હાર્ટ એટેક આવવાના કિસ્સાઓમાં થયો વધારો, રાધનપુરમાં બસ ડ્રાઇવરનું અને સુરતમાં બાઇક પર જતા યુવાનનું થયું હાર્ટ એટેકથી મોત


  • Published By :
  • Published Date : 2023-04-10 13:10:15

હાર્ટ એટેકના કિસ્સામાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. કોઈ જીમ કરતા કરતા મોતને ભેટે છે તો કોઈ ક્રિકેટ રમતા રમતા મોતને ભેટે છે. ત્યારે એક જ દિવસમાં બે ઘટનાઓ સામે આવી છે જેમાં હાર્ટ એટેકને કારણે લોકોના મોત થયા છે. પાટણના રાધનપુરમાં એક એસટી બસ ડ્રાઈવરનું મોત હાર્ટ એટેક આવવાને કારણે થયું છે. રાધનપુરમાં એસટી કર્માચારી પોતાની ફરજ દરમિયાન મૃત્યુ પામ્યો છે. તે ઉપરાંત સુરતમાં પણ યુવકનું હાર્ટ એટેક આવવાને કારણે મોત થયું છે.


એક જ દિવસમાં બે લોકોના થયા મોત 

કોરોના બાદ હાર્ટ એટેક આવવાના કારણે મોત થતાં હોવાના આંકડામાં વધારો થઈ રહ્યો છે. નાની નાની ઉંમરે યુવાનો હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે. ત્યારે વધુ એક નહીં પરંતુ બે કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં મોત હાર્ટ એટેકને કારણે થયું છે. કોઈ ડાન્સ કરતા કરતા કાળનો કોળિયો બને છે તો કોઈ રમત રમતા કાળનો કોળિયો બને છે. ત્યારે હાર્ટ એટેકે બે લોકોના જીવ લીધા છે. સુરતમાં ચાલુ બાઈક દરમિયાન છાતીમાં દુખાવો યુવકને ઉપડ્યો હતો. યુવકનું ટૂંકી સારવાર બાદ મોત થઈ ગયું હતું. તો બીજી તરફ પાટણના  રાધનપુરમાં એસટી ડ્રાઈવર તરીકે ફરજ બજાવનાર ડ્રાઈવરનું મોત પણ હાર્ટ એટેકને કારણે થયું છે. 


હાર્ટ એટેક આવવાના કિસ્સાઓમાં નોંધાયો વધારો  

આવા કિસ્સાઓ ઘણા સમયથી સામે આવી રહ્યા છે. થોડા દિવસ પહેલા પીએસઆઈનું મોત પણ હાર્ટ એટેકને કારણે થયું હતું. વર્ષ 2022ની સરખામણી આ વર્ષમાં હાર્ટ એટેક આવવાના કિસ્સાઓમાં અનેક ઘણો વધારો જોવા મળી રહ્યો છે. 2023માં 27 ટકા જેટલો વધારો નોંધાયો છે. મળતી માહિતી અનુસાર વર્ષ 2022માં 108ને રાજ્યમાંથી 4549 કોલ મળ્યા હતા જ્યારે વર્ષ 2023માં 108ને હાર્ટ એટેક મામલે 5787 કોલ મળ્યા હતા. વધતા હાર્ટ એટેકના કિસ્સાઓને કારણે ચિંતામાં વધારો થયો છે.   




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.