Valsadમાં ધારાસભ્ય અનંત પટેલે TET-TATના ઉમેદવારોના સમર્થનમાં કરી રેલી, મહિલા ઉમેદવાર બની રણચંડી બની! જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-09-30 17:29:23

ગુજરાતમાં શિક્ષણની પરિસ્થિતિ એકદમ લથડી રહી છે. અનેક વખત આપણે વીડિયો જોતા હોઈએ છીએ કે ઉચ્ચ ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓને સામાન્ય પ્રશ્નોના જવાબની ખબર નથી હોતી. અંતરિયાળ વિસ્તારથી તો આવા વીડિયો સામે આવતા હોય છે પરંતુ શહેરોમાંથી પણ આવા કિસ્સાઓ સામે આવતા હોય છે. બાળકોને સામાન્ય જ્ઞાન નથી હોતું. અનેક શાળાઓ એવી છે જ્યાં શિક્ષકોની ઘટ છે. તો અનેક શાળાઓ એવી છે જેની ઈમારત જર્જરિત હોય છે. ત્યારે ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી જ્ઞાનસહાયકોનો વિરોધ ટેટ-ટાટના ઉમેદવારો કરી રહ્યા છે. કાયમી ભરતી કરવામાં આવે તેવી તેમની માગ છે.  


પીએમઓ તરફથી મળ્યો નિરાશાજનક જવાબ

ટેટ-ટાટના ઉમેદવારો ઘણા સમયથી એક માગ સાથે આંદોલન કરી રહ્યા છે કે કરાર આધારિત ભરતીને નાબુદ કરવામાં આવે અને શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે. પોતાનો અવાજ સરકાર સુધી પહોંચાડવા માટે અલગ અલગ રીતે અને અનેક રીતે પ્રયત્નો કર્યા. સરકારે તેમનો અવાજ ન સાંભળ્યો તે બાદ તેઓ ભગવાનના શરણે ગયા. શિવજીને, હનુમાનજીને તેમજ ગણપતિ દાદાને તેમણે પત્ર લખ્યો હતો. તે ઉપરાંત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ તેમણે પત્ર લખ્યો હતો. જે ઉમેદવારે તેમને પત્ર લખ્યો હતો તેને જવાબ પીએમઓ તરફથી આપવામાં આવ્યો હતો જે નિરાશાજનક હતો. 


ધારાસભ્ય અનંત પટેલ આવ્યા ઉમેદવારોના સમર્થનમાં 

ભાવિ શિક્ષકોના સમર્થનમાં કોંગ્રેસના અનેક ધારાસભ્યો, આમ આદમી પાર્ટીના ધારાસભ્યો ઉપરાંત ભાજપના પણ અનેક ધારાસભ્યો સમર્થનમાં આવ્યા છે. ભાજપના ધારાસભ્યોએ પત્ર લખી જ્ઞાન સહાયકને રદ્દ કરવાની વાત કરી હતી. ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલે રેલી યોજી જ્ઞાનસહાયક યોજનાને નાબુદ કરવાની માગ કરી છે. થોડા સમય પહેલા નવસારીમાં એમએલએ અનંત પટેલે ઉમેદવારો સાથે રેલી કરી હતી ત્યારે આજે વલસાડમાં ઉમેદવારો સાથે અનંત પટેલે રેલી કરી હતી. પોતાના સંબોધનમાં અનંત પટેલે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. 


અલગ અલગ જગ્યાઓ પર ઉમેદવારો કરી રહ્યા છે વિરોધ પ્રદર્શન 

જ્ઞાન સહાયકનો વિરોધ કરી રહેલા ઉમેદવારોએ પણ પોતાનો રોષ ઠાલવ્યો હતો. આ આંદોલનમાં મહિલા ઉમેદવારો આગવી ભૂમિકા ભજવી રહી છે. સમગ્ર વિરોધ પ્રદર્શન દરમિયાન મહિલા ઉમેદવારો રણચંડી બનેલી દેખાઈ છે. ગાંઘીનગર ખાતે ઉમેદવારો જ્યારે વિરોધ કરી રહ્યા હતા તે દરમિયાન પોલીસે તેમને ઢસેડ્યા હતા. તેને લઈ ઉમેદવારોમાં રોષ ભડકી ઉઠ્યો છે. અલગ અલગ જગ્યાઓ પર ઉમેદવારો વિરોધ કરી રહ્યા છે.       



મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.