Junagadhની આ યુનિવર્સિટીમાં થયો મોટો છબરડો, ટોટલ માર્ક્સ કરતા પણ વિદ્યાર્થીઓને અપાયા વધારે માર્ક્સ! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-12-01 10:30:06

યુનિવર્સિટીની પરીક્ષામાં અનેક વખત છબરડા થયા હોય તેવા કિસ્સાઓ સામે આવતા હોય છે. કોઈ વખત પેપર ફૂટે છે તો કોઈ વખત પરીક્ષામાં ગેરરીતિ કરવામાં આવતી હોય છે. ફરી એક વખત એક યુનિવર્સિટીની પરીક્ષામાં છબરડો થયો હોય તેવી માહિતી સામે આવી છે. પેપર હતું 50 માર્ક્સનું અને મહત્તમ માર્ક 50 કરતા વધારે છપાયા. આવી ઘટના ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં બની છે.     

પ્રેક્ટિકલના માર્ક આપવામાં ગેરરીતિ આચરવામાં આવી! 

ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીનો મોટો છબરડો સામે આવ્યો છે. નર્સીંગ કોલેજનાં ટીવાય બીએસસી નર્સીંગના વિદ્યાર્થીઓને જે માર્કશીટ અપાઇ તેમાં મેન્ટલ હેલ્થ નર્સીંગ વિષયના પ્રેક્ટિકલ એક્સ્ટર્નલમાં મહત્તમ માર્ક 50 કરતાં મળેલા માર્ક વધુ છપાયા હતા. આવા 34 વિદ્યાર્થીઓએ કુલપતિ ડો. ચેતન ત્રિવેદી સમક્ષ આ છબરડા વિશેની ફરીયાદ કરી હતી. તેથી તમામની માર્કશીટ સુધારીને બધાને ફરીથી નવી માર્કશીટ ઇસ્યુ કરાઇ હતી. આ દરમ્યાન યુનિવર્સિટીની છબરડાવાળી 4 માર્કશીટો સોશિયલ મીડિયા પર એવી ટીપ્પણી સાથે વાયરલ થઇ ગઇ હતી કે, પ્રેક્ટિકલના માર્ક આપવામાં ગેરરીતિ આચરવામાં આવી છે.



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.