Vadodaraમાં સ્થાનિક લોકોનો ગુસ્સો ચરમસીમા પર, સોસાયટીની બહાર લાગ્યા નેતાના પ્રવેશબંધીના પોસ્ટર


  • Published By :
  • Published Date : 2024-09-02 13:31:12

વડોદરા. આ શબ્દ સાંભળતા જ આપણને પૂરના દ્રશ્યો યાદ આવી જાય.. આપણા નજરની સામે એ દ્રશ્યો આવી જાય જેમાં વિનાશ જ વિનાશ હોય.. વડોદરામાં સર્જાયેલી સ્થિતિને કુદરતી આપદા કરતા પણ માનવ સર્જીત આપદા ગણીએ તો પણ અતિશયોક્તિ નહીં હોય.. વરસાદી પાણીમાં અનેક ઘરો તો ડૂબ્યા પરંતુ તેની સાથે સાથે ડૂબી છે લોકોએ કરેલી મહેનત.. એ મહેનતના પૈસા જેનાથી તે ફ્રિજ અથવા તો કોઈ પણ સામાન લાવ્યા હશે.. વડોદરાવાસીઓના અનેક વીડિયો સોશિયલ મીડિયા પર આપણે જોયા હશે જેમાં સ્થાનિકોનો આક્રોશ ખૂલીને સામે આવ્યો.. હજી સુધી સ્થાનિક લોકો માત્ર શાબ્દિક રીતે રોષ વ્યક્ત કરતા હતા પરંતુ હવે તેમણે બેનરો લગાવી નેતાઓનો વિરોધ કર્યો છે.

પુરૂષોત્તમ નગર સોસાયટીની બહાર લાગ્યા પોસ્ટર!

અમે વાત કરી રહ્યા છીએ વડોદરાના રેસકોર્સ સર્કલ પાસે આવેલી પસાભાઈ પાર્ક સોસાયટીની, જ્યાં હજી પાણી ભરાયેલા છે. ભરાયેલા પાણીને લઈ લોકોમાં આક્રોશ છે. બીજી તરફ અકોટા વિસ્તારમાં આવેલા પરુષોત્તમનગર સોસાયટીમાં રહીશોએ સોસાયટીના ગેટ પર રાજકીય નેતાઓએ પ્રવેશ કરવો નહીં તેવા બેનર લગાવ્યા છે. શહેરમાં કેટલાક દિવસથી ભાજપના નેતાઓ તેમના વિસ્તારમાં જાય છે તો તેમને લોકોના રોષનો ભોગ બનવું પડે છે. વડોદરા શહેરમાં આવેલા ભયાનક પૂરને કારણે લોકો સતત ત્રણ દિવસ સુધી પાણીમાં રહેવા માટે મજબૂર બન્યા હતા. લોકોએ પૂર દરમિયાન શાકભાજી, દૂધ અને પાણી માટે વલખા મારવાનો વારો આવ્યો હતો. આવા બેનરો સામાન્ય રીતે ચૂંટણી બહિષ્કાર કરતી વખતે કરતા હોય છે.. ત્યારે હવે હવે ચૂંટણી વગર આ પ્રકારના બેનરો લાગ્યા છે..



કપરી પરિસ્થિતિમાં લોકોએ ગુજાર્યા હતા અનેક દિવસો

વડોદરામાં જે સ્થિતિનું નિર્માણ થયું તેની માત્ર આપણે કલ્પના કરીએ તો કાંપી જવાય છે. કેવી રીતે ભરાયેલા વરસાદી પાણીમાં, પાણી અને ભોજન વગર અનેક દિવસો કાઢ્યા હશે.. થોડા પાણી ઓસર્યા તે બાદ જમાવટની ટીમ વડોદરા પહોંચી હતી અને ત્યાંના સ્થાનિકોની પીડા સાંભળી આપણને દયા આવી જાય કે કેવી પરિસ્થિતિમાં તે લોકો રહ્યા હશે? મીડિલ ક્લાસ માટે પોતાનું સ્વભિમાન સૌથી વ્હાલું હોય છે. અનેક લોકો એવા હતા જેમનું બધું જ આ પાણીમાં જતું રહ્યું.. બધું જ ગુમાવાનો વારો આવ્યો.. ઘરવખરી હોય કે પછી વાહન હોય..  અનેક નેતાઓને સ્થાનિકોના વિરોધનો સામનો કરવો પડ્યો છે. ત્યારે આ સોસાયટીના સ્થાનિકોએ તો બોર્ડ જ લગાવી દીધું. ત્યારે આ મામલે તમારૂં શું માનવું છે તે અમને કમેન્ટ બોક્સમાં કહો.. 



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .