આગામી પાંચ દિવસમાં ગુજરાતમાં ઠંડીનો પારો ગગડે તેવી શક્યતા


  • Published By :
  • Published Date : 2022-11-16 16:24:35

ગુલાબી ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. હિમાલયના પર્વતીય વિસ્તારોમાં પણ હિમવર્ષા શરૂ થઈ ગઈ છે. હિમાલયના વિસ્તારથી પૂર્વના ઠંડા પવન શરૂ થઈ ગયા છે. આ પવનો ગુજરાતમાં પહોંચી રહ્યા છે જેના કારણે ઠંડીમાં વધારો થવાની સંભાવના છે. 

ગુજરાતમાં ગાત્રો થિજવતી ઠંડી, આ જિલ્લામાં તો 6 ડિગ્રી લઘુતમ તાપમાન, જનજીવન  થીજી ગયું | the lowest temperature recorded in Banaskantha

પાંચ દિવસમાં ઠંડીનો પારો 18થી 19 ડિગ્રી રહી શકે

પર્વતીય વિસ્તારમાંથી આવતા ઠંડા પવનના કારણે ગુજરાતના અનેક વિસ્તારમાં ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. આ ઠંડા પવનોના કારણે મોડી રાત્રે અને વહેલી સવારે ઠંડીનો અનુભવ થવા લાગ્યો છે. ગાંધીનગર અને અમદાવાદ સહિતના શહેરોમાં ઠંડીનો પારો ઘટવા લાગ્યો છે. અમદાવાદમાં ગઈકાલે મહત્તમ તાપમાન 33.4 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે ગાંધીનગરમાં ઓછામાં ઓછું તાપમાન 17.2 ડિગ્રી નોંધાયું હતું. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી પાંચ દિવસમાં ઠંડીનો પારો 18થી 19 ડિગ્રી વચ્ચે રહે તેવી સંભાવના છે. 






જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.