Valsadમાં ધારાસભ્ય અનંત પટેલે TET-TATના ઉમેદવારોના સમર્થનમાં કરી રેલી, મહિલા ઉમેદવાર બની રણચંડી બની! જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-09-30 17:29:23

ગુજરાતમાં શિક્ષણની પરિસ્થિતિ એકદમ લથડી રહી છે. અનેક વખત આપણે વીડિયો જોતા હોઈએ છીએ કે ઉચ્ચ ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓને સામાન્ય પ્રશ્નોના જવાબની ખબર નથી હોતી. અંતરિયાળ વિસ્તારથી તો આવા વીડિયો સામે આવતા હોય છે પરંતુ શહેરોમાંથી પણ આવા કિસ્સાઓ સામે આવતા હોય છે. બાળકોને સામાન્ય જ્ઞાન નથી હોતું. અનેક શાળાઓ એવી છે જ્યાં શિક્ષકોની ઘટ છે. તો અનેક શાળાઓ એવી છે જેની ઈમારત જર્જરિત હોય છે. ત્યારે ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી જ્ઞાનસહાયકોનો વિરોધ ટેટ-ટાટના ઉમેદવારો કરી રહ્યા છે. કાયમી ભરતી કરવામાં આવે તેવી તેમની માગ છે.  


પીએમઓ તરફથી મળ્યો નિરાશાજનક જવાબ

ટેટ-ટાટના ઉમેદવારો ઘણા સમયથી એક માગ સાથે આંદોલન કરી રહ્યા છે કે કરાર આધારિત ભરતીને નાબુદ કરવામાં આવે અને શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે. પોતાનો અવાજ સરકાર સુધી પહોંચાડવા માટે અલગ અલગ રીતે અને અનેક રીતે પ્રયત્નો કર્યા. સરકારે તેમનો અવાજ ન સાંભળ્યો તે બાદ તેઓ ભગવાનના શરણે ગયા. શિવજીને, હનુમાનજીને તેમજ ગણપતિ દાદાને તેમણે પત્ર લખ્યો હતો. તે ઉપરાંત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ તેમણે પત્ર લખ્યો હતો. જે ઉમેદવારે તેમને પત્ર લખ્યો હતો તેને જવાબ પીએમઓ તરફથી આપવામાં આવ્યો હતો જે નિરાશાજનક હતો. 


ધારાસભ્ય અનંત પટેલ આવ્યા ઉમેદવારોના સમર્થનમાં 

ભાવિ શિક્ષકોના સમર્થનમાં કોંગ્રેસના અનેક ધારાસભ્યો, આમ આદમી પાર્ટીના ધારાસભ્યો ઉપરાંત ભાજપના પણ અનેક ધારાસભ્યો સમર્થનમાં આવ્યા છે. ભાજપના ધારાસભ્યોએ પત્ર લખી જ્ઞાન સહાયકને રદ્દ કરવાની વાત કરી હતી. ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલે રેલી યોજી જ્ઞાનસહાયક યોજનાને નાબુદ કરવાની માગ કરી છે. થોડા સમય પહેલા નવસારીમાં એમએલએ અનંત પટેલે ઉમેદવારો સાથે રેલી કરી હતી ત્યારે આજે વલસાડમાં ઉમેદવારો સાથે અનંત પટેલે રેલી કરી હતી. પોતાના સંબોધનમાં અનંત પટેલે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. 


અલગ અલગ જગ્યાઓ પર ઉમેદવારો કરી રહ્યા છે વિરોધ પ્રદર્શન 

જ્ઞાન સહાયકનો વિરોધ કરી રહેલા ઉમેદવારોએ પણ પોતાનો રોષ ઠાલવ્યો હતો. આ આંદોલનમાં મહિલા ઉમેદવારો આગવી ભૂમિકા ભજવી રહી છે. સમગ્ર વિરોધ પ્રદર્શન દરમિયાન મહિલા ઉમેદવારો રણચંડી બનેલી દેખાઈ છે. ગાંઘીનગર ખાતે ઉમેદવારો જ્યારે વિરોધ કરી રહ્યા હતા તે દરમિયાન પોલીસે તેમને ઢસેડ્યા હતા. તેને લઈ ઉમેદવારોમાં રોષ ભડકી ઉઠ્યો છે. અલગ અલગ જગ્યાઓ પર ઉમેદવારો વિરોધ કરી રહ્યા છે.       



પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.

રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.