આવતીકાલે પર્યાવરણ મંત્રીની રાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-22 19:48:46

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે સાડા દસ કલાકે નર્મદાના એકતાનગરમાં પર્યાવરણ મંત્રીઓની બે દિવસીય 'રાષ્ટ્રીય પરિષદ'નું ઉદ્ઘાટન કરશે. પરિષદના ઉદ્ઘાટન દરમિયાન પ્રધાનમંત્રી મોદી સંબોધન પણ કરશે. કેન્દ્ર અને રાજ્યના પર્યાવરણ મંત્રીઓ આ પરિષદમાં ઉપસ્થિત રહેશે.


રાષ્ટ્રીય પર્યાવરણ પરિષદનું શું મહત્વ છે

કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સંબંધો સુધારી રાખવા અને પ્લાસ્ટિક સહિતના પ્રદુષણને દૂર કરવા માટે રાષ્ટ્રીય પર્યાવરણ પરિષદનું આયોજન કરવામાં આવે છે. વનના પ્રાણીઓને બચાવી રાખવા અને જમીનની ગુણવત્તા જાળવણી કરવા અતિ અનિવાર્ય છે તે મામલે માર્ગદર્શન કરવામાં આવશે. કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે સંવાદને વધારવો અને વન વ્યવસ્થાપન સંબંધિત મુદ્દાઓ પર તાલમેલ બનાવવા માટે પરિષદ કરવાામાં આવશે. 



અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.