Income Tax Raid : Social Media પરથી હટાવાઈ રહી છે Dhiraj Sahuની Rahul Gandhi સાથેની તસવીરો! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-12-13 14:14:54

કોંગ્રેસ રાજ્યસભા સાંસદ ધીરજ સાહુને ત્યાં ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે રેડ કરી હતી. એવું લાગતું હતું કે થોડા સમયમાં આ રેડ પૂર્ણ થઈ જશે. પરંતુ અનેક દિવસ પૂર્ણ થયા પરંતુ હજી સુધી કેટલી રકમ મળી આવી તે જાણી શકાયું નથી. ગણતરી કરવામાં આવી રહી છે, અનેક અધિકારીઓ નોટો ગણવા માટે બેઠા છે, મશીનો મૂકવામાં આવ્યા છે પરંતુ હજી સુધી કેટલા પૈસા છે તે જાણી શકાયું નથી. 300 કરોડને પાર આ આંકડો પહોંચી ગયો છે ત્યારે આ આંકડો 500 કરોડને પાર પણ જઈ શકે છે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ બધા વચ્ચે સોશિયલ મીડિયા પર રાહુલ ગાંધી સાથેના ફોટો ધીરજ સાહુના ડિલીટ કરવામાં આવી રહ્યા છે તેવી માહિતી સામે આવી છે.

અદાણી મુદ્દે કોંગ્રેસ કરતું હતું ટ્વિટ! 

ઈન્કમ ટેક્સ વિભાગ દ્વારા છેલ્લા ઘણા દિવસોથી કોંગ્રેસ રાજ્યસભા સાંસદને ત્યાં રેડ પાડવામાં આવી હતી. સાંસદને ત્યાંથી મળી આવેલા રોકડા સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બન્યો છે. હાલ આ વિષયને લઈ ચર્ચાઓ થઈ રહી છે કે સાંસદને ત્યાં આટલા રૂપિયા કેવી રીતે આવ્યા? એક સમય હતો કે અદાણી મુદ્દે કોંગ્રેસ સરકાર પર પ્રહાર કરતી હતી પરંતુ હવે આ મામલે ભાજપ આક્રામક દેખાઈ રહી છે. કોંગ્રેસ હાઈકમાન્ડ આને કારણો ઘેરાઈ રહી છે. 

કુબેરલોક! 250 કરોડ ગણાયા! 136 બેગો ભરેલા રૂપિયા ગણવાના બાકી, મશીનો થાકી ગયા

ભારત જોડો' યાત્રા વચ્ચે ગુજરાતમાં પાર્ટીના પ્રચાર માટે આવશે રાહુલ ગાંધી,  જાણો શું છે કારણ | Gujarat Election: Rahul Gandhi to campaign for Congress  in Gujarat during Bharat Jodo Yatra

સોશિયલ મીડિયા પરથી હટાવવામાં આવી રહ્યા છે ફોટા!

ભાજપના નેતાઓ આને લઈ કોંગ્રેસના નેતાઓને, સાંસદોને સવાલ પૂછવામાં આવ્યા છે. કોંગ્રેસના નેતાઓએ પાર્ટીને આ મુદ્દાથી દૂર રાખવા માટે કહ્યું. જ્યારથી આ કિસ્સો સામે આવ્યો ત્યારથી રાહુલ ગાંધી સાથેનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. ત્યારે એવી માહિતી સામે આવી છે કે ધીરજ સાહુ રાહુલ ગાંધી સાથેના ફોટા સોશિયલ મીડિયા પરથી હટાવી રહ્યા છે. રાહુલ ગાંધી અને ધીરજ સાહુના સંબંધો વધુ ગાઢ છે તેવા ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ બધા વચ્ચે એવી માહિતી સામે આવી રહી છે કે ધીરજ સાહુના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી એક પછી એક તસવીરો ડિલીટ કરવામાં આવી રહી છે.

પીએમ મોદીએ પણ રેડને લઈ કર્યો કટાક્ષ, લખ્યું...

કોંગ્રેસના સાંસદને ત્યાંથી મળી આવેલા પૈસાને લઈ ભારતીય જનતા પાર્ટી તો કોંગ્રેસને ઘેરી રહી છે. આ મુદ્દાને લઈ અનેક ટ્વિટ કરવામાં આવી છે પરંતુ આ વખતે આ મુદ્દા પર પીએમ મોદીએ પણ ટ્વિટ કરી છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા આને લઈ એક વીડિયો શેર કરવામાં આવ્યો છે જેને પીએમ મોદીએ ટ્વિટ કર્યો છે અને ઉપર કેપ્શન લખ્યું છે કોંગ્રેસ પર પ્રહાર કર્યા છે. પીએમ મોદીએ ટ્વિટ કર્યું કે  ‘ભારતમાં, ‘મની હાઇસ્ટ’ કથાની જરૂરિયાત કોને છે, જ્યારે તમારી પાસે કોંગ્રેસ પાર્ટી છે, જેની લૂંટ 70 વર્ષથી જાણીતી છે અને ગણતરીમાં આવવાની છે!’. ત્યારે સાંસદને ત્યાંથી કેટલા કરોડો મળી આવે છે તે જોવાનું રહ્યું કારણ કે પૈસા ગણતા ગણતા 6થી 7 દિવસોનો સમય તો પસાર થઈ ગયો છે અને હજી પણ ગણતરી ચાલી રહી છે.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.