નવા વર્ષે C.R.Patilએ લોકસભા ચૂંટણીને લઈ આપ્યું નિવેદન, કહ્યું કે...


  • Published By :
  • Published Date : 2023-11-14 13:56:13

સમગ્ર દેશમાં દિવાળી પર્વની ઉજવણી થઈ રહી છે. અલગ અલગ જગ્યાઓ પર દિવાળીના તહેવારને લઈ વિશેષ આયોજન કરવામાં આવતું હોય છે. રાજકીય નેતાઓએ નવા વર્ષની શુભકામના પાઠવી છે. ગુજરાતમાં પણ નવા વર્ષની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી રહી છે. ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે વિવિધ મંદિરોમાં દર્શન કરી નવા વર્ષની શરૂઆત કરી છે. તો સી.આર.પાટીલે પણ નવા વર્ષની ઉજવણી કરી છે. નવા વર્ષની ઉજવણી દરમિયાન સી.આર,પાટીલે કાર્યકરો તેમજ લોકોને નૂતન વર્ષની શુભેચ્છા પાઠવી છે. સાથે જ ભાજપ પ્રદેશ અધ્યક્ષે લોકસભાની ચૂંટણીને લઈ હુંકાર ભર્યો છે. સી.આર.પાટીલે તમામે તમામ સીટો જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

અમિત શાહ અને મુખ્યમંત્રીએ કરી નવા વર્ષની ઉજવણી 

2024માં લોસભાની ચૂંટણી યોજાવાની છે. દરેક પાર્ટી દ્વારા લોકસભાની ચૂંટણીને લઈ તૈયારીઓ કરવામાં આવી રહી છે. ચૂંટણી પ્રચારનો ધમધમાટ પણ થોડા સમય બાદ શરૂ થઈ જશે. આજે નવા વર્ષની ઉજવણી સમગ્ર દેશમાં થઈ રહી છે. નેતાઓએ તેમજ રાજનેતાઓએ નવા વર્ષની શુભકામના પાઠવી છે. નવા વર્ષ નિમિત્તે અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે. એક કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગળે મળ્યા હતા અને નવા વર્ષની શુભકામના પાઠવી હતી. તે સિવાય ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે પણ નવા વર્ષની ઉજવણી કરી હતી અને એક આશા વ્યક્ત કરી હતી. 

Gujarat Elections Results: State BJP Chief Patil Shows Gratitude, Says  People Trusted PM Modi

26 બેઠકો જીતીને હેટ્રિક કરવાની છે - સી.આર.પાટીલ 

સી.આર.પાટીલે જણાવ્યું કે નવું વર્ષ એક નવી આશા સાથે, નવા ઉમંગ સાથે, નવી ઇચ્છાપૂર્તિના એક સંકલ્પ સાથે આપણે આગળ વધતાં હોઇએ છે. હું ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓને, શુભેચ્છક મિત્રોને, સૌ આગેવાનોને વિનંતી કરુ છુ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આવનારી લોકસભાની ચૂંટણીમાં આપણે ગુજરાતની 26 સીટો, જે પહેલા પણ બે વાર આપ સૌ જીત્યા છો, ત્રીજી વાર પણ ગુજરાતના સૌ મતદાતા ભાઇ-બહેનોના સહકાર અને આશીર્વાદ સાથે 26-26 બેઠકો જીતીને હેટ્રિક કરવાની છે.



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.