તો શું અમેરિકામાં H-1B વિઝા કાર્યક્રમમાં થઇ શકે છે ફેરફાર?


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-03-24 14:12:51

H - 1B વિઝા કાર્યક્રમ જે અંતર્ગત સ્કિલ્ડ લેબર ફોર્સને અમેરિકાની મોટી મોટી કંપનીઓ નોકરી આપે છે . પરંતુ હવે અમેરિકામાં સ્થિત ભારતીયોમાં આ H - 1B વિઝાને લઇને જોરદાર ડરનો માહોલ છે કેમ કે , સંભાવના છે કે , રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આ H - 1B વિઝા કાર્યક્રમમાં ફેરફાર કરી શકે છે. તો આવો જાણીએ શું છે આખો મામલો? 

H-1B visa cap for FY 2025 reached! What applicants for US H-1B visa program  should check - Times of India

H - 1B વિઝા કાર્યક્રમ અમેરિકાના તત્કાલીન રાષ્ટ્રપતિ જ્યોર્જ એચ ડબ્લયું બુશ વખતે ઇમિગ્રેશન એક્ટ ,૧૯૯૦  અંતર્ગત શરુ કરવામાં આવ્યો હતો . જે અંતર્ગત અમેરિકાની ખુબ મોટી મોટી કંપનીઓ સ્કિલ્ડ લેબરને રોજગારી આપે છે. H - 1B વિઝા ધારકોમાં એકલા ૭૦ ટકા તો માત્ર ભારતીયો છે. પરંતુ હવે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપ્રમુખ બન્યા બાદ H - 1B વિઝાને લઇને ખુબ મોટી ચર્ચા ચાલી રહી છે . સાથે જ સંભાવના છે કે , ડોનાલ્ડ ટ્રમ્પ મોટાપાયે ઇમીગ્રેશનની નીતિઓમાં પણ ફેરફાર કરી શકે છે.  રીપબ્લિકન રાષ્ટ્રપ્રમુખના કેટલાક સાથીઓ વર્તમાન ઇમીગ્રેશનની નીતિઓને કડક બનાવવા માંગે છે . શરૂઆતમાં તો ડોનાલ્ડ ટ્રમ્પ H -1B વિઝા કાર્યક્રમના વિરોધમાં હતા પરંતુ હવે તેઓ સમર્થનમાં દેખાઈ રહ્યા છે. કેમ કે , તેમના જ એક મંત્રી એલોન મસ્ક તેના પુરા સમર્થનમાં છે. અમેરિકાનું સિલિકોન વેલી કે જ્યાં મોટા ભાગના કર્મચારીઓ H - 1B વિઝા ધારક છે . ઘણા લોકો H - 1B વિઝાની વિરુદ્ધમાં તર્ક આપતા એવું કહી રહ્યા છે કે , આ વિઝા પર નિયંત્રણ મોટી મોટી કંપનીઓનું હોય છે . આ નિયંત્રણ તેમના એમ્પ્લોયર એટલેકે , જે નોકરી આપે છે તે કંપનીઓ પાસે હોય છે . માટે ઘણીવાર કંપનીઓ તેનો દુરપયોગ પણ કરતી હોય છે. અમેરિકામાં આ H - 1B વિઝા કાર્યક્રમથી ઘણા ભારતીયો સફળ પણ થયા છે . જેમ કે , ગુગલના સુંદર પીચાઈ , માઈક્રોસોફ્ટના સત્ય નાદેલા . ઈલોન મસ્ક જેમનો જન્મ સાઉથ આફ્રિકામાં થયો હતો . તેઓ પોતે પણ આ H -1B વિઝા કાર્યક્રમના ભાગ રૂપે જ અમેરિકા આવ્યા હતા . હાલમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ખુબ ખાસ કહેવાય છે. 

Elon Musk In 2025: What To Know About The World's Richest Person | Bankrate

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સામે ઈમિગ્રેશન વિરોધીઓ અને સિલિકોન વેલીની મોટી મોટી કંપનીઓ વચ્ચેની લડાઈ છે , જોઈએ ટ્રમ્પ કોનું સાંભળશેથોડાક સમય પેહલા જ ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સે ગ્રીનકાર્ડને લઇને નિવેદન આપ્યું હતું કે , " ગ્રીનકાર્ડ ધારકો પાસે અમેરીકામાં કાયમ માટે રહી જવાનો કોઈ અધિકાર નથી." આનાથી જે ભારતીયો અમેરિકામાં ગ્રીનકાર્ડની રાહ જોઈ રહ્યા છે સાથે જ જેમની પાસે ગ્રીનકાર્ડ છે આ બને વર્ગોમાં ફફડાટ આવી ગયો છે .  ડોનાલ્ડ ટ્રમ્પએ પોતાની આ નવી સરકારમાં ઘણા ભારતીય મૂળના લોકોને સ્થાન આપ્યું છે જેમ કે , તુલસી ગેબાર્ડને ઇન્ટેલિજન્સ ચીફ , કાશ પટેલને FBI ડાયરેક્ટર , કુશ દેસાઈને ડેપ્યુટી પ્રેસ સેક્રેટરી , હર્મિત ધિલ્લોનને  સિવિલ રાઈટ્સના અટોર્ની જનરલ બનાવવામાં આવ્યા છે . વાત કરીએ અમેરિકામાં સ્થિત ભારતીયોની તો , તેમની સંખ્યા અંદાજે , ૫૨ લાખ છે . તેમાંથી ૮૦ ટકા પાસે યુનિવર્સિટીની ડિગ્રી છે . આ ભારતીયો અમેરિકાની નેશનલ એવરેજ કરતા પણ સારું કમાય છે. 

એક વાત તો સાફ છે , અમેરિકા હાલમાં વિશ્વભરમાં મહાસત્તા છે કેમ કે , તેની પાસે સ્કિલ્ડ લેબર ફોર્સ છે. અને જો H 1B વિઝાના કાર્યક્રમમાં કોઈ પણ ફેરફાર કરવામાં આવ્યા તો અમેરિકાને લાંબાગાળે નુકશાન થઈ શકે છે.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.