નવા વર્ષે C.R.Patilએ લોકસભા ચૂંટણીને લઈ આપ્યું નિવેદન, કહ્યું કે...


  • Published By :
  • Published Date : 2023-11-14 13:56:13

સમગ્ર દેશમાં દિવાળી પર્વની ઉજવણી થઈ રહી છે. અલગ અલગ જગ્યાઓ પર દિવાળીના તહેવારને લઈ વિશેષ આયોજન કરવામાં આવતું હોય છે. રાજકીય નેતાઓએ નવા વર્ષની શુભકામના પાઠવી છે. ગુજરાતમાં પણ નવા વર્ષની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી રહી છે. ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે વિવિધ મંદિરોમાં દર્શન કરી નવા વર્ષની શરૂઆત કરી છે. તો સી.આર.પાટીલે પણ નવા વર્ષની ઉજવણી કરી છે. નવા વર્ષની ઉજવણી દરમિયાન સી.આર,પાટીલે કાર્યકરો તેમજ લોકોને નૂતન વર્ષની શુભેચ્છા પાઠવી છે. સાથે જ ભાજપ પ્રદેશ અધ્યક્ષે લોકસભાની ચૂંટણીને લઈ હુંકાર ભર્યો છે. સી.આર.પાટીલે તમામે તમામ સીટો જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

અમિત શાહ અને મુખ્યમંત્રીએ કરી નવા વર્ષની ઉજવણી 

2024માં લોસભાની ચૂંટણી યોજાવાની છે. દરેક પાર્ટી દ્વારા લોકસભાની ચૂંટણીને લઈ તૈયારીઓ કરવામાં આવી રહી છે. ચૂંટણી પ્રચારનો ધમધમાટ પણ થોડા સમય બાદ શરૂ થઈ જશે. આજે નવા વર્ષની ઉજવણી સમગ્ર દેશમાં થઈ રહી છે. નેતાઓએ તેમજ રાજનેતાઓએ નવા વર્ષની શુભકામના પાઠવી છે. નવા વર્ષ નિમિત્તે અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે. એક કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગળે મળ્યા હતા અને નવા વર્ષની શુભકામના પાઠવી હતી. તે સિવાય ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે પણ નવા વર્ષની ઉજવણી કરી હતી અને એક આશા વ્યક્ત કરી હતી. 

Gujarat Elections Results: State BJP Chief Patil Shows Gratitude, Says  People Trusted PM Modi

26 બેઠકો જીતીને હેટ્રિક કરવાની છે - સી.આર.પાટીલ 

સી.આર.પાટીલે જણાવ્યું કે નવું વર્ષ એક નવી આશા સાથે, નવા ઉમંગ સાથે, નવી ઇચ્છાપૂર્તિના એક સંકલ્પ સાથે આપણે આગળ વધતાં હોઇએ છે. હું ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓને, શુભેચ્છક મિત્રોને, સૌ આગેવાનોને વિનંતી કરુ છુ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આવનારી લોકસભાની ચૂંટણીમાં આપણે ગુજરાતની 26 સીટો, જે પહેલા પણ બે વાર આપ સૌ જીત્યા છો, ત્રીજી વાર પણ ગુજરાતના સૌ મતદાતા ભાઇ-બહેનોના સહકાર અને આશીર્વાદ સાથે 26-26 બેઠકો જીતીને હેટ્રિક કરવાની છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.