આગામી પાંચ દિવસમાં ગુજરાતમાં ઠંડીનો પારો ગગડે તેવી શક્યતા


  • Published By :
  • Published Date : 2022-11-16 16:24:35

ગુલાબી ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. હિમાલયના પર્વતીય વિસ્તારોમાં પણ હિમવર્ષા શરૂ થઈ ગઈ છે. હિમાલયના વિસ્તારથી પૂર્વના ઠંડા પવન શરૂ થઈ ગયા છે. આ પવનો ગુજરાતમાં પહોંચી રહ્યા છે જેના કારણે ઠંડીમાં વધારો થવાની સંભાવના છે. 

ગુજરાતમાં ગાત્રો થિજવતી ઠંડી, આ જિલ્લામાં તો 6 ડિગ્રી લઘુતમ તાપમાન, જનજીવન  થીજી ગયું | the lowest temperature recorded in Banaskantha

પાંચ દિવસમાં ઠંડીનો પારો 18થી 19 ડિગ્રી રહી શકે

પર્વતીય વિસ્તારમાંથી આવતા ઠંડા પવનના કારણે ગુજરાતના અનેક વિસ્તારમાં ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. આ ઠંડા પવનોના કારણે મોડી રાત્રે અને વહેલી સવારે ઠંડીનો અનુભવ થવા લાગ્યો છે. ગાંધીનગર અને અમદાવાદ સહિતના શહેરોમાં ઠંડીનો પારો ઘટવા લાગ્યો છે. અમદાવાદમાં ગઈકાલે મહત્તમ તાપમાન 33.4 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે ગાંધીનગરમાં ઓછામાં ઓછું તાપમાન 17.2 ડિગ્રી નોંધાયું હતું. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી પાંચ દિવસમાં ઠંડીનો પારો 18થી 19 ડિગ્રી વચ્ચે રહે તેવી સંભાવના છે. 






ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.