Vadodaraમાં સ્થાનિક લોકોનો ગુસ્સો ચરમસીમા પર, સોસાયટીની બહાર લાગ્યા નેતાના પ્રવેશબંધીના પોસ્ટર


  • Published By :
  • Published Date : 2024-09-02 13:31:12

વડોદરા. આ શબ્દ સાંભળતા જ આપણને પૂરના દ્રશ્યો યાદ આવી જાય.. આપણા નજરની સામે એ દ્રશ્યો આવી જાય જેમાં વિનાશ જ વિનાશ હોય.. વડોદરામાં સર્જાયેલી સ્થિતિને કુદરતી આપદા કરતા પણ માનવ સર્જીત આપદા ગણીએ તો પણ અતિશયોક્તિ નહીં હોય.. વરસાદી પાણીમાં અનેક ઘરો તો ડૂબ્યા પરંતુ તેની સાથે સાથે ડૂબી છે લોકોએ કરેલી મહેનત.. એ મહેનતના પૈસા જેનાથી તે ફ્રિજ અથવા તો કોઈ પણ સામાન લાવ્યા હશે.. વડોદરાવાસીઓના અનેક વીડિયો સોશિયલ મીડિયા પર આપણે જોયા હશે જેમાં સ્થાનિકોનો આક્રોશ ખૂલીને સામે આવ્યો.. હજી સુધી સ્થાનિક લોકો માત્ર શાબ્દિક રીતે રોષ વ્યક્ત કરતા હતા પરંતુ હવે તેમણે બેનરો લગાવી નેતાઓનો વિરોધ કર્યો છે.

પુરૂષોત્તમ નગર સોસાયટીની બહાર લાગ્યા પોસ્ટર!

અમે વાત કરી રહ્યા છીએ વડોદરાના રેસકોર્સ સર્કલ પાસે આવેલી પસાભાઈ પાર્ક સોસાયટીની, જ્યાં હજી પાણી ભરાયેલા છે. ભરાયેલા પાણીને લઈ લોકોમાં આક્રોશ છે. બીજી તરફ અકોટા વિસ્તારમાં આવેલા પરુષોત્તમનગર સોસાયટીમાં રહીશોએ સોસાયટીના ગેટ પર રાજકીય નેતાઓએ પ્રવેશ કરવો નહીં તેવા બેનર લગાવ્યા છે. શહેરમાં કેટલાક દિવસથી ભાજપના નેતાઓ તેમના વિસ્તારમાં જાય છે તો તેમને લોકોના રોષનો ભોગ બનવું પડે છે. વડોદરા શહેરમાં આવેલા ભયાનક પૂરને કારણે લોકો સતત ત્રણ દિવસ સુધી પાણીમાં રહેવા માટે મજબૂર બન્યા હતા. લોકોએ પૂર દરમિયાન શાકભાજી, દૂધ અને પાણી માટે વલખા મારવાનો વારો આવ્યો હતો. આવા બેનરો સામાન્ય રીતે ચૂંટણી બહિષ્કાર કરતી વખતે કરતા હોય છે.. ત્યારે હવે હવે ચૂંટણી વગર આ પ્રકારના બેનરો લાગ્યા છે..



કપરી પરિસ્થિતિમાં લોકોએ ગુજાર્યા હતા અનેક દિવસો

વડોદરામાં જે સ્થિતિનું નિર્માણ થયું તેની માત્ર આપણે કલ્પના કરીએ તો કાંપી જવાય છે. કેવી રીતે ભરાયેલા વરસાદી પાણીમાં, પાણી અને ભોજન વગર અનેક દિવસો કાઢ્યા હશે.. થોડા પાણી ઓસર્યા તે બાદ જમાવટની ટીમ વડોદરા પહોંચી હતી અને ત્યાંના સ્થાનિકોની પીડા સાંભળી આપણને દયા આવી જાય કે કેવી પરિસ્થિતિમાં તે લોકો રહ્યા હશે? મીડિલ ક્લાસ માટે પોતાનું સ્વભિમાન સૌથી વ્હાલું હોય છે. અનેક લોકો એવા હતા જેમનું બધું જ આ પાણીમાં જતું રહ્યું.. બધું જ ગુમાવાનો વારો આવ્યો.. ઘરવખરી હોય કે પછી વાહન હોય..  અનેક નેતાઓને સ્થાનિકોના વિરોધનો સામનો કરવો પડ્યો છે. ત્યારે આ સોસાયટીના સ્થાનિકોએ તો બોર્ડ જ લગાવી દીધું. ત્યારે આ મામલે તમારૂં શું માનવું છે તે અમને કમેન્ટ બોક્સમાં કહો.. 



ભારતે ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાનમાં ૯ આતંકી ઠેકાણાઓ પર હુમલો કરીને સમગ્ર વિશ્વને એક સંદેશ ખુબ સ્પષ્ટ રીતે આપી દીધો છે કે , આતંકવાદ માટે ઝીરો ટોલરન્સ . આતંકવાદની વિચારધારા સાથે કોઈ જ સમાધાન નઈ થાય. ભારતના ઓપરેશન સિંદૂર પર વૈશ્વિક નેતાઓની પણ પ્રતિક્રિયા આવી ગઈ છે. તો આપણે જાણીશું કે વિશ્વના નેતાઓએ શું પ્રતિક્રિયા આપી છે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો યુરોપ પ્રવાસ કેન્સલ થયો છે .

ભારતીય ઉપમહાદ્વીપમાં યુદ્ધના માહોલ વચ્ચે થોડાક સમય પેહલા ભારત સરકારના ગૃહ મંત્રાલયે આવતીકાલે મોકડ્રિલ માટે ગાઇડલાઇન બહાર પાડી છે. તો આપણે જાણીશું કે આ મોકડ્રીલ અંતર્ગત શું કરવામાં આવે છે ઉપરાંત ગુજરાતમાં ક્યા સ્થળોએ મોકડ્રીલ હાથ ધરવામાં આવશે .

રાજકોટ જિલ્લાનું ગોંડલ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે . કેસ દુષ્કર્મનો છે. રાજકોટની એક યુવતીએ રીબડાનાં યુવકની વિરુદ્ધમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી . જે યુવકની સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવામાં આવી છે તેણે હવે પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. આ ઘટનામાં ગોંડલના પૂર્વ MLA જયરાજસિંહ જાડેજા યુવકે જ્યાં જીવ ગુમાવ્યો ત્યાં પહોંચ્યા છે સાથે જ રીબડાના અગ્રણી ગોવિંદ સકપરીયાએ અનિરુદ્ધ સિંહ જાડેજા પર આક્ષેપ કર્યા છે .

પહલગામના આતંકી હુમલા પછી સમગ્ર વિશ્વની ભારત પર છે કે ભારત નજીકના ભવિષ્યમાં કેવી રીતે પાકિસ્તાનને વળતો જવાબ આપશે. આ ઉપરાંત આપણી ત્રણેય સેનાઓને ભારત સરકાર તરફથી છૂટ આપી દેવામાં આવી છે. તો હવે આ તરફ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સની પ્રતિક્રિયા સામે આવી છે. જયારે જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલો થયો તે દરમ્યાન ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ ભારતની મુલાકાતે જ હતા . તો આવો જાણીએ ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સએ શું કહ્યું છે?