Loksabhaમાં શિક્ષણ મંત્રી Dharmendra Pradhan આવ્યા પેપરલીક મામલે બેકફૂટ પર! Rahul Gandhi અને Akhilesh Yadav બન્યા આક્રામક


  • Published By :
  • Published Date : 2024-07-22 16:56:38

લોકસભામાં બજેટ સત્રનો આજથી આરંભ થઈ ચુક્યો છે . ત્યારે આ બજેટ સત્રના પહેલા  દિવસની શરૂઆત  ખુબ આક્રમકતા સાથે થઇ છે. આ વખતનું સત્ર ખૂબ હંગામેદાર રહેશે તેના એંધાણ દેખાઈ રહ્યા હતા. અનેક એવા મુદ્દાઓ હતા જેને લઈ વિપક્ષ સરકારને ઘેરવાનો પ્રયાસ કરશે તેવી ચર્ચાઓ ચાલી રહી હતી. તેમાનો એક મુદ્દો હતો NEETનો. આ મુદ્દે સંસદમાં ભારે હોબાળો થયો, સરકાર પર પ્રહાર કરવામાં આવ્યા.. 

રાહુલ ગાંધી અને અખિલેશ યાદવે કર્યા સરકારને આ સવાલ

સૌ પ્રથમ સમાજવાદી પાર્ટીના સુપ્રીમો અખિલેશ યાદવે સરકાર પર આરોપ લગાવતા કહ્યું કે , સરકાર પેપર લીકનો રેકોર્ડ જરૂરથી બનાવશે. આ બાદ શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર યાદવ ઉભા થયા જવાબ આપવા, તેમણે સદનને માહિતગાર કર્યા કે આ કેસમાં સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર તપાસ ચાલી રહી  છે. તે બાદ આ મુદ્દાને લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ ઉઠાવ્યો હતો. આ મામલે આગળ શું કાર્યવાહી કરવામાં આવી તેના વિશે તેમણે સવાલ પૂછ્યો હતો.


રાહુલ ગાંધીના સવાલ પર શિક્ષણ મંત્રીએ કહ્યું કે.. 

રાહુલ ગાંધી આ પછી પ્રશ્ન પૂછવા ઉભા થયા અને તેમણે કહ્યું કે શિક્ષણ મંત્રી બધાને દોષિત માને છે , ખાલી પોતાના સિવાય. તેમને સદનમાં શું ચાલી રહ્યું છે તે વિશેખબર જ નથી. જોકે આ પછી ફરીએક વાર શિક્ષણ મંત્રી ધર્મેદ્ર પ્રધાન ઉભા થયા અને કહ્યું કે મારા બૌદ્ધિક અને સંસ્કારનું સર્ટિફિકેટ કોઈની જોડેથી મારે નથી જોઈતું .


ક્યારે પૂછવામાં આવે છે પ્રશ્ન?

મહત્વનું છે કે લોકસભાનું શરૂઆતનું સેશન એ question અવરનું હોય છે . આ કલાક દરમ્યાન , સાંસદ એ કોઈ પણ ખાતાના મંત્રીને તેના મંત્રાલયની કામગીરીને લઇને સવાલ પૂછે છે . આ સવાલો પ્રાઇવેટ સદસ્યને પણ પુછાઈ શકે છે કે જે મંત્રી ના હોય. સંસદના બંને ગૃહોમાં સત્રના બધા જ દિવસોની શરૂઆત એ question અવરથી થાય છે. માત્ર બે જ દિવસ એવા હોય જ્યારે આ question અવર નથી યોજાતો જયારે રાષ્ટ્રપતિનું અભિભાષણ હોય અને એક બીજું જ્યારે નાણામંત્રી બજેટ રજૂ કરે છે ત્યારે. 



હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.