શિયાળાની સિઝનમાં પહેલા કમોસમી વરસાદ આવ્યો અને પછી પડી ગરમી, ત્યારે જાણો આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન?


  • Published By :
  • Published Date : 2024-02-12 16:14:30

સામાન્ય રીતે તો હમણાં શિયાળાની સિઝન ચાલી રહી છે પરંતુ આ સિઝન દરમિયાન એવો સમય આવ્યો હતો જ્યારે કોઈ વખત કમોસમી વરસાદ થયો હતો અને કોઈ વખત ગરમીનો અહેસાસ થયો હતો. બપોરના સમયે એટલી બધી ગરમી થતી હતી કે પંખો કરવો પડ્યો હતો. તાપમાનનો પારો સતત વધતો ગયો હતો અને જાણે ઉનાળાની સિઝન શરૂ થઈ ગઈ હોય તેવું લાગતું હતું. ત્યારે આવનાર દિવસોમાં રાજ્યનું વાતાવરણ કેવું રહેશે તેની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર આગામી 24 કલાકમાં તાપમાનમાં કોઇ ફેરફાર નહીં થાય. જે બાદ બેથી ત્રણ ડિગ્રી તાપમાન વધી શકે છે. 


શિયાળાની સિઝનમાં પહેલા વરસાદ આવ્યો અને પછી પડી ગરમી!

આપણે ત્યાં માણસ માટે કહેવાતું હતું કે માણસ ગમે ત્યારે બદલાઈ જાય છે પરંતુ લાગે છે કે વાતાવરણને પણ માણસની અસર આઈ લાગે છે! ગમે ત્યારે વાતાવરણમાં પલટો આવી જાય છે જેને કારણે આખી સિસ્ટમ અસ્તવ્યસ્ત થઈ જાય છે. છેલ્લા અનેક દિવસોથી જે પ્રમાણે વાતાવરણમાં ફેરફાર જોવા મળી રહ્યા છે તેની ઉપરથી કહી રહ્યા છીએ! શિયાળાની સિઝન જ્યારે શરૂ થઈ ત્યારે રાજ્યના અનેક ભાગોમાં કમોસમી વરસાદ આવ્યો હતો જેને કારણે ઠંડીનું પ્રમાણ ઓછું થઈ ગયું. વરસાદ ગયો તે બાદ ધીરે ધીરે ઠંડીની શરૂઆત થઈ. કડકડતી ઠંડી પડવાની શરૂઆત જ થઈ હતી ત્યારે તો ગરમીનો અનુભવ થવા લાગ્યો. 



આવનાર દિવસોમાં નથી વરસાદની શક્યતા  

ફેબ્રુઆરી મહિનાની શરૂઆતમાં જ ગરમીનો પ્રકોપ સહન કરવા લોકો મજબૂર બન્યા હતા. થોડા દિવસો પહેલા એવી ગરમી હતી કે બપોરના સમયે પંખો કરવાની ફરજ પડતી હતી. પરંતુ એક બે દિવસથી ઠંડા પવન ફૂંકાઈ રહ્યા છે જેને કારણે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. ત્યારે આવનાર દિવસો દરમિયાન વરસાદની સંભાવના નહીંવત છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 



અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે... 

જો રાજ્યમાં નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં અમદાવાદનું તાપમાન 16.5 ડિગ્રી નોંધાયું છે જ્યારે ગાંધીનગરનું તાપમાન 15.5 ડિગ્રી નોંધાયુ હતું. આવનાર દિવસમાં રાજ્યનું તાપમાન સુકુ રહેશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે 15 ફેબ્રુઆરી બાદ ગરમીનો પ્રકોપ શરૂ થશે.    



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.