વધતા તાપમાનને જોતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું આવકારદાયક પગલું, વિવિધ વિસ્તારોમાં મોબાઈલ પાણી પરબ શરૂ કરાઈ...


  • Published By :
  • Published Date : 2024-04-05 17:36:26

આપણે ત્યાં કહેવાય છે જળ સેવા એ પ્રભુ સેવા... શરીર તંદુરસ્ત રહે તે માટે શરીરમાં પૂરતા પ્રમાણમાં પાણી હોવું જોઈએ... ભણવામાં આવતું હતું માનવ શરીરમાં 70 ટકા જેટલું પાણી હોય છે... આખા દિવસ દરમિયાન અનેક લિટર પાણી પીવું જોઈએ અને તેમાં પણ ઉનાળાના સમય દરમિયાન તો આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું જોઈએ... સતત પાણી પીવું જોઈએ... અનેક સેવાભાવી સંસ્થાઓ દ્વારા અથવા તો અનેક માણસો દ્વારા પરબની સેવા શરૂ કરવામાં આવતી હોય છે. ત્યારે આ બધા વચ્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નાગરિકો માટે  વિવિધ વિસ્તારોમાં મોબાઈલ પાણીની પરબ શરૂ કરવામાં આવી છે.. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ અંગેની ટ્વિટ કરવામાં આવી છે...

ઉનાળા દરમિયાન વધારે પાણી પીવાનો રાખવો જોઈએ આગ્રહ!

એપ્રિલ મહિનામાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે. અગન વર્ષા થતી હોય તેવો અનુભવ થાય છે જ્યારે ઘરની બહાર નીકળતા હોઈએ છીએ. ઉનાળાના સમય દરમિયાન ડી-હાઈડ્રેશનનો શિકાર અનેક લોકો બનતા હોય છે... વધારે પાણી ના પીવાને કારણે લોકો ચક્કર ખાઈને પડી જતા હોય છે. ઉનાળાના સમય દરમિયાન વધારે પાણી પીવું હિતાવહ છે.. શરીરમાં પાણીનું પ્રમાણ જળવાઈ રહે તે જરૂરી છે. ઉનાળા દરમિયાન પાણી તેમજ પ્રવાહી લેવાનો આગ્રહ રાખવામાં આવતો હોય છે. લોકો વધારે પાણી પીવે તે માટે અનેક વખત અપીલ પણ કરવામાં આવતી હોય છે... 


અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું આવકારદાયક પગલું 

અનેક લોકો જ્યારે ઘરની બહાર નિકળે ત્યારે પાણીની બોટલ જોડે રાખતા હોય છે... પરંતુ અનેક લોકો પાણીની બોટલ જોડે નથી રાખતા. મહત્વનું છે કે અનેક વખત ઉનાળાના સમય દરમિયાન જો તરસ લાગે છે તો પીવા માટે પાણી મળતું નથી... આ બધા વચ્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક આવકારદાયક પગલું લેવામાં આવ્યું છે.. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને અનેક ફોટો શેર કર્યા છે અને લખ્યું છે વધતા તાપમાન વચ્ચે થોડું તમારૂં ધ્યાન પણ રાખો, અને પાણી વધુને વધુ પ્રવાહી લેવાનો આગ્રહ રાખો.. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તેના નાગરિકો માટે વિવિધ વિસ્તારમાં મોબાઈલ પાણીની પરબ શરૂ કરી છે જેનો લાભ લો... 


પોતાની જાતનું કરો આવી રીતે રક્ષણ

મહત્વનું છે કે ઉનાળાની સિઝન દરમિયાન આપણે ડી-હાઈડ્રેશનનો શિકાર ના બનીએ તેનું ધ્યાન રાખીએ, સમયાંતરે આપણે પાણી અથવા તો પ્રવાહીનું સેવન કરીએ... જો તમારા ત્યાં પણ આવી પરબ શરૂ થઈ હોય તો અમને જણાવજો ઉપરાંત કોર્પોરેશન દ્વારા શરૂ કરવામાં આવેલી આ પહેલ તમને કેવી લાગી તે પણ અમને જણાવજો...             



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.