રખડતાં કૂતરાંને ખવડાવનારની વધી ચિંતા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-10 18:56:27

રખડતાં ઢોર બાદ રખડતા કૂતરાંઓને કારણે દેશના લોકો પરેશાન થઈ રહ્યા છે. પ્રતિદિન રખડતાં કૂતરાંઓ રાહદારીઓને કરડી લેતા હોય છે જેના પર સુપ્રીમ કોર્ટે ટિપ્પણી કરી છે. કોર્ટે કહ્યું કે રોડ પર રખડતા શ્વાન કોઈને કરડે તો તેને ખવડાવનાર વ્યક્તિ સારવારનો ખર્ચો ભોગવશે.


રખડતાં કૂતરાંને ખવડાવનારનો થશે મરો, પણ કેમ? 

આજકાલ રખડતાં કૂતરાંઓ બહુ મોટો ત્રાસ બની ગયા છે. પાલતુ કૂતરાંઓ દ્વારા પણ થતા હુમલાઓની સંખ્યામાં વધારો થયો છે. રખડતા શ્વાન ઉપરાંત પાલતુ કૂતરાંઓ રાહદારીઓને કરડી રહ્યા છે. ત્યારે આ વિષય પર ટિપ્પણી આપતા સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે જીવદયા પ્રેમીઓ રસ્તા પર રખડતા કૂતરાંઓને ખાવાનું ખવડાવે છે. તેઓને આ કૂતરાંઓના વેક્સીનેશન માટે પણ જવાબદાર ગણવા જોઈએ. વધુમાં જણાવ્યું કે આ પ્રકારના રખડતા કૂતરાઓ કોઈને કરડી જાય તો તે વ્યક્તિની સારવાર કરવાનો ખર્ચો પણ કૂતરાઓને ખાવાનું આપનારા લોકોએ જ ઉઠાવવો જોઈએ. 


ભૂખ્યાં હોવાને કારણે હિંસક બની જાય છે કૂતરાં

ઘણી વખત ભોજન ન મળવાને કારણે રખડતા શ્વાન આક્રામક બની જતા હોય છે. હિંસક બની તેઓ અનેક વખત રાહદારીઓ પર હલ્લાબોલ કરે છે. ત્યારે આ સમસ્યાનું નિરાકરણ કેવી રીતે લવાય તે અંગેની વધુ સુનાવણી આગામી 28 સપ્ટેમ્બરના રોજ થવાની છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.