શિયાળાની સિઝનમાં પહેલા કમોસમી વરસાદ આવ્યો અને પછી પડી ગરમી, ત્યારે જાણો આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન?


  • Published By :
  • Published Date : 2024-02-12 16:14:30

સામાન્ય રીતે તો હમણાં શિયાળાની સિઝન ચાલી રહી છે પરંતુ આ સિઝન દરમિયાન એવો સમય આવ્યો હતો જ્યારે કોઈ વખત કમોસમી વરસાદ થયો હતો અને કોઈ વખત ગરમીનો અહેસાસ થયો હતો. બપોરના સમયે એટલી બધી ગરમી થતી હતી કે પંખો કરવો પડ્યો હતો. તાપમાનનો પારો સતત વધતો ગયો હતો અને જાણે ઉનાળાની સિઝન શરૂ થઈ ગઈ હોય તેવું લાગતું હતું. ત્યારે આવનાર દિવસોમાં રાજ્યનું વાતાવરણ કેવું રહેશે તેની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર આગામી 24 કલાકમાં તાપમાનમાં કોઇ ફેરફાર નહીં થાય. જે બાદ બેથી ત્રણ ડિગ્રી તાપમાન વધી શકે છે. 


શિયાળાની સિઝનમાં પહેલા વરસાદ આવ્યો અને પછી પડી ગરમી!

આપણે ત્યાં માણસ માટે કહેવાતું હતું કે માણસ ગમે ત્યારે બદલાઈ જાય છે પરંતુ લાગે છે કે વાતાવરણને પણ માણસની અસર આઈ લાગે છે! ગમે ત્યારે વાતાવરણમાં પલટો આવી જાય છે જેને કારણે આખી સિસ્ટમ અસ્તવ્યસ્ત થઈ જાય છે. છેલ્લા અનેક દિવસોથી જે પ્રમાણે વાતાવરણમાં ફેરફાર જોવા મળી રહ્યા છે તેની ઉપરથી કહી રહ્યા છીએ! શિયાળાની સિઝન જ્યારે શરૂ થઈ ત્યારે રાજ્યના અનેક ભાગોમાં કમોસમી વરસાદ આવ્યો હતો જેને કારણે ઠંડીનું પ્રમાણ ઓછું થઈ ગયું. વરસાદ ગયો તે બાદ ધીરે ધીરે ઠંડીની શરૂઆત થઈ. કડકડતી ઠંડી પડવાની શરૂઆત જ થઈ હતી ત્યારે તો ગરમીનો અનુભવ થવા લાગ્યો. 



આવનાર દિવસોમાં નથી વરસાદની શક્યતા  

ફેબ્રુઆરી મહિનાની શરૂઆતમાં જ ગરમીનો પ્રકોપ સહન કરવા લોકો મજબૂર બન્યા હતા. થોડા દિવસો પહેલા એવી ગરમી હતી કે બપોરના સમયે પંખો કરવાની ફરજ પડતી હતી. પરંતુ એક બે દિવસથી ઠંડા પવન ફૂંકાઈ રહ્યા છે જેને કારણે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. ત્યારે આવનાર દિવસો દરમિયાન વરસાદની સંભાવના નહીંવત છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 



અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે... 

જો રાજ્યમાં નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં અમદાવાદનું તાપમાન 16.5 ડિગ્રી નોંધાયું છે જ્યારે ગાંધીનગરનું તાપમાન 15.5 ડિગ્રી નોંધાયુ હતું. આવનાર દિવસમાં રાજ્યનું તાપમાન સુકુ રહેશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે 15 ફેબ્રુઆરી બાદ ગરમીનો પ્રકોપ શરૂ થશે.    



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે