Vadodara અકસ્માતમાં આખી સિસ્ટમ આરોપી બાજુ ઊભી રહી ગઈ। ફરિયાદી સાથે શું કર્યું ઓડિયો સાંભળો


  • Published By :
  • Published Date : 2024-02-19 17:54:41

આપણા સિસ્ટમની કમનસીબી એ છે કે તમે કેટલા સાચા છો, તમે પીડિત છો કે આરોપી તેવી વસ્તુઓ ગોણ થઈ જાય છે જ્યારે તમારી સામે જે વ્યક્તિ છે તે એકદમ પાવરફૂલ હોય છે. વડોદરાના ફતેગંજ પાસે એક અકસ્માત થયો. એ અકસ્માત એક યુવાને કર્યો હતો. ત્યાંના સ્થાનિકોનું એવું કહેવું હતું કે છોકરો સ્પીડમાં ગાડી ચલાવી રહ્યો હતો, કેટલી સ્પીડમાં ગાડી હતી તે વાતો તપાસ પછી સામે આવશે. તપાસ બાદ આખી ઘટનાની માહિતી સામે આવી પરંતુ ચર્ચા અહીંયા અકસ્માતની નથી કરવી પરંતુ ચર્ચા કરવી છે તે બાદ તે વ્યક્તિ દ્વારા કરવામાં આવેલા વ્યવહારની! અકસ્માત વડોદરાની સમરસ હોસ્ટેલમાં રહેતા બે છોકરાઓનો પેલા ગાડી વાળા સાથે થાય છે. 

જો તમારી ગાડીથી અકસ્માત સર્જાય છે તો નૈતિક જવાબદારી છે કે... 

કામથી નીકળેલા છોકરાઓ સાથે ગાડી એટલી ભયંકર રીતે ટક્કરાઈ કે ટક્કર થયા બાદ છોકરાઓ ઉછળીને પેલી ગાડી પર જ અથડાયા. સામાન્ય રીતે આવી ઘટના થાય ત્યારે માનવતાની દ્રષ્ટ્રિએ પેલા વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલ ખસેડવા જોઈએ પરંતુ આ ઘટનામાં આવું કંઈ ના થયું. નૈતિક જવાબદારી છે કે તમે ઘાયલ થયેલા વ્યક્તિને હોસ્પિટલ લઈ જાવ, હોસ્પિટલ પહોંચાડવામાં મદદ કરો નહીં કે ગાડી લઈને ભાગી જાવ. એ લોકો ત્યાંથી ભાગી ગયા, સ્થાનિકોએ તેમને રોકવાની કોશિશ કરી, તો સ્થાનિકોને એ ગાડી વાળા છોકરાએ કચડવાની કોશિશ કરી. 


અકસ્માતને લઈ ફરિયાદ કરવા છોકરાઓ પહોંચ્યા પોલીસસ્ટેશન 

છોકરાઓને હોસ્પિટલ લઈ ગયા, એક છોકરાને ગંભીર રીતે ઈજા પહોંચી છે, માથાના ભાગે સિવિયર ઈન્જરી થઈ છે. ઘાયલ થયેલા વિદ્યાર્થીની સારવાર ચાલી રહી છે. માતા પિતાને જાણ કરવામાં આવી. ઈજાગ્રસ્ત મિત્રની મદદમાં બાકીના મિત્રો આવ્યા. પોતાની ફરજ સમજી તેઓ ગાડી વાળા વ્યક્તિ સામે ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન પહોંચ્યા. મિત્રોએ ઘાયલ થયેલા મિત્રનો સાથ ન છોડ્યો. એ પણ સ્વાભાવિક છે કે એ લોકો પોલીસ સ્ટેશન પહોંચે અને ફરિયાદ નોંધાવે. તે યુવાનોના કામને બિરદાવવી જોઈએ કે તેમણે હિંમત ન હારી.


સાંસદ પણ પોલીસ સ્ટેશન પહોંચ્યા, છોકરાઓ સાથે વાત કરી અને.. 

ઘટનાની જાણ થયા બાદ પહેલા સ્થાનિક નેતાઓ ત્યાં પહોંચ્યા. તે બાદ વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ પણ ત્યાં પહોંચ્યા. વડોદરાના સાંસદ તરીકે તે ત્યાં પહોંચ્યા તેવું માની લઈએ પરંતુ છોકરાઓ અને સાંસદ વચ્ચેનો સંવાદ છે તે ચોંકાવનારો છે. રંજનબેન શરૂઆત છોકરાઓને સમજાવાથી કરે છે, તે છોકરાઓને સવાલો પૂછે છે કે શું તમને ખબર છે કે તેમની પાસે લાઈસન્સ હતું કે નહીં?  એક્ટિવા કોની હતી વગેરે વગેરે. તમે તેમની મદદ કરવા ઈચ્છો પરંતુ એવું ના થાય કે તમે તેમાં ભરાઈ જાવ એવી વાતો સાંસદ દ્વારા કહેવામાં આવી. પણ એના પછી જે થયું કદાચ એની કલ્પના ફરિયાદ કરવા આવેલા છોકરાઓને નહીં હોય. 


ઘાયલ થયેલા છોકરાઓને મળવાની પણ તસ્દી કોઈને ના લીધી!

પેલા છોકરાનો હાથ પકડીને સાંસદ લઈ જાય છે.  છોકરાઓની ફરિયાદ એ હતી કે જે વ્યક્તિથી અકસ્માત થયો છે તેને છોડાવવા માટે નેતાઓ, સાંસદ આવે છે પરંતુ જે વ્યક્તિ ઘાયલ થયો છે તેની ખબર અંતર પૂછવા માટે કોઈ નથી જતું. એ લોકોની ખબર અંતર પૂછવાની તસ્દી કોઈએ ના લીધી. પેલા વ્યક્તિને બચાવવા માટે પોલીસ સ્ટેશન લોકો પહોંચી રહ્યા છે પરંતુ પેલા વ્યક્તિની સારવાર કેવી ચાલે છે તે જાણવામાં કોઈને રસ જ ન હતો.. ! 

સંવાદનો વીડિયો સાંસદે કરાવ્યો ડિલીટ!

જ્યારે રંજનબેન છોકરાઓને સમજાવી રહ્યા હતા ત્યારે એક છોકરો તેનો વીડિયો ઉતારી રહ્યો હતો.  પોલીસ સ્ટેશનમાં પેલા છોકરાઓ હાજર છે, પોલીસકર્મીઓની હાજરી છે, સાંસદ પેલા છોકરાને વીડિયો ઉતારતા જોઈ જાય છે અને તેને વીડિયો ડિલીટ કરવાનું કહે છે. છોકરા પાસેથી વીડિયો ડિલીટ કરાવી દે છે. એવી પણ માહિતી સામે આવી છે કે જે છોકરાએ અકસ્માત સર્જ્યો છે તેનું નામ એફઆઈઆરમાંથી કાઢવામાં આવ્યું છે. એમણે કઢાવ્યું અને પોલીસે કાઢ્યું. આવું થયા પછી પેલા છોકરાઓ કેવી રીતે વિશ્વાસ કરી શકશે કે આ ઘટનામાં નિષ્પક્ષ તપાસ થશે. છોકરાઓએ કહ્યું કે નાગરિકોના અધિકારોની લોકો મોટી મોટી વાતો કરે છે પણ જો આપણે ખુલ્લીને એમની સામે બોલીએ છીએ, એમને પ્રશ્ન પૂછીએ છીએ તો કોઈનાથી સહન નથી થતું. છોકરાઓએ કહ્યું કે તેમને ન્યાય જોઈએ છીએ.! 


પોલીસ શું કામ લોકોને ભરોસો નથી અપાવી શકતી કે પોલીસ તેમની રક્ષક છે? 

સાંસદ રંજનબેનનો પોતાનો પક્ષ હોઈ શકે, તેમણે શું કામ આવું કર્યું એનો જવાબ ખાલી એમની પાસે હશે. એ કદાચ સામે વાળા વ્યક્તિને નિર્દોષ માનીને બચાવા ગયા હોય, પણ એ સાંસદ છે એટલે તેમની જવાબદારી વધી જાય છે. કાયદા વ્યવસ્થાનું પાલન જળવાઈ રહે તે જોવાની જવાબદારી સાંસદની છે. ઘણા બધા નિર્ણયો પ્રેક્ટિકલી લેવાતા હોય છે. ત્યારે પ્રશ્ન એ થાય કે પોલીસ શું કામ દરેક વખત શાસકોની કઠપુતળી બની જાય છે.? જમાવટ પાસે એ સંવાદનો ઓડિયો છે જેમાં છોકરાઓ અને સાંસદો વચ્ચે વાતચીત થઈ હતી. એ ઓડિયો સાંભળો તેની સાથે શું થયું? 


   



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે