UttarPradeshમાં પિતાની વિધવા બની પુત્રીએ લીધો આટલા વર્ષ પેન્શનનો લાભ, આવી રીતે ફૂટ્યો ભાંડો! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-08-10 13:37:21

લોકો માટે સંબંધો નહીં પરંતુ પૈસા સૌથી મહત્વની વસ્તુ થઈ ગઈ છે. પૈસા કમાવવા અને એમાં પણ ખોટી રીતે પૈસા કમાવવા માટે અલગ અલગ રસ્તાઓ લોકો શોધી લેતા હોય છે. પૈસાની વાત એટલા માટે કરી રહ્યા છીએ કારણ કે ઉત્તરપ્રદેશથી એક કિસ્સો સામે આવ્યો છે જેમાં પિતાના પેન્શનના પૈસા મેળવવા પુત્રી પિતાના નિધન પછી તેમની પત્ની બની. એક બે વર્ષ નહીં 10 વર્ષ સુધી ખોટી રીતે પેન્શનના પૈસા લીધા. પરંતુ આ આખો મામલો ત્યારે સામે આવ્યો જ્યારે મહિલાની લડાઈ પોતાના અસલી પતિ સાથે થઈ. અસલિ પતિએ પોલીસ સ્ટેશનમાં જઈ આ અંગેની ફરિયાદ કરી અને તે બાદ મહિલાની ધરપકડ કરી લેવામાં આવી.  


ઉત્તરપ્રદેશની આ ઘટના તમને વિચારવા મજબૂર કરી દેશે... 

આપણે ત્યાં કહેવત છે કે ઘર કા ભેદી લંકા ઢાયે, મતલબ કે જે ઘરોનો હોય તે જ તમારા વિનાશનું કારણ બને. કહેવાય છે કે તમારે પોતાના રાજ કોઈને કહેવા ન જોઈએ. કારણ કે જે આજે તમારો મિત્ર છે તે કાલે તમારો દુશ્મન પણ હોઈ શકે છે. ગમે ત્યારે તમારૂં કારસ્તાન તે ઉજાગર કરી શકે છે. આ વાત એટલા માટે કહી રહ્યા છીએ કે ઉત્તરપ્રદેશથી એક કિસ્સો સામે આવ્યો હતો જેમાં આ કહેવત સાચી પૂરવાર થાય છે. યુપીના ઈટાહ જિલ્લામાં એક મહિલા પોતાના પિતાની વિધવા બની અને 10 વર્ષ સુધી પેન્શનનો લાભ લીધો હતો. 


મહિલાના પતિએ ખોલી આખી ઘટનાની પોલ 

પિતાની વિધવા બનવી 10 વર્ષ સુધી તેણે 10 હજાર રૂપિયા લીધા. મળતી માહિતી અનુસાર જે પુત્રીએ આ કારસ્તાન કર્યો છે તેનું નામ છે મોસિના પરવેજ અને તેના પિતાનું નામ છે વિજારત ઉલ્લા ખાન હતું જેમનું નિધન 2013માં થઈ ગયું હતું. વિજારત ઉલ્લા પહેલા તેમના પત્નીનું નિધન થઈ ગયું હતું. ત્યારે પુત્રી મોહસિનાએ પેન્શન ફોર્મમાં પોતાને પિતાની વિધવા તરીકે દર્શાવી અને પેન્શનનો લાભ લેવા લાગી.10 વર્ષ સુધી તો કોઈ વાંધો ન આવ્યો પરંતુ સમગ્ર ઘટના સામે ત્યારે આવી જ્યારે મહિલાનો ઝઘડો તેના અસલી પતિ સાથે થયો. ઝઘડો થતાં મહિલાના પતિએ આ અંગેની ફરિયાદ પોલીસને કરી અને આખો મામલો સામે આવ્યો. મળતી માહિતી અનુસાર પોલીસે આરોપી મહિલાની ધરપકડ પણ કરી લીધી છે અને કોર્ટમાં તેને મોકલી દેવામાં આવી છે.


નકલી દસ્તાવેજોના આધારે 12 લાખ રૂપિયા જમા કરી લીધા! 

પેન્શનનો લાભ લેવા મોસિનાએ ખોટા દસ્તાવેજોનો સહારો લીધો અને પોતાને પિતાની વિધવા બતાવી દીધી. પેન્શન પત્રમાં પોતાનું નામ શાવિયા બેગમ લખાવી દીધું. પેન્શનનો લાભ લેવા પાત્ર પણ થઈ ગઈ અને પેન્શન મળવાની શરૂઆત પણ થઈ ગઈ અને 12 લાખ જેટલા રૂપિયા તેણે મેળવી લીધા હતા.એટલે જ કહેવાય છે ખોટું વધુ સમય ટકતુ નથી, સત્ય ગમે તે રીતે સામે આવે જ છે...   



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .