આવતીકાલે પર્યાવરણ મંત્રીની રાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-22 19:48:46

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે સાડા દસ કલાકે નર્મદાના એકતાનગરમાં પર્યાવરણ મંત્રીઓની બે દિવસીય 'રાષ્ટ્રીય પરિષદ'નું ઉદ્ઘાટન કરશે. પરિષદના ઉદ્ઘાટન દરમિયાન પ્રધાનમંત્રી મોદી સંબોધન પણ કરશે. કેન્દ્ર અને રાજ્યના પર્યાવરણ મંત્રીઓ આ પરિષદમાં ઉપસ્થિત રહેશે.


રાષ્ટ્રીય પર્યાવરણ પરિષદનું શું મહત્વ છે

કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સંબંધો સુધારી રાખવા અને પ્લાસ્ટિક સહિતના પ્રદુષણને દૂર કરવા માટે રાષ્ટ્રીય પર્યાવરણ પરિષદનું આયોજન કરવામાં આવે છે. વનના પ્રાણીઓને બચાવી રાખવા અને જમીનની ગુણવત્તા જાળવણી કરવા અતિ અનિવાર્ય છે તે મામલે માર્ગદર્શન કરવામાં આવશે. કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે સંવાદને વધારવો અને વન વ્યવસ્થાપન સંબંધિત મુદ્દાઓ પર તાલમેલ બનાવવા માટે પરિષદ કરવાામાં આવશે. 



ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે મતદાન ૨૬મી એપ્રિલે યોજાવાનું છે ત્યારે , રાજકોટ મહાનગરપાલિકામાં લેઉવા સમાજના મતો ખુબ મોટી સંખ્યામાં છે ત્યારે , ભારતીય જનતા પાર્ટીના રાજકોટના કોર્પોરેટરોએ ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સાથે મુલાકાત કરી છે. જોકે આ મુલાકાત પછી , ભાજપ જીતી શકશે કે કેમ તે તો પરિણામના દિવસે જ ખબર પડશે. પરંતુ , રાજકોટ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના ટિકિટ વહેંચણી પછી જૂથવાદ સપાટી પર આવી ગયો છે. આ કારણે પાર્ટીની સામે પડકાર ઉભો થયો છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ૨૬મી તારીખે મતદાન યોજાવાનું છે ત્યારે , પંચમહાલમાં કોંગ્રેસને ખુબ મોટો ઝટકો લાગ્યો છે. પંચમહાલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ચેતનસિંહ પરમારએ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે તેમણે ભાજપનો ખેસ ધારણ કર્યો છે. આમ હવે , પંચમહાલ જિલ્લામાં કોંગ્રેસમાં કાર્યકરો નિરાશ થઇ ગયા છે.

નવરચિત વાવ થરાદ જિલ્લામાં મામલતદાર કચેરીએ જયારે ઉમેદવારોના ફોર્મની સ્ક્રૂટિની ચાલી રહી છે ત્યારે મામલતદાર કચેરીએ કોંગ્રેસના કાર્યકરોએ નારેબાજી કરી છે. આ બાબતે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત દ્વારા પોલીસ પર આરોપ લગાવવામાં આવ્યો છે કે , "પોલીસ અમારા ઉમેદવારોને ડરાવવાનું અને ધમકાવવાનું કામ કરી રહી છે. ગુલાબસિંહ રાજપૂતના આ દાવાથી વાવ થરાદ જિલ્લામાં રાજકારણ ગરમાઈ ગયું છે.