રાજકોટ બાદ વલસાડમાં પણ બેદરકારી, વરસાદના કારણે અનાજ પલળ્યું


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-12 20:39:14

ગુજરાત હવામાન વિભાગ વરસાદની આગાહી એટલા માટે કરતું હોય છે જેથી લોકો પોતાની રીતે તૈયારીઓ કરી રાખે. ત્યારે આજે વલસાડ જિલ્લાના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. વરસાદના કારણે વલસાડના રેલવે સ્ટેશનના વિસ્તારમાં ચોખાની ગુણીઓ પલડવાનો બનાવ બન્યો હતો.    


અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની બેદરકારી

વલસાડના મોગરાવાડી રેલવે સ્ટેશન પાસે હરિયાણાથી આવેલા ચોખાનો જથ્થો ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. વરસાદની ભીતી વચ્ચે ચોખાનો માલ ખુલ્લો ઉતારવાના કારણે વરસાદમાં ચોખાની કણકી થઈ ગઈ હતી. લાખો કિલો ચોખા પલળતા ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. આ ઘટનામાં કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની બેદરકારીના કારણે મોટો જથ્થો પલળી ગયો હતો તેવી વાતો સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહી છે. 

અગાઉ રાજકોટમાં પણ આવી ઘટના જોવા મળી હતી જેમાં હવામાન વિભાગની આગાહી બાદ માર્કેટિંગ યાર્ડમાં વ્યવસ્થા કરવામાં આવી નહોતી, જેના કારણે પણ અનાજનો બગાડ થયો હતો. માર્કેટિંગ યાર્ડમાં પણ અનાજ બહાર ખુલ્લુ મૂકી દેવાથી અને પ્રોપર મેનેજમેન્ટ ન હોવાના કારણે અનાજનો બગાડ થાય છે. જે અન્ન લોકોના પેટમાં જવું જોઈએ તે સડીને બગડી જાય છે.  




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.