મોરબીના માતમમાં કોને સૂઝે છે તાયફા કરવાનું? તમારો માંહ્યલો કેમ મરી ગયો છે?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2022-11-01 11:02:52


મોરબીમાં બનેલી દુર્ઘટનાને પગલે આખુ ગુજરાત તેમાં પણ મોરબી ગહેરા આઘાતમાં ડૂબી ગયું છે. રવિવારે બનેલી ઘટનાએ અનેક પરિવારના લોકોને છીનવી લીધા છે. ઘટના થવાના થોડા સમય બાદ મુખ્યમંત્રી, હર્ષ સંઘવી તેમજ અનેક પદાધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. મોરબી ખાતે જઈ, ચાલી રહેલા રેસ્ક્યુની કામગીરી પર નજર રાખી હતી ઉપરાંત જરૂરી સૂચનો પણ આપ્યા હતા. ત્યારે વડાપ્રધાન મોદી પણ આજે મોરબીની મુલાકાત લેવાના છે.

 

પીએમના આગમન પહેલા રસ્તા થઈ જાય છે રિનોવેટ

ચૂંટણી નજીક આવતા વડાપ્રધાન હાલ ગુજરાતમાં ભાજપનો પ્રચાર કરવા આવ્યા છે. પોતાના સંબોધન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના વિકાસ મોડલની વાતો કરતા હોય છે. ડબલ એન્જિન સરકાર દ્વારા કરવામાં આવેલા કામો તેઓ ગણાવતા હોય છે. સારા રોડની વાતો કરે છે, સારા Infrastructureની વાતો કરે છે, પરંતુ તેમને ક્યાં ખબર છે કે સારા રસ્તા તેમની મુલાકાત પહેલા જ બનાવામાં આવે છે. જે રસ્તેથી તેમનો કાફલો પસાર થવાનો હોય તે રસ્તાની હાલત એટલી બધી સુધરી જાય છે કે આપણને લાગે કે આ આપણું શહેર નથી. 


વડાપ્રધાન આગમન પહેલા હોસ્પિટલમાં કરાયું કલરકામ 

આ વાત આજે એટલા માટે કરવી છે કારણ કે મોરબી સિવિલ હોસ્પિટલથી એવા દ્રશ્યો સામે આવ્યા જેણે બધા લોકોને હચમચાવી નાખ્યા. આ ફોટો એવા છે જેમાં કોઈના મૃતદેહો નથી પરંતુ એવા ફોટો છે જેમાં સિવિલ હોસ્પિટલમાં કલરકામ કરવામાં આવી રહ્યું છે. હોસ્પિટલમાં કલરકામ એટલા માટે કરવામાં આવી રહ્યું છે કારણ કે વડાપ્રધાન મોદી ત્યાં આવવાના છે. એક તરફ જ્યારે સમગ્ર મોરબીમાં માત્ર રડવાના અવાજ સંભળાય છે, લોકો પોતાના પરિવારના સભ્યોને શોધી રહ્યા છે. તો બીજી તરફ લોકોને મદદરૂપ થવાને બદલે તંત્ર હોસ્પિટલના કલરકામ પર ધ્યાન આપી રહ્યું છે. વડાપ્રધાન આવવાના છે તેને કારણે રાતોરાત રસ્તા બનાવામાં આવી રહ્યા છે, રિનોવેશનનું કામ કરવામાં આવી રહ્યું છે. ખબર નથી પડી રહી કે વડાપ્રધાન સાંત્વના પાઠવવા આવી રહ્યા છે કે પ્રચાર કરવા આવી રહ્યા છે.      



થોડું ધ્યાન જો બ્રિજ પર રાખ્યું હોત તો દુર્ઘટના ન સર્જાઈ હોત 

આવા સમયે લોકોને મદદરૂપ થવા તંત્રએ પ્રયાસ કરવો જોઈએ કે પીએમના આગમનની તૈયારીઓમાં લાગી જવું જોઈએ. આવી દરકાર જો બ્રિજ માટે રાખી હોતને તો આવી દુર્ઘટના સર્જાઈ પણ ન હોત. પરિવારે પોતાના સ્વજન ગુમાવ્યા પણ ન હોત. જ્યારે ખરેખર લોકોને તમારી જરૂર છે ત્યારે પણ જો તંત્ર પીએમને વિકાસ મોડલ બતાવવાનું પ્રયત્ન કરતું હોય તે યોગ્ય નથી.    



સુરત લોકસભા બેઠકના ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર નિલેશ કુંભાણી અનેક દિવસોથી ગાયબ હતા. કોંગ્રેસે તેમને સસ્પેન્ડ કર્યા છે. ત્યારે આજે તેમણે વીડિયો બનાવી પોતાની પ્રતિકિયા આપી છે.

આપના પૂર્વ નેતા અલ્પેશ કથિરીયા અને ધાર્મિક માલવિયા ભાજપમાં જોડાવાના છે. આ મામલે ગોપાલ ઈટાલિયાએ પ્રતિક્રિયા આપી છે.. પ્રતિક્રિયા આપતા તેમણે ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા.

કમાવવાની પાછળ આપણે એટલા બધા લાગી ગયા છીએ કે આપણને ખબર જ નથી પડતી કે આપણી જીંદગી પૂરી થઈ રહી છે... જવાનમાં આપણે ક્યારે ઘરડા થઈ જઈશું તેની ખબર નહીં પડે.. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના જે વાતને બહુ સારી રીતે સમજાવે છે...

જમાવટની ઈલેક્શન યાત્રા અલગ અલગ વિસ્તારોમાં ફરી રહી છે. અનેક યુવાનો, બાળકો સાથે વાત કરી હતી ત્યારે તેમણે જે કહ્યું જે વિચારવા જેવું છે.. બાળકો જે જોવે છે તે કહે છે...