ભારતીયોને ડિપોર્ટ કરવા માટે અમેરિકાએ બનાવી નવી "સીબીપી" એપ!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-03-17 17:41:14

જો તમારા કોઈ સગા કબૂતરબાજી થકી કે અન્ય કોઈ ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશેલા હોય તો  અમેરિકન સરકારે  હાલમાં એક એપ બનાવી છે જેનું નામ છે સીબીપી હોમ એપ.   તેની પર કોઈ પણ વ્યક્તિ  જાતે જ રજીસ્ટ્રેશન થઈને જાતે જ ડિપોર્ટ થઇ શકે છે . થોડાક સમય પેહલા એક ભારતીય વિદ્યાર્થીના ડિપોર્ટ પછી  ટેસ્લાના સીઈઓ ઈલોન મસ્ક સીબીપી એપના સમર્થનમાં આવ્યા છે . આ બધા વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ જેડી વાન્સે ગ્રીનકાર્ડ પર ટિપ્પણી કરી છે . જેનાથી અમેરિકામાં વસતા ગ્રીનકાર્ડ ધારકોમાં ફફડાટ આવી ગયો છે .

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સત્તામાં આવ્યા બાદ ઇમિગ્રેશનનો મુદ્દો ખુબ ચર્ચામાં છે . આપણે જોયું કે કઈ રીતે અમેરિકી સરકારે હાથ - પગમાં સાંકળો બાંધીને ઇલલીગલ ભારતીયોને  ડિપોર્ટ કર્યા હતા . હવે અમેરિકી સરકારે સીબીપી હોમ એપ બનાવી છે જેના દ્વારા ગેરકાયદેસર રીતે પ્રવેશેલી વ્યક્તિ પોતાની રીતે જ આ એપ પર રજીસ્ટર થઇ શકે છે અને ત્યારબાદ ડિપોર્ટ થઇ શકે છે . આ સીબીપી હોમ એપ શરૂઆતમાં આશ્રય એટલેકે , અસાયલમ માંગવા બનાવવામાં આવી હતી . જોકે હવે ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન તેનો ઉપયોગ ગેરકાયદેસર રીતે પ્રવેશેલા ઇમિગ્રન્ટ્સ "સેલ્ફ ડિપોર્ટ"ની સુવિધા ઉપાડી શકે તે માટે કરી રહ્યું છે . આ સીબીપી હોમ એપ કાયદેસર રીતે ઈમિગ્રેન્ટ્સને ડિપોર્ટ કરી કરશે . યુએસનું વહીવટીતંત્ર સીબીપી એપને લાખો બિનદસ્તાવેજીકૃત ઇમિગ્રન્ટ્સને દેશનિકાલ કરવાના રાષ્ટ્રપતિ ટ્રમ્પના પ્રયાસોને આગળ વધારવા માટે એક સરળ અને કોસ્ટ ઇફેક્ટિવ માર્ગ તરીકે જોઈ રહ્યું છે . આ સીબીપી એપ અગાઉ તત્કાલીન અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેનના સમયમાં લોન્ચ કરવામાં આવી હતી . પરંતુ તે વખતે તેનો હેતુ ઉપર જણાવાયું તેમ આશ્રય એટલેકે , અઝાયલમ માંગવા થતો હતો . વર્તમાનમાં ટ્રમ્પના કાર્યકાળમાં તેનો ઉપયોગ હવે ડિપોર્ટ કરવા માટે થાય છે. 

Joe Biden says he is 'first black woman to serve with a black president' |  World News - Business Standard

આ સીબીપી એપની ચર્ચા વચ્ચે એક રોચક વાત એ બહાર આવી છે કે , થોડાક સમય પેહલા રંજની શ્રીનિવાસન કે જેઓ કોલંબિયા યુનિવર્સિટીમાં અર્બન પ્લાનિંગ પર પીએચડી કરી રહ્યા હતા . ૫મી માર્ચના રોજ તેમના વિઝા યુએસ સરકારે પાછા ખેંચી લીધા તે માટે કારણ આપતા યુએસ સરકારે કહ્યું કે , આ રંજની શ્રીનિવાસન હમાસ અને તેની આતંકવાદી ગતિવિધિઓના સમર્થક હતા. જેવા જ અમેરિકન સરકારે વિઝા કેન્સલ કર્યા કે તરત જ તેમને અરેસ્ટનો ડર હતો . માટે તેમણે સીબીપી હોમ એપનો ઉપયોગ કરીને પોતાનું કેનેડામાં સેલ્ફ ડિપોર્ટ કરી નાખવાની અરજી કરી નાખી . આ પછી ટેસ્લાના ઈલોન મસ્કએ સીબીપી હોમ એપના સમર્થનમાં પ્લેટફોર્મ X પર ટ્વીટ કરી નાખી જેમાં તેમણે લખ્યું કે , " આ નવી એપ જે સેલ્ફ ડિપોર્ટેશનમાં ખુબ મદદરૂપ છે . " 

J.D. Vance | Education, Book, Wife, Kids, Inauguration, & Facts | Britannica
આ બધા વચ્ચે થોડાક સમય પેહલા અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સએ ગ્રીનકાર્ડ વિશે ટિપ્પણી કરતા કહ્યું છે કે , " ગ્રીન કાર્ડ ધારક હોવાનો અર્થ એ નથી કે વ્યક્તિને યુનાઇટેડ સ્ટેટ્સમાં રહેવાનો અનિશ્ચિત અધિકાર મળી જાય છે. " વધુમાં જેડી વાન્સે યુનાઇટેડ સ્ટેટ્સના કાયદામાં ઉલ્લેખિત અમુક સંજોગોનો પણ ઉલ્લેખ કર્યો હતો કે જેમાં ગ્રીન કાર્ડ રદ થઈ શકે છે. આમાં ગુનાહિત પ્રવૃત્તિઓમાં સામેલ થવું, લાંબા સમય સુધી દેશમાં હાજર ન રહેવું અને ઇમિગ્રેશનના નિયમોનું યોગ્ય પાલન ન કરવું જેવી બાબતોનો સમાવેશ થાય છે. જેડી વાન્સના આ નિવેદનથી અમેરિકામાં ઇમિગ્રેશન નીતિઓમાં મોટા ફેરફારોની સંભાવના વધી ગઈ છે, જેના કારણે ગ્રીન કાર્ડની રાહ જોઈ રહેલા અને હાલમાં ગ્રીન કાર્ડ ધરાવતા ભારતીયોની ચિંતામાં વધારો થયો છે. હવે જોવાનું એ રહેશે કે આ નવી પહેલ અને ચર્ચાઓ ઇમિગ્રેશન પ્રક્રિયા પર કેવી અસર કરે છે.




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.