નવા વર્ષે C.R.Patilએ લોકસભા ચૂંટણીને લઈ આપ્યું નિવેદન, કહ્યું કે...


  • Published By :
  • Published Date : 2023-11-14 13:56:13

સમગ્ર દેશમાં દિવાળી પર્વની ઉજવણી થઈ રહી છે. અલગ અલગ જગ્યાઓ પર દિવાળીના તહેવારને લઈ વિશેષ આયોજન કરવામાં આવતું હોય છે. રાજકીય નેતાઓએ નવા વર્ષની શુભકામના પાઠવી છે. ગુજરાતમાં પણ નવા વર્ષની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી રહી છે. ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે વિવિધ મંદિરોમાં દર્શન કરી નવા વર્ષની શરૂઆત કરી છે. તો સી.આર.પાટીલે પણ નવા વર્ષની ઉજવણી કરી છે. નવા વર્ષની ઉજવણી દરમિયાન સી.આર,પાટીલે કાર્યકરો તેમજ લોકોને નૂતન વર્ષની શુભેચ્છા પાઠવી છે. સાથે જ ભાજપ પ્રદેશ અધ્યક્ષે લોકસભાની ચૂંટણીને લઈ હુંકાર ભર્યો છે. સી.આર.પાટીલે તમામે તમામ સીટો જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

અમિત શાહ અને મુખ્યમંત્રીએ કરી નવા વર્ષની ઉજવણી 

2024માં લોસભાની ચૂંટણી યોજાવાની છે. દરેક પાર્ટી દ્વારા લોકસભાની ચૂંટણીને લઈ તૈયારીઓ કરવામાં આવી રહી છે. ચૂંટણી પ્રચારનો ધમધમાટ પણ થોડા સમય બાદ શરૂ થઈ જશે. આજે નવા વર્ષની ઉજવણી સમગ્ર દેશમાં થઈ રહી છે. નેતાઓએ તેમજ રાજનેતાઓએ નવા વર્ષની શુભકામના પાઠવી છે. નવા વર્ષ નિમિત્તે અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે. એક કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગળે મળ્યા હતા અને નવા વર્ષની શુભકામના પાઠવી હતી. તે સિવાય ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે પણ નવા વર્ષની ઉજવણી કરી હતી અને એક આશા વ્યક્ત કરી હતી. 

Gujarat Elections Results: State BJP Chief Patil Shows Gratitude, Says  People Trusted PM Modi

26 બેઠકો જીતીને હેટ્રિક કરવાની છે - સી.આર.પાટીલ 

સી.આર.પાટીલે જણાવ્યું કે નવું વર્ષ એક નવી આશા સાથે, નવા ઉમંગ સાથે, નવી ઇચ્છાપૂર્તિના એક સંકલ્પ સાથે આપણે આગળ વધતાં હોઇએ છે. હું ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓને, શુભેચ્છક મિત્રોને, સૌ આગેવાનોને વિનંતી કરુ છુ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આવનારી લોકસભાની ચૂંટણીમાં આપણે ગુજરાતની 26 સીટો, જે પહેલા પણ બે વાર આપ સૌ જીત્યા છો, ત્રીજી વાર પણ ગુજરાતના સૌ મતદાતા ભાઇ-બહેનોના સહકાર અને આશીર્વાદ સાથે 26-26 બેઠકો જીતીને હેટ્રિક કરવાની છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.