કચ્છ - રિલ બનાવવાના ચક્કરમાં યુવાનોએ મુન્દ્રાના દરિયા કિનારે બે Thar ગાડી પાણીમાં ઉતારી અને પછી જે થયું તે.. જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-06-24 17:06:57

સોશિયલ મીડિયા પર પબ્લિસિટી મેળવવા માટે લોકો રિલ્સ બનાવતા હોય છે. રિલ્સ બનાવી લોકો પ્રસિદ્ધ થવા માગતા હોય છે.. રિલ્સના ચક્કરમાં લોકો પોતાના જીવને ખતરામાં મૂકતા હોય છે.. પોતાના જીવન કરતા રિલ્સને લોકો વધારે પ્રાધાન્ય આપે છે. ત્યારે એક વીડિયો કચ્છથી સામે આવ્યો છે જેમાં સ્ટંટ કરવાના ચક્કરમાં બે થાર દરિયામાં ફસાઈ ગઈ. એક થારનું એન્જિન ફેઈલ થઈ ગયું હતું. કાર ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી પોલીસે કાર ડીટેઈન કરી લીધી છે.  

વીડિયો સામે આવ્યો જેમાં.... 

સ્ટંટ કરી પોતાના જીવનને જોખમમાં અનેક લોકો મૂકતા હોય છે. અનેક વીડિયો આપણી સામે છે જેમાં સ્ટંટ, રિલ્સ જીવન કરતા વધારે મહત્વના હોય છે. રિલ્સ બનાવાના ચક્કરમાં ગમે ત્યાં વાહન ચલાવી દેતા હોય છે. કોઈ પહાડ પર સ્ટંટ કરતા દેખાય છે તો કોઈ રસ્તા પર સ્ટંટ કરતા દેખાય છે. ત્યારે એક વીડિયો કચ્છથી સામે આવ્યો છે જેમાં બે થાર ગાડી દરિયામાં ફસાઈ ગઈ છે. આનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. 



દરિયામાં બે થાર ફસાઈ અને પછી....  

જે વીડિયો સામે આવ્યો છે તે મુન્દ્રાના ભદ્રેશ્વર નજીકના રંઘ બંદરનો હોવાનું માનવામાં આવી રહ્યું છે. સ્ટંટ કરવાના ચક્કરમાં દરિયામાં થાર લઈ ગયા અને ત્યાં ગાડી ફસાઈ ગઈ. એક ગાડીનું એન્જીન ફેલ થઈ ગયું. મળતી માહિતી અનુસાર દરિયામાં બંધ પડેલી ગાડીને બહાર કાઢવા માટે ટ્રેક્ટરની મદદ લેવામાં આવી. આ વીડિયો વાયરલ થયા બાદ પોલીસ એક્શનમાં દેખાઈ.  બન્ને થાર ચાલકની ઓળખ થઈ ચૂકી છે. તે પૈકી એકની ગાંધીધામ ખાતેથી અટકાયત કરી મુન્દ્રા ખાતે લાવવામાં આવી રહ્યો છે. 




રિલ્સના ચક્કરમાં લોકો પોતાના જીવનને મૂકે છે સંકટમાં 

મહત્વનું છે કે આવા અનેક વીડિયો આપણી સામે છે જેમાં લોકો જીવને જોખમમાં મૂકે છે માત્ર સોશિયલ મીડિયામાં પ્રસિદ્ધ થવા માટે.. તેમને એવું લાગે છે કે જો આવા સ્ટંટ કરીને તે પ્રસિદ્ધ થઈ જશે તો લોકો તેમને ઓખળતા થઈ જશે.. તે ફેમસ થઈ જશે.. પરંતુ લોકો ભૂલી જાય છે કે આવું કરીને તે પોતાના જીવનને સંકટમાં મૂકે છે.. સ્ટંટ કરતી વખતે કોઈ ઉંચ નીચ થઈ તો તેમને પોતાનું જીવન ગુમાવું પડે છે. ત્યારે આ મામલે તમારૂં શું માનવું છે તે અમને કમેન્ટ બોક્સમાં જણાવજો...  



મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.