UttarPradeshમાં પિતાની વિધવા બની પુત્રીએ લીધો આટલા વર્ષ પેન્શનનો લાભ, આવી રીતે ફૂટ્યો ભાંડો! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-08-10 13:37:21

લોકો માટે સંબંધો નહીં પરંતુ પૈસા સૌથી મહત્વની વસ્તુ થઈ ગઈ છે. પૈસા કમાવવા અને એમાં પણ ખોટી રીતે પૈસા કમાવવા માટે અલગ અલગ રસ્તાઓ લોકો શોધી લેતા હોય છે. પૈસાની વાત એટલા માટે કરી રહ્યા છીએ કારણ કે ઉત્તરપ્રદેશથી એક કિસ્સો સામે આવ્યો છે જેમાં પિતાના પેન્શનના પૈસા મેળવવા પુત્રી પિતાના નિધન પછી તેમની પત્ની બની. એક બે વર્ષ નહીં 10 વર્ષ સુધી ખોટી રીતે પેન્શનના પૈસા લીધા. પરંતુ આ આખો મામલો ત્યારે સામે આવ્યો જ્યારે મહિલાની લડાઈ પોતાના અસલી પતિ સાથે થઈ. અસલિ પતિએ પોલીસ સ્ટેશનમાં જઈ આ અંગેની ફરિયાદ કરી અને તે બાદ મહિલાની ધરપકડ કરી લેવામાં આવી.  


ઉત્તરપ્રદેશની આ ઘટના તમને વિચારવા મજબૂર કરી દેશે... 

આપણે ત્યાં કહેવત છે કે ઘર કા ભેદી લંકા ઢાયે, મતલબ કે જે ઘરોનો હોય તે જ તમારા વિનાશનું કારણ બને. કહેવાય છે કે તમારે પોતાના રાજ કોઈને કહેવા ન જોઈએ. કારણ કે જે આજે તમારો મિત્ર છે તે કાલે તમારો દુશ્મન પણ હોઈ શકે છે. ગમે ત્યારે તમારૂં કારસ્તાન તે ઉજાગર કરી શકે છે. આ વાત એટલા માટે કહી રહ્યા છીએ કે ઉત્તરપ્રદેશથી એક કિસ્સો સામે આવ્યો હતો જેમાં આ કહેવત સાચી પૂરવાર થાય છે. યુપીના ઈટાહ જિલ્લામાં એક મહિલા પોતાના પિતાની વિધવા બની અને 10 વર્ષ સુધી પેન્શનનો લાભ લીધો હતો. 


મહિલાના પતિએ ખોલી આખી ઘટનાની પોલ 

પિતાની વિધવા બનવી 10 વર્ષ સુધી તેણે 10 હજાર રૂપિયા લીધા. મળતી માહિતી અનુસાર જે પુત્રીએ આ કારસ્તાન કર્યો છે તેનું નામ છે મોસિના પરવેજ અને તેના પિતાનું નામ છે વિજારત ઉલ્લા ખાન હતું જેમનું નિધન 2013માં થઈ ગયું હતું. વિજારત ઉલ્લા પહેલા તેમના પત્નીનું નિધન થઈ ગયું હતું. ત્યારે પુત્રી મોહસિનાએ પેન્શન ફોર્મમાં પોતાને પિતાની વિધવા તરીકે દર્શાવી અને પેન્શનનો લાભ લેવા લાગી.10 વર્ષ સુધી તો કોઈ વાંધો ન આવ્યો પરંતુ સમગ્ર ઘટના સામે ત્યારે આવી જ્યારે મહિલાનો ઝઘડો તેના અસલી પતિ સાથે થયો. ઝઘડો થતાં મહિલાના પતિએ આ અંગેની ફરિયાદ પોલીસને કરી અને આખો મામલો સામે આવ્યો. મળતી માહિતી અનુસાર પોલીસે આરોપી મહિલાની ધરપકડ પણ કરી લીધી છે અને કોર્ટમાં તેને મોકલી દેવામાં આવી છે.


નકલી દસ્તાવેજોના આધારે 12 લાખ રૂપિયા જમા કરી લીધા! 

પેન્શનનો લાભ લેવા મોસિનાએ ખોટા દસ્તાવેજોનો સહારો લીધો અને પોતાને પિતાની વિધવા બતાવી દીધી. પેન્શન પત્રમાં પોતાનું નામ શાવિયા બેગમ લખાવી દીધું. પેન્શનનો લાભ લેવા પાત્ર પણ થઈ ગઈ અને પેન્શન મળવાની શરૂઆત પણ થઈ ગઈ અને 12 લાખ જેટલા રૂપિયા તેણે મેળવી લીધા હતા.એટલે જ કહેવાય છે ખોટું વધુ સમય ટકતુ નથી, સત્ય ગમે તે રીતે સામે આવે જ છે...   



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.