Rajkot TRP ગેમઝોન મામલે કોંગ્રેસ લડી લેવાના મૂડમાં, Rajkot બંધના એલાન બાદ Congress કરશે ગાંધીનગર કૂચ, જાણો વિગતવાર


  • Published By :
  • Published Date : 2024-06-27 18:44:09

રાજકોટના ટીઆરપી ગેમઝોનમાં 28 લોકોના મૃત્યુ થયા જે હજુય ન્યાય માટે વલખે છે.. પરિવારને ન્યાય મળે તે માટે વિપક્ષ સરકાર સામે મેદાને છે..  25 જૂને મંગળવારે રાજકોટ ટીઆરપી ગેમઝોનમાં અગ્નિકાંડ મુદ્દે વિપક્ષે આપેલા બંધ એલાન બાદ પણ સરકાર તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી આવી.. જેના કારણે હવે જાહેરાત એવી કરાય છે કે, ગાંધીનગર કૂચ યોજવાની જાહેરાત કરવામાં આવી છે.... 



25 જૂને કોંગ્રેસે આપ્યું હતું રાજકોટ બંધનું એલાન

એક મહિના પહેલા રાજકોટમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી... 28 લોકોના મોત થઈ ગયા.. દુર્ઘટનાને એક મહિનો વીતિ ગયો પરંતુ કડક કાર્યવાહી કરવામાં નથી.. પરિવાર જનોનું માનવું છે કે તેમને ન્યાય નહીં મળે.. તો બીજી તરફ કોંગ્રેસ પણ પીડિત પરિવારને ન્યાય અપાવવા માટે સરકાર સામે  આવી છે. 25 જૂને મંગળવારે રાજકોટ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ મુદ્દે ગુજરાત કોંગ્રેસે આપેલા રાજકોટ બંધના એલાન બાદ હવે ગુજરાત કોંગ્રેસે આજ મુદ્દે મહત્વની જાહેરાત કરી છે.




બંધને પગલે રાજકોટવાસીએ સજ્જડ બંધ પાળ્યું

રાજકોટ ટીઆરપી ગેમઝોન મામલે કોંગ્રેસની લડત ચાલું જ રહેશે. રાજકોટ બંધમાં રાજકોટની જનતાએ તો સારો સપોર્ટ કર્યો બંધ પાળ્યું પણ સરકારના પેટનું પાણી હજુ સુધી નથી હલ્યું.... એટલે હવે ગાંધીનગર સુધી કૂચની જાહેરાત કરી છે.. રાજકોટ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડનો એક મહિનો પૂર્ણ થતાં 25 જૂને ગુજરાત કોંગ્રેસ દ્વારા રાજકોટ બંધના એલાનની જાહેરાત કરાઇ હતી. 



દોષિતો સામે કાર્યવાહી થાય તેવી કોંગ્રેસની માગ

રાજકોટ બંધના એલાનના પગલે રાજકોટ સંપૂર્ણપણે સજ્જડ બંધ રહ્યું હતું અને તમામ વેપારી સંગઠનોએ બંધના એલાનને ટેકો આપીને પીડિત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. ગુજરાત કોંગ્રેસે પીડિતોને વધુ વળતર ચૂકવવા અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની માગણી કરી હતી....રાજકોટ બંધના એલાનને સફળતા મળતાં રાજકોટ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડના પીડિતોને ન્યાય મળે તે માટે હવે મહત્વનો નિર્ણય કર્યો છે. રાજકોટ અગ્નિકાંડને લઇે કોંગ્રેસની લડત યથાવત રહી છે. 





કોંગ્રેસ પીડિત પરિવાર સાથે કરશે ગાંધીનગર કૂચ!

કોંગ્રેસ દ્વારા હવે ગાંધીનગર કૂચ યોજવાની જાહેરાત કરાઇ છે.... વડોદરા દુર્ઘટના, મોરબી કાંડ અને સુરત કાંડના પીડિત પરિવારોને પણ ગાંધીનગર કૂચમાં હાજર રખાશે.... કોંગ્રેસ હવે પીડિત પરિવારોને સાથે રાખીને આગામી સમયમાં ગાંધીનગર કૂચ કરશે. રાજકોટના પીડિતો ઉપરાંત વડોદરા દુર્ઘટના, મોરબી કાંડ અને સુરત કાંડના પીડિત પરિવારોને પણ ગાંધીનગર કૂચમાં હાજર રખાશે... જો કે હાલ ગાંધીનગર કૂચની તારીખ જાહેર કરાઇ નથી પણ આગામી એક સપ્તાહમાં ગાંધીનગર કૂચની તારીખની જાહેરાત કરવામાં આવશે તેમ કોંગ્રેસના સુત્રો દ્વારા જાણવા મળ્યું છે.... મહત્વનું છે કે જીગ્નેશ મેવાણીએ કહ્યું હતું કે જો સરકાર દ્વારા કોઈ પગલા નહીં લેવામાં આવે તો તે ઢાંકણીમાં પાણી લઈ ગાંધીનગર જશે.. 



આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.