West Bengalમાં PM Modi, સંદેશખાલી ઘટનાને લઈ મમતા સરકાર પર સાધ્યું નિશાન! TMCને લઈ પીએમ મોદીએ કહી આ વાત સાંભળો


  • Published By :
  • Published Date : 2024-03-02 14:47:59

પીએમ મોદી હાલ પશ્ચિમ બંગાળના પ્રવાસે છે. અનેક વિકાસ કાર્યોનું લોકાર્પણ તેમજ શિલાન્યાસ કર્યો છે. પ્રવાસના પ્રથમ દિવસે પીએમ મોદીએ જનસભાને સંબોધિત કરી હતી અને પછી રાજભવનમાં મમતા બેનર્જી સાથે મુલાકાત કરી હતી. પશ્ચિમ બંગાળની મુલાકાતે ગયેલા પીએમ મોદીએ મમતા સરકાર પર અનેક શાબ્દિક પ્રહાર કર્યા છે. સંદેશખાલીની ઘટનાને લઈ પીએમ મોદીએ મમતા સરકારને ઘેરવાની કોશિશ કરી હતી. પ્રવાસના બીજા દિવસ પણ વડાપ્રધાન મોદીએ સંદેશખલીનો મુદ્દો ઉઠાવ્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે બંગાળમાં પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે અહીંયા પોલીસ નહીં પરંતુ આરોપી નિર્ણય કરે છે કે તેમને ક્યારે સરેન્ડર કરવું છે, ક્યારે પકડાવું છે.

 


સંદેશખાલીને લઈ પીએમ મોદીએ સાધ્યું મમતા સરકાર પર નિશાન!

પશ્ચિમ બંગાળનું સંદેશખાલી ઘણા સમયથી ચર્ચામાં છે. મહિલાઓ સાથે બનેલી ઘટના, ઈડી પર કરવામાં આવેલો હુમલો, વગેરે વગેરે.. સંદેશખાલીમાં બનેલી ઘટનાએ સૌ કોઈનું ધ્યાન પોતાના તરફ ખેંચ્યું. તે બાદ થોડા દિવસો પહેલા શાહજહાં શેખની ધરપકડ પોલીસદ્વારા કરવામાં આવી હતી. 10 દિવસ સુધી પોલીસ કસ્ટડીમાં તે રહેશે.. સંદેશખાલીમાં જે ઘટના બની તેના વિશે આપણે જાણીએ છીએ. ત્યાં બનેલી ઘટનાને લઈ રાજનીતિ ગરમાઈ રહી છે. ગઈકાલે પણ સંદેશખાલીને લઈ પીએમ મોદીએ પ્રહાર કર્યા હતા ત્યારે ફરી એક વખત આ મુદ્દાને લઈ પીએમ મોદીએ નિશાન સાધ્યું છે.

कोलकाता के राजभवन में शुक्रवार को प्रधानमंत्री नरेंद्र मोदी और पश्चिम बंगाल की मुख्यमंत्री ममता बनर्जी की मुलाकात हुई।

પીએમ મોદીએ કહ્યું કે...   

પીએમ મોદીએ કહ્યું કે બંગાળની સ્થિતિ એવી છે કે અહીં પોલીસ નહીં પણ ગુનેગારો નક્કી કરે છે કે ક્યારે સરેન્ડર કરવું અને ક્યારે ધરપકડ કરવી. રાજ્ય સરકાર ઈચ્છતી ન હતી કે સંદેશખાલીના ગુનેગારોની ક્યારેય ધરપકડ થાય, પરંતુ તે બંગાળની મહિલા શક્તિ દુર્ગા બનીને ઊભી રહી. ભાજપનો એક કાર્યકર તેમની સાથે ઊભો રહ્યો અને સરકારને ઝુકવા મજબૂર કરી. તે સિવાય તેમણે કહ્યું કે આ ભૂમિ ભગવાન કૃષ્ણના સર્વોચ્ચ ઉપદેશક ચૈતન્ય મહાપ્રભુનું જન્મસ્થળ છે. હું મહાપ્રભુના ચરણોમાં નમન કરું છું. 

મણિપુરમાં બનેલી ઘટનાને લઈ પીએમ મોદી ચૂપ શા માટે રહ્યા? 

મહત્વનું છે કે પીએમ મોદીના ભાષણને સાંભળ્યા બાદ એ પ્રશ્ન જરૂર થશે કે જો પીએમ મોદી સંદેશખાલી વિશે આટલું બોલી શકે છે તો મણિપુરમાં બનેલી ઘટના, મણિપુરમાં ફાટી નિકળેલી હિંસા વિશે કેમ નથી બોલતા? મણિપુરમાં ભાજપની સરકાર છે અને પશ્ચિમ બંગાળમાં ટીએસીની સરકાર છે એટલે? આ વિશે તમારૂં શું માનવું છે તે અમને કમેન્ટ બોક્સમાં જણાવો...  



અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.