રાજકોટ બાદ વલસાડમાં પણ બેદરકારી, વરસાદના કારણે અનાજ પલળ્યું


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-12 20:39:14

ગુજરાત હવામાન વિભાગ વરસાદની આગાહી એટલા માટે કરતું હોય છે જેથી લોકો પોતાની રીતે તૈયારીઓ કરી રાખે. ત્યારે આજે વલસાડ જિલ્લાના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. વરસાદના કારણે વલસાડના રેલવે સ્ટેશનના વિસ્તારમાં ચોખાની ગુણીઓ પલડવાનો બનાવ બન્યો હતો.    


અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની બેદરકારી

વલસાડના મોગરાવાડી રેલવે સ્ટેશન પાસે હરિયાણાથી આવેલા ચોખાનો જથ્થો ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. વરસાદની ભીતી વચ્ચે ચોખાનો માલ ખુલ્લો ઉતારવાના કારણે વરસાદમાં ચોખાની કણકી થઈ ગઈ હતી. લાખો કિલો ચોખા પલળતા ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. આ ઘટનામાં કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની બેદરકારીના કારણે મોટો જથ્થો પલળી ગયો હતો તેવી વાતો સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહી છે. 

અગાઉ રાજકોટમાં પણ આવી ઘટના જોવા મળી હતી જેમાં હવામાન વિભાગની આગાહી બાદ માર્કેટિંગ યાર્ડમાં વ્યવસ્થા કરવામાં આવી નહોતી, જેના કારણે પણ અનાજનો બગાડ થયો હતો. માર્કેટિંગ યાર્ડમાં પણ અનાજ બહાર ખુલ્લુ મૂકી દેવાથી અને પ્રોપર મેનેજમેન્ટ ન હોવાના કારણે અનાજનો બગાડ થાય છે. જે અન્ન લોકોના પેટમાં જવું જોઈએ તે સડીને બગડી જાય છે.  




ઇંગ્લેન્ડની રાજધાની લંડનમાં એક વિમાન અકસ્માત થયો છે. એક નાનું એરક્રાફ્ટ , લંડનના સાઉથએન્ડ એરપોર્ટ ખાતે ક્રેશ થઈ ગયું છે. રનવે પરથી ઉડાન ભર્યાના થોડીવારમાં જ આ વિમાન ક્રેશ થયું હતું . ક્રેશ થયા બાદ આ વિમાન આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું . ક્રેશ થયેલ વિમાન Beech B200 સુપરકિંગ એર હતું, જે લંડનના સાઉથએન્ડ એરપોર્ટથી નેધરલેન્ડ્સના લેલિસ્ટેડ ખાતે જવાનું હતું.

ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખના પદ માટે જોરદાર ઘમાસાણ શરુ થઇ ચૂક્યું છે. એક તરફ , પાટીદાર સમાજે આ પદ માટે દાવો ઠોકી દીધો છે તો , બીજી તરફ કોળી સમાજે પણ પ્રદેશ પ્રમુખના પદ માટે દાવો કર્યો છે. હાલમાં તો , ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ શૈલેષ પરમાર છે. તો હવે ગુજરાત કોંગ્રેસના નેતાઓને દિલ્હી હાઇકમાન્ડે તેડું મોકલાવ્યું છે. આ બેઠકમાં રાહુલ ગાંધીની સાથે મલ્લિકાર્જુન ખરગે પણ હાજર રહેશે .આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસ માટે મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે.

યુએસ ડીપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના બ્યુરો ઓફ સાઉથ એન્ડ સેન્ટ્રલ એશિયન અફેર્સના (SCA)ના ડેપ્યુટી સેક્રેટરી બેથની મોરિસન ૩ જુલાઈથી ૯ જુલાઈ વચ્ચે ભારતની મુલાકાતે હતા . આ મુલાકાત દરમ્યાન DAS મોરિસને નવી દિલ્હી , ધર્મશાળા અને મુંબઈમાં ભારત - યુએસ વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે મુખ્ય હિસ્સેદારો સાથે વાતચીત કરી હતી . તો આજે આપણે આ આર્ટિકલમાં DAS મોરિસનની મુલાકાત વિશે વિસ્તારથી જાણીશું.

થોડાક સમય અગાઉ ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાને અરેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાત પોલીસે તેમની પાસા હેઠળ ધરપકડ કરીને , તેમને સાબરમતી જેલમાં ધકેલી દીધા છે. અમરનાથ મંદિરમાં આરતી ના કરવા મુદ્દે પીટી જાડેજાએ ધમકી આપી હતી. આ બાબતે , રાજકોટ તાલુકા પોલીસે કાર્યવાહી કરી છે. તો આ મામલે ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિની બા વાળાએ ચીમકી ઉચ્ચારી છે કે , જો ૨૪ કલાકમાં ન્યાય નઈ થાય તો ફરી એકવાર આંદોલન કરીશું . તો હવે પદ્મિની બા વાળાના આ નિવેદનને લઇને ગોંડલથી તેમને ફોન આવ્યો હતો . જેની ઓડીઓ કલીપ ખુબ જ વાઇરલ થઇ રહી છે .