તો શું અમેરિકામાં H-1B વિઝા કાર્યક્રમમાં થઇ શકે છે ફેરફાર?


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-03-24 14:12:51

H - 1B વિઝા કાર્યક્રમ જે અંતર્ગત સ્કિલ્ડ લેબર ફોર્સને અમેરિકાની મોટી મોટી કંપનીઓ નોકરી આપે છે . પરંતુ હવે અમેરિકામાં સ્થિત ભારતીયોમાં આ H - 1B વિઝાને લઇને જોરદાર ડરનો માહોલ છે કેમ કે , સંભાવના છે કે , રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આ H - 1B વિઝા કાર્યક્રમમાં ફેરફાર કરી શકે છે. તો આવો જાણીએ શું છે આખો મામલો? 

H-1B visa cap for FY 2025 reached! What applicants for US H-1B visa program  should check - Times of India

H - 1B વિઝા કાર્યક્રમ અમેરિકાના તત્કાલીન રાષ્ટ્રપતિ જ્યોર્જ એચ ડબ્લયું બુશ વખતે ઇમિગ્રેશન એક્ટ ,૧૯૯૦  અંતર્ગત શરુ કરવામાં આવ્યો હતો . જે અંતર્ગત અમેરિકાની ખુબ મોટી મોટી કંપનીઓ સ્કિલ્ડ લેબરને રોજગારી આપે છે. H - 1B વિઝા ધારકોમાં એકલા ૭૦ ટકા તો માત્ર ભારતીયો છે. પરંતુ હવે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપ્રમુખ બન્યા બાદ H - 1B વિઝાને લઇને ખુબ મોટી ચર્ચા ચાલી રહી છે . સાથે જ સંભાવના છે કે , ડોનાલ્ડ ટ્રમ્પ મોટાપાયે ઇમીગ્રેશનની નીતિઓમાં પણ ફેરફાર કરી શકે છે.  રીપબ્લિકન રાષ્ટ્રપ્રમુખના કેટલાક સાથીઓ વર્તમાન ઇમીગ્રેશનની નીતિઓને કડક બનાવવા માંગે છે . શરૂઆતમાં તો ડોનાલ્ડ ટ્રમ્પ H -1B વિઝા કાર્યક્રમના વિરોધમાં હતા પરંતુ હવે તેઓ સમર્થનમાં દેખાઈ રહ્યા છે. કેમ કે , તેમના જ એક મંત્રી એલોન મસ્ક તેના પુરા સમર્થનમાં છે. અમેરિકાનું સિલિકોન વેલી કે જ્યાં મોટા ભાગના કર્મચારીઓ H - 1B વિઝા ધારક છે . ઘણા લોકો H - 1B વિઝાની વિરુદ્ધમાં તર્ક આપતા એવું કહી રહ્યા છે કે , આ વિઝા પર નિયંત્રણ મોટી મોટી કંપનીઓનું હોય છે . આ નિયંત્રણ તેમના એમ્પ્લોયર એટલેકે , જે નોકરી આપે છે તે કંપનીઓ પાસે હોય છે . માટે ઘણીવાર કંપનીઓ તેનો દુરપયોગ પણ કરતી હોય છે. અમેરિકામાં આ H - 1B વિઝા કાર્યક્રમથી ઘણા ભારતીયો સફળ પણ થયા છે . જેમ કે , ગુગલના સુંદર પીચાઈ , માઈક્રોસોફ્ટના સત્ય નાદેલા . ઈલોન મસ્ક જેમનો જન્મ સાઉથ આફ્રિકામાં થયો હતો . તેઓ પોતે પણ આ H -1B વિઝા કાર્યક્રમના ભાગ રૂપે જ અમેરિકા આવ્યા હતા . હાલમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ખુબ ખાસ કહેવાય છે. 

Elon Musk In 2025: What To Know About The World's Richest Person | Bankrate

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સામે ઈમિગ્રેશન વિરોધીઓ અને સિલિકોન વેલીની મોટી મોટી કંપનીઓ વચ્ચેની લડાઈ છે , જોઈએ ટ્રમ્પ કોનું સાંભળશેથોડાક સમય પેહલા જ ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સે ગ્રીનકાર્ડને લઇને નિવેદન આપ્યું હતું કે , " ગ્રીનકાર્ડ ધારકો પાસે અમેરીકામાં કાયમ માટે રહી જવાનો કોઈ અધિકાર નથી." આનાથી જે ભારતીયો અમેરિકામાં ગ્રીનકાર્ડની રાહ જોઈ રહ્યા છે સાથે જ જેમની પાસે ગ્રીનકાર્ડ છે આ બને વર્ગોમાં ફફડાટ આવી ગયો છે .  ડોનાલ્ડ ટ્રમ્પએ પોતાની આ નવી સરકારમાં ઘણા ભારતીય મૂળના લોકોને સ્થાન આપ્યું છે જેમ કે , તુલસી ગેબાર્ડને ઇન્ટેલિજન્સ ચીફ , કાશ પટેલને FBI ડાયરેક્ટર , કુશ દેસાઈને ડેપ્યુટી પ્રેસ સેક્રેટરી , હર્મિત ધિલ્લોનને  સિવિલ રાઈટ્સના અટોર્ની જનરલ બનાવવામાં આવ્યા છે . વાત કરીએ અમેરિકામાં સ્થિત ભારતીયોની તો , તેમની સંખ્યા અંદાજે , ૫૨ લાખ છે . તેમાંથી ૮૦ ટકા પાસે યુનિવર્સિટીની ડિગ્રી છે . આ ભારતીયો અમેરિકાની નેશનલ એવરેજ કરતા પણ સારું કમાય છે. 

એક વાત તો સાફ છે , અમેરિકા હાલમાં વિશ્વભરમાં મહાસત્તા છે કેમ કે , તેની પાસે સ્કિલ્ડ લેબર ફોર્સ છે. અને જો H 1B વિઝાના કાર્યક્રમમાં કોઈ પણ ફેરફાર કરવામાં આવ્યા તો અમેરિકાને લાંબાગાળે નુકશાન થઈ શકે છે.



રાજકોટના ગોંડલમાં નિલેશ રૈયાણીના કેસમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની મુશ્કેલીઓ વધી શકે છે. કેમ કે, નિલેશ રૈયાણી કેસમાં ફરિયાદી જયેશ સાટોડિયાના નાનાં ભાઈ જગદીશ સાટોડિયાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખ્યો છે જેમાં તેમના દ્વારા નિલેશ રૈયાણી કેસ જે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે તેને ગુજરાત સરકાર તરફથી ઝડપથી ચલાવવા અપીલ કરી કરી છે. આ બાબતે કોઈ કાર્યવાહી ના થવા પર આગામી ૧૫ દિવસમાં જગદીશ સાટોડિયાએ સુપ્રીમ કોર્ટમાં PIL દાખલ કરવાની ચીમકી ઉચ્ચારી છે. તો આવો જાણીએ શું છે સમાચાર?

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે આજે પરિણામ આવી ગયા છે. રાજ્યની 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતની કુલ ૧૦,૦૦૫ બેઠક પર 26,196 ઉમેદવારના ચૂંટણી પરિણામો જાહેર થઈ રહ્યા છે. 26 એપ્રિલે આ બેઠકો પર સરેરાશ 57 ટકા મતદાન થયું હતું. જેમાં મહાનગરપાલિકાઓ , નગરપાલિકાઓ , જિલ્લા પંચાયત , તાલુકા પંચાયતોમાં ભાજપનો દબદબો યથાવત રહ્યો છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.