Vadodaraમાં ચા વાળા એ બનાવ્યો Modi બ્રીજ, લોકો જોતા જ રહી ગયા! જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-01-26 13:29:09

અનેક મહાન લોકોના નામ પર બ્રિજોના નામ આપવામાં આવતા હોય છે. આપણે અટલ બ્રિજ, નહેરૂ બ્રિજ જેવા બ્રિજો વિશે સાંભળ્યું છે બ્રિજને જોયા છે પરંતુ આજે તમને મોદી બ્રિજ બતાવવો છે. મોદી બ્રિજ વડોદરામાં આવેલો છે અને તેનું નિર્માણ એક ચા વાળાએ કર્યું છે. ચા વાળાએ કટાક્ષમાં આ બ્રિજ બનાવ્યો છે કારણ કે તેમની દુકાન આગળ ખોદકામ કરવામાં આવ્યું. પરંતુ ખોદકામ કર્યા બાદ કોઈને તે યાદ જ ના આવ્યું હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ. ખાડા પૂરવાનું તંત્ર ભૂલી ગયું હોય તેવું લાગતું હતું જેને કારણે ચા વાળાએ પરેશાન થઈ ખોદકામ પર પાટિયું મૂકી દીધું અને નામ આપી દીધું મોદી બ્રિજ.

કટાક્ષમાં ચા વાળાએ નામ આપ્યું મોદી બ્રિજ!  

વડોદરાના છાણી વિસ્તારમાં એક ચાની લારીવાળાએ રોડની આસપાસના ખોદકામથી ત્રાસીને પાટિયું મૂકીને હંગામી રસ્તો બનાવ્યો અને કટાક્ષમાં ત્યાં નામ આપી દીધું મોદી બ્રિજ. વાત એમ હતી કે કોર્પોરેશને ખાનગી કંપનીઓને અંડરગ્રાઉન્ડ પાઈપલાઈન કે કેબલ નાખવા માટે પરવાનગી આપી તો દીધી, પણ પછી એ જોવાનું ભૂલી ગયા કે એ ખાડા પૂર્યા કે નહીં? આ બધાથી લોકો પરેશાન થાય છે અને પછી કંઈક એવા દ્રશ્યો જોવા મળે છે છાણી વિસ્તારમાં પણ ખાનગી કંપની દ્વારા રોડની સાઈડ ઉપર ખોદકામ કરી દેવામાં આવ્યું હતું.



આડેધડ ખોદકામને કારણે લોકો થાય છે પરેશાન 

પરંતુ કેટલાય દિવસો વીતવા છતાં તેનું પુરણ ન કરાતા સાઈડ ઉપર ચાની લારી ચલાવતા ભાઈનું મગજ ફર્યું અને પાટિયું મૂકીને બ્રિજ બન્યો અને તેને મોદી બ્રિજ નામ આપ્યું. શહેરમાં એક તરફ વિકાસની મોટી મોટી વાતો કરવામાં આવી રહી છે ત્યારે આવા ખોદકામના કારણે નાના વેપારીઓ આવી વાતને કારણે પરેશાન થાય છે. ચાની લારી વાળા ભાઈએ અનેક વાર ફરિયાદ કરી કોર્પોરેશનમાં જઈ આવ્યા છતાં કોઈ નિરાકરણ ન આવ્યું.  ગ્રાહકોમાં હાલ આ બ્રિજ હાસ્યની સાથે ચર્ચાનો પણ વિષય બન્યો છે. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.