વડોદરામાં તંત્ર દ્વારા ખોદાયેલા ખાડામાં ખાબકી રિક્ષા! નડિયાદમાં ફસાઈ ગાડી, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-07-06 12:31:57

વરસાદના આગમન સાથે જ ગુજરાત રાજ્યની પરિસ્થિતિ બદલાઈ છે. અનેક શહેરોમાં વરસાદી માહોલ જામ્યો છે. ભારે વરસાદને કારણે અનેક જગ્યાઓ પર પાણી ભરાયા હોવાના દ્રશ્યો સામે આવતા હોય છે. ત્યારે ભારે વરસાદ પડતા નડિયાદમાં પાણી ભરાયા હતા. ધોધમાર વરસાદ થવાને કારણે નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા જેને કારણે સ્થાનિક લોકોને તેમજ વાહનચાલકને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે નડિયાદમાં અન્ડર પાસમાં પાણી ભરાઈ જવાને કારણે લોકો કારમાં ભરાઈ ગયા હતા. કાર ચાલકે ગાડી કાઢવાનો પ્રયત્ન કર્યો પરંતુ ગાડી ત્યાં ભરાઈ ગઈ હતી જેને કારણે અંતે દોરડાની મદદથી ફાયર વિભાગની ટીમે ગાડીને બહાર કાઢી હતી.ઉપરાંત ચાર લોકોનું રેસ્ક્યું પણ કરવામાં આવ્યું હતું.

પાણી ભરાવવાને કારણે અંડરપાસમાં ફસાઈ ગાડી

ચોમાસાની શરૂઆત થતાં જ ગુજરાતમાં સારો એવો વરસાદ ખાબકી પડ્યો છે. સારો વરસાદ વરસવાને કારણે નવા નીરની આવક થઈ છે. જેને લઈ ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. અનેક જગ્યાઓ પર વરસાદ યથાવત પણ જોવા મળી રહ્યું છે. નડિયાદ સહિતના અનેક વિસ્તારોમાં ગઈકાલથી વરસાદ વરસી રહ્યો છે. સતત થતા વરસાદને કારણે નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા ઉભી થઈ છે.પાણી ભરાઈ જવાને કારણે અનેક વાહનો પાણીમાં બંધ પડી જતા હોય છે. અનેક વાહનો તણાઈ પણ જતા હોય છે. ત્યારે ભારે વરસાદ પડવાને કારણે અંડર પાસમાં પાણી ભરાઈ જતા હોય છે. પાણીમાં ગાડી ફસાઈ ગઈ છે. કાર ચાલકે ગાડીને કાઢવાનો પ્રયત્ન કર્યો પરંતુ તે નિષ્ફળ રહ્યા. આ અંગે ફાયર વિભાગને જાણ કરાતા ટીમ ત્યાં આવી પહોંચી અને ગાડીને દોરડાની મદદથી બહાર ખેંચવામાં આવી. 

 નોંધનીય છે કે, શહેરમાં બુધવારે વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ સર્જાયુ હતું. બપોરના સમયમાં શહેરમાં ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો હતો. આ ધોધમાર વરસાદને કારણે વડોદરા શહેરના માંડવી, રાવપુરા, ન્યાય મંદિર, સમા, અલકાપુરી અને કારેલીબાગ સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.

વડોદરામાં તંત્ર દ્વારા ખોદાયેલા ખાડામાં ખાબકી રિક્ષા 

તે સિવાય વડોદરામાં પણ તંત્રની બેદરકારીને લીધે એક રિક્ષા ખોદવામાં આવેલા ખાડામાં ખાબકી પડી હતી. વરસાદી માહોલને કારણે નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જેને લઈ કોર્પોરેશન દ્વારા લાઈનમાં લીકેજને પગલે મોટો ખાડો ખોદવામાં આવ્યો હતો. પરંતુ ખાડાને પૂરવામાં આવ્યો ન હતો. જેને લઈ રિક્ષા ચાલક 10 ફૂટ જેટલા ઉંડા ખાડામાં રિક્ષા સાથે પટકાયો હતો. ખાડામાં ફસાયેલી રિક્ષાને જોવા લોકોના ટોળેટોળા ઉમટી રહ્યા છે. બુધવાર રાત્રે આ દુર્ઘટના સર્જાઈ હતી. રિક્ષા ચાલકને ખાડો ન દેખાતા તે ખાડામાં રિક્ષા સાથે પડી ગયો.   

 વડોદરા: શહેરમાં છેલ્લા થોડા દિવસથી વાદળછાયું વાતાવરણ હતુ. શહેરમાં ગઇકાલે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જે બાદ અનેક નિચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા. ત્યારે, કોર્પોરેશન દ્વારા લાઈનમાં લીકેજને પગલે મોટો ખાડો ખોદીને તેને પૂરવામાં આવ્યો ન હતો. બુધવારે રાતે આ 10 ફૂટ જેટલા ઊંડા ખાડામાં રિક્ષા ચાલક રિક્ષા સાથે અંદર પટકાયો હતો. આજે સવારથી આ ખાડામાં પડેલી રિક્ષા જોવા માટે લોકોના ટોળેટોળા ઉમટી રહ્યા છે.

ભૂવાઓમાં પણ પડે છે વાહનો!

મહત્વનું છે કે અનેક એવા કિસ્સાઓ આપણી સામે આવી રહ્યા છે. આ તો ખાડામાં રિક્ષા પડી ત્યારે એવા પણ કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં રસ્તા પર ઉભેલી કાર ભૂવામાં પડતી હોય. ભૂવાઓની સંખ્યા પણ સતત વધતી જઈ રહી છે. અનેક ભૂવાઓ જ્યારે પડે છે ત્યારે પોતાની સાથે અંદર વાહનોને પણ લેતા જાય છે.  


ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.