Vadodaraમાં સ્થાનિક લોકોનો ગુસ્સો ચરમસીમા પર, સોસાયટીની બહાર લાગ્યા નેતાના પ્રવેશબંધીના પોસ્ટર


  • Published By :
  • Published Date : 2024-09-02 13:31:12

વડોદરા. આ શબ્દ સાંભળતા જ આપણને પૂરના દ્રશ્યો યાદ આવી જાય.. આપણા નજરની સામે એ દ્રશ્યો આવી જાય જેમાં વિનાશ જ વિનાશ હોય.. વડોદરામાં સર્જાયેલી સ્થિતિને કુદરતી આપદા કરતા પણ માનવ સર્જીત આપદા ગણીએ તો પણ અતિશયોક્તિ નહીં હોય.. વરસાદી પાણીમાં અનેક ઘરો તો ડૂબ્યા પરંતુ તેની સાથે સાથે ડૂબી છે લોકોએ કરેલી મહેનત.. એ મહેનતના પૈસા જેનાથી તે ફ્રિજ અથવા તો કોઈ પણ સામાન લાવ્યા હશે.. વડોદરાવાસીઓના અનેક વીડિયો સોશિયલ મીડિયા પર આપણે જોયા હશે જેમાં સ્થાનિકોનો આક્રોશ ખૂલીને સામે આવ્યો.. હજી સુધી સ્થાનિક લોકો માત્ર શાબ્દિક રીતે રોષ વ્યક્ત કરતા હતા પરંતુ હવે તેમણે બેનરો લગાવી નેતાઓનો વિરોધ કર્યો છે.

પુરૂષોત્તમ નગર સોસાયટીની બહાર લાગ્યા પોસ્ટર!

અમે વાત કરી રહ્યા છીએ વડોદરાના રેસકોર્સ સર્કલ પાસે આવેલી પસાભાઈ પાર્ક સોસાયટીની, જ્યાં હજી પાણી ભરાયેલા છે. ભરાયેલા પાણીને લઈ લોકોમાં આક્રોશ છે. બીજી તરફ અકોટા વિસ્તારમાં આવેલા પરુષોત્તમનગર સોસાયટીમાં રહીશોએ સોસાયટીના ગેટ પર રાજકીય નેતાઓએ પ્રવેશ કરવો નહીં તેવા બેનર લગાવ્યા છે. શહેરમાં કેટલાક દિવસથી ભાજપના નેતાઓ તેમના વિસ્તારમાં જાય છે તો તેમને લોકોના રોષનો ભોગ બનવું પડે છે. વડોદરા શહેરમાં આવેલા ભયાનક પૂરને કારણે લોકો સતત ત્રણ દિવસ સુધી પાણીમાં રહેવા માટે મજબૂર બન્યા હતા. લોકોએ પૂર દરમિયાન શાકભાજી, દૂધ અને પાણી માટે વલખા મારવાનો વારો આવ્યો હતો. આવા બેનરો સામાન્ય રીતે ચૂંટણી બહિષ્કાર કરતી વખતે કરતા હોય છે.. ત્યારે હવે હવે ચૂંટણી વગર આ પ્રકારના બેનરો લાગ્યા છે..



કપરી પરિસ્થિતિમાં લોકોએ ગુજાર્યા હતા અનેક દિવસો

વડોદરામાં જે સ્થિતિનું નિર્માણ થયું તેની માત્ર આપણે કલ્પના કરીએ તો કાંપી જવાય છે. કેવી રીતે ભરાયેલા વરસાદી પાણીમાં, પાણી અને ભોજન વગર અનેક દિવસો કાઢ્યા હશે.. થોડા પાણી ઓસર્યા તે બાદ જમાવટની ટીમ વડોદરા પહોંચી હતી અને ત્યાંના સ્થાનિકોની પીડા સાંભળી આપણને દયા આવી જાય કે કેવી પરિસ્થિતિમાં તે લોકો રહ્યા હશે? મીડિલ ક્લાસ માટે પોતાનું સ્વભિમાન સૌથી વ્હાલું હોય છે. અનેક લોકો એવા હતા જેમનું બધું જ આ પાણીમાં જતું રહ્યું.. બધું જ ગુમાવાનો વારો આવ્યો.. ઘરવખરી હોય કે પછી વાહન હોય..  અનેક નેતાઓને સ્થાનિકોના વિરોધનો સામનો કરવો પડ્યો છે. ત્યારે આ સોસાયટીના સ્થાનિકોએ તો બોર્ડ જ લગાવી દીધું. ત્યારે આ મામલે તમારૂં શું માનવું છે તે અમને કમેન્ટ બોક્સમાં કહો.. 



ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે તણાવમાં જોરદાર વધારો જોવા મળી રહ્યો છે. આ તણાવની મધ્યમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ કેનેડામાં G 7 ની બેઠકને વચ્ચે છોડીને , અમેરિકા પરત ફર્યા છે. આ માટે ટ્રુથ સોશ્યિલ નામની સાઈટ પર એક પોસ્ટ સામે આવી છે જેમાં લખવામાં આવ્યું છે કે , તેહરાનને ખાલી કરો . સાથે જ ભારતે પોતાના વિદ્યાર્થીઓને સુરક્ષાના કારણોસર તેહરાનમાંથી ખાલી કરાવડાવ્યા છે.

મધ્ય એશિયામાં પરિસ્થિતિઓ સતત વણસી રહી છે. કેમ કે , ઈરાન અને ઇઝરાયેલના એક બીજા પર જોરદાર હુમલાઓ ચાલુ છે. બેઉ તરફ મૃત્યુનો આંક વધી રહ્યો છે. રવિવારે મોડી રાતથી આજે સવારે , ઈરાન દ્વારા ઇઝરાયેલ પર મિસાઈલ હુમલા સતત ચાલુ છે જે અંતર્ગત હવે ઇસરાએલની રાજધાની તેલઅવીવમાં આવેલી યુએસ એમ્બેસીને નુકશાન થયું છે. યુએસ એમ્બેસેડર માઈક હકાબીએ આ સમાચાર કન્ફર્મ કર્યા છે. તો બીજી તરફ ઇઝરાયેલી ડિફેન્સ ફોર્સીસએ ઇરાનમાં છેક અંદર સુધી સ્ટ્રાઇક કરી છે. યુએસના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ ટ્રુથ સોશ્યિલ પર એક પોસ્ટ કરીને ભારત પાકિસ્તાનનો સંદર્ભ આપીને ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે સમાધાન કરાવવાની વાત કરી છે.

ઇઝરાયેલએ હવે ફરી એકવાર ઈરાન પર હુમલો કર્યો છે . જેમાં ઈઝરાઈલે ઈરાનની ઓઇલ અને પરમાણુ સાઇટ્સને નિશાન બનાવી છે. બેઉ દેશો વચ્ચે પરિસ્થિતિ જબરદસ્ત રીતે એસ્કેલેટ થઇ રહી છે . અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ અમેરિકાની કોઈ પણ પ્રકારની ભૂમિકા નકારી દીધી છે. સાથે જ ઈરાનને ધમકી આપી છે કે , અમેરિકાની વિરુદ્ધમાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો , અમેરિકા નઈ છોડે. સાથે જ એ પણ ચર્ચા કરીશું કે , કેવી રીતે ઈરાન , ઇઝરાયેલ યુદ્ધ ભારત અને વિશ્વના અર્થતંત્રને અસર કરી શકે છે.

૨૦૨૫ના આ વર્ષમાં સમગ્ર વિશ્વ ખુબ મોટી અસ્થિરતામાંથી પસાર થઈ રહ્યું છે . કેમ કે હવે ઇઝરાયેલએ ઈરાન પર હુમલો કરી દીધો છે. સાથે જ ઇઝરાયલે પોતાના ત્યાં "સ્ટેટ ઓફ ઇમર્જન્સી'' જાહેર કરી દીધી છે. ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ જાહેરાત કરી છે કે , ઈરાન પર હુમલા ત્યાં સુધી ચાલુ રહેશે જ્યાં સુધી ઇઝરાયેલને ઈરાનથી ખતરો ખતમ ના થઈ જાય . ઇઝરાયેલના હુમલા પછી ઈરાનની રાજધાની તેહરાનના અલગ અલગ ભાગોમાં ધડાકાઓ સંભળાયા હતા .