વધતા તાપમાનને જોતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું આવકારદાયક પગલું, વિવિધ વિસ્તારોમાં મોબાઈલ પાણી પરબ શરૂ કરાઈ...


  • Published By :
  • Published Date : 2024-04-05 17:36:26

આપણે ત્યાં કહેવાય છે જળ સેવા એ પ્રભુ સેવા... શરીર તંદુરસ્ત રહે તે માટે શરીરમાં પૂરતા પ્રમાણમાં પાણી હોવું જોઈએ... ભણવામાં આવતું હતું માનવ શરીરમાં 70 ટકા જેટલું પાણી હોય છે... આખા દિવસ દરમિયાન અનેક લિટર પાણી પીવું જોઈએ અને તેમાં પણ ઉનાળાના સમય દરમિયાન તો આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું જોઈએ... સતત પાણી પીવું જોઈએ... અનેક સેવાભાવી સંસ્થાઓ દ્વારા અથવા તો અનેક માણસો દ્વારા પરબની સેવા શરૂ કરવામાં આવતી હોય છે. ત્યારે આ બધા વચ્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નાગરિકો માટે  વિવિધ વિસ્તારોમાં મોબાઈલ પાણીની પરબ શરૂ કરવામાં આવી છે.. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ અંગેની ટ્વિટ કરવામાં આવી છે...

ઉનાળા દરમિયાન વધારે પાણી પીવાનો રાખવો જોઈએ આગ્રહ!

એપ્રિલ મહિનામાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે. અગન વર્ષા થતી હોય તેવો અનુભવ થાય છે જ્યારે ઘરની બહાર નીકળતા હોઈએ છીએ. ઉનાળાના સમય દરમિયાન ડી-હાઈડ્રેશનનો શિકાર અનેક લોકો બનતા હોય છે... વધારે પાણી ના પીવાને કારણે લોકો ચક્કર ખાઈને પડી જતા હોય છે. ઉનાળાના સમય દરમિયાન વધારે પાણી પીવું હિતાવહ છે.. શરીરમાં પાણીનું પ્રમાણ જળવાઈ રહે તે જરૂરી છે. ઉનાળા દરમિયાન પાણી તેમજ પ્રવાહી લેવાનો આગ્રહ રાખવામાં આવતો હોય છે. લોકો વધારે પાણી પીવે તે માટે અનેક વખત અપીલ પણ કરવામાં આવતી હોય છે... 


અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું આવકારદાયક પગલું 

અનેક લોકો જ્યારે ઘરની બહાર નિકળે ત્યારે પાણીની બોટલ જોડે રાખતા હોય છે... પરંતુ અનેક લોકો પાણીની બોટલ જોડે નથી રાખતા. મહત્વનું છે કે અનેક વખત ઉનાળાના સમય દરમિયાન જો તરસ લાગે છે તો પીવા માટે પાણી મળતું નથી... આ બધા વચ્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક આવકારદાયક પગલું લેવામાં આવ્યું છે.. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને અનેક ફોટો શેર કર્યા છે અને લખ્યું છે વધતા તાપમાન વચ્ચે થોડું તમારૂં ધ્યાન પણ રાખો, અને પાણી વધુને વધુ પ્રવાહી લેવાનો આગ્રહ રાખો.. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તેના નાગરિકો માટે વિવિધ વિસ્તારમાં મોબાઈલ પાણીની પરબ શરૂ કરી છે જેનો લાભ લો... 


પોતાની જાતનું કરો આવી રીતે રક્ષણ

મહત્વનું છે કે ઉનાળાની સિઝન દરમિયાન આપણે ડી-હાઈડ્રેશનનો શિકાર ના બનીએ તેનું ધ્યાન રાખીએ, સમયાંતરે આપણે પાણી અથવા તો પ્રવાહીનું સેવન કરીએ... જો તમારા ત્યાં પણ આવી પરબ શરૂ થઈ હોય તો અમને જણાવજો ઉપરાંત કોર્પોરેશન દ્વારા શરૂ કરવામાં આવેલી આ પહેલ તમને કેવી લાગી તે પણ અમને જણાવજો...             



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે