છેલ્લા ચાર મહિનામાં AMTS-BRTS આટલા લોકો માટે બની યમદૂત !અકસ્માતના આંકડા જાણી તમે ચોંકી જશો, જાણો વિપક્ષના નેતાએ શું કર્યા આક્ષેપ?


  • Published By :
  • Published Date : 2023-09-05 14:15:12

રાજ્યમાં અકસ્માતોની સંખ્યામાં સતત વઘારો થઈ રહ્યો છે. અનેક લોકોના મોત અકસ્માતને કારણે થયા છે. અનેક વખત વાહન ચાલકોની બેદરકારી, ઓવરસ્પીડિંગને કારણે અકસ્માત સર્જાતા હોય અને કોઈ બીજાના ભૂલની સજા કોઈ બીજાને ભોગવવાનો વારો આવતો હોય છે. ત્યારે અમદાવાદમાં ચાલતી એએમટીએસ અને બીઆરટીએસ બસ અનેક લોકો માટે યમદૂત સાબિત થઈ છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર છેલ્લા ચાર મહિનામાં AMTS અને BRTS બસ દ્વારા કુલ 259 જેટલા અકસ્માત સર્જાયા છે અને આ અકસ્માતોને કારણે 13 જેટલા લોકોના મોત થયા છે. દર મહિને આ અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.  



થોડા સમય પહેલા પોલીસે કરી હતી મેગાડ્રાઈવ 

અનેક એવા કિસ્સાઓ સામે આવતા હોય છે જેમાં ઝડપથી આવતા વાહનોને કારણે અકસ્માત સર્જાય છે અને લોકોના જીવન જોખમમાં મૂકાય છે. થોડા સમય પહેલા અમદાવાદના ઈસ્કોન બ્રિજ પાસે અકસ્માત સર્જાયો હતો જેમાં 10 જેટલા નિર્દોષ લોકોના મોત થયા હતા. તે બાદ પોલીસ દ્વારા મેગા ડ્રાઈવ કરવામાં આવી અને કાયદાનો ભંગ કરનાર લોકો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી, લાખોનો દંડ ઉઘરાવવામાં આવ્યો. ત્યારે એક મીડિયા રિપોર્ટ અનુસાર છેલ્લા ચાર મહિનામાં બીઆરટીએસ અને એએમટીએસ બસે 259 જેટલા અકસ્માત સર્જ્યા છે. 


ચાર મહિનામાં AMTS-BRTS બસે સર્જ્યા 259 જેટલા અકસ્માત!  

આ મુદ્દે વિપક્ષના નેતા શહેઝાદાન પઠાણે જણાવ્યું કે, ઈસ્કોન બ્રિજ અકસ્માત બાદ શહેરમાં નાગરિકો પાસેથી શહેરની ટ્રાફિક પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. પરંતુ ખુદ કોર્પોરેશનના ખાનગી કોન્ટ્રાક્ટરોની બસોના ડ્રાઈવરો દ્વારા અકસ્માત સર્જવામાં આવી રહ્યા છે. ચાર મહિનામાં એપ્રિલ 2023થી ઓગસ્ટ મહિના સુધીમાં AMTS દ્વારા 102 જેટલા અકસ્માત કરવામાં આવ્યા છે. જેમાં 9 લોકોનાં મૃત્યુ થયાં છે. જ્યારે BRTS દ્વારા 157 જેટલા અકસ્માત થયા છે, જેમાં 4 લોકોનાં મૃત્યુ થયાં છે. આમ માત્ર ચાર મહિનામાં જ કુલ 13 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. એવું પણ સામે આવ્યું છે કે ડ્રાઈવરો વિરૂદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.    


          

નાની ઉંમરે બાળકો ચલાવે છે વાહન 

મહત્વનું છે કે અકસ્માતોને કારણે અનેક પરિવારો વિખેરાયા છે. કોઈ બાળકોએ પોતાના માતા પિતાને ગુમાવ્યા હશે તો કોઈ માતા પિતાઓએ પોતાના સંતાનને ગુમાવ્યા હશે. એવા પણ અનેક કિસ્સાઓ આપણી સામે છે જેમાં નાની ઉંમરે બાળકોને વાલીઓ વાહન ચલાવવા આપી દેતા હોય છે. ચાવી આપતા પહેલા એવું નથી સમજાવતા કે રસ્તા પર બીજા પણ અનેક લોકો ચાલતા હોય છે. આપણી મજા કોઈ બીજા માટે સજા ન બને તેનું ધ્યાન રાખવું પડશે.  



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.