વડોદરામાં તંત્ર દ્વારા ખોદાયેલા ખાડામાં ખાબકી રિક્ષા! નડિયાદમાં ફસાઈ ગાડી, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-07-06 12:31:57

વરસાદના આગમન સાથે જ ગુજરાત રાજ્યની પરિસ્થિતિ બદલાઈ છે. અનેક શહેરોમાં વરસાદી માહોલ જામ્યો છે. ભારે વરસાદને કારણે અનેક જગ્યાઓ પર પાણી ભરાયા હોવાના દ્રશ્યો સામે આવતા હોય છે. ત્યારે ભારે વરસાદ પડતા નડિયાદમાં પાણી ભરાયા હતા. ધોધમાર વરસાદ થવાને કારણે નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા જેને કારણે સ્થાનિક લોકોને તેમજ વાહનચાલકને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે નડિયાદમાં અન્ડર પાસમાં પાણી ભરાઈ જવાને કારણે લોકો કારમાં ભરાઈ ગયા હતા. કાર ચાલકે ગાડી કાઢવાનો પ્રયત્ન કર્યો પરંતુ ગાડી ત્યાં ભરાઈ ગઈ હતી જેને કારણે અંતે દોરડાની મદદથી ફાયર વિભાગની ટીમે ગાડીને બહાર કાઢી હતી.ઉપરાંત ચાર લોકોનું રેસ્ક્યું પણ કરવામાં આવ્યું હતું.

પાણી ભરાવવાને કારણે અંડરપાસમાં ફસાઈ ગાડી

ચોમાસાની શરૂઆત થતાં જ ગુજરાતમાં સારો એવો વરસાદ ખાબકી પડ્યો છે. સારો વરસાદ વરસવાને કારણે નવા નીરની આવક થઈ છે. જેને લઈ ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. અનેક જગ્યાઓ પર વરસાદ યથાવત પણ જોવા મળી રહ્યું છે. નડિયાદ સહિતના અનેક વિસ્તારોમાં ગઈકાલથી વરસાદ વરસી રહ્યો છે. સતત થતા વરસાદને કારણે નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા ઉભી થઈ છે.પાણી ભરાઈ જવાને કારણે અનેક વાહનો પાણીમાં બંધ પડી જતા હોય છે. અનેક વાહનો તણાઈ પણ જતા હોય છે. ત્યારે ભારે વરસાદ પડવાને કારણે અંડર પાસમાં પાણી ભરાઈ જતા હોય છે. પાણીમાં ગાડી ફસાઈ ગઈ છે. કાર ચાલકે ગાડીને કાઢવાનો પ્રયત્ન કર્યો પરંતુ તે નિષ્ફળ રહ્યા. આ અંગે ફાયર વિભાગને જાણ કરાતા ટીમ ત્યાં આવી પહોંચી અને ગાડીને દોરડાની મદદથી બહાર ખેંચવામાં આવી. 

 નોંધનીય છે કે, શહેરમાં બુધવારે વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ સર્જાયુ હતું. બપોરના સમયમાં શહેરમાં ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો હતો. આ ધોધમાર વરસાદને કારણે વડોદરા શહેરના માંડવી, રાવપુરા, ન્યાય મંદિર, સમા, અલકાપુરી અને કારેલીબાગ સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.

વડોદરામાં તંત્ર દ્વારા ખોદાયેલા ખાડામાં ખાબકી રિક્ષા 

તે સિવાય વડોદરામાં પણ તંત્રની બેદરકારીને લીધે એક રિક્ષા ખોદવામાં આવેલા ખાડામાં ખાબકી પડી હતી. વરસાદી માહોલને કારણે નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જેને લઈ કોર્પોરેશન દ્વારા લાઈનમાં લીકેજને પગલે મોટો ખાડો ખોદવામાં આવ્યો હતો. પરંતુ ખાડાને પૂરવામાં આવ્યો ન હતો. જેને લઈ રિક્ષા ચાલક 10 ફૂટ જેટલા ઉંડા ખાડામાં રિક્ષા સાથે પટકાયો હતો. ખાડામાં ફસાયેલી રિક્ષાને જોવા લોકોના ટોળેટોળા ઉમટી રહ્યા છે. બુધવાર રાત્રે આ દુર્ઘટના સર્જાઈ હતી. રિક્ષા ચાલકને ખાડો ન દેખાતા તે ખાડામાં રિક્ષા સાથે પડી ગયો.   

 વડોદરા: શહેરમાં છેલ્લા થોડા દિવસથી વાદળછાયું વાતાવરણ હતુ. શહેરમાં ગઇકાલે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જે બાદ અનેક નિચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા. ત્યારે, કોર્પોરેશન દ્વારા લાઈનમાં લીકેજને પગલે મોટો ખાડો ખોદીને તેને પૂરવામાં આવ્યો ન હતો. બુધવારે રાતે આ 10 ફૂટ જેટલા ઊંડા ખાડામાં રિક્ષા ચાલક રિક્ષા સાથે અંદર પટકાયો હતો. આજે સવારથી આ ખાડામાં પડેલી રિક્ષા જોવા માટે લોકોના ટોળેટોળા ઉમટી રહ્યા છે.

ભૂવાઓમાં પણ પડે છે વાહનો!

મહત્વનું છે કે અનેક એવા કિસ્સાઓ આપણી સામે આવી રહ્યા છે. આ તો ખાડામાં રિક્ષા પડી ત્યારે એવા પણ કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં રસ્તા પર ઉભેલી કાર ભૂવામાં પડતી હોય. ભૂવાઓની સંખ્યા પણ સતત વધતી જઈ રહી છે. અનેક ભૂવાઓ જ્યારે પડે છે ત્યારે પોતાની સાથે અંદર વાહનોને પણ લેતા જાય છે.  


રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.