હાર્ટ એટેક આવવાના કિસ્સાઓમાં થયો વધારો, રાધનપુરમાં બસ ડ્રાઇવરનું અને સુરતમાં બાઇક પર જતા યુવાનનું થયું હાર્ટ એટેકથી મોત


  • Published By :
  • Published Date : 2023-04-10 13:10:15

હાર્ટ એટેકના કિસ્સામાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. કોઈ જીમ કરતા કરતા મોતને ભેટે છે તો કોઈ ક્રિકેટ રમતા રમતા મોતને ભેટે છે. ત્યારે એક જ દિવસમાં બે ઘટનાઓ સામે આવી છે જેમાં હાર્ટ એટેકને કારણે લોકોના મોત થયા છે. પાટણના રાધનપુરમાં એક એસટી બસ ડ્રાઈવરનું મોત હાર્ટ એટેક આવવાને કારણે થયું છે. રાધનપુરમાં એસટી કર્માચારી પોતાની ફરજ દરમિયાન મૃત્યુ પામ્યો છે. તે ઉપરાંત સુરતમાં પણ યુવકનું હાર્ટ એટેક આવવાને કારણે મોત થયું છે.


એક જ દિવસમાં બે લોકોના થયા મોત 

કોરોના બાદ હાર્ટ એટેક આવવાના કારણે મોત થતાં હોવાના આંકડામાં વધારો થઈ રહ્યો છે. નાની નાની ઉંમરે યુવાનો હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે. ત્યારે વધુ એક નહીં પરંતુ બે કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં મોત હાર્ટ એટેકને કારણે થયું છે. કોઈ ડાન્સ કરતા કરતા કાળનો કોળિયો બને છે તો કોઈ રમત રમતા કાળનો કોળિયો બને છે. ત્યારે હાર્ટ એટેકે બે લોકોના જીવ લીધા છે. સુરતમાં ચાલુ બાઈક દરમિયાન છાતીમાં દુખાવો યુવકને ઉપડ્યો હતો. યુવકનું ટૂંકી સારવાર બાદ મોત થઈ ગયું હતું. તો બીજી તરફ પાટણના  રાધનપુરમાં એસટી ડ્રાઈવર તરીકે ફરજ બજાવનાર ડ્રાઈવરનું મોત પણ હાર્ટ એટેકને કારણે થયું છે. 


હાર્ટ એટેક આવવાના કિસ્સાઓમાં નોંધાયો વધારો  

આવા કિસ્સાઓ ઘણા સમયથી સામે આવી રહ્યા છે. થોડા દિવસ પહેલા પીએસઆઈનું મોત પણ હાર્ટ એટેકને કારણે થયું હતું. વર્ષ 2022ની સરખામણી આ વર્ષમાં હાર્ટ એટેક આવવાના કિસ્સાઓમાં અનેક ઘણો વધારો જોવા મળી રહ્યો છે. 2023માં 27 ટકા જેટલો વધારો નોંધાયો છે. મળતી માહિતી અનુસાર વર્ષ 2022માં 108ને રાજ્યમાંથી 4549 કોલ મળ્યા હતા જ્યારે વર્ષ 2023માં 108ને હાર્ટ એટેક મામલે 5787 કોલ મળ્યા હતા. વધતા હાર્ટ એટેકના કિસ્સાઓને કારણે ચિંતામાં વધારો થયો છે.   




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.