Valsadમાં ધારાસભ્ય અનંત પટેલે TET-TATના ઉમેદવારોના સમર્થનમાં કરી રેલી, મહિલા ઉમેદવાર બની રણચંડી બની! જુઓ વીડિયો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-09-30 17:29:23

ગુજરાતમાં શિક્ષણની પરિસ્થિતિ એકદમ લથડી રહી છે. અનેક વખત આપણે વીડિયો જોતા હોઈએ છીએ કે ઉચ્ચ ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓને સામાન્ય પ્રશ્નોના જવાબની ખબર નથી હોતી. અંતરિયાળ વિસ્તારથી તો આવા વીડિયો સામે આવતા હોય છે પરંતુ શહેરોમાંથી પણ આવા કિસ્સાઓ સામે આવતા હોય છે. બાળકોને સામાન્ય જ્ઞાન નથી હોતું. અનેક શાળાઓ એવી છે જ્યાં શિક્ષકોની ઘટ છે. તો અનેક શાળાઓ એવી છે જેની ઈમારત જર્જરિત હોય છે. ત્યારે ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી જ્ઞાનસહાયકોનો વિરોધ ટેટ-ટાટના ઉમેદવારો કરી રહ્યા છે. કાયમી ભરતી કરવામાં આવે તેવી તેમની માગ છે.  


પીએમઓ તરફથી મળ્યો નિરાશાજનક જવાબ

ટેટ-ટાટના ઉમેદવારો ઘણા સમયથી એક માગ સાથે આંદોલન કરી રહ્યા છે કે કરાર આધારિત ભરતીને નાબુદ કરવામાં આવે અને શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે. પોતાનો અવાજ સરકાર સુધી પહોંચાડવા માટે અલગ અલગ રીતે અને અનેક રીતે પ્રયત્નો કર્યા. સરકારે તેમનો અવાજ ન સાંભળ્યો તે બાદ તેઓ ભગવાનના શરણે ગયા. શિવજીને, હનુમાનજીને તેમજ ગણપતિ દાદાને તેમણે પત્ર લખ્યો હતો. તે ઉપરાંત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ તેમણે પત્ર લખ્યો હતો. જે ઉમેદવારે તેમને પત્ર લખ્યો હતો તેને જવાબ પીએમઓ તરફથી આપવામાં આવ્યો હતો જે નિરાશાજનક હતો. 


ધારાસભ્ય અનંત પટેલ આવ્યા ઉમેદવારોના સમર્થનમાં 

ભાવિ શિક્ષકોના સમર્થનમાં કોંગ્રેસના અનેક ધારાસભ્યો, આમ આદમી પાર્ટીના ધારાસભ્યો ઉપરાંત ભાજપના પણ અનેક ધારાસભ્યો સમર્થનમાં આવ્યા છે. ભાજપના ધારાસભ્યોએ પત્ર લખી જ્ઞાન સહાયકને રદ્દ કરવાની વાત કરી હતી. ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલે રેલી યોજી જ્ઞાનસહાયક યોજનાને નાબુદ કરવાની માગ કરી છે. થોડા સમય પહેલા નવસારીમાં એમએલએ અનંત પટેલે ઉમેદવારો સાથે રેલી કરી હતી ત્યારે આજે વલસાડમાં ઉમેદવારો સાથે અનંત પટેલે રેલી કરી હતી. પોતાના સંબોધનમાં અનંત પટેલે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. 


અલગ અલગ જગ્યાઓ પર ઉમેદવારો કરી રહ્યા છે વિરોધ પ્રદર્શન 

જ્ઞાન સહાયકનો વિરોધ કરી રહેલા ઉમેદવારોએ પણ પોતાનો રોષ ઠાલવ્યો હતો. આ આંદોલનમાં મહિલા ઉમેદવારો આગવી ભૂમિકા ભજવી રહી છે. સમગ્ર વિરોધ પ્રદર્શન દરમિયાન મહિલા ઉમેદવારો રણચંડી બનેલી દેખાઈ છે. ગાંઘીનગર ખાતે ઉમેદવારો જ્યારે વિરોધ કરી રહ્યા હતા તે દરમિયાન પોલીસે તેમને ઢસેડ્યા હતા. તેને લઈ ઉમેદવારોમાં રોષ ભડકી ઉઠ્યો છે. અલગ અલગ જગ્યાઓ પર ઉમેદવારો વિરોધ કરી રહ્યા છે.       



ગુજરાતમાં સાતમી તારીખે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું.. ક્યાંથી પણ ઘર્ષણના દ્રશ્યો સામે ના આવ્યા... ગુજરાતીઓને છાજે એવી રીતે મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ.. પરંતુ ગઈકાલે સંતરામપુરથી એક વીડિયો સામે આવ્યો જેને કારણે અનેક સવાલો ઉભા થયા..

સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે શૂન્ય પાલનપુરીની રચના જેમાં તે નાતની, જાતની વાત કરે છે. અનેક લોકો આજના જમાનામાં એવા હોય છે જે નાત, જાતને કારણે લોકો સાથે ભેદભાવ કરતા હોય છે.

પરષોત્તમ રૂપાલાના નિવેદનને કારણે ગુજરાતની રાજનીતિ ગરમાઈ હતી. ક્ષત્રિય સમાજે ભાજપ વિરૂદ્ધ મતદાન કરવાની જાહેરાત કરી હતી. ત્યારે આણંદના સમીકરણોની વાત કરીએ તો અહીંયા મોટા પ્રમાણમાં ક્ષત્રિય સમાજના મતદાતાઓ છે.

ભાજપના કેન્ડીડેટ સામે ભાજપના જ ધારાસભ્ય જયેશ રાદડિયાએ દાવેદારી નોંધાવી હતી. 182 મતમાંથી 180 મત પડ્યા હતા જેમાં જયેશ રાદડિયાને 114 મત મળ્યા છે..