તો શું અમેરિકામાં H-1B વિઝા કાર્યક્રમમાં થઇ શકે છે ફેરફાર?


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-03-24 14:12:51

H - 1B વિઝા કાર્યક્રમ જે અંતર્ગત સ્કિલ્ડ લેબર ફોર્સને અમેરિકાની મોટી મોટી કંપનીઓ નોકરી આપે છે . પરંતુ હવે અમેરિકામાં સ્થિત ભારતીયોમાં આ H - 1B વિઝાને લઇને જોરદાર ડરનો માહોલ છે કેમ કે , સંભાવના છે કે , રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આ H - 1B વિઝા કાર્યક્રમમાં ફેરફાર કરી શકે છે. તો આવો જાણીએ શું છે આખો મામલો? 

H-1B visa cap for FY 2025 reached! What applicants for US H-1B visa program  should check - Times of India

H - 1B વિઝા કાર્યક્રમ અમેરિકાના તત્કાલીન રાષ્ટ્રપતિ જ્યોર્જ એચ ડબ્લયું બુશ વખતે ઇમિગ્રેશન એક્ટ ,૧૯૯૦  અંતર્ગત શરુ કરવામાં આવ્યો હતો . જે અંતર્ગત અમેરિકાની ખુબ મોટી મોટી કંપનીઓ સ્કિલ્ડ લેબરને રોજગારી આપે છે. H - 1B વિઝા ધારકોમાં એકલા ૭૦ ટકા તો માત્ર ભારતીયો છે. પરંતુ હવે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપ્રમુખ બન્યા બાદ H - 1B વિઝાને લઇને ખુબ મોટી ચર્ચા ચાલી રહી છે . સાથે જ સંભાવના છે કે , ડોનાલ્ડ ટ્રમ્પ મોટાપાયે ઇમીગ્રેશનની નીતિઓમાં પણ ફેરફાર કરી શકે છે.  રીપબ્લિકન રાષ્ટ્રપ્રમુખના કેટલાક સાથીઓ વર્તમાન ઇમીગ્રેશનની નીતિઓને કડક બનાવવા માંગે છે . શરૂઆતમાં તો ડોનાલ્ડ ટ્રમ્પ H -1B વિઝા કાર્યક્રમના વિરોધમાં હતા પરંતુ હવે તેઓ સમર્થનમાં દેખાઈ રહ્યા છે. કેમ કે , તેમના જ એક મંત્રી એલોન મસ્ક તેના પુરા સમર્થનમાં છે. અમેરિકાનું સિલિકોન વેલી કે જ્યાં મોટા ભાગના કર્મચારીઓ H - 1B વિઝા ધારક છે . ઘણા લોકો H - 1B વિઝાની વિરુદ્ધમાં તર્ક આપતા એવું કહી રહ્યા છે કે , આ વિઝા પર નિયંત્રણ મોટી મોટી કંપનીઓનું હોય છે . આ નિયંત્રણ તેમના એમ્પ્લોયર એટલેકે , જે નોકરી આપે છે તે કંપનીઓ પાસે હોય છે . માટે ઘણીવાર કંપનીઓ તેનો દુરપયોગ પણ કરતી હોય છે. અમેરિકામાં આ H - 1B વિઝા કાર્યક્રમથી ઘણા ભારતીયો સફળ પણ થયા છે . જેમ કે , ગુગલના સુંદર પીચાઈ , માઈક્રોસોફ્ટના સત્ય નાદેલા . ઈલોન મસ્ક જેમનો જન્મ સાઉથ આફ્રિકામાં થયો હતો . તેઓ પોતે પણ આ H -1B વિઝા કાર્યક્રમના ભાગ રૂપે જ અમેરિકા આવ્યા હતા . હાલમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ખુબ ખાસ કહેવાય છે. 

Elon Musk In 2025: What To Know About The World's Richest Person | Bankrate

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સામે ઈમિગ્રેશન વિરોધીઓ અને સિલિકોન વેલીની મોટી મોટી કંપનીઓ વચ્ચેની લડાઈ છે , જોઈએ ટ્રમ્પ કોનું સાંભળશેથોડાક સમય પેહલા જ ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સે ગ્રીનકાર્ડને લઇને નિવેદન આપ્યું હતું કે , " ગ્રીનકાર્ડ ધારકો પાસે અમેરીકામાં કાયમ માટે રહી જવાનો કોઈ અધિકાર નથી." આનાથી જે ભારતીયો અમેરિકામાં ગ્રીનકાર્ડની રાહ જોઈ રહ્યા છે સાથે જ જેમની પાસે ગ્રીનકાર્ડ છે આ બને વર્ગોમાં ફફડાટ આવી ગયો છે .  ડોનાલ્ડ ટ્રમ્પએ પોતાની આ નવી સરકારમાં ઘણા ભારતીય મૂળના લોકોને સ્થાન આપ્યું છે જેમ કે , તુલસી ગેબાર્ડને ઇન્ટેલિજન્સ ચીફ , કાશ પટેલને FBI ડાયરેક્ટર , કુશ દેસાઈને ડેપ્યુટી પ્રેસ સેક્રેટરી , હર્મિત ધિલ્લોનને  સિવિલ રાઈટ્સના અટોર્ની જનરલ બનાવવામાં આવ્યા છે . વાત કરીએ અમેરિકામાં સ્થિત ભારતીયોની તો , તેમની સંખ્યા અંદાજે , ૫૨ લાખ છે . તેમાંથી ૮૦ ટકા પાસે યુનિવર્સિટીની ડિગ્રી છે . આ ભારતીયો અમેરિકાની નેશનલ એવરેજ કરતા પણ સારું કમાય છે. 

એક વાત તો સાફ છે , અમેરિકા હાલમાં વિશ્વભરમાં મહાસત્તા છે કેમ કે , તેની પાસે સ્કિલ્ડ લેબર ફોર્સ છે. અને જો H 1B વિઝાના કાર્યક્રમમાં કોઈ પણ ફેરફાર કરવામાં આવ્યા તો અમેરિકાને લાંબાગાળે નુકશાન થઈ શકે છે.



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.