આવતીકાલે પર્યાવરણ મંત્રીની રાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-22 19:48:46

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે સાડા દસ કલાકે નર્મદાના એકતાનગરમાં પર્યાવરણ મંત્રીઓની બે દિવસીય 'રાષ્ટ્રીય પરિષદ'નું ઉદ્ઘાટન કરશે. પરિષદના ઉદ્ઘાટન દરમિયાન પ્રધાનમંત્રી મોદી સંબોધન પણ કરશે. કેન્દ્ર અને રાજ્યના પર્યાવરણ મંત્રીઓ આ પરિષદમાં ઉપસ્થિત રહેશે.


રાષ્ટ્રીય પર્યાવરણ પરિષદનું શું મહત્વ છે

કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સંબંધો સુધારી રાખવા અને પ્લાસ્ટિક સહિતના પ્રદુષણને દૂર કરવા માટે રાષ્ટ્રીય પર્યાવરણ પરિષદનું આયોજન કરવામાં આવે છે. વનના પ્રાણીઓને બચાવી રાખવા અને જમીનની ગુણવત્તા જાળવણી કરવા અતિ અનિવાર્ય છે તે મામલે માર્ગદર્શન કરવામાં આવશે. કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે સંવાદને વધારવો અને વન વ્યવસ્થાપન સંબંધિત મુદ્દાઓ પર તાલમેલ બનાવવા માટે પરિષદ કરવાામાં આવશે. 



દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .

પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલા વિશે એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે . ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટે પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી શરતોને આધારે મંજુર કરી છે. ભુપેન્દ્ર સિંહ ઝાલાને ૮ મહિનાથી વધુના જેલવાસ પછી ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે .

અમદાવાદના સેવન્થ ડે સ્કૂલની ઘટનાની સંપૂર્ણ તપાસ હાલમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે. અને હવે ક્રાઇમ બ્રાન્ચ સેવન્થ ડે સ્કૂલની ઘટનામાં તેના સંચાલકો સામે ફરિયાદ દાખલ કરવા માટે કોર્ટની મંજૂરી મેળવશે . હાલમાં ક્રાઇમ બ્રાન્ચની ટિમ આખી ઘટનાની અંદર ઝીણવટભરી તપાસ કરી રહી છે . આપને જણાવી દયિકે , આ આખી ઘટનામાં , સેવન્થ ડે સ્કૂલના સંચાલકોની ખુબ ભારે બેદરકારી સામે આવી છે .

સમાજમાં કેટલીકવાર એવી ઘટનાઓ અને ગુનાઓ બનતા હોય છે કે જેના કારણે સમાજની આત્માને કુઠારાઘાત પહોંચતો હોય છે. આવી જ એક ઘટના અમદાવાદના હાટકેશ્વર ખાતે બની છે . જ્યાં સેવન્થ ડે સ્કૂલમાં ધક્કામુક્કી જેવી સામાન્ય બાબતે ધોરણ ૮ માં ભણતો વિદ્યાર્થી દસમા ધોરણમાં ભણતા છોકરાને ધારદાર વસ્તુના ઘા મારીને મારી નાખે છે . જેના પ્રત્યાઘાત હવે ખુબ ઊંડા પડ્યા છે. આજે ૨૧ ઓગસ્ટના રોજ યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા સ્કૂલને તાળાબંધીનું એલાન કરવામાં આવ્યું છે. ઉપરાંત વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા મણિનગર અને આસપાસના વિસ્તારોમાં સ્કૂલો બંધ રાખી વિસ્તારને બંધ રાખવાનું એલાન કરવામાં આવ્યું છે . સાથે જ અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી સિંધી માર્કેટ આજે બંધ છે.