Junagadhની આ યુનિવર્સિટીમાં થયો મોટો છબરડો, ટોટલ માર્ક્સ કરતા પણ વિદ્યાર્થીઓને અપાયા વધારે માર્ક્સ! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-12-01 10:30:06

યુનિવર્સિટીની પરીક્ષામાં અનેક વખત છબરડા થયા હોય તેવા કિસ્સાઓ સામે આવતા હોય છે. કોઈ વખત પેપર ફૂટે છે તો કોઈ વખત પરીક્ષામાં ગેરરીતિ કરવામાં આવતી હોય છે. ફરી એક વખત એક યુનિવર્સિટીની પરીક્ષામાં છબરડો થયો હોય તેવી માહિતી સામે આવી છે. પેપર હતું 50 માર્ક્સનું અને મહત્તમ માર્ક 50 કરતા વધારે છપાયા. આવી ઘટના ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં બની છે.     

પ્રેક્ટિકલના માર્ક આપવામાં ગેરરીતિ આચરવામાં આવી! 

ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીનો મોટો છબરડો સામે આવ્યો છે. નર્સીંગ કોલેજનાં ટીવાય બીએસસી નર્સીંગના વિદ્યાર્થીઓને જે માર્કશીટ અપાઇ તેમાં મેન્ટલ હેલ્થ નર્સીંગ વિષયના પ્રેક્ટિકલ એક્સ્ટર્નલમાં મહત્તમ માર્ક 50 કરતાં મળેલા માર્ક વધુ છપાયા હતા. આવા 34 વિદ્યાર્થીઓએ કુલપતિ ડો. ચેતન ત્રિવેદી સમક્ષ આ છબરડા વિશેની ફરીયાદ કરી હતી. તેથી તમામની માર્કશીટ સુધારીને બધાને ફરીથી નવી માર્કશીટ ઇસ્યુ કરાઇ હતી. આ દરમ્યાન યુનિવર્સિટીની છબરડાવાળી 4 માર્કશીટો સોશિયલ મીડિયા પર એવી ટીપ્પણી સાથે વાયરલ થઇ ગઇ હતી કે, પ્રેક્ટિકલના માર્ક આપવામાં ગેરરીતિ આચરવામાં આવી છે.



હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.