UttarPradeshમાં પિતાની વિધવા બની પુત્રીએ લીધો આટલા વર્ષ પેન્શનનો લાભ, આવી રીતે ફૂટ્યો ભાંડો! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-08-10 13:37:21

લોકો માટે સંબંધો નહીં પરંતુ પૈસા સૌથી મહત્વની વસ્તુ થઈ ગઈ છે. પૈસા કમાવવા અને એમાં પણ ખોટી રીતે પૈસા કમાવવા માટે અલગ અલગ રસ્તાઓ લોકો શોધી લેતા હોય છે. પૈસાની વાત એટલા માટે કરી રહ્યા છીએ કારણ કે ઉત્તરપ્રદેશથી એક કિસ્સો સામે આવ્યો છે જેમાં પિતાના પેન્શનના પૈસા મેળવવા પુત્રી પિતાના નિધન પછી તેમની પત્ની બની. એક બે વર્ષ નહીં 10 વર્ષ સુધી ખોટી રીતે પેન્શનના પૈસા લીધા. પરંતુ આ આખો મામલો ત્યારે સામે આવ્યો જ્યારે મહિલાની લડાઈ પોતાના અસલી પતિ સાથે થઈ. અસલિ પતિએ પોલીસ સ્ટેશનમાં જઈ આ અંગેની ફરિયાદ કરી અને તે બાદ મહિલાની ધરપકડ કરી લેવામાં આવી.  


ઉત્તરપ્રદેશની આ ઘટના તમને વિચારવા મજબૂર કરી દેશે... 

આપણે ત્યાં કહેવત છે કે ઘર કા ભેદી લંકા ઢાયે, મતલબ કે જે ઘરોનો હોય તે જ તમારા વિનાશનું કારણ બને. કહેવાય છે કે તમારે પોતાના રાજ કોઈને કહેવા ન જોઈએ. કારણ કે જે આજે તમારો મિત્ર છે તે કાલે તમારો દુશ્મન પણ હોઈ શકે છે. ગમે ત્યારે તમારૂં કારસ્તાન તે ઉજાગર કરી શકે છે. આ વાત એટલા માટે કહી રહ્યા છીએ કે ઉત્તરપ્રદેશથી એક કિસ્સો સામે આવ્યો હતો જેમાં આ કહેવત સાચી પૂરવાર થાય છે. યુપીના ઈટાહ જિલ્લામાં એક મહિલા પોતાના પિતાની વિધવા બની અને 10 વર્ષ સુધી પેન્શનનો લાભ લીધો હતો. 


મહિલાના પતિએ ખોલી આખી ઘટનાની પોલ 

પિતાની વિધવા બનવી 10 વર્ષ સુધી તેણે 10 હજાર રૂપિયા લીધા. મળતી માહિતી અનુસાર જે પુત્રીએ આ કારસ્તાન કર્યો છે તેનું નામ છે મોસિના પરવેજ અને તેના પિતાનું નામ છે વિજારત ઉલ્લા ખાન હતું જેમનું નિધન 2013માં થઈ ગયું હતું. વિજારત ઉલ્લા પહેલા તેમના પત્નીનું નિધન થઈ ગયું હતું. ત્યારે પુત્રી મોહસિનાએ પેન્શન ફોર્મમાં પોતાને પિતાની વિધવા તરીકે દર્શાવી અને પેન્શનનો લાભ લેવા લાગી.10 વર્ષ સુધી તો કોઈ વાંધો ન આવ્યો પરંતુ સમગ્ર ઘટના સામે ત્યારે આવી જ્યારે મહિલાનો ઝઘડો તેના અસલી પતિ સાથે થયો. ઝઘડો થતાં મહિલાના પતિએ આ અંગેની ફરિયાદ પોલીસને કરી અને આખો મામલો સામે આવ્યો. મળતી માહિતી અનુસાર પોલીસે આરોપી મહિલાની ધરપકડ પણ કરી લીધી છે અને કોર્ટમાં તેને મોકલી દેવામાં આવી છે.


નકલી દસ્તાવેજોના આધારે 12 લાખ રૂપિયા જમા કરી લીધા! 

પેન્શનનો લાભ લેવા મોસિનાએ ખોટા દસ્તાવેજોનો સહારો લીધો અને પોતાને પિતાની વિધવા બતાવી દીધી. પેન્શન પત્રમાં પોતાનું નામ શાવિયા બેગમ લખાવી દીધું. પેન્શનનો લાભ લેવા પાત્ર પણ થઈ ગઈ અને પેન્શન મળવાની શરૂઆત પણ થઈ ગઈ અને 12 લાખ જેટલા રૂપિયા તેણે મેળવી લીધા હતા.એટલે જ કહેવાય છે ખોટું વધુ સમય ટકતુ નથી, સત્ય ગમે તે રીતે સામે આવે જ છે...   



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.