ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.
![]()
ગીરસોમનાથ જિલ્લામાં ધોળા દિવસે ફાયરિંગની ઘટના બનતા ભારે અફરાતફરીનો માહોલ છે. આખી ઘટના એમ છે કે , બપોરે લગભગ ૧ વાગ્યે વેરાવળ શહેરના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં આવેલી આઈ. ડી. ચૌહાણ સ્કૂલ પાસેથી તુરક સમાજના પ્રમુખ જાવિદ તાજવાની ત્યાંથી પસાર થઇ રહ્યા હતા. ત્યારે ટાર્ગેટ કરીને તેમના પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ગોળીનો અવાજ થતાં જ આસપાસના વિસ્તારમાં નાસભાગ મચી ગઈ હતી. ગંભીર રીતે ઘવાયેલા જાવીદભાઈને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ફાયરિંગના સમાચાર વાયુવેગે પ્રસરતા જ તુરક સમાજના અગ્રણીઓ સહિત સ્થાનિક લોકોના ભારે ટોળેટોળા સરકારી હોસ્પિટલ ખાતે ઉમટી પડ્યા હતા. પરિસ્થિતિની ગંભીરતાને જોતાં વેરાવળના SP જૈદીપસિંહ જાડેજા સહિત પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.
આ હુમલો કયા કારણોસર અને કોણે કર્યો છે તે દિશામાં પોલીસે નાકાબંધી કરીને હુમલાખોરોને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.






.jpg)








