આગામી પાંચ દિવસમાં ગુજરાતમાં ઠંડીનો પારો ગગડે તેવી શક્યતા


  • Published By :
  • Published Date : 2022-11-16 16:24:35

ગુલાબી ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. હિમાલયના પર્વતીય વિસ્તારોમાં પણ હિમવર્ષા શરૂ થઈ ગઈ છે. હિમાલયના વિસ્તારથી પૂર્વના ઠંડા પવન શરૂ થઈ ગયા છે. આ પવનો ગુજરાતમાં પહોંચી રહ્યા છે જેના કારણે ઠંડીમાં વધારો થવાની સંભાવના છે. 

ગુજરાતમાં ગાત્રો થિજવતી ઠંડી, આ જિલ્લામાં તો 6 ડિગ્રી લઘુતમ તાપમાન, જનજીવન  થીજી ગયું | the lowest temperature recorded in Banaskantha

પાંચ દિવસમાં ઠંડીનો પારો 18થી 19 ડિગ્રી રહી શકે

પર્વતીય વિસ્તારમાંથી આવતા ઠંડા પવનના કારણે ગુજરાતના અનેક વિસ્તારમાં ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. આ ઠંડા પવનોના કારણે મોડી રાત્રે અને વહેલી સવારે ઠંડીનો અનુભવ થવા લાગ્યો છે. ગાંધીનગર અને અમદાવાદ સહિતના શહેરોમાં ઠંડીનો પારો ઘટવા લાગ્યો છે. અમદાવાદમાં ગઈકાલે મહત્તમ તાપમાન 33.4 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે ગાંધીનગરમાં ઓછામાં ઓછું તાપમાન 17.2 ડિગ્રી નોંધાયું હતું. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી પાંચ દિવસમાં ઠંડીનો પારો 18થી 19 ડિગ્રી વચ્ચે રહે તેવી સંભાવના છે. 






પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.