રાજકોટ બાદ વલસાડમાં પણ બેદરકારી, વરસાદના કારણે અનાજ પલળ્યું


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-12 20:39:14

ગુજરાત હવામાન વિભાગ વરસાદની આગાહી એટલા માટે કરતું હોય છે જેથી લોકો પોતાની રીતે તૈયારીઓ કરી રાખે. ત્યારે આજે વલસાડ જિલ્લાના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. વરસાદના કારણે વલસાડના રેલવે સ્ટેશનના વિસ્તારમાં ચોખાની ગુણીઓ પલડવાનો બનાવ બન્યો હતો.    


અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની બેદરકારી

વલસાડના મોગરાવાડી રેલવે સ્ટેશન પાસે હરિયાણાથી આવેલા ચોખાનો જથ્થો ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. વરસાદની ભીતી વચ્ચે ચોખાનો માલ ખુલ્લો ઉતારવાના કારણે વરસાદમાં ચોખાની કણકી થઈ ગઈ હતી. લાખો કિલો ચોખા પલળતા ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. આ ઘટનામાં કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની બેદરકારીના કારણે મોટો જથ્થો પલળી ગયો હતો તેવી વાતો સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહી છે. 

અગાઉ રાજકોટમાં પણ આવી ઘટના જોવા મળી હતી જેમાં હવામાન વિભાગની આગાહી બાદ માર્કેટિંગ યાર્ડમાં વ્યવસ્થા કરવામાં આવી નહોતી, જેના કારણે પણ અનાજનો બગાડ થયો હતો. માર્કેટિંગ યાર્ડમાં પણ અનાજ બહાર ખુલ્લુ મૂકી દેવાથી અને પ્રોપર મેનેજમેન્ટ ન હોવાના કારણે અનાજનો બગાડ થાય છે. જે અન્ન લોકોના પેટમાં જવું જોઈએ તે સડીને બગડી જાય છે.  




ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે