UttarPradeshમાં પિતાની વિધવા બની પુત્રીએ લીધો આટલા વર્ષ પેન્શનનો લાભ, આવી રીતે ફૂટ્યો ભાંડો! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-08-10 13:37:21

લોકો માટે સંબંધો નહીં પરંતુ પૈસા સૌથી મહત્વની વસ્તુ થઈ ગઈ છે. પૈસા કમાવવા અને એમાં પણ ખોટી રીતે પૈસા કમાવવા માટે અલગ અલગ રસ્તાઓ લોકો શોધી લેતા હોય છે. પૈસાની વાત એટલા માટે કરી રહ્યા છીએ કારણ કે ઉત્તરપ્રદેશથી એક કિસ્સો સામે આવ્યો છે જેમાં પિતાના પેન્શનના પૈસા મેળવવા પુત્રી પિતાના નિધન પછી તેમની પત્ની બની. એક બે વર્ષ નહીં 10 વર્ષ સુધી ખોટી રીતે પેન્શનના પૈસા લીધા. પરંતુ આ આખો મામલો ત્યારે સામે આવ્યો જ્યારે મહિલાની લડાઈ પોતાના અસલી પતિ સાથે થઈ. અસલિ પતિએ પોલીસ સ્ટેશનમાં જઈ આ અંગેની ફરિયાદ કરી અને તે બાદ મહિલાની ધરપકડ કરી લેવામાં આવી.  


ઉત્તરપ્રદેશની આ ઘટના તમને વિચારવા મજબૂર કરી દેશે... 

આપણે ત્યાં કહેવત છે કે ઘર કા ભેદી લંકા ઢાયે, મતલબ કે જે ઘરોનો હોય તે જ તમારા વિનાશનું કારણ બને. કહેવાય છે કે તમારે પોતાના રાજ કોઈને કહેવા ન જોઈએ. કારણ કે જે આજે તમારો મિત્ર છે તે કાલે તમારો દુશ્મન પણ હોઈ શકે છે. ગમે ત્યારે તમારૂં કારસ્તાન તે ઉજાગર કરી શકે છે. આ વાત એટલા માટે કહી રહ્યા છીએ કે ઉત્તરપ્રદેશથી એક કિસ્સો સામે આવ્યો હતો જેમાં આ કહેવત સાચી પૂરવાર થાય છે. યુપીના ઈટાહ જિલ્લામાં એક મહિલા પોતાના પિતાની વિધવા બની અને 10 વર્ષ સુધી પેન્શનનો લાભ લીધો હતો. 


મહિલાના પતિએ ખોલી આખી ઘટનાની પોલ 

પિતાની વિધવા બનવી 10 વર્ષ સુધી તેણે 10 હજાર રૂપિયા લીધા. મળતી માહિતી અનુસાર જે પુત્રીએ આ કારસ્તાન કર્યો છે તેનું નામ છે મોસિના પરવેજ અને તેના પિતાનું નામ છે વિજારત ઉલ્લા ખાન હતું જેમનું નિધન 2013માં થઈ ગયું હતું. વિજારત ઉલ્લા પહેલા તેમના પત્નીનું નિધન થઈ ગયું હતું. ત્યારે પુત્રી મોહસિનાએ પેન્શન ફોર્મમાં પોતાને પિતાની વિધવા તરીકે દર્શાવી અને પેન્શનનો લાભ લેવા લાગી.10 વર્ષ સુધી તો કોઈ વાંધો ન આવ્યો પરંતુ સમગ્ર ઘટના સામે ત્યારે આવી જ્યારે મહિલાનો ઝઘડો તેના અસલી પતિ સાથે થયો. ઝઘડો થતાં મહિલાના પતિએ આ અંગેની ફરિયાદ પોલીસને કરી અને આખો મામલો સામે આવ્યો. મળતી માહિતી અનુસાર પોલીસે આરોપી મહિલાની ધરપકડ પણ કરી લીધી છે અને કોર્ટમાં તેને મોકલી દેવામાં આવી છે.


નકલી દસ્તાવેજોના આધારે 12 લાખ રૂપિયા જમા કરી લીધા! 

પેન્શનનો લાભ લેવા મોસિનાએ ખોટા દસ્તાવેજોનો સહારો લીધો અને પોતાને પિતાની વિધવા બતાવી દીધી. પેન્શન પત્રમાં પોતાનું નામ શાવિયા બેગમ લખાવી દીધું. પેન્શનનો લાભ લેવા પાત્ર પણ થઈ ગઈ અને પેન્શન મળવાની શરૂઆત પણ થઈ ગઈ અને 12 લાખ જેટલા રૂપિયા તેણે મેળવી લીધા હતા.એટલે જ કહેવાય છે ખોટું વધુ સમય ટકતુ નથી, સત્ય ગમે તે રીતે સામે આવે જ છે...   



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.