Vadodaraમાં સ્થાનિક લોકોનો ગુસ્સો ચરમસીમા પર, સોસાયટીની બહાર લાગ્યા નેતાના પ્રવેશબંધીના પોસ્ટર


  • Published By :
  • Published Date : 2024-09-02 13:31:12

વડોદરા. આ શબ્દ સાંભળતા જ આપણને પૂરના દ્રશ્યો યાદ આવી જાય.. આપણા નજરની સામે એ દ્રશ્યો આવી જાય જેમાં વિનાશ જ વિનાશ હોય.. વડોદરામાં સર્જાયેલી સ્થિતિને કુદરતી આપદા કરતા પણ માનવ સર્જીત આપદા ગણીએ તો પણ અતિશયોક્તિ નહીં હોય.. વરસાદી પાણીમાં અનેક ઘરો તો ડૂબ્યા પરંતુ તેની સાથે સાથે ડૂબી છે લોકોએ કરેલી મહેનત.. એ મહેનતના પૈસા જેનાથી તે ફ્રિજ અથવા તો કોઈ પણ સામાન લાવ્યા હશે.. વડોદરાવાસીઓના અનેક વીડિયો સોશિયલ મીડિયા પર આપણે જોયા હશે જેમાં સ્થાનિકોનો આક્રોશ ખૂલીને સામે આવ્યો.. હજી સુધી સ્થાનિક લોકો માત્ર શાબ્દિક રીતે રોષ વ્યક્ત કરતા હતા પરંતુ હવે તેમણે બેનરો લગાવી નેતાઓનો વિરોધ કર્યો છે.

પુરૂષોત્તમ નગર સોસાયટીની બહાર લાગ્યા પોસ્ટર!

અમે વાત કરી રહ્યા છીએ વડોદરાના રેસકોર્સ સર્કલ પાસે આવેલી પસાભાઈ પાર્ક સોસાયટીની, જ્યાં હજી પાણી ભરાયેલા છે. ભરાયેલા પાણીને લઈ લોકોમાં આક્રોશ છે. બીજી તરફ અકોટા વિસ્તારમાં આવેલા પરુષોત્તમનગર સોસાયટીમાં રહીશોએ સોસાયટીના ગેટ પર રાજકીય નેતાઓએ પ્રવેશ કરવો નહીં તેવા બેનર લગાવ્યા છે. શહેરમાં કેટલાક દિવસથી ભાજપના નેતાઓ તેમના વિસ્તારમાં જાય છે તો તેમને લોકોના રોષનો ભોગ બનવું પડે છે. વડોદરા શહેરમાં આવેલા ભયાનક પૂરને કારણે લોકો સતત ત્રણ દિવસ સુધી પાણીમાં રહેવા માટે મજબૂર બન્યા હતા. લોકોએ પૂર દરમિયાન શાકભાજી, દૂધ અને પાણી માટે વલખા મારવાનો વારો આવ્યો હતો. આવા બેનરો સામાન્ય રીતે ચૂંટણી બહિષ્કાર કરતી વખતે કરતા હોય છે.. ત્યારે હવે હવે ચૂંટણી વગર આ પ્રકારના બેનરો લાગ્યા છે..



કપરી પરિસ્થિતિમાં લોકોએ ગુજાર્યા હતા અનેક દિવસો

વડોદરામાં જે સ્થિતિનું નિર્માણ થયું તેની માત્ર આપણે કલ્પના કરીએ તો કાંપી જવાય છે. કેવી રીતે ભરાયેલા વરસાદી પાણીમાં, પાણી અને ભોજન વગર અનેક દિવસો કાઢ્યા હશે.. થોડા પાણી ઓસર્યા તે બાદ જમાવટની ટીમ વડોદરા પહોંચી હતી અને ત્યાંના સ્થાનિકોની પીડા સાંભળી આપણને દયા આવી જાય કે કેવી પરિસ્થિતિમાં તે લોકો રહ્યા હશે? મીડિલ ક્લાસ માટે પોતાનું સ્વભિમાન સૌથી વ્હાલું હોય છે. અનેક લોકો એવા હતા જેમનું બધું જ આ પાણીમાં જતું રહ્યું.. બધું જ ગુમાવાનો વારો આવ્યો.. ઘરવખરી હોય કે પછી વાહન હોય..  અનેક નેતાઓને સ્થાનિકોના વિરોધનો સામનો કરવો પડ્યો છે. ત્યારે આ સોસાયટીના સ્થાનિકોએ તો બોર્ડ જ લગાવી દીધું. ત્યારે આ મામલે તમારૂં શું માનવું છે તે અમને કમેન્ટ બોક્સમાં કહો.. 



મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.