Vadodaraમાં ચા વાળા એ બનાવ્યો Modi બ્રીજ, લોકો જોતા જ રહી ગયા! જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-01-26 13:29:09

અનેક મહાન લોકોના નામ પર બ્રિજોના નામ આપવામાં આવતા હોય છે. આપણે અટલ બ્રિજ, નહેરૂ બ્રિજ જેવા બ્રિજો વિશે સાંભળ્યું છે બ્રિજને જોયા છે પરંતુ આજે તમને મોદી બ્રિજ બતાવવો છે. મોદી બ્રિજ વડોદરામાં આવેલો છે અને તેનું નિર્માણ એક ચા વાળાએ કર્યું છે. ચા વાળાએ કટાક્ષમાં આ બ્રિજ બનાવ્યો છે કારણ કે તેમની દુકાન આગળ ખોદકામ કરવામાં આવ્યું. પરંતુ ખોદકામ કર્યા બાદ કોઈને તે યાદ જ ના આવ્યું હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ. ખાડા પૂરવાનું તંત્ર ભૂલી ગયું હોય તેવું લાગતું હતું જેને કારણે ચા વાળાએ પરેશાન થઈ ખોદકામ પર પાટિયું મૂકી દીધું અને નામ આપી દીધું મોદી બ્રિજ.

કટાક્ષમાં ચા વાળાએ નામ આપ્યું મોદી બ્રિજ!  

વડોદરાના છાણી વિસ્તારમાં એક ચાની લારીવાળાએ રોડની આસપાસના ખોદકામથી ત્રાસીને પાટિયું મૂકીને હંગામી રસ્તો બનાવ્યો અને કટાક્ષમાં ત્યાં નામ આપી દીધું મોદી બ્રિજ. વાત એમ હતી કે કોર્પોરેશને ખાનગી કંપનીઓને અંડરગ્રાઉન્ડ પાઈપલાઈન કે કેબલ નાખવા માટે પરવાનગી આપી તો દીધી, પણ પછી એ જોવાનું ભૂલી ગયા કે એ ખાડા પૂર્યા કે નહીં? આ બધાથી લોકો પરેશાન થાય છે અને પછી કંઈક એવા દ્રશ્યો જોવા મળે છે છાણી વિસ્તારમાં પણ ખાનગી કંપની દ્વારા રોડની સાઈડ ઉપર ખોદકામ કરી દેવામાં આવ્યું હતું.



આડેધડ ખોદકામને કારણે લોકો થાય છે પરેશાન 

પરંતુ કેટલાય દિવસો વીતવા છતાં તેનું પુરણ ન કરાતા સાઈડ ઉપર ચાની લારી ચલાવતા ભાઈનું મગજ ફર્યું અને પાટિયું મૂકીને બ્રિજ બન્યો અને તેને મોદી બ્રિજ નામ આપ્યું. શહેરમાં એક તરફ વિકાસની મોટી મોટી વાતો કરવામાં આવી રહી છે ત્યારે આવા ખોદકામના કારણે નાના વેપારીઓ આવી વાતને કારણે પરેશાન થાય છે. ચાની લારી વાળા ભાઈએ અનેક વાર ફરિયાદ કરી કોર્પોરેશનમાં જઈ આવ્યા છતાં કોઈ નિરાકરણ ન આવ્યું.  ગ્રાહકોમાં હાલ આ બ્રિજ હાસ્યની સાથે ચર્ચાનો પણ વિષય બન્યો છે. 



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.