હાર્ટ એટેક આવવાના કિસ્સાઓમાં થયો વધારો, રાધનપુરમાં બસ ડ્રાઇવરનું અને સુરતમાં બાઇક પર જતા યુવાનનું થયું હાર્ટ એટેકથી મોત


  • Published By :
  • Published Date : 2023-04-10 13:10:15

હાર્ટ એટેકના કિસ્સામાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. કોઈ જીમ કરતા કરતા મોતને ભેટે છે તો કોઈ ક્રિકેટ રમતા રમતા મોતને ભેટે છે. ત્યારે એક જ દિવસમાં બે ઘટનાઓ સામે આવી છે જેમાં હાર્ટ એટેકને કારણે લોકોના મોત થયા છે. પાટણના રાધનપુરમાં એક એસટી બસ ડ્રાઈવરનું મોત હાર્ટ એટેક આવવાને કારણે થયું છે. રાધનપુરમાં એસટી કર્માચારી પોતાની ફરજ દરમિયાન મૃત્યુ પામ્યો છે. તે ઉપરાંત સુરતમાં પણ યુવકનું હાર્ટ એટેક આવવાને કારણે મોત થયું છે.


એક જ દિવસમાં બે લોકોના થયા મોત 

કોરોના બાદ હાર્ટ એટેક આવવાના કારણે મોત થતાં હોવાના આંકડામાં વધારો થઈ રહ્યો છે. નાની નાની ઉંમરે યુવાનો હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે. ત્યારે વધુ એક નહીં પરંતુ બે કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં મોત હાર્ટ એટેકને કારણે થયું છે. કોઈ ડાન્સ કરતા કરતા કાળનો કોળિયો બને છે તો કોઈ રમત રમતા કાળનો કોળિયો બને છે. ત્યારે હાર્ટ એટેકે બે લોકોના જીવ લીધા છે. સુરતમાં ચાલુ બાઈક દરમિયાન છાતીમાં દુખાવો યુવકને ઉપડ્યો હતો. યુવકનું ટૂંકી સારવાર બાદ મોત થઈ ગયું હતું. તો બીજી તરફ પાટણના  રાધનપુરમાં એસટી ડ્રાઈવર તરીકે ફરજ બજાવનાર ડ્રાઈવરનું મોત પણ હાર્ટ એટેકને કારણે થયું છે. 


હાર્ટ એટેક આવવાના કિસ્સાઓમાં નોંધાયો વધારો  

આવા કિસ્સાઓ ઘણા સમયથી સામે આવી રહ્યા છે. થોડા દિવસ પહેલા પીએસઆઈનું મોત પણ હાર્ટ એટેકને કારણે થયું હતું. વર્ષ 2022ની સરખામણી આ વર્ષમાં હાર્ટ એટેક આવવાના કિસ્સાઓમાં અનેક ઘણો વધારો જોવા મળી રહ્યો છે. 2023માં 27 ટકા જેટલો વધારો નોંધાયો છે. મળતી માહિતી અનુસાર વર્ષ 2022માં 108ને રાજ્યમાંથી 4549 કોલ મળ્યા હતા જ્યારે વર્ષ 2023માં 108ને હાર્ટ એટેક મામલે 5787 કોલ મળ્યા હતા. વધતા હાર્ટ એટેકના કિસ્સાઓને કારણે ચિંતામાં વધારો થયો છે.   




ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે