરી હતી મેગાડ્રાઈવ 

અનેક એવા કિસ્સાઓ સામે આવતા હોય છે જેમાં ઝડપથી આવતા વાહનોને કારણે અકસ્માત સર્જાય છે અને લોકોના જીવન જોખમમાં મૂકાય છે. થોડા સમય પહેલા અમદાવાદના ઈસ્કોન બ્રિજ પાસે અકસ્માત સર્જાયો હતો જેમાં 10 જેટલા નિર્દોષ લોકોના મોત થયા હતા. તે બાદ પોલીસ દ્વારા મેગા ડ્રાઈવ કરવામાં આવી અને કાયદાનો ભંગ કરનાર લોકો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી, લાખોનો દંડ ઉઘરાવવામાં આવ્યો. ત્યારે એક મીડિયા રિપોર્ટ અનુસાર છેલ્લા ચાર મહિનામાં બીઆરટીએસ અને એએમટીએસ બસે 259 જેટલા અકસ્માત સર્જ્યા છે. 


ચાર મહિનામાં AMTS-BRTS બસે સર્જ્યા 259 જેટલા અકસ્માત!  

આ મુદ્દે વિપક્ષના નેતા શહેઝાદાન પઠાણે જણાવ્યું કે, ઈસ્કોન બ્રિજ અકસ્માત બાદ શહેરમાં નાગરિકો પાસેથી શહેરની ટ્રાફિક પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. પરંતુ ખુદ કોર્પોરેશનના ખાનગી કોન્ટ્રાક્ટરોની બસોના ડ્રાઈવરો દ્વારા અકસ્માત સર્જવામાં આવી રહ્યા છે. ચાર મહિનામાં એપ્રિલ 2023થી ઓગસ્ટ મહિના સુધીમાં AMTS દ્વારા 102 જેટલા અકસ્માત કરવામાં આવ્યા છે. જેમાં 9 લોકોનાં મૃત્યુ થયાં છે. જ્યારે BRTS દ્વારા 157 જેટલા અકસ્માત થયા છે, જેમાં 4 લોકોનાં મૃત્યુ થયાં છે. આમ માત્ર ચાર મહિનામાં જ કુલ 13 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. એવું પણ સામે આવ્યું છે કે ડ્રાઈવરો વિરૂદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.    


          

નાની ઉંમરે બાળકો ચલાવે છે વાહન 

મહત્વનું છે કે અકસ્માતોને કારણે અનેક પરિવારો વિખેરાયા છે. કોઈ બાળકોએ પોતાના માતા પિતાને ગુમાવ્યા હશે તો કોઈ માતા પિતાઓએ પોતાના સંતાનને ગુમાવ્યા હશે. એવા પણ અનેક કિસ્સાઓ આપણી સામે છે જેમાં નાની ઉંમરે બાળકોને વાલીઓ વાહન ચલાવવા આપી દેતા હોય છે. ચાવી આપતા પહેલા એવું નથી સમજાવતા કે રસ્તા પર બીજા પણ અનેક લોકો ચાલતા હોય છે. આપણી મજા કોઈ બીજા માટે સજા ન બને તેનું ધ્યાન રાખવું પડશે.  



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.