વડોદરામાં 4 મહિલાઓ અર્ઘનગ્ન બનીને દોડતા ચકચાર, લોકોએ પકડીને મેથીપાક આપ્યો, video વાયરલ


  • Published By :
  • Published Date : 2024-01-28 19:10:55

ઘણી વાર આપણે કાયદો અને વ્યવસ્થા ભૂલી જતા હોઈએ છીએ, કેટલાક લોકો તો પોતે કાયદાની ઉપર છે તેવું સમજી લેતા હોય છે. વડોદરાથી એક શરમજનક વિડિઓ સામે આવ્યો છે. જેમાં ચાર મહિલાઓ અર્ઘનગ્ન થઈને રસ્તા પર લોકોથી બચીને ભાગી રહી છે. સંસ્કારી નગરી મનાતી વડોદરાથી આ ચોંકાવનારો વિડિઓ સામે આવ્યો, છે જેમાં મહિલાઓ અર્ઘનગ્ન થઈને રસ્તા પર બેઠી છે. અને કેટલાક લોકો તેમને ધમકાવી રહ્યા છે. વડોદરા શહેરના વાહનોથી ધમધમતા કારેલીબાગ વિસ્તારમાં લોન્ડ્રીની દુકાનમાંથી રોકડ રકમની ચોરી કરીને ચાર યુવતીઓ ભાગી રહી હતી. લોકોએ તેમનો પીછો કરતા આ મહિલાઓ પોતાની જાતે પોતાના કપડાં કાઢીને રોડ પર બેસીને તમાશો કર્યો હતો. જોકે, પીછો કરનાર લોકોએ અર્ઘનગ્ન થઈ ગયેલી યુવતીઓને મેથીપાક ચખાડીને પોલીસના હવાલે કરી દીધી હતી. આ બનાવે વિસ્તારમાં ચકચાર જગાવી હતી.


શા માટે મહિલાઓ થઈ અર્ઘનગ્ન?  


મળતી માહિતી પ્રમાણે શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલી એક લોન્ડ્રીની દુકાનમાં ચાર યુવતી ગ્રાહકના સ્વાંગમાં ધસી ગઈ હતી. મોકો મળતા લોન્ડ્રીની દુકાનના ગલ્લામાંથી રોકડ રકમની ચોરી કરી હતી. દરમિયાન લોન્ડ્રીની દુકાનમાં કામ કરનાર યુવાન યુવતીઓને ચોરી કરતા જોઈ જતાં તેને બુમરાણ મચાવી હતી. યુવાને બુમરાળ મચાવતા યુવતીઓએ ભાગી જવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, લોકોએ તેઓનો પીછો કર્યો હતો. લોકોને પીછો કરતા જોઈને ગભરાઈ ગયેલી ચારે યુવતીએ ફટાફટ પોતાના કપડાં કાઢીને રોડ ઉપર બેસીને તમાશો કર્યો હતો. જો કે, રોષે ભરાયેલા સ્થાનિક લોકોએ ચારે યુવતીને મેથીપાક પણ ચખાડ્યો હતો. લોક ટોળામાંથી ભાગેલી યુવતીઓ લાલ બહાદુર શાસ્ત્રી વિદ્યાલય પાસે અર્ઘનગ્ન હાલમાં દોડતી પહોંચી ગઈ હતી. તે સમયે કારેલીબાગ પોલીસની જીપ આવી જતા ચારે યુવતીને કપડાં પહેરાવીને પોલીસ મથક લઈ ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી.


લોકોના ટોળેટોળા ઉમટ્યા


વાહનોથી ધમધમતા કારેલીબાગ વિસ્તારમાં જાહેર માર્ગ પર બનેલી આ ઘટનાને પગલે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. આ બનાવે કારેલીબાગ વિસ્તારમાં ભારે ચકચાર પણ જગાવી મૂકી હતી. કપડાં કાઢીને રડવાનું નાટક કરનાર યુવતીઓએ લોકટોળા પાસે માફી માંગવાનો પણ ડોળ કર્યો હતો. જોકે, રોષે ભરાયેલા લોકટોળાએ યુવતીઓને મેથીપાક ચખાડીને પોલીસના હવાલે કરી દીધી હતી. આ યુવતીઓ ક્યાંની રહેવાસી છે, તે અંગેની કોઈ હજુ સુધી માહિતી મળી નથી.


આ મામલે પોલીસે શું કહ્યું?


આ બનાવ અંગે કારેલીબાગ પોલીસ મથકના P.I.ચેતન જાદવે જણાવ્યું હતું કે, આ ચારે યુવતી ચોરી કરીને ભાગી રહી હતી. તે દરમિયાન લોકોએ તેનો પીછો કરતા બચવા માટે યુવતીઓએ જાતે જ કપડા કાઢીને તમાશો કર્યો હતો અને રડવાનું નાટક કર્યું હતું. જે દુકાનમાંથી ચોરી કરી હતી, તે દુકાનદારને હાલ પોલીસ મથકમાં બોલાવવામાં આવ્યા છે. તેઓની વિગતના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.