વડોદરામાં તંત્ર દ્વારા ખોદાયેલા ખાડામાં ખાબકી રિક્ષા! નડિયાદમાં ફસાઈ ગાડી, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-07-06 12:31:57

વરસાદના આગમન સાથે જ ગુજરાત રાજ્યની પરિસ્થિતિ બદલાઈ છે. અનેક શહેરોમાં વરસાદી માહોલ જામ્યો છે. ભારે વરસાદને કારણે અનેક જગ્યાઓ પર પાણી ભરાયા હોવાના દ્રશ્યો સામે આવતા હોય છે. ત્યારે ભારે વરસાદ પડતા નડિયાદમાં પાણી ભરાયા હતા. ધોધમાર વરસાદ થવાને કારણે નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા જેને કારણે સ્થાનિક લોકોને તેમજ વાહનચાલકને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે નડિયાદમાં અન્ડર પાસમાં પાણી ભરાઈ જવાને કારણે લોકો કારમાં ભરાઈ ગયા હતા. કાર ચાલકે ગાડી કાઢવાનો પ્રયત્ન કર્યો પરંતુ ગાડી ત્યાં ભરાઈ ગઈ હતી જેને કારણે અંતે દોરડાની મદદથી ફાયર વિભાગની ટીમે ગાડીને બહાર કાઢી હતી.ઉપરાંત ચાર લોકોનું રેસ્ક્યું પણ કરવામાં આવ્યું હતું.

પાણી ભરાવવાને કારણે અંડરપાસમાં ફસાઈ ગાડી

ચોમાસાની શરૂઆત થતાં જ ગુજરાતમાં સારો એવો વરસાદ ખાબકી પડ્યો છે. સારો વરસાદ વરસવાને કારણે નવા નીરની આવક થઈ છે. જેને લઈ ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. અનેક જગ્યાઓ પર વરસાદ યથાવત પણ જોવા મળી રહ્યું છે. નડિયાદ સહિતના અનેક વિસ્તારોમાં ગઈકાલથી વરસાદ વરસી રહ્યો છે. સતત થતા વરસાદને કારણે નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા ઉભી થઈ છે.પાણી ભરાઈ જવાને કારણે અનેક વાહનો પાણીમાં બંધ પડી જતા હોય છે. અનેક વાહનો તણાઈ પણ જતા હોય છે. ત્યારે ભારે વરસાદ પડવાને કારણે અંડર પાસમાં પાણી ભરાઈ જતા હોય છે. પાણીમાં ગાડી ફસાઈ ગઈ છે. કાર ચાલકે ગાડીને કાઢવાનો પ્રયત્ન કર્યો પરંતુ તે નિષ્ફળ રહ્યા. આ અંગે ફાયર વિભાગને જાણ કરાતા ટીમ ત્યાં આવી પહોંચી અને ગાડીને દોરડાની મદદથી બહાર ખેંચવામાં આવી. 

 નોંધનીય છે કે, શહેરમાં બુધવારે વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ સર્જાયુ હતું. બપોરના સમયમાં શહેરમાં ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો હતો. આ ધોધમાર વરસાદને કારણે વડોદરા શહેરના માંડવી, રાવપુરા, ન્યાય મંદિર, સમા, અલકાપુરી અને કારેલીબાગ સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.

વડોદરામાં તંત્ર દ્વારા ખોદાયેલા ખાડામાં ખાબકી રિક્ષા 

તે સિવાય વડોદરામાં પણ તંત્રની બેદરકારીને લીધે એક રિક્ષા ખોદવામાં આવેલા ખાડામાં ખાબકી પડી હતી. વરસાદી માહોલને કારણે નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જેને લઈ કોર્પોરેશન દ્વારા લાઈનમાં લીકેજને પગલે મોટો ખાડો ખોદવામાં આવ્યો હતો. પરંતુ ખાડાને પૂરવામાં આવ્યો ન હતો. જેને લઈ રિક્ષા ચાલક 10 ફૂટ જેટલા ઉંડા ખાડામાં રિક્ષા સાથે પટકાયો હતો. ખાડામાં ફસાયેલી રિક્ષાને જોવા લોકોના ટોળેટોળા ઉમટી રહ્યા છે. બુધવાર રાત્રે આ દુર્ઘટના સર્જાઈ હતી. રિક્ષા ચાલકને ખાડો ન દેખાતા તે ખાડામાં રિક્ષા સાથે પડી ગયો.   

 વડોદરા: શહેરમાં છેલ્લા થોડા દિવસથી વાદળછાયું વાતાવરણ હતુ. શહેરમાં ગઇકાલે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જે બાદ અનેક નિચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા. ત્યારે, કોર્પોરેશન દ્વારા લાઈનમાં લીકેજને પગલે મોટો ખાડો ખોદીને તેને પૂરવામાં આવ્યો ન હતો. બુધવારે રાતે આ 10 ફૂટ જેટલા ઊંડા ખાડામાં રિક્ષા ચાલક રિક્ષા સાથે અંદર પટકાયો હતો. આજે સવારથી આ ખાડામાં પડેલી રિક્ષા જોવા માટે લોકોના ટોળેટોળા ઉમટી રહ્યા છે.

ભૂવાઓમાં પણ પડે છે વાહનો!

મહત્વનું છે કે અનેક એવા કિસ્સાઓ આપણી સામે આવી રહ્યા છે. આ તો ખાડામાં રિક્ષા પડી ત્યારે એવા પણ કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં રસ્તા પર ઉભેલી કાર ભૂવામાં પડતી હોય. ભૂવાઓની સંખ્યા પણ સતત વધતી જઈ રહી છે. અનેક ભૂવાઓ જ્યારે પડે છે ત્યારે પોતાની સાથે અંદર વાહનોને પણ લેતા જાય છે.  


ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે