નવા વર્ષે C.R.Patilએ લોકસભા ચૂંટણીને લઈ આપ્યું નિવેદન, કહ્યું કે...


  • Published By :
  • Published Date : 2023-11-14 13:56:13

સમગ્ર દેશમાં દિવાળી પર્વની ઉજવણી થઈ રહી છે. અલગ અલગ જગ્યાઓ પર દિવાળીના તહેવારને લઈ વિશેષ આયોજન કરવામાં આવતું હોય છે. રાજકીય નેતાઓએ નવા વર્ષની શુભકામના પાઠવી છે. ગુજરાતમાં પણ નવા વર્ષની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી રહી છે. ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે વિવિધ મંદિરોમાં દર્શન કરી નવા વર્ષની શરૂઆત કરી છે. તો સી.આર.પાટીલે પણ નવા વર્ષની ઉજવણી કરી છે. નવા વર્ષની ઉજવણી દરમિયાન સી.આર,પાટીલે કાર્યકરો તેમજ લોકોને નૂતન વર્ષની શુભેચ્છા પાઠવી છે. સાથે જ ભાજપ પ્રદેશ અધ્યક્ષે લોકસભાની ચૂંટણીને લઈ હુંકાર ભર્યો છે. સી.આર.પાટીલે તમામે તમામ સીટો જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

અમિત શાહ અને મુખ્યમંત્રીએ કરી નવા વર્ષની ઉજવણી 

2024માં લોસભાની ચૂંટણી યોજાવાની છે. દરેક પાર્ટી દ્વારા લોકસભાની ચૂંટણીને લઈ તૈયારીઓ કરવામાં આવી રહી છે. ચૂંટણી પ્રચારનો ધમધમાટ પણ થોડા સમય બાદ શરૂ થઈ જશે. આજે નવા વર્ષની ઉજવણી સમગ્ર દેશમાં થઈ રહી છે. નેતાઓએ તેમજ રાજનેતાઓએ નવા વર્ષની શુભકામના પાઠવી છે. નવા વર્ષ નિમિત્તે અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે. એક કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગળે મળ્યા હતા અને નવા વર્ષની શુભકામના પાઠવી હતી. તે સિવાય ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે પણ નવા વર્ષની ઉજવણી કરી હતી અને એક આશા વ્યક્ત કરી હતી. 

Gujarat Elections Results: State BJP Chief Patil Shows Gratitude, Says  People Trusted PM Modi

26 બેઠકો જીતીને હેટ્રિક કરવાની છે - સી.આર.પાટીલ 

સી.આર.પાટીલે જણાવ્યું કે નવું વર્ષ એક નવી આશા સાથે, નવા ઉમંગ સાથે, નવી ઇચ્છાપૂર્તિના એક સંકલ્પ સાથે આપણે આગળ વધતાં હોઇએ છે. હું ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓને, શુભેચ્છક મિત્રોને, સૌ આગેવાનોને વિનંતી કરુ છુ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આવનારી લોકસભાની ચૂંટણીમાં આપણે ગુજરાતની 26 સીટો, જે પહેલા પણ બે વાર આપ સૌ જીત્યા છો, ત્રીજી વાર પણ ગુજરાતના સૌ મતદાતા ભાઇ-બહેનોના સહકાર અને આશીર્વાદ સાથે 26-26 બેઠકો જીતીને હેટ્રિક કરવાની છે.



ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."