આગામી પાંચ દિવસમાં ગુજરાતમાં ઠંડીનો પારો ગગડે તેવી શક્યતા


  • Published By :
  • Published Date : 2022-11-16 16:24:35

ગુલાબી ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. હિમાલયના પર્વતીય વિસ્તારોમાં પણ હિમવર્ષા શરૂ થઈ ગઈ છે. હિમાલયના વિસ્તારથી પૂર્વના ઠંડા પવન શરૂ થઈ ગયા છે. આ પવનો ગુજરાતમાં પહોંચી રહ્યા છે જેના કારણે ઠંડીમાં વધારો થવાની સંભાવના છે. 

ગુજરાતમાં ગાત્રો થિજવતી ઠંડી, આ જિલ્લામાં તો 6 ડિગ્રી લઘુતમ તાપમાન, જનજીવન  થીજી ગયું | the lowest temperature recorded in Banaskantha

પાંચ દિવસમાં ઠંડીનો પારો 18થી 19 ડિગ્રી રહી શકે

પર્વતીય વિસ્તારમાંથી આવતા ઠંડા પવનના કારણે ગુજરાતના અનેક વિસ્તારમાં ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. આ ઠંડા પવનોના કારણે મોડી રાત્રે અને વહેલી સવારે ઠંડીનો અનુભવ થવા લાગ્યો છે. ગાંધીનગર અને અમદાવાદ સહિતના શહેરોમાં ઠંડીનો પારો ઘટવા લાગ્યો છે. અમદાવાદમાં ગઈકાલે મહત્તમ તાપમાન 33.4 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે ગાંધીનગરમાં ઓછામાં ઓછું તાપમાન 17.2 ડિગ્રી નોંધાયું હતું. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી પાંચ દિવસમાં ઠંડીનો પારો 18થી 19 ડિગ્રી વચ્ચે રહે તેવી સંભાવના છે. 






ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે