રખડતાં કૂતરાંને ખવડાવનારની વધી ચિંતા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-10 18:56:27

રખડતાં ઢોર બાદ રખડતા કૂતરાંઓને કારણે દેશના લોકો પરેશાન થઈ રહ્યા છે. પ્રતિદિન રખડતાં કૂતરાંઓ રાહદારીઓને કરડી લેતા હોય છે જેના પર સુપ્રીમ કોર્ટે ટિપ્પણી કરી છે. કોર્ટે કહ્યું કે રોડ પર રખડતા શ્વાન કોઈને કરડે તો તેને ખવડાવનાર વ્યક્તિ સારવારનો ખર્ચો ભોગવશે.


રખડતાં કૂતરાંને ખવડાવનારનો થશે મરો, પણ કેમ? 

આજકાલ રખડતાં કૂતરાંઓ બહુ મોટો ત્રાસ બની ગયા છે. પાલતુ કૂતરાંઓ દ્વારા પણ થતા હુમલાઓની સંખ્યામાં વધારો થયો છે. રખડતા શ્વાન ઉપરાંત પાલતુ કૂતરાંઓ રાહદારીઓને કરડી રહ્યા છે. ત્યારે આ વિષય પર ટિપ્પણી આપતા સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે જીવદયા પ્રેમીઓ રસ્તા પર રખડતા કૂતરાંઓને ખાવાનું ખવડાવે છે. તેઓને આ કૂતરાંઓના વેક્સીનેશન માટે પણ જવાબદાર ગણવા જોઈએ. વધુમાં જણાવ્યું કે આ પ્રકારના રખડતા કૂતરાઓ કોઈને કરડી જાય તો તે વ્યક્તિની સારવાર કરવાનો ખર્ચો પણ કૂતરાઓને ખાવાનું આપનારા લોકોએ જ ઉઠાવવો જોઈએ. 


ભૂખ્યાં હોવાને કારણે હિંસક બની જાય છે કૂતરાં

ઘણી વખત ભોજન ન મળવાને કારણે રખડતા શ્વાન આક્રામક બની જતા હોય છે. હિંસક બની તેઓ અનેક વખત રાહદારીઓ પર હલ્લાબોલ કરે છે. ત્યારે આ સમસ્યાનું નિરાકરણ કેવી રીતે લવાય તે અંગેની વધુ સુનાવણી આગામી 28 સપ્ટેમ્બરના રોજ થવાની છે.



આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .

પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલા વિશે એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે . ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટે પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી શરતોને આધારે મંજુર કરી છે. ભુપેન્દ્ર સિંહ ઝાલાને ૮ મહિનાથી વધુના જેલવાસ પછી ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે .

અમદાવાદના સેવન્થ ડે સ્કૂલની ઘટનાની સંપૂર્ણ તપાસ હાલમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે. અને હવે ક્રાઇમ બ્રાન્ચ સેવન્થ ડે સ્કૂલની ઘટનામાં તેના સંચાલકો સામે ફરિયાદ દાખલ કરવા માટે કોર્ટની મંજૂરી મેળવશે . હાલમાં ક્રાઇમ બ્રાન્ચની ટિમ આખી ઘટનાની અંદર ઝીણવટભરી તપાસ કરી રહી છે . આપને જણાવી દયિકે , આ આખી ઘટનામાં , સેવન્થ ડે સ્કૂલના સંચાલકોની ખુબ ભારે બેદરકારી સામે આવી છે .