વડોદરામાં તંત્ર દ્વારા ખોદાયેલા ખાડામાં ખાબકી રિક્ષા! નડિયાદમાં ફસાઈ ગાડી, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-07-06 12:31:57

વરસાદના આગમન સાથે જ ગુજરાત રાજ્યની પરિસ્થિતિ બદલાઈ છે. અનેક શહેરોમાં વરસાદી માહોલ જામ્યો છે. ભારે વરસાદને કારણે અનેક જગ્યાઓ પર પાણી ભરાયા હોવાના દ્રશ્યો સામે આવતા હોય છે. ત્યારે ભારે વરસાદ પડતા નડિયાદમાં પાણી ભરાયા હતા. ધોધમાર વરસાદ થવાને કારણે નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા જેને કારણે સ્થાનિક લોકોને તેમજ વાહનચાલકને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે નડિયાદમાં અન્ડર પાસમાં પાણી ભરાઈ જવાને કારણે લોકો કારમાં ભરાઈ ગયા હતા. કાર ચાલકે ગાડી કાઢવાનો પ્રયત્ન કર્યો પરંતુ ગાડી ત્યાં ભરાઈ ગઈ હતી જેને કારણે અંતે દોરડાની મદદથી ફાયર વિભાગની ટીમે ગાડીને બહાર કાઢી હતી.ઉપરાંત ચાર લોકોનું રેસ્ક્યું પણ કરવામાં આવ્યું હતું.

પાણી ભરાવવાને કારણે અંડરપાસમાં ફસાઈ ગાડી

ચોમાસાની શરૂઆત થતાં જ ગુજરાતમાં સારો એવો વરસાદ ખાબકી પડ્યો છે. સારો વરસાદ વરસવાને કારણે નવા નીરની આવક થઈ છે. જેને લઈ ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. અનેક જગ્યાઓ પર વરસાદ યથાવત પણ જોવા મળી રહ્યું છે. નડિયાદ સહિતના અનેક વિસ્તારોમાં ગઈકાલથી વરસાદ વરસી રહ્યો છે. સતત થતા વરસાદને કારણે નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા ઉભી થઈ છે.પાણી ભરાઈ જવાને કારણે અનેક વાહનો પાણીમાં બંધ પડી જતા હોય છે. અનેક વાહનો તણાઈ પણ જતા હોય છે. ત્યારે ભારે વરસાદ પડવાને કારણે અંડર પાસમાં પાણી ભરાઈ જતા હોય છે. પાણીમાં ગાડી ફસાઈ ગઈ છે. કાર ચાલકે ગાડીને કાઢવાનો પ્રયત્ન કર્યો પરંતુ તે નિષ્ફળ રહ્યા. આ અંગે ફાયર વિભાગને જાણ કરાતા ટીમ ત્યાં આવી પહોંચી અને ગાડીને દોરડાની મદદથી બહાર ખેંચવામાં આવી. 

 નોંધનીય છે કે, શહેરમાં બુધવારે વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ સર્જાયુ હતું. બપોરના સમયમાં શહેરમાં ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો હતો. આ ધોધમાર વરસાદને કારણે વડોદરા શહેરના માંડવી, રાવપુરા, ન્યાય મંદિર, સમા, અલકાપુરી અને કારેલીબાગ સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.

વડોદરામાં તંત્ર દ્વારા ખોદાયેલા ખાડામાં ખાબકી રિક્ષા 

તે સિવાય વડોદરામાં પણ તંત્રની બેદરકારીને લીધે એક રિક્ષા ખોદવામાં આવેલા ખાડામાં ખાબકી પડી હતી. વરસાદી માહોલને કારણે નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જેને લઈ કોર્પોરેશન દ્વારા લાઈનમાં લીકેજને પગલે મોટો ખાડો ખોદવામાં આવ્યો હતો. પરંતુ ખાડાને પૂરવામાં આવ્યો ન હતો. જેને લઈ રિક્ષા ચાલક 10 ફૂટ જેટલા ઉંડા ખાડામાં રિક્ષા સાથે પટકાયો હતો. ખાડામાં ફસાયેલી રિક્ષાને જોવા લોકોના ટોળેટોળા ઉમટી રહ્યા છે. બુધવાર રાત્રે આ દુર્ઘટના સર્જાઈ હતી. રિક્ષા ચાલકને ખાડો ન દેખાતા તે ખાડામાં રિક્ષા સાથે પડી ગયો.   

 વડોદરા: શહેરમાં છેલ્લા થોડા દિવસથી વાદળછાયું વાતાવરણ હતુ. શહેરમાં ગઇકાલે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જે બાદ અનેક નિચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા. ત્યારે, કોર્પોરેશન દ્વારા લાઈનમાં લીકેજને પગલે મોટો ખાડો ખોદીને તેને પૂરવામાં આવ્યો ન હતો. બુધવારે રાતે આ 10 ફૂટ જેટલા ઊંડા ખાડામાં રિક્ષા ચાલક રિક્ષા સાથે અંદર પટકાયો હતો. આજે સવારથી આ ખાડામાં પડેલી રિક્ષા જોવા માટે લોકોના ટોળેટોળા ઉમટી રહ્યા છે.

ભૂવાઓમાં પણ પડે છે વાહનો!

મહત્વનું છે કે અનેક એવા કિસ્સાઓ આપણી સામે આવી રહ્યા છે. આ તો ખાડામાં રિક્ષા પડી ત્યારે એવા પણ કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં રસ્તા પર ઉભેલી કાર ભૂવામાં પડતી હોય. ભૂવાઓની સંખ્યા પણ સતત વધતી જઈ રહી છે. અનેક ભૂવાઓ જ્યારે પડે છે ત્યારે પોતાની સાથે અંદર વાહનોને પણ લેતા જાય છે.  


ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.