Ahmedabad Crime Branchના પ્રાંગણમાં ડો. વૈશાલી જોશીએ કરી હતી આત્મહત્યા, પીઆઈ ખાચર ફરાર.. જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-03-12 13:17:30

થોડા દિવસ પહેલા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ  પરિસરમાં ડો. વૈશાલી જોશીએ આત્મહત્યા કરી લીધી હતી. ક્રાઈમ બ્રાન્ચના પ્રાંગણમાં એક મહિલા આત્મહત્યા કરી લે છે પરંતુ અનેક કલાકો સુધી કોઈને એ વાતની ખબર પણ ના પડી. પ્રેમસંબંધમાં મળેલી નિષ્ફળતાને કારણે મહિલા ડોક્ટરે પોતાના જીવનને ટૂંકાવ્યું છે તેવું હાલ લાગી રહ્યું છે. સોશિયલ મીડિયાના માધ્યમથી ડો. વૈશાલી જોષી પીઆઈ બી.કે.ખાચર એકબીજાના સંપર્કમાં આવ્યા હતા. પીઆઈને મળવા માટે ડો. વૈશાલી જોશી ક્રાઈમ બ્રાન્ચની ઓફિસ આવ્યા હતા તેવું લાગી રહ્યું છે. તેમની પાસેથી લખાણ પણ મળી આવ્યું હતું જેમાં તેમણે પીઆઈને જવાબદાર ગણાવ્યા હતા અને એવું પણ લખ્યું હતું કે તેમના અંતિમ સંસ્કાર પીઆઈ ખાચર કરે. આ કેસમાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. 

પ્રેમમાં નિષ્ફળતા મળતા ડોક્ટર વૈશાલી જોશીએ ટૂંકાવ્યું જીવન!

આત્મહત્યા કરવાના કિસ્સાઓમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. અનેક લોકો પોતાનું જીવન ટૂંકાવી રહ્યા છે અને આની પાછળ અનેક કારણો જવાબદાર હોય છે જેમ કે આર્થિક સંકળામણ, પ્રેમ સંબંધનમાં મળેલી નિષ્ફળતા, પરીક્ષામાં નિષ્ફળ જવાનો ડર વગેરે વગેરે... ત્યારે એક આત્મહત્યાનો કિસ્સો હાલ ચર્ચામાં છે, અને તે છે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં ડો. વૈશાલી જોશીએ કરેલી આત્મહત્યાનો. આ કેસમાં એવું માનવામાં આવી રહ્યું છે કે પ્રેમમાં નિષ્ફળતા મળી છે તેને કારણે ડોક્ટર વૈશાલી જોશીએ આત્મહત્યા કરી લીધી છે. 


કેસને સોલ્વ કરવા માટે પોલીસે લીધા અનેક લોકોના નિવેદન!

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના પ્રાંગણમાં મહિલા ડોક્ટરે આત્મહત્યા કરી લીધી અને આગામી સમયમાં એવું માનવામાં આવી રહ્યું છે કે પીઆઈ બી.કે.ખાચર વિરૂદ્ધ કેસ નોંધાઈ શકે છે. એવી પણ માહિતી સામે આવી છે કે જ્યારથી આ કેસ બન્યો છે ત્યારથી પીઆઈ ફરાર છે આ મામલે પોલીસ તેમની શોધખોળ કરી રહી છે. આ કેસને સોલ્વ કરવા માટે અનેક લોકોના નિવેદન લેવામાં આવ્યા છે. જે પીજીમાં મહિલા ડોક્ટર રહેતા હતા ત્યાંના લોકોના નિવેદન લેવામાં આવ્યા છે. આ કેસમાં અંદાજીત 10થી 12 લોકોના નિવેદન લેવામાં આવ્યા છે તેવી માહિતી સામે આવી છે. પોસ્ટ મોર્ટમ અર્થે ડોક્ટરના મૃતદેહને મોકલી દેવામાં આવ્યો છે. 


આવનાર દિવસમાં ખુલી શકે છે ચોંકાવનારા રાજ!  

ડોક્ટર મહિલાના પરિવારનું નિવેદન લેવા માટે પોલીસ વૈશાલી જોશીના વતન જશે તેવી માહિતી સામે આવી છે. ઉપરાંત આ કેસમાં વધુ તપાસ કરવા માટે પણ પોલીસ ત્યાં જઈ શકે છે. મરતા પહેલા 14થી 15 પાનાની સ્યુસાઈડ નોટ વૈશાલી જોશીએ લખી હતી. હેન્ડ રાઈટીંગને મેચ કરવા માટે પણ સેમ્પલને લેબમાં મોકલી દેવામાં આવ્યો છે અને આ અંગે પોલીસ પુરાવા ભેગા કરી રહી છે. ફરાર થયેલા પીઆઈ તેમના મિત્રના ઘરે હોઈ શકે છે તેવી માહિતી પોલીસને મળી છે. આ કેસના તપાસમાં આગળ અનેક ખુલાસા થઈ શકે છે તેવું લાગે છે. 


આત્મહત્યા કરતા પહેલા લોકો નથી વિચારતા પરિવાર વિશે પણ!

મહત્વનું છે કે જે મહિલા ડોક્ટરે આત્મહત્યા કરી લીધી છે તેમના પિતા હવે આ દુનિયામાં નથી. માતાની તેમજ પરિવારની જવાબદારી તેમના શીરે આવી હતી. એક બહેન વિદેશમાં છે અને ભાઈ પણ નથી. મહત્વનું છે કે અનેક કિસ્સાઓ આપણી સામે એવા છે જેમાં પ્રેમમાં નિષ્ફળતા મળવાને કારણે લોકો પોતાના જીવનને ટૂંકાવી દેતા હોય છે. એક વાર પણ પોતાના પરિવારનું, માતા પિતાનું નથી વિચારતા. આવો કદમ ઉઠાવતા પહેલા દરેક વ્યક્તિએ પોતાના પરિવારનું વિચારવું જોઈએ. કારણ કે તેમણે આવું જોવા માટે મોટા ના કર્યા હતા.  



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.