મોરબીના માતમમાં કોને સૂઝે છે તાયફા કરવાનું? તમારો માંહ્યલો કેમ મરી ગયો છે?


  • Published By :
  • Published Date : 2022-11-01 11:02:52


મોરબીમાં બનેલી દુર્ઘટનાને પગલે આખુ ગુજરાત તેમાં પણ મોરબી ગહેરા આઘાતમાં ડૂબી ગયું છે. રવિવારે બનેલી ઘટનાએ અનેક પરિવારના લોકોને છીનવી લીધા છે. ઘટના થવાના થોડા સમય બાદ મુખ્યમંત્રી, હર્ષ સંઘવી તેમજ અનેક પદાધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. મોરબી ખાતે જઈ, ચાલી રહેલા રેસ્ક્યુની કામગીરી પર નજર રાખી હતી ઉપરાંત જરૂરી સૂચનો પણ આપ્યા હતા. ત્યારે વડાપ્રધાન મોદી પણ આજે મોરબીની મુલાકાત લેવાના છે.

 

પીએમના આગમન પહેલા રસ્તા થઈ જાય છે રિનોવેટ

ચૂંટણી નજીક આવતા વડાપ્રધાન હાલ ગુજરાતમાં ભાજપનો પ્રચાર કરવા આવ્યા છે. પોતાના સંબોધન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના વિકાસ મોડલની વાતો કરતા હોય છે. ડબલ એન્જિન સરકાર દ્વારા કરવામાં આવેલા કામો તેઓ ગણાવતા હોય છે. સારા રોડની વાતો કરે છે, સારા Infrastructureની વાતો કરે છે, પરંતુ તેમને ક્યાં ખબર છે કે સારા રસ્તા તેમની મુલાકાત પહેલા જ બનાવામાં આવે છે. જે રસ્તેથી તેમનો કાફલો પસાર થવાનો હોય તે રસ્તાની હાલત એટલી બધી સુધરી જાય છે કે આપણને લાગે કે આ આપણું શહેર નથી. 


વડાપ્રધાન આગમન પહેલા હોસ્પિટલમાં કરાયું કલરકામ 

આ વાત આજે એટલા માટે કરવી છે કારણ કે મોરબી સિવિલ હોસ્પિટલથી એવા દ્રશ્યો સામે આવ્યા જેણે બધા લોકોને હચમચાવી નાખ્યા. આ ફોટો એવા છે જેમાં કોઈના મૃતદેહો નથી પરંતુ એવા ફોટો છે જેમાં સિવિલ હોસ્પિટલમાં કલરકામ કરવામાં આવી રહ્યું છે. હોસ્પિટલમાં કલરકામ એટલા માટે કરવામાં આવી રહ્યું છે કારણ કે વડાપ્રધાન મોદી ત્યાં આવવાના છે. એક તરફ જ્યારે સમગ્ર મોરબીમાં માત્ર રડવાના અવાજ સંભળાય છે, લોકો પોતાના પરિવારના સભ્યોને શોધી રહ્યા છે. તો બીજી તરફ લોકોને મદદરૂપ થવાને બદલે તંત્ર હોસ્પિટલના કલરકામ પર ધ્યાન આપી રહ્યું છે. વડાપ્રધાન આવવાના છે તેને કારણે રાતોરાત રસ્તા બનાવામાં આવી રહ્યા છે, રિનોવેશનનું કામ કરવામાં આવી રહ્યું છે. ખબર નથી પડી રહી કે વડાપ્રધાન સાંત્વના પાઠવવા આવી રહ્યા છે કે પ્રચાર કરવા આવી રહ્યા છે.      



થોડું ધ્યાન જો બ્રિજ પર રાખ્યું હોત તો દુર્ઘટના ન સર્જાઈ હોત 

આવા સમયે લોકોને મદદરૂપ થવા તંત્રએ પ્રયાસ કરવો જોઈએ કે પીએમના આગમનની તૈયારીઓમાં લાગી જવું જોઈએ. આવી દરકાર જો બ્રિજ માટે રાખી હોતને તો આવી દુર્ઘટના સર્જાઈ પણ ન હોત. પરિવારે પોતાના સ્વજન ગુમાવ્યા પણ ન હોત. જ્યારે ખરેખર લોકોને તમારી જરૂર છે ત્યારે પણ જો તંત્ર પીએમને વિકાસ મોડલ બતાવવાનું પ્રયત્ન કરતું હોય તે યોગ્ય નથી.    



અમદાવાદમાં ઇતિહાસના સૌથી મોટા ડિમોલિશનના ભાગ રૂપે ચંડોળામાં આજે પણ ફેઝ 2ની કામગીરી ચાલુ જ છે . ચંડોળા તળાવમાં આવેલી તમામ મસ્જિદ સહિતના ધાર્મિક સ્થાનોને તોડવાની શરૂઆત કરવામાં આવી છે. આ કામગીરી દરમ્યાન કોઈ પણ અનિચ્છનીય બનાવ ના બને તે માટે ક્રાઇમ બ્રાન્ચ સહીત પોલીસનો જડબેસલાક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તો આવો જાણીએ ચંડોળામાં ચાલી રહેલા ફેઝ ૨ના મેગા ડિમોલિશન વિશે.

પાછલા ઘણા સમયથી પાકિસ્તાનમાં એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે . ભારતની વિરુદ્ધમાં જે આતંકીઓએ ભૂતકાળમાં આતંકવાદી હુમલાઓની સાજીશ કરી હતી તે આંતકીઓની હવે અજાણ્યા વ્યક્તિઓ દ્વારા હત્યા થઇ રહી છે. આ ક્રમમાં હવે લશ્કરના આતંકી સૈફુલ્લા ખાલિદનો નંબર આવ્યો છે . જેની હત્યા અજાણ્યા હુમલાવરો દ્વારા કરી દેવાઈ છે. તેની પર આરોપ હતો કે ૨૦૦૬માં RSSના નાગપુર સ્થિત મુખ્યાલય પરના અટેકનો તે માસ્ટરમાઈન્ડ હતો . પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં ત્રણ ગનમેન દ્વારા સૈફુલ્લા ખાલિદની હત્યા કર દેવાઈ છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ લઇને આજે એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કે , ભારતીય સેનાએ સ્પષ્ટ કરી દીધું છે કે , પાકિસ્તાન સાથે DGMO સ્તરની કોઈ પણ વાતચીત આજે નઈ થાય . સીઝફાયર ચાલુ જ રહેશે. બેઉ દેશોના DGMO એટલેકે , ડિરેક્ટોરેટ જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ વચ્ચે આજે કોઈ જ સંવાદ નથી થવા જઈ રહ્યો .

રક્ષામંત્રી રાજનાથ સિંહે ઓપરેશન સિંદૂર પછી પ્રથમ વખત ગુજરાત પ્રવાસે છે. આજે રક્ષામંત્રી રાજનાથસિંહ ભુજ એરબેઝની મુલાકાતે પહોંચ્યા છે. જ્યાં તેઓ એરફોર્સે , BSF અને આર્મીના અધિકારીઓ - જવાનોને મળીને ચર્ચા કરીને સરહદ પરની સુરક્ષા અંગે સમીક્ષા કરી છે. આ સાથેજ રક્ષામંત્રી રાજનાથ સિંહ ગુજરાતમાં ભારત - પાકિસ્તાન સરહદના વિવિધ વિસ્તારોની મુલાકાત પણ કરી છે. તો આવો જાણીએ રક્ષામંત્રી રાજનાથ સિંહના પ્રવાસ વિશે.