મોરબીના માતમમાં કોને સૂઝે છે તાયફા કરવાનું? તમારો માંહ્યલો કેમ મરી ગયો છે?


  • Published By :
  • Published Date : 2022-11-01 11:02:52


મોરબીમાં બનેલી દુર્ઘટનાને પગલે આખુ ગુજરાત તેમાં પણ મોરબી ગહેરા આઘાતમાં ડૂબી ગયું છે. રવિવારે બનેલી ઘટનાએ અનેક પરિવારના લોકોને છીનવી લીધા છે. ઘટના થવાના થોડા સમય બાદ મુખ્યમંત્રી, હર્ષ સંઘવી તેમજ અનેક પદાધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. મોરબી ખાતે જઈ, ચાલી રહેલા રેસ્ક્યુની કામગીરી પર નજર રાખી હતી ઉપરાંત જરૂરી સૂચનો પણ આપ્યા હતા. ત્યારે વડાપ્રધાન મોદી પણ આજે મોરબીની મુલાકાત લેવાના છે.

 

પીએમના આગમન પહેલા રસ્તા થઈ જાય છે રિનોવેટ

ચૂંટણી નજીક આવતા વડાપ્રધાન હાલ ગુજરાતમાં ભાજપનો પ્રચાર કરવા આવ્યા છે. પોતાના સંબોધન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના વિકાસ મોડલની વાતો કરતા હોય છે. ડબલ એન્જિન સરકાર દ્વારા કરવામાં આવેલા કામો તેઓ ગણાવતા હોય છે. સારા રોડની વાતો કરે છે, સારા Infrastructureની વાતો કરે છે, પરંતુ તેમને ક્યાં ખબર છે કે સારા રસ્તા તેમની મુલાકાત પહેલા જ બનાવામાં આવે છે. જે રસ્તેથી તેમનો કાફલો પસાર થવાનો હોય તે રસ્તાની હાલત એટલી બધી સુધરી જાય છે કે આપણને લાગે કે આ આપણું શહેર નથી. 


વડાપ્રધાન આગમન પહેલા હોસ્પિટલમાં કરાયું કલરકામ 

આ વાત આજે એટલા માટે કરવી છે કારણ કે મોરબી સિવિલ હોસ્પિટલથી એવા દ્રશ્યો સામે આવ્યા જેણે બધા લોકોને હચમચાવી નાખ્યા. આ ફોટો એવા છે જેમાં કોઈના મૃતદેહો નથી પરંતુ એવા ફોટો છે જેમાં સિવિલ હોસ્પિટલમાં કલરકામ કરવામાં આવી રહ્યું છે. હોસ્પિટલમાં કલરકામ એટલા માટે કરવામાં આવી રહ્યું છે કારણ કે વડાપ્રધાન મોદી ત્યાં આવવાના છે. એક તરફ જ્યારે સમગ્ર મોરબીમાં માત્ર રડવાના અવાજ સંભળાય છે, લોકો પોતાના પરિવારના સભ્યોને શોધી રહ્યા છે. તો બીજી તરફ લોકોને મદદરૂપ થવાને બદલે તંત્ર હોસ્પિટલના કલરકામ પર ધ્યાન આપી રહ્યું છે. વડાપ્રધાન આવવાના છે તેને કારણે રાતોરાત રસ્તા બનાવામાં આવી રહ્યા છે, રિનોવેશનનું કામ કરવામાં આવી રહ્યું છે. ખબર નથી પડી રહી કે વડાપ્રધાન સાંત્વના પાઠવવા આવી રહ્યા છે કે પ્રચાર કરવા આવી રહ્યા છે.      



થોડું ધ્યાન જો બ્રિજ પર રાખ્યું હોત તો દુર્ઘટના ન સર્જાઈ હોત 

આવા સમયે લોકોને મદદરૂપ થવા તંત્રએ પ્રયાસ કરવો જોઈએ કે પીએમના આગમનની તૈયારીઓમાં લાગી જવું જોઈએ. આવી દરકાર જો બ્રિજ માટે રાખી હોતને તો આવી દુર્ઘટના સર્જાઈ પણ ન હોત. પરિવારે પોતાના સ્વજન ગુમાવ્યા પણ ન હોત. જ્યારે ખરેખર લોકોને તમારી જરૂર છે ત્યારે પણ જો તંત્ર પીએમને વિકાસ મોડલ બતાવવાનું પ્રયત્ન કરતું હોય તે યોગ્ય નથી.    



લોકસાહિત્યકાર દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ ચૌહાણ વચ્ચે સમાધાન થઇ ગયું છે. બંનેએ એકબીજાને મીઠાઈ ખવડાવી વિવાદનો અંત લાવવામાં આવ્યો છે. ધ્રુવરાજસિંહ ચૌહાણ પર ૧૨મી ઓગસ્ટના રોજ હુમલો થયો હતો. ડાયરાના કાર્યક્રમમાં દેવાયત ખવડ હાજર ન રહેતા બંને વચ્ચે તકરાર થઈ હતી. હવે સોશ્યિલ મીડિયા પર દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ ચૌહાણની આ તસ્વીર ખુબ જ વાઇરલ થઇ રહી છે.

Who does not know the famous Indian industrialist Dhirajlal Hira Chand Ambani alias Dhirubhai Ambani. Many people have heard his story from working at a petrol pump to establishing a company like Reliance Industries. But very few people know how much struggle he has had to reach here and what thoughts and principles he lives by. 28th December is Dhirubhai Ambani's birthday. Before that, Parimalbhai Nathwani has written an article on Dhirubhai's life and his principles. In the article, Parimal Nathwani has described Dhirubhai's life by linking it with the principles of Geeta.

ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લા અને શહેરમાં બાકી રહેલી નિયુક્તિઓને લઇને કવાયત તેજ કરવામાં આવી છે. છેલ્લા એક અઠવાડિયાથી જિલ્લા અને શહેર પ્રમુખની નિયુક્તિઓ માટે બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યો છે. આ માટે પ્રદેશપ્રમુખ જગદીશ પંચાલ અને સંગઠનમંત્રી રત્નાકર પાંડે તબક્કાવાર બેઠકો કરી રહ્યા છે જે અંતર્ગત વિવિધ જિલ્લાઓના હોદ્દેદારો સાથે બેઠક યોજવામાં આવી છે.

અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.