શિયાળાની સિઝનમાં પહેલા કમોસમી વરસાદ આવ્યો અને પછી પડી ગરમી, ત્યારે જાણો આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન?


  • Published By :
  • Published Date : 2024-02-12 16:14:30

સામાન્ય રીતે તો હમણાં શિયાળાની સિઝન ચાલી રહી છે પરંતુ આ સિઝન દરમિયાન એવો સમય આવ્યો હતો જ્યારે કોઈ વખત કમોસમી વરસાદ થયો હતો અને કોઈ વખત ગરમીનો અહેસાસ થયો હતો. બપોરના સમયે એટલી બધી ગરમી થતી હતી કે પંખો કરવો પડ્યો હતો. તાપમાનનો પારો સતત વધતો ગયો હતો અને જાણે ઉનાળાની સિઝન શરૂ થઈ ગઈ હોય તેવું લાગતું હતું. ત્યારે આવનાર દિવસોમાં રાજ્યનું વાતાવરણ કેવું રહેશે તેની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર આગામી 24 કલાકમાં તાપમાનમાં કોઇ ફેરફાર નહીં થાય. જે બાદ બેથી ત્રણ ડિગ્રી તાપમાન વધી શકે છે. 


શિયાળાની સિઝનમાં પહેલા વરસાદ આવ્યો અને પછી પડી ગરમી!

આપણે ત્યાં માણસ માટે કહેવાતું હતું કે માણસ ગમે ત્યારે બદલાઈ જાય છે પરંતુ લાગે છે કે વાતાવરણને પણ માણસની અસર આઈ લાગે છે! ગમે ત્યારે વાતાવરણમાં પલટો આવી જાય છે જેને કારણે આખી સિસ્ટમ અસ્તવ્યસ્ત થઈ જાય છે. છેલ્લા અનેક દિવસોથી જે પ્રમાણે વાતાવરણમાં ફેરફાર જોવા મળી રહ્યા છે તેની ઉપરથી કહી રહ્યા છીએ! શિયાળાની સિઝન જ્યારે શરૂ થઈ ત્યારે રાજ્યના અનેક ભાગોમાં કમોસમી વરસાદ આવ્યો હતો જેને કારણે ઠંડીનું પ્રમાણ ઓછું થઈ ગયું. વરસાદ ગયો તે બાદ ધીરે ધીરે ઠંડીની શરૂઆત થઈ. કડકડતી ઠંડી પડવાની શરૂઆત જ થઈ હતી ત્યારે તો ગરમીનો અનુભવ થવા લાગ્યો. 



આવનાર દિવસોમાં નથી વરસાદની શક્યતા  

ફેબ્રુઆરી મહિનાની શરૂઆતમાં જ ગરમીનો પ્રકોપ સહન કરવા લોકો મજબૂર બન્યા હતા. થોડા દિવસો પહેલા એવી ગરમી હતી કે બપોરના સમયે પંખો કરવાની ફરજ પડતી હતી. પરંતુ એક બે દિવસથી ઠંડા પવન ફૂંકાઈ રહ્યા છે જેને કારણે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. ત્યારે આવનાર દિવસો દરમિયાન વરસાદની સંભાવના નહીંવત છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 



અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે... 

જો રાજ્યમાં નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં અમદાવાદનું તાપમાન 16.5 ડિગ્રી નોંધાયું છે જ્યારે ગાંધીનગરનું તાપમાન 15.5 ડિગ્રી નોંધાયુ હતું. આવનાર દિવસમાં રાજ્યનું તાપમાન સુકુ રહેશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે 15 ફેબ્રુઆરી બાદ ગરમીનો પ્રકોપ શરૂ થશે.    



સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"