Income Tax Raid : Social Media પરથી હટાવાઈ રહી છે Dhiraj Sahuની Rahul Gandhi સાથેની તસવીરો! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-12-13 14:14:54

કોંગ્રેસ રાજ્યસભા સાંસદ ધીરજ સાહુને ત્યાં ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે રેડ કરી હતી. એવું લાગતું હતું કે થોડા સમયમાં આ રેડ પૂર્ણ થઈ જશે. પરંતુ અનેક દિવસ પૂર્ણ થયા પરંતુ હજી સુધી કેટલી રકમ મળી આવી તે જાણી શકાયું નથી. ગણતરી કરવામાં આવી રહી છે, અનેક અધિકારીઓ નોટો ગણવા માટે બેઠા છે, મશીનો મૂકવામાં આવ્યા છે પરંતુ હજી સુધી કેટલા પૈસા છે તે જાણી શકાયું નથી. 300 કરોડને પાર આ આંકડો પહોંચી ગયો છે ત્યારે આ આંકડો 500 કરોડને પાર પણ જઈ શકે છે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ બધા વચ્ચે સોશિયલ મીડિયા પર રાહુલ ગાંધી સાથેના ફોટો ધીરજ સાહુના ડિલીટ કરવામાં આવી રહ્યા છે તેવી માહિતી સામે આવી છે.

અદાણી મુદ્દે કોંગ્રેસ કરતું હતું ટ્વિટ! 

ઈન્કમ ટેક્સ વિભાગ દ્વારા છેલ્લા ઘણા દિવસોથી કોંગ્રેસ રાજ્યસભા સાંસદને ત્યાં રેડ પાડવામાં આવી હતી. સાંસદને ત્યાંથી મળી આવેલા રોકડા સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બન્યો છે. હાલ આ વિષયને લઈ ચર્ચાઓ થઈ રહી છે કે સાંસદને ત્યાં આટલા રૂપિયા કેવી રીતે આવ્યા? એક સમય હતો કે અદાણી મુદ્દે કોંગ્રેસ સરકાર પર પ્રહાર કરતી હતી પરંતુ હવે આ મામલે ભાજપ આક્રામક દેખાઈ રહી છે. કોંગ્રેસ હાઈકમાન્ડ આને કારણો ઘેરાઈ રહી છે. 

કુબેરલોક! 250 કરોડ ગણાયા! 136 બેગો ભરેલા રૂપિયા ગણવાના બાકી, મશીનો થાકી ગયા

ભારત જોડો' યાત્રા વચ્ચે ગુજરાતમાં પાર્ટીના પ્રચાર માટે આવશે રાહુલ ગાંધી,  જાણો શું છે કારણ | Gujarat Election: Rahul Gandhi to campaign for Congress  in Gujarat during Bharat Jodo Yatra

સોશિયલ મીડિયા પરથી હટાવવામાં આવી રહ્યા છે ફોટા!

ભાજપના નેતાઓ આને લઈ કોંગ્રેસના નેતાઓને, સાંસદોને સવાલ પૂછવામાં આવ્યા છે. કોંગ્રેસના નેતાઓએ પાર્ટીને આ મુદ્દાથી દૂર રાખવા માટે કહ્યું. જ્યારથી આ કિસ્સો સામે આવ્યો ત્યારથી રાહુલ ગાંધી સાથેનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. ત્યારે એવી માહિતી સામે આવી છે કે ધીરજ સાહુ રાહુલ ગાંધી સાથેના ફોટા સોશિયલ મીડિયા પરથી હટાવી રહ્યા છે. રાહુલ ગાંધી અને ધીરજ સાહુના સંબંધો વધુ ગાઢ છે તેવા ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ બધા વચ્ચે એવી માહિતી સામે આવી રહી છે કે ધીરજ સાહુના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી એક પછી એક તસવીરો ડિલીટ કરવામાં આવી રહી છે.

પીએમ મોદીએ પણ રેડને લઈ કર્યો કટાક્ષ, લખ્યું...

કોંગ્રેસના સાંસદને ત્યાંથી મળી આવેલા પૈસાને લઈ ભારતીય જનતા પાર્ટી તો કોંગ્રેસને ઘેરી રહી છે. આ મુદ્દાને લઈ અનેક ટ્વિટ કરવામાં આવી છે પરંતુ આ વખતે આ મુદ્દા પર પીએમ મોદીએ પણ ટ્વિટ કરી છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા આને લઈ એક વીડિયો શેર કરવામાં આવ્યો છે જેને પીએમ મોદીએ ટ્વિટ કર્યો છે અને ઉપર કેપ્શન લખ્યું છે કોંગ્રેસ પર પ્રહાર કર્યા છે. પીએમ મોદીએ ટ્વિટ કર્યું કે  ‘ભારતમાં, ‘મની હાઇસ્ટ’ કથાની જરૂરિયાત કોને છે, જ્યારે તમારી પાસે કોંગ્રેસ પાર્ટી છે, જેની લૂંટ 70 વર્ષથી જાણીતી છે અને ગણતરીમાં આવવાની છે!’. ત્યારે સાંસદને ત્યાંથી કેટલા કરોડો મળી આવે છે તે જોવાનું રહ્યું કારણ કે પૈસા ગણતા ગણતા 6થી 7 દિવસોનો સમય તો પસાર થઈ ગયો છે અને હજી પણ ગણતરી ચાલી રહી છે.



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.