Valsadમાં ધારાસભ્ય અનંત પટેલે TET-TATના ઉમેદવારોના સમર્થનમાં કરી રેલી, મહિલા ઉમેદવાર બની રણચંડી બની! જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-09-30 17:29:23

ગુજરાતમાં શિક્ષણની પરિસ્થિતિ એકદમ લથડી રહી છે. અનેક વખત આપણે વીડિયો જોતા હોઈએ છીએ કે ઉચ્ચ ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓને સામાન્ય પ્રશ્નોના જવાબની ખબર નથી હોતી. અંતરિયાળ વિસ્તારથી તો આવા વીડિયો સામે આવતા હોય છે પરંતુ શહેરોમાંથી પણ આવા કિસ્સાઓ સામે આવતા હોય છે. બાળકોને સામાન્ય જ્ઞાન નથી હોતું. અનેક શાળાઓ એવી છે જ્યાં શિક્ષકોની ઘટ છે. તો અનેક શાળાઓ એવી છે જેની ઈમારત જર્જરિત હોય છે. ત્યારે ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી જ્ઞાનસહાયકોનો વિરોધ ટેટ-ટાટના ઉમેદવારો કરી રહ્યા છે. કાયમી ભરતી કરવામાં આવે તેવી તેમની માગ છે.  


પીએમઓ તરફથી મળ્યો નિરાશાજનક જવાબ

ટેટ-ટાટના ઉમેદવારો ઘણા સમયથી એક માગ સાથે આંદોલન કરી રહ્યા છે કે કરાર આધારિત ભરતીને નાબુદ કરવામાં આવે અને શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે. પોતાનો અવાજ સરકાર સુધી પહોંચાડવા માટે અલગ અલગ રીતે અને અનેક રીતે પ્રયત્નો કર્યા. સરકારે તેમનો અવાજ ન સાંભળ્યો તે બાદ તેઓ ભગવાનના શરણે ગયા. શિવજીને, હનુમાનજીને તેમજ ગણપતિ દાદાને તેમણે પત્ર લખ્યો હતો. તે ઉપરાંત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ તેમણે પત્ર લખ્યો હતો. જે ઉમેદવારે તેમને પત્ર લખ્યો હતો તેને જવાબ પીએમઓ તરફથી આપવામાં આવ્યો હતો જે નિરાશાજનક હતો. 


ધારાસભ્ય અનંત પટેલ આવ્યા ઉમેદવારોના સમર્થનમાં 

ભાવિ શિક્ષકોના સમર્થનમાં કોંગ્રેસના અનેક ધારાસભ્યો, આમ આદમી પાર્ટીના ધારાસભ્યો ઉપરાંત ભાજપના પણ અનેક ધારાસભ્યો સમર્થનમાં આવ્યા છે. ભાજપના ધારાસભ્યોએ પત્ર લખી જ્ઞાન સહાયકને રદ્દ કરવાની વાત કરી હતી. ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલે રેલી યોજી જ્ઞાનસહાયક યોજનાને નાબુદ કરવાની માગ કરી છે. થોડા સમય પહેલા નવસારીમાં એમએલએ અનંત પટેલે ઉમેદવારો સાથે રેલી કરી હતી ત્યારે આજે વલસાડમાં ઉમેદવારો સાથે અનંત પટેલે રેલી કરી હતી. પોતાના સંબોધનમાં અનંત પટેલે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. 


અલગ અલગ જગ્યાઓ પર ઉમેદવારો કરી રહ્યા છે વિરોધ પ્રદર્શન 

જ્ઞાન સહાયકનો વિરોધ કરી રહેલા ઉમેદવારોએ પણ પોતાનો રોષ ઠાલવ્યો હતો. આ આંદોલનમાં મહિલા ઉમેદવારો આગવી ભૂમિકા ભજવી રહી છે. સમગ્ર વિરોધ પ્રદર્શન દરમિયાન મહિલા ઉમેદવારો રણચંડી બનેલી દેખાઈ છે. ગાંઘીનગર ખાતે ઉમેદવારો જ્યારે વિરોધ કરી રહ્યા હતા તે દરમિયાન પોલીસે તેમને ઢસેડ્યા હતા. તેને લઈ ઉમેદવારોમાં રોષ ભડકી ઉઠ્યો છે. અલગ અલગ જગ્યાઓ પર ઉમેદવારો વિરોધ કરી રહ્યા છે.       



શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.