કચ્છ - રિલ બનાવવાના ચક્કરમાં યુવાનોએ મુન્દ્રાના દરિયા કિનારે બે Thar ગાડી પાણીમાં ઉતારી અને પછી જે થયું તે.. જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-06-24 17:06:57

સોશિયલ મીડિયા પર પબ્લિસિટી મેળવવા માટે લોકો રિલ્સ બનાવતા હોય છે. રિલ્સ બનાવી લોકો પ્રસિદ્ધ થવા માગતા હોય છે.. રિલ્સના ચક્કરમાં લોકો પોતાના જીવને ખતરામાં મૂકતા હોય છે.. પોતાના જીવન કરતા રિલ્સને લોકો વધારે પ્રાધાન્ય આપે છે. ત્યારે એક વીડિયો કચ્છથી સામે આવ્યો છે જેમાં સ્ટંટ કરવાના ચક્કરમાં બે થાર દરિયામાં ફસાઈ ગઈ. એક થારનું એન્જિન ફેઈલ થઈ ગયું હતું. કાર ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી પોલીસે કાર ડીટેઈન કરી લીધી છે.  

વીડિયો સામે આવ્યો જેમાં.... 

સ્ટંટ કરી પોતાના જીવનને જોખમમાં અનેક લોકો મૂકતા હોય છે. અનેક વીડિયો આપણી સામે છે જેમાં સ્ટંટ, રિલ્સ જીવન કરતા વધારે મહત્વના હોય છે. રિલ્સ બનાવાના ચક્કરમાં ગમે ત્યાં વાહન ચલાવી દેતા હોય છે. કોઈ પહાડ પર સ્ટંટ કરતા દેખાય છે તો કોઈ રસ્તા પર સ્ટંટ કરતા દેખાય છે. ત્યારે એક વીડિયો કચ્છથી સામે આવ્યો છે જેમાં બે થાર ગાડી દરિયામાં ફસાઈ ગઈ છે. આનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. 



દરિયામાં બે થાર ફસાઈ અને પછી....  

જે વીડિયો સામે આવ્યો છે તે મુન્દ્રાના ભદ્રેશ્વર નજીકના રંઘ બંદરનો હોવાનું માનવામાં આવી રહ્યું છે. સ્ટંટ કરવાના ચક્કરમાં દરિયામાં થાર લઈ ગયા અને ત્યાં ગાડી ફસાઈ ગઈ. એક ગાડીનું એન્જીન ફેલ થઈ ગયું. મળતી માહિતી અનુસાર દરિયામાં બંધ પડેલી ગાડીને બહાર કાઢવા માટે ટ્રેક્ટરની મદદ લેવામાં આવી. આ વીડિયો વાયરલ થયા બાદ પોલીસ એક્શનમાં દેખાઈ.  બન્ને થાર ચાલકની ઓળખ થઈ ચૂકી છે. તે પૈકી એકની ગાંધીધામ ખાતેથી અટકાયત કરી મુન્દ્રા ખાતે લાવવામાં આવી રહ્યો છે. 




રિલ્સના ચક્કરમાં લોકો પોતાના જીવનને મૂકે છે સંકટમાં 

મહત્વનું છે કે આવા અનેક વીડિયો આપણી સામે છે જેમાં લોકો જીવને જોખમમાં મૂકે છે માત્ર સોશિયલ મીડિયામાં પ્રસિદ્ધ થવા માટે.. તેમને એવું લાગે છે કે જો આવા સ્ટંટ કરીને તે પ્રસિદ્ધ થઈ જશે તો લોકો તેમને ઓખળતા થઈ જશે.. તે ફેમસ થઈ જશે.. પરંતુ લોકો ભૂલી જાય છે કે આવું કરીને તે પોતાના જીવનને સંકટમાં મૂકે છે.. સ્ટંટ કરતી વખતે કોઈ ઉંચ નીચ થઈ તો તેમને પોતાનું જીવન ગુમાવું પડે છે. ત્યારે આ મામલે તમારૂં શું માનવું છે તે અમને કમેન્ટ બોક્સમાં જણાવજો...  



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.