સુરતમાં ફરી બનતી ગ્રીષ્મા હત્યા જેવી ઘટના,સકર્તાને કારણે કિશોરીનો જીવ બચ્યો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-06 12:02:39

એક સમયે મહિલાઓ માટે ગુજરાત એકદમ સુરક્ષિત ગણાતું હતું. પરંતુ સમય જતા જતા આ વાતમાં આંશિક ફેરફાર આવ્યો છે. પ્રતિદિન ગુજરાતની છોકરીઓ એકતરફી પ્રેમનો ભોગ બની રહી છે. ગુજરાતમાં ફરી એકવાર ગ્રીષ્મા હત્યા કેસ જેવી ઘટના બનતા બનતા રહી ગઈ. સુરતના પાંડેસરામાં આ ઘટના બનવાની હતી પરંતુ છોકરીની સુઝબૂઝને કારણે તેનો જીવ બચી ગયો. ઈજાતો પહોંચી છે પરંતુ ગળુ કપાતા કપાતા બચી ગયું છે. 

ચપ્પાના ઘા ઝિંકી કર્યો કિશોરી પર હુમલો

આજનો સમય એવો થઈ ગયો છે કે સ્કુલમાં ભણતા વિદ્યાર્થીઓ પ્રેમની વાતો કરવા લાગ્યા છે. વાતો તો સમજ્યાં પરંતુ એક તરફી પ્રેમ કરનાર વ્યક્તિ સામે વાળી વ્યક્તિને હેરાન પરેશાન કરી માનસિક ટોર્સર્ચ કરે છે. જીવવાનું હરામ કરી નાખે છે. ત્યારે આ ઘટનામાં પણ એક યુવક છેલ્લા ઘણા સમયથી આઠમા ધોરણમાં ભણતી વિદ્યાર્થીનીનીને હેરાન કરતો હતો. દિકરીએ આ અંગે પોતાના પરિવારના સભ્યોને પણ જાણ કરી હતી. પોતાના રૂમમાંથી બહાર નિકળી બાથરૂમ તરફ જઈ રહી હતી તે દરમિયાન જ યુવકે તેના પર ચપ્પુના ઘા ઝીંકી દીધા. 

Samuhik dushkarma on woman in Mehsana, file police complaint againste five persons Mehsana : યુવતીને ખેતરમાં લઈ જઈ પાંચ પાંચ શખ્સોએ ગુજાર્યું સામૂહિક દુષ્કર્મ, નોંધાવી પોલીસ ફરિયાદ

સકર્તાને કારણે બચ્યો કિશોરીનો જીવ 

કિશોરીએ બાથરૂમ જતી વખતે એ યુવકને જોઈ લીધો હતો. બહાર નિકળતા જ ઘરની બહાર ઉભેલા યુવકે તેને પૂછ્યું કે તારૂ લફરુ કોની સાથે ચાલે છે. આમ કહી યુવકે તેની પર હુમલો કરી દીધો. સદનસીબે અને છોકરીના presence of mindને કારણે તેણે મોઢું ફેરવી લેતા ચપ્પાના ઘા ગળાની જગ્યાએ ગાલ પર પડ્યા.કિશોરીને ગાલ પર છરી વાગ્તા તેને ઈજાઓ પહોંચી છે. અને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. કિશોરીના ગાલ પર આશરે 17 ટાંકા આવ્યા છે. 

murder case News: Read Latest News and Live Updates on murder case, Photos,  and Videos at DNAIndia

પોલીસ કરી રહી છે યુવકની તપાસ

કિશોરી પર હુમલો કરી આરોપી ફરાર થઈ ગયો હતો. મળતી માહિતી પ્રમાણે યુવક મહારાષ્ટ્ર ભાગી ગયો હતો. કિશોરીની અનેક વખત તેણે છેડતી પણ કરી હતી ઉપરાંત તેની સાથે સંબંધ રાખવા ફોર્સ પણ કરતો હતો. અનેક વખત યુવક કિશોરીનો પીછો કરી તેની સાથે વાત કરવાનો પ્રયત્ન કરતો. પોલીસ આ યુવકની શોધખોળ કરી રહી છે.        

ક્યાં સુધી એકતરફી પ્રેમનો ભોગ બનશે છોકરીઓ?

આ ઘટનાને જોતા પ્રશ્ન પૂછવો સ્વભાવિક છે કે ક્યાં સુધી છોકરાની ખરાબ માનકિસક્તાનો ભોગ છોકરીઓએ બનવું પડશે. એકતરફી પ્રેમને કારણે કેટલી ગ્રીષ્મા પોતાનો જીવ ગૂમાવશે. જો છોકરીએ મોઢું ન ફેરવી લીધું હોત તો વધુ એક ગ્રીષ્મા એકતરફી પ્રેમનો ભોગ બનત.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.