વડોદરામાં 4 મહિલાઓ અર્ઘનગ્ન બનીને દોડતા ચકચાર, લોકોએ પકડીને મેથીપાક આપ્યો, video વાયરલ


  • Published By :
  • Published Date : 2024-01-28 19:10:55

ઘણી વાર આપણે કાયદો અને વ્યવસ્થા ભૂલી જતા હોઈએ છીએ, કેટલાક લોકો તો પોતે કાયદાની ઉપર છે તેવું સમજી લેતા હોય છે. વડોદરાથી એક શરમજનક વિડિઓ સામે આવ્યો છે. જેમાં ચાર મહિલાઓ અર્ઘનગ્ન થઈને રસ્તા પર લોકોથી બચીને ભાગી રહી છે. સંસ્કારી નગરી મનાતી વડોદરાથી આ ચોંકાવનારો વિડિઓ સામે આવ્યો, છે જેમાં મહિલાઓ અર્ઘનગ્ન થઈને રસ્તા પર બેઠી છે. અને કેટલાક લોકો તેમને ધમકાવી રહ્યા છે. વડોદરા શહેરના વાહનોથી ધમધમતા કારેલીબાગ વિસ્તારમાં લોન્ડ્રીની દુકાનમાંથી રોકડ રકમની ચોરી કરીને ચાર યુવતીઓ ભાગી રહી હતી. લોકોએ તેમનો પીછો કરતા આ મહિલાઓ પોતાની જાતે પોતાના કપડાં કાઢીને રોડ પર બેસીને તમાશો કર્યો હતો. જોકે, પીછો કરનાર લોકોએ અર્ઘનગ્ન થઈ ગયેલી યુવતીઓને મેથીપાક ચખાડીને પોલીસના હવાલે કરી દીધી હતી. આ બનાવે વિસ્તારમાં ચકચાર જગાવી હતી.


શા માટે મહિલાઓ થઈ અર્ઘનગ્ન?  


મળતી માહિતી પ્રમાણે શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલી એક લોન્ડ્રીની દુકાનમાં ચાર યુવતી ગ્રાહકના સ્વાંગમાં ધસી ગઈ હતી. મોકો મળતા લોન્ડ્રીની દુકાનના ગલ્લામાંથી રોકડ રકમની ચોરી કરી હતી. દરમિયાન લોન્ડ્રીની દુકાનમાં કામ કરનાર યુવાન યુવતીઓને ચોરી કરતા જોઈ જતાં તેને બુમરાણ મચાવી હતી. યુવાને બુમરાળ મચાવતા યુવતીઓએ ભાગી જવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, લોકોએ તેઓનો પીછો કર્યો હતો. લોકોને પીછો કરતા જોઈને ગભરાઈ ગયેલી ચારે યુવતીએ ફટાફટ પોતાના કપડાં કાઢીને રોડ ઉપર બેસીને તમાશો કર્યો હતો. જો કે, રોષે ભરાયેલા સ્થાનિક લોકોએ ચારે યુવતીને મેથીપાક પણ ચખાડ્યો હતો. લોક ટોળામાંથી ભાગેલી યુવતીઓ લાલ બહાદુર શાસ્ત્રી વિદ્યાલય પાસે અર્ઘનગ્ન હાલમાં દોડતી પહોંચી ગઈ હતી. તે સમયે કારેલીબાગ પોલીસની જીપ આવી જતા ચારે યુવતીને કપડાં પહેરાવીને પોલીસ મથક લઈ ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી.


લોકોના ટોળેટોળા ઉમટ્યા


વાહનોથી ધમધમતા કારેલીબાગ વિસ્તારમાં જાહેર માર્ગ પર બનેલી આ ઘટનાને પગલે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. આ બનાવે કારેલીબાગ વિસ્તારમાં ભારે ચકચાર પણ જગાવી મૂકી હતી. કપડાં કાઢીને રડવાનું નાટક કરનાર યુવતીઓએ લોકટોળા પાસે માફી માંગવાનો પણ ડોળ કર્યો હતો. જોકે, રોષે ભરાયેલા લોકટોળાએ યુવતીઓને મેથીપાક ચખાડીને પોલીસના હવાલે કરી દીધી હતી. આ યુવતીઓ ક્યાંની રહેવાસી છે, તે અંગેની કોઈ હજુ સુધી માહિતી મળી નથી.


આ મામલે પોલીસે શું કહ્યું?


આ બનાવ અંગે કારેલીબાગ પોલીસ મથકના P.I.ચેતન જાદવે જણાવ્યું હતું કે, આ ચારે યુવતી ચોરી કરીને ભાગી રહી હતી. તે દરમિયાન લોકોએ તેનો પીછો કરતા બચવા માટે યુવતીઓએ જાતે જ કપડા કાઢીને તમાશો કર્યો હતો અને રડવાનું નાટક કર્યું હતું. જે દુકાનમાંથી ચોરી કરી હતી, તે દુકાનદારને હાલ પોલીસ મથકમાં બોલાવવામાં આવ્યા છે. તેઓની વિગતના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે