વડોદરામાં 4 મહિલાઓ અર્ઘનગ્ન બનીને દોડતા ચકચાર, લોકોએ પકડીને મેથીપાક આપ્યો, video વાયરલ


  • Published By :
  • Published Date : 2024-01-28 19:10:55

ઘણી વાર આપણે કાયદો અને વ્યવસ્થા ભૂલી જતા હોઈએ છીએ, કેટલાક લોકો તો પોતે કાયદાની ઉપર છે તેવું સમજી લેતા હોય છે. વડોદરાથી એક શરમજનક વિડિઓ સામે આવ્યો છે. જેમાં ચાર મહિલાઓ અર્ઘનગ્ન થઈને રસ્તા પર લોકોથી બચીને ભાગી રહી છે. સંસ્કારી નગરી મનાતી વડોદરાથી આ ચોંકાવનારો વિડિઓ સામે આવ્યો, છે જેમાં મહિલાઓ અર્ઘનગ્ન થઈને રસ્તા પર બેઠી છે. અને કેટલાક લોકો તેમને ધમકાવી રહ્યા છે. વડોદરા શહેરના વાહનોથી ધમધમતા કારેલીબાગ વિસ્તારમાં લોન્ડ્રીની દુકાનમાંથી રોકડ રકમની ચોરી કરીને ચાર યુવતીઓ ભાગી રહી હતી. લોકોએ તેમનો પીછો કરતા આ મહિલાઓ પોતાની જાતે પોતાના કપડાં કાઢીને રોડ પર બેસીને તમાશો કર્યો હતો. જોકે, પીછો કરનાર લોકોએ અર્ઘનગ્ન થઈ ગયેલી યુવતીઓને મેથીપાક ચખાડીને પોલીસના હવાલે કરી દીધી હતી. આ બનાવે વિસ્તારમાં ચકચાર જગાવી હતી.


શા માટે મહિલાઓ થઈ અર્ઘનગ્ન?  


મળતી માહિતી પ્રમાણે શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલી એક લોન્ડ્રીની દુકાનમાં ચાર યુવતી ગ્રાહકના સ્વાંગમાં ધસી ગઈ હતી. મોકો મળતા લોન્ડ્રીની દુકાનના ગલ્લામાંથી રોકડ રકમની ચોરી કરી હતી. દરમિયાન લોન્ડ્રીની દુકાનમાં કામ કરનાર યુવાન યુવતીઓને ચોરી કરતા જોઈ જતાં તેને બુમરાણ મચાવી હતી. યુવાને બુમરાળ મચાવતા યુવતીઓએ ભાગી જવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, લોકોએ તેઓનો પીછો કર્યો હતો. લોકોને પીછો કરતા જોઈને ગભરાઈ ગયેલી ચારે યુવતીએ ફટાફટ પોતાના કપડાં કાઢીને રોડ ઉપર બેસીને તમાશો કર્યો હતો. જો કે, રોષે ભરાયેલા સ્થાનિક લોકોએ ચારે યુવતીને મેથીપાક પણ ચખાડ્યો હતો. લોક ટોળામાંથી ભાગેલી યુવતીઓ લાલ બહાદુર શાસ્ત્રી વિદ્યાલય પાસે અર્ઘનગ્ન હાલમાં દોડતી પહોંચી ગઈ હતી. તે સમયે કારેલીબાગ પોલીસની જીપ આવી જતા ચારે યુવતીને કપડાં પહેરાવીને પોલીસ મથક લઈ ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી.


લોકોના ટોળેટોળા ઉમટ્યા


વાહનોથી ધમધમતા કારેલીબાગ વિસ્તારમાં જાહેર માર્ગ પર બનેલી આ ઘટનાને પગલે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. આ બનાવે કારેલીબાગ વિસ્તારમાં ભારે ચકચાર પણ જગાવી મૂકી હતી. કપડાં કાઢીને રડવાનું નાટક કરનાર યુવતીઓએ લોકટોળા પાસે માફી માંગવાનો પણ ડોળ કર્યો હતો. જોકે, રોષે ભરાયેલા લોકટોળાએ યુવતીઓને મેથીપાક ચખાડીને પોલીસના હવાલે કરી દીધી હતી. આ યુવતીઓ ક્યાંની રહેવાસી છે, તે અંગેની કોઈ હજુ સુધી માહિતી મળી નથી.


આ મામલે પોલીસે શું કહ્યું?


આ બનાવ અંગે કારેલીબાગ પોલીસ મથકના P.I.ચેતન જાદવે જણાવ્યું હતું કે, આ ચારે યુવતી ચોરી કરીને ભાગી રહી હતી. તે દરમિયાન લોકોએ તેનો પીછો કરતા બચવા માટે યુવતીઓએ જાતે જ કપડા કાઢીને તમાશો કર્યો હતો અને રડવાનું નાટક કર્યું હતું. જે દુકાનમાંથી ચોરી કરી હતી, તે દુકાનદારને હાલ પોલીસ મથકમાં બોલાવવામાં આવ્યા છે. તેઓની વિગતના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.