હિંમતનગરના વક્તાપુરમાં દારૂડિયા પિતાની બે પુત્રોએ કરી કરપીણ હત્યા, માતાની ફરિયાદ પર દીકરાઓની ધરપકડ


  • Published By :
  • Published Date : 2023-12-10 18:45:18

રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી ગંભીર ગુનાઓનું પ્રમાણ વધી રહ્યું છે. નજીવી બાબતે જીવલેણ હુમલો કરી મોતને ઘાટને ઉતારી દેવું એ તો હવે સામાન્ય બાબત બની ગઈ છે. સાબરકાંઠા જિલ્લાના હિંમત નગરમાં ઘર કંકાસમાં બે પુત્રોએ તેના જ પિતાની હત્યા કરતા ચકચાર મચી ગઈ છે. સાબરકાંઠાના હિંમતનગર નજીકના વક્તાપુરમાં હત્યાની આ હિચકારી ઘટના બની છે, અહીં બે દીકરાઓએ પોતાના જ પિતાની ધારદાર હથિયાર મારીને હત્યા કરી દીધી છે. હાલમાં હિંમતનગર ગ્રામ્ય પોલીસે આ અંગે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. 


શું હતો સમગ્ર મામલો?


સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના વક્તાપુર ગામમાં ગઇકાલે એક ચોંકાવનારી ઘટના બની છે.  દારુ પીને ઘરે આવેલા પિતા ધમાલ મચાવી હતી આ કારણે બે પુત્રોની સાથે પિતાને બબાલ થઈ હતી. જોકે, આ ઝઘડો લાંબો ચાલતા પિતા ગામમાં ભાગી ગયા હતા, બાદમાં બન્ને દીકરાઓએ પોતાના પિતાને ગામમાંથી પકડી લાવીને ઘરમાં માર મારવાનું શરૂ કર્યુ હતુ. બન્નેએ પોતાના પિતાને લાકડીઓ ફટકારી અને બાદમાં માથાના ભાગે કોદાળીના ઘા ઝીંક્યા હતા. પિતા ગંભીર રીતે ઘાયલ થતાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતુ. હાલમાં આ હત્યાના ઘટના અંગે હિંમતનગર ગ્રામ્ય પોલીસે તપાસ હાથ ધરી છે. 


મૃતકના પત્નીએ બંને દીકરા વિરૂધ્ધ નોંધાવી ફરિયાદ 


મૃતકના પત્નીસુભદ્રાબેને હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં પોતાના બે દીકરા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા અનુસાર, તેમના પતિ નારાયણ રાવળને દારુ પીવાની ટેવ હતી અને તે વારંવાર પરિવારજનો સાથે ઝગડો કરતા હતા. જેથી તેમનો મોટો દીકરો અર્જૂન છેલ્લા પાંચ વર્ષથી પોતાની પત્ની અને સંતાનો સાથે ઇડર ભાડાના મકાનમાં રહેવા માટે જતો રહ્યો હતો. હિંમતનગર જીઈડીસીમા કામ કરતો હોવાથી તે અવાર-નવાર વક્તાપુર આવીને તેની માતા સુભદ્રાબેનને મળતો હતો. આ દરમિયાન છેલ્લા થોડા દિવસથી નારાયણભાઈની માથાકૂટ વધી ગઇ હતી. બન્ને પુત્રો દ્વારા લાકડી વડે માર મારવામાં આવતા પિતા નારાયણભાઈને માથા અને શરીરના ભાગે ઇજાઓ પહોંચી હતી. નારાયણભાઈ હાથમાં રહેલી કોદાળી મુકેશને મારવા જતા મુકેશે તે ઝુંટવી લીધી હતી અને પિતાના માથાના ભાગે મારી દીધી હતી. જેથી પિતા નારાયણભાઈને ગંભીર ઇજાઓ પહોંચી હતી. બનાવ સમયે આસપાસના લોકો આવી ગયા હતા અને ઇજાગ્રસ્ત નારાયણભાઈને સારવાર અર્થે હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. જ્યાં તેમનું મોત નીપજ્યું હતું. પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપી પુત્રો અર્જૂન અને મુકેશ વિરુદ્ધ આગળની કાર્યવાહી હાથ ધરી છે.



અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી એકવાર ભારત - અમેરિકા ટ્રેડ ડીલને લઇને ટિપ્પણી કરી છે. ભારતનું પ્રતિનિધિમંડળ હાલમાં અમેરિકામાં છે . તેનો પ્રયાસ છે કે, જુલાઈની ૯ મી તારીખ પેહલા બેઉ દેશો વચ્ચે વ્યાપારી કરારો સંપન્ન થાય. ભારતનું પ્રતિનિધિમંડળ રાજેશ અગ્રવાલના નેતૃત્વમાં અમેરિકા પહોંચ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જે આ ટિપ્પણી આવી તે પેહલા યુએસના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટએ કહ્યું છે કે , ભારત અને અમેરિકા એવા કરારોની નજીક પહોંચી ચુક્યા છે જ્યાં અમેરિકન ઉત્પાદનો પર ઓછો ટેરિફ લગાવવામાં આવશે .

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ તરીકે ફરી એકવાર રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીની નિમણુંક કરવામાં આવી છે. આ માટે , ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની કારોબારી સમિતિની 47મી વાર્ષિક સભા મળી હતી. ગુજરાતમાં GSFAએ ફૂટબોલના ક્રમશઃ વિકાસ અને વૃદ્ધિ માટે ખુબ મહત્વનો ફાળો આપ્યો છે. ફૂટબોલમાં સારામાં સારું પ્રદર્શન કરનારા જિલ્લાઓ , ક્લબો , રેફરી , ખેલાડીઓ અને કોચને એવોર્ડ અને પ્રોત્સાહન આપવામાં આવે છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.