વધતા તાપમાનને જોતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું આવકારદાયક પગલું, વિવિધ વિસ્તારોમાં મોબાઈલ પાણી પરબ શરૂ કરાઈ...


  • Published By :
  • Published Date : 2024-04-05 17:36:26

આપણે ત્યાં કહેવાય છે જળ સેવા એ પ્રભુ સેવા... શરીર તંદુરસ્ત રહે તે માટે શરીરમાં પૂરતા પ્રમાણમાં પાણી હોવું જોઈએ... ભણવામાં આવતું હતું માનવ શરીરમાં 70 ટકા જેટલું પાણી હોય છે... આખા દિવસ દરમિયાન અનેક લિટર પાણી પીવું જોઈએ અને તેમાં પણ ઉનાળાના સમય દરમિયાન તો આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું જોઈએ... સતત પાણી પીવું જોઈએ... અનેક સેવાભાવી સંસ્થાઓ દ્વારા અથવા તો અનેક માણસો દ્વારા પરબની સેવા શરૂ કરવામાં આવતી હોય છે. ત્યારે આ બધા વચ્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નાગરિકો માટે  વિવિધ વિસ્તારોમાં મોબાઈલ પાણીની પરબ શરૂ કરવામાં આવી છે.. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ અંગેની ટ્વિટ કરવામાં આવી છે...

ઉનાળા દરમિયાન વધારે પાણી પીવાનો રાખવો જોઈએ આગ્રહ!

એપ્રિલ મહિનામાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે. અગન વર્ષા થતી હોય તેવો અનુભવ થાય છે જ્યારે ઘરની બહાર નીકળતા હોઈએ છીએ. ઉનાળાના સમય દરમિયાન ડી-હાઈડ્રેશનનો શિકાર અનેક લોકો બનતા હોય છે... વધારે પાણી ના પીવાને કારણે લોકો ચક્કર ખાઈને પડી જતા હોય છે. ઉનાળાના સમય દરમિયાન વધારે પાણી પીવું હિતાવહ છે.. શરીરમાં પાણીનું પ્રમાણ જળવાઈ રહે તે જરૂરી છે. ઉનાળા દરમિયાન પાણી તેમજ પ્રવાહી લેવાનો આગ્રહ રાખવામાં આવતો હોય છે. લોકો વધારે પાણી પીવે તે માટે અનેક વખત અપીલ પણ કરવામાં આવતી હોય છે... 


અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું આવકારદાયક પગલું 

અનેક લોકો જ્યારે ઘરની બહાર નિકળે ત્યારે પાણીની બોટલ જોડે રાખતા હોય છે... પરંતુ અનેક લોકો પાણીની બોટલ જોડે નથી રાખતા. મહત્વનું છે કે અનેક વખત ઉનાળાના સમય દરમિયાન જો તરસ લાગે છે તો પીવા માટે પાણી મળતું નથી... આ બધા વચ્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક આવકારદાયક પગલું લેવામાં આવ્યું છે.. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને અનેક ફોટો શેર કર્યા છે અને લખ્યું છે વધતા તાપમાન વચ્ચે થોડું તમારૂં ધ્યાન પણ રાખો, અને પાણી વધુને વધુ પ્રવાહી લેવાનો આગ્રહ રાખો.. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તેના નાગરિકો માટે વિવિધ વિસ્તારમાં મોબાઈલ પાણીની પરબ શરૂ કરી છે જેનો લાભ લો... 


પોતાની જાતનું કરો આવી રીતે રક્ષણ

મહત્વનું છે કે ઉનાળાની સિઝન દરમિયાન આપણે ડી-હાઈડ્રેશનનો શિકાર ના બનીએ તેનું ધ્યાન રાખીએ, સમયાંતરે આપણે પાણી અથવા તો પ્રવાહીનું સેવન કરીએ... જો તમારા ત્યાં પણ આવી પરબ શરૂ થઈ હોય તો અમને જણાવજો ઉપરાંત કોર્પોરેશન દ્વારા શરૂ કરવામાં આવેલી આ પહેલ તમને કેવી લાગી તે પણ અમને જણાવજો...             



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.