વેરાવળમાં કેમ થયું ધોળા દિવસે ફાયરિંગ?


  • Published By : Parth Vaghela
  • Published Date : 2026-05-20 20:18:03

ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના  સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા. 

Gir Somnath SP Jaydipsinh Jadeja Appoints 9 New PI, Transfers 3

ગીરસોમનાથ જિલ્લામાં ધોળા દિવસે ફાયરિંગની ઘટના બનતા ભારે અફરાતફરીનો માહોલ છે. આખી ઘટના એમ છે કે , બપોરે લગભગ ૧ વાગ્યે વેરાવળ શહેરના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં આવેલી આઈ. ડી. ચૌહાણ સ્કૂલ પાસેથી તુરક સમાજના પ્રમુખ જાવિદ તાજવાની ત્યાંથી પસાર થઇ રહ્યા હતા. ત્યારે ટાર્ગેટ કરીને તેમના પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ગોળીનો અવાજ થતાં જ આસપાસના વિસ્તારમાં નાસભાગ મચી ગઈ હતી. ગંભીર રીતે ઘવાયેલા જાવીદભાઈને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ફાયરિંગના સમાચાર વાયુવેગે પ્રસરતા જ તુરક સમાજના અગ્રણીઓ સહિત સ્થાનિક લોકોના ભારે ટોળેટોળા સરકારી હોસ્પિટલ ખાતે ઉમટી પડ્યા હતા. પરિસ્થિતિની ગંભીરતાને જોતાં વેરાવળના SP જૈદીપસિંહ જાડેજા સહિત પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. 

આ હુમલો કયા કારણોસર અને કોણે કર્યો છે તે દિશામાં પોલીસે નાકાબંધી કરીને હુમલાખોરોને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.



મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.

"આપણે સમાજને ના તોડીએ. સમાજને તોડનારી વ્યક્તિઓને વ્યક્તિઓને સમજીએ." આ શબ્દો છે ,ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલના દીકરી અનાર પટેલના. અનાર પટેલે થોડાક સમય અગાઉ બનાસકાંઠાના શહેરના પાલનપુરના કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં સરદાર સાહેબની મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું હતું. પાલનપુરના કાર્યક્રમમાં અનાર પટેલ દ્વારા પાટીદાર સમાજની એકતા પર ટીપ્પણી કરવામાં આવી છે.