Loksabhaમાં શિક્ષણ મંત્રી Dharmendra Pradhan આવ્યા પેપરલીક મામલે બેકફૂટ પર! Rahul Gandhi અને Akhilesh Yadav બન્યા આક્રામક


  • Published By :
  • Published Date : 2024-07-22 16:56:38

લોકસભામાં બજેટ સત્રનો આજથી આરંભ થઈ ચુક્યો છે . ત્યારે આ બજેટ સત્રના પહેલા  દિવસની શરૂઆત  ખુબ આક્રમકતા સાથે થઇ છે. આ વખતનું સત્ર ખૂબ હંગામેદાર રહેશે તેના એંધાણ દેખાઈ રહ્યા હતા. અનેક એવા મુદ્દાઓ હતા જેને લઈ વિપક્ષ સરકારને ઘેરવાનો પ્રયાસ કરશે તેવી ચર્ચાઓ ચાલી રહી હતી. તેમાનો એક મુદ્દો હતો NEETનો. આ મુદ્દે સંસદમાં ભારે હોબાળો થયો, સરકાર પર પ્રહાર કરવામાં આવ્યા.. 

રાહુલ ગાંધી અને અખિલેશ યાદવે કર્યા સરકારને આ સવાલ

સૌ પ્રથમ સમાજવાદી પાર્ટીના સુપ્રીમો અખિલેશ યાદવે સરકાર પર આરોપ લગાવતા કહ્યું કે , સરકાર પેપર લીકનો રેકોર્ડ જરૂરથી બનાવશે. આ બાદ શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર યાદવ ઉભા થયા જવાબ આપવા, તેમણે સદનને માહિતગાર કર્યા કે આ કેસમાં સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર તપાસ ચાલી રહી  છે. તે બાદ આ મુદ્દાને લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ ઉઠાવ્યો હતો. આ મામલે આગળ શું કાર્યવાહી કરવામાં આવી તેના વિશે તેમણે સવાલ પૂછ્યો હતો.


રાહુલ ગાંધીના સવાલ પર શિક્ષણ મંત્રીએ કહ્યું કે.. 

રાહુલ ગાંધી આ પછી પ્રશ્ન પૂછવા ઉભા થયા અને તેમણે કહ્યું કે શિક્ષણ મંત્રી બધાને દોષિત માને છે , ખાલી પોતાના સિવાય. તેમને સદનમાં શું ચાલી રહ્યું છે તે વિશેખબર જ નથી. જોકે આ પછી ફરીએક વાર શિક્ષણ મંત્રી ધર્મેદ્ર પ્રધાન ઉભા થયા અને કહ્યું કે મારા બૌદ્ધિક અને સંસ્કારનું સર્ટિફિકેટ કોઈની જોડેથી મારે નથી જોઈતું .


ક્યારે પૂછવામાં આવે છે પ્રશ્ન?

મહત્વનું છે કે લોકસભાનું શરૂઆતનું સેશન એ question અવરનું હોય છે . આ કલાક દરમ્યાન , સાંસદ એ કોઈ પણ ખાતાના મંત્રીને તેના મંત્રાલયની કામગીરીને લઇને સવાલ પૂછે છે . આ સવાલો પ્રાઇવેટ સદસ્યને પણ પુછાઈ શકે છે કે જે મંત્રી ના હોય. સંસદના બંને ગૃહોમાં સત્રના બધા જ દિવસોની શરૂઆત એ question અવરથી થાય છે. માત્ર બે જ દિવસ એવા હોય જ્યારે આ question અવર નથી યોજાતો જયારે રાષ્ટ્રપતિનું અભિભાષણ હોય અને એક બીજું જ્યારે નાણામંત્રી બજેટ રજૂ કરે છે ત્યારે. 



પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.

રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.